Posted in हिन्दू पतन

વિકટીમ કાર્ડની વેલિડિટી કાયમ માટે સમાપ્ત થઇ ગઈ છે…

હાલમાં જ દેશના સૌથી મોટા સંગીતકાર અને મારા ફેવરિટ એ.આર. રહેમાને આરોપ લગાવ્યો કે “દેશમાં માહોલ એવો બન્યો છે કે હું મુસ્લિમ છું એટલે મને કામ મળવાનું ઓછું થઇ ગયું છે.”

અને આ પહેલીવાર વિકટીમકાર્ડ પ્લે કરવામાં આવ્યું નથી. શાહરુખ, અમીર, અઝરૂદ્દીન, હમિદ અન્સારી, શબાના હાસ્મી, ઇમરાન હાસ્મી, લકી અલી, જાવેદ અખતર લિસ્ટ ખુબ મોટું છે. આ લોકોને પોતાની અંગત બેદરકારી કે જાતે કરેલા ગુનાની સજા મળે એટલે મુસ્લિમ વિકટીમ કાર્ડ રમવાનું. પણ તમે જયારે સ્ટાર કે સેલિબ્રિટી બનો ત્યારે દેશને ક્રેડિટ નહીં આપવાની?

હકીકત તો એ છે કે ગુલશન કુમારની હત્યા જ એટલે કરવામાં આવેલી કે તેં ભજન ગાતા હતા અને ગોળી મારતી વખતે કહેવામાં આવેલું “બહુત ભજન કરતાં હૈ અબ ભગવાન કે પાસ જાકર ગા” હકીકત તો એ છે કે સલમાન દ્વારા અગણિત હિંદુ કલાકારોનું કેરિયર ખતમ કરવામાં આવ્યું છે. હકીકત તો એ છે કે સોનુ નિગમે મસ્જિદમાં લાઉડ સ્પીકરનું નિવેદન આપ્યા બાદ કામ મળતું બંધ થઇ ગયું હતું. હકીકત તો એ છે કે ગદ્દર ફિલ્મ બાદ દેઓલ પરિવાર ટોટલી સાઈડ પર કરી દેવાયો કારણ કે ફિલ્મ પાકિસ્તાન પર હતી. હકીકત તો એ છે કે આંતકવાદ પર બોલવા પર અભિજીતને ઇન્ડસ્ટ્રીમાંથી જ કાઢી મુકવામાં આવ્યો. હકીકત હોવા છતાં એક પણ હિંદુઓએ વિકટીમકાર્ડ નથી રમ્યું.

એ.આર. રહેમાનનો આજ સુધી કોઈ હિંદુએ વિરોધ કર્યો હોય મને યાદ નથી. તેમને ઓસ્કાર, ગ્રેમી, બાફ્ટા મળે કે ગોલ્ડન ગ્લોબ ત્યારે આખો દેશો ખુશ થઈને અભિનંદન આપતો જ હતો. એનાથી સાવ ઉલ્ટી અને મજાની વાત કરું તો વર્ષ 2015 માં એ. આર. રહેમાને ‘મેસેન્જર ઓફ ગોડ’ નામની ફિલ્મમાં મ્યુઝિક આપેલું! ત્યારે સુન્ની મુસ્લિમની સૌથી મોટી એકેડેમીમાની એક ‘રાઝા એકેડેમી’એ ફતવો બહાર પહેલો. અને એનાથી મજાની વાત કરું તો બૉલીવુડનાં એક પણ કલાકરે રહેમાનનું સમર્થન નહીં કરેલું અને રહેમાન સાહેબ પોતે પણ મૌન રહેલા.

ધર્મ આધારિત ભાગલા બાદ પણ આપણો દેશ બિનસાંપ્રદાયિક બનાવ્યો અને આ કથિત સેકુલર દેશમાં મુસ્લિમ માટે અલગથી પર્સનલ લો બોર્ડ અને વક્ફ જેવા કાયદાઓ આપવામાં આવ્યા, આજે 16% વસ્તી હોવા છતાં લઘુમતીનો દરજ્જો, લઘુમતી સ્પેશિયલ સ્ટેટ્સવાળી અગણિત સંસ્થાઓ, સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા. માઇનોરિટી માટે અલગથી બજેટ, આવું તો અગણિત.

તો પછી વિકટીમ કાર્ડ કેમ? જયારે કોઈ મોટો મુસ્લિમ સેલિબ્રિટી એવું કહે કે “મુસ્લિમ હોવાથી અન્યાય થાય છે!” ત્યારે છેવાડાનાં નાના મુસ્લિમ બાળકનાં મનમાં કેવો ડર ઉભો થાય એ ભાન છે આ લોકોને? એ કાલ્પનિક ડર તેને કેતો સાવ ડરાવીને હતાશામાં મૂકી દેશે અથવા વધુ પડતા રક્ષણાત્મક બનવવામાં કૃતિમ રીતે આક્રમક બની છે અને આ બન્ને પરિસ્થિતિમાં તેં બાળકને નુકસાન છે અને અંતે આવા મિસકન્સેપટ સાથે ઉછરેલું બાળક સમાજ અને પરિવાર બન્ને માટે બોજ બનશે.

વિકટીમ કાર્ડ એટલા માટે રમવામાં આવે છે કે પહેલા આ કાર્ડ ખુબ ચાલતું! અને આ વિકટીમ કાર્ડને કોંગ્રેસ સહીતનાં સેકુલર પક્ષઓનું પૂર્ણ સમર્થન હતું. એટલે બિન્દાસ્ત પોતાનો ગુનો, અસફળતા કે બેદરકારી છુપાવવા માટે એટલું જ કહેવાનું કે “હું મુસ્લિમ છું એટલે મારી સાથે અન્યાય થાય છે” પણ, હવે સમય બદલાઈ ગયો છે. આવા વિકટીમ કાર્ડ બેકફાયર થાય છે.

અસહિષ્ણુતા મુદ્દે શાહરુખ, પત્નીને ડર લાગે તેં મુદ્દે અમીર, યાકુબ મેમન મુદ્દે સલમાન ખાન, ફ્લેટ ન મળવા બાબતે ઇમરાન હાસ્મી બધા વિકટીમ કાર્ડ રમ્યા બાદ લોકોએ નકાર્યા છે. બૉલીવુડ આખુ ધરમૂળમાંથી બદલાઈ રહ્યું છે. આમ જનતા પણ જાગૃત થઇ ગઈ છે માટે હવે આવા વિકટીમ કાર્ડ ચાલશે નહીં. પહેલા તમે રોદણાં રડતા તો લોકો પણ તમારી સાથે ઈમોશનલ થતા, પણ હવે લોકો તમારી ઉપર હસશે.

હવે જુઓ! નિવેદન રહેમાને આપ્યું અને તેના પર મેં આ આર્ટિકલ લખ્યો છતાં હિંદુ મુસ્લિમ કરવાનો આરોપ રહેમાન પર નહીં મહેશ પુરોહિત પર લગાવવામાં આવશે અને આને શુદ્ધ સેકુલરીઝમ કહેવાય.

નોટ: જે રોજ રોદણાં રડે એની પ્રત્યે કોઈને સંવેદના ન રહે

– મહેશ પુરોહિત, નવસારી

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment