Very nice
” ચમારના બોલે ” – ઝવેરચંદ મેઘાણી સાહિત્ય
વાંકાનેર દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે ગઢના માણસો તો શું પણ કૂતરાં મીંદડાંયે ગુલતાનમાં ડોલી રહ્યા ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડી વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.
આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે : મટકુંયે નથી માર્યું જાગીને મનમાં મનમાં ગાયા કર્યું કે…
વીરા ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,
વીરા, ક્યાં લગણ જોઉં તમારી વાટ રે,
મામેરા વેળા વહી જાશે રે….
ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઊઠી ઊઠીને એ ડેલીમાં નજર કર્યા કરે છે પણ અત્યાર સુધી જેની વાત જોતી હતી તે મહેમાનના ક્યાંયે વાવડ નથી.
શોકાતુર માનવી બીજું કોઈ નહિ પણ વરરાજાની ખુદ જનેતા છે જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા ? એને તો કંઈક કંઈક રિસામણાં મનામણાં કરવાનાં હોય સંભારી સંભારીને સહુ સગાંવહલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય એ બધું તો હોય પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતા :
કાં ! કહેતાં’તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે !
કાં ? ગાંફ ગામથી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને ? તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા કે શું !
ઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં હતાં કે : હા ! હા ! જો જો તો ખરા, દરબાર ! હવે ઘડી બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું.. આવ્યા વિના એ રહે જ નહિ.
પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈ ડોકાઈ ને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે ! ક્યાંય ઘોડાના ડાબા ગાજે પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો :
‘બા, જે શ્રીકરશન… સાંભળીને રાણીએ નીચે નજર કરી
ગાંફના ચમારને ભાળ્યો કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય.., એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો કેમ કે એને મન તો આજ આખું મહિયર મળી ગયું લાગતું હતું એ બોલ્યાં :
ઓહોહો ! જે શ્રીકરશન ભાઈ ! તું આંહીં ક્યાંથી બાપુ ?
બા., હું તો ચામડાં વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય ભામણબામણ ઊભા હોય એટલે શી રીતે જવાય ? પછી સૂઝ્યું કે પછવાડે ગોખેથી ટહુકો કરતો જાઉં !
હેં ભાઈ ! ગાંફના કાંઈ વાવડ છે ?
ના, બા ! કેમ પૂછ્યું ? વીવાએ કોઈ નથી આવ્યું ?
રાણી જવાબ વાળી ન શક્યાં. હૈયું ભરાઈ આવ્યું. ટપ ટપ આંખો માંથી પાણી પડવા લાગ્યાં.
ચમાર કહે : ‘અરે, બા ! બાપ ! ખમ્મા તમને, કાં કોચવાવ ?’
ભાઈ ! અટાણે કુંવરને પેરામણીનો વખત છે. પણ ગાંફનું કોઈ નથી આવ્યું એક કોરીય મામેરાની નથી મોકલી અને મારે માને મેણાંના મે વરસે છે મારા પિયરિયાં તે શું બધા મરી ખૂટ્યાં ?
કોઈ નથી આવ્યું ? ચમારે અજાયબ બનીને પૂછ્યું.
ના, બાપ ! તારા વિના કોઈ નહિ.
ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું.
મારા વિના કોઈ નહિ ! હાં ! મારા વિના કોઈ નહિ ! હું ય ગાંફનો છું ને ! ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ? આ બે’નડીનાં આંસુડાં મારાથી શે દીઠાં જાય ?
એ બોલી ઊઠ્યો :
બા ! તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ ?
અરેરે, ભાઈ ! તું શું કરીશ ?
શું કરીશ ? બા, બાપુને હું ઓળખું છું આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ હોય.., પણ હું એને ઓળખું છું તું ધરપત રાખજે હો, “માં” શું કરવું તે મને સૂઝી ગયું છે એમ કહીને ચમાર ચાલ્યો..
દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા :
ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.
દરબાર બહાર આવ્યાં. તેમણે ચમારને દેખ્યો; મશ્કરીનાં વેણ કાઢ્યાં :
કાં ભાઈ ! મામેરું લઈને આવ્યા છો કે ?
હા, અન્નદાતા ! આવ્યો છું તો મામેરું લઈને જ.
એમ ! ઓહો ! કેમ, તમને મોકલવા પડ્યા ! ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?
અરે દાદા ! ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણું થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.
ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં ?
એમ હોય, બાપા ! ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઈ ગાડાંની હેડ્યુંમાં સામે ?
ત્યારે ?
એ અમારું ખસતા ગામ કુંવરને પે’રામણીમાં દીધું.
દરબારે મોમાં આંગળી નાંખી એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે. એણે પૂછ્યું :
કાંઈ કાગળ દીધો છે ?
ના, દાદા ! કાગળ વળી શું દેવો’તો ! ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે !
ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફના એક ઢોર ચીરનારો ઢેઢ આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે’ણાંના ઘા પડતા હતા તે થંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટલે મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઈને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં :
ફટ્ય છે તમને દરબાર ! લાજતા નથી ? ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે અને તમે આંહીં બેઠા રિયા છો ? બાપુ ! ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી ?
પણ છે શું મૂરખા ? દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા.
હોય શું બીજું ? ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.
અરરર ! એ તો સાંભર્યું જ નહિ : ગજબ થયો ! હવે કેમ કરવું ?
હવે શું કરવાનું હતું ? ઈ તો પતી ગયું હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું એજ વાત બાકી રઈ છે.
કાં એલા ! તારું તે શું ફટકી ગ્યું છે ?
હા બાપુ ! ફટકી ગ્યું’તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું.
શી વાત કરછ ? તું આપણું ખસતા દઈ આવ્યો ?
હા, હા ! હવે તમારે જે કરવું હોય તે કહી નાખો ને એટલે મને મારો મારગ સૂઝે.
દરબારનું હૈયું ભરાઈ આવ્યું : વાહ ! વાહ, મારી વસ્તી ! પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું ! વાહ ! મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ !…ભાઈ ! ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે.
આજે તારે મરવાનું હોય ? તારા વિના તો મારે મરવું પડત..બાપ
ચમારને દરબારે પાઘડી બંધાવી, અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં :
વાત શી છે ? આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે ? ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય ?
વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા ગાંફના ધણીએ જવાબ મોકલ્યો : એમાં પૂછવા જેવું શું લાગ્યું ? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.’ વરની માતા હવે દાઝ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્નગીત ગજવી રહ્યાં છે કે
તરવાર સરખી ઊજળી રે ઢોલા !
તરવાર ભેટમાં વિરાજે એ વાલીડા વીરાને,
એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને
આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી. આ કથા ભાલમાં પ્રચલિત છે. કહેવાય છે કે એને બન્યા આજ ૧૯૨૫માં ૩૦૦ વર્ષ થયાં હશે.
” આભાર “
– સૌરાષ્ટ્ર રસધાર (આપણી સંસ્કૃતિ અને આપણો વારસો)
Month: July 2025
¤ સિંહણના મોતનો બદલો ¤
==> સૌરાષ્ટ્ર એટલે શૂરા, વીર, વાળા, સંતોની ભૂમિ. અહીં એક એકથી ચડે તેવા શૂરવીર, વીર,સંતો વગેરે થઈ ગયા એટલે સૌરાષ્ટ્રની ભોમકા શૂરા, વાળા, વીર, સંતોની કહેવાય છે.
==> વાત છે વીસાવદર તાલુકાના મોટા મોણપુરી ગામની. આ ગામના દરબાર માત્રાવાળા હતા. એક વખત તેઓ જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. ત્યારે મોણપુરીની બાજુમાં ખોડિયાર જજાનો પાણીનો ધૂનો આવ્યો. તેઓ ત્યાંથી જતા હતા એટલામાં ધૂનામાં પાણી પીવા આવેલીસિંહણે ભયંકર વેદના સાથે ગર્જના કરી. વાળાએ ત્યાં જોયું તો ધૂનામાં રહેતા મગરે સિંહણનો પગ પકડ્યો હતો. તે સિંહણને પાણીમાં ખેંચી ગયો અને તેને મારીને ખાઈ ગયો.
==> વાળા સ્તબ્ધ થઈ ગયા. તે પાછા ફરવા જતા હતા ત્યાં સામેથી સિંહણની ચીસો સાંભળી દોડી આવેલો સિંહ જોયો. સિંહ શું કરે છે. તે જોવા માત્રાવાળા ઝાડ ઉપર ચડી ગયા.
==> સિંહણને ખાઈ તૃપ્ત થયેલો સુસ્ત મગર બે દિવસ ધૂનામાંથી ન નીકળ્યો.સિંહ ભૂખ્યો-તરસ્યો ત્યાં જ બેસી રહ્યો. માત્રાવાળા પણ સિંહ શું કરશે તેની રાહમાં બે દિવસ ઝાડ પર બેસી રહ્યા. ત્રીજે દિવસે સિંહ પાણી પીવા ધૂના તરફ ગયો. ફરીથી શિકાર મળશે તે લાલચમાં મગર સિંહને ખાવા આવ્યો. સિંહે ચાલાકી વાપરી. તે મગરને લાલચ આપીને પાણીથી દૂર લઈ ગયો. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. સિંહે અંતે મગરને મારી નાખ્યો. સિંહ ખૂબ ધાયલ થઈ ગયો.
==> સિંહની વીરતા જોઈ માત્રાવાળા સિંહને પોતાના ગઢમાં લાવ્યા ત્યાં સિંહના દવા દારૂ કર્યા. સિંહ સાજો થયો. તે વાળાની સાથે જ રહેવા લાગ્યો
==> એક વખત દરબારગઢમાં ચોર પેઠા. સિંહની સાવચેતીથી ચોર નાઠા.
કેટલી ઉમદા દિલેરીના દરબાર વીર માત્રાવાળા તો કેટલી ઉમદા ભાવના વાળો સિંહ ? જે તેની સિંહણના મોતનો બદલો લેવા બે બે દિવસ ભૂખ્યો- તરસ્યો રહ્યો ને મોત સાથે ઝઝૂમ્યો અને જ્યારે માત્રા વાળાનુ અવસાન થયા પછી તેણે કંઈ પણ ખાધુ નહિ અને બે દિવસ પછી તેનુ પણ મૃત્યુ થઈ ગયુ
Post by.GauTam KoTila
●♡●◇●♡●◇÷÷મામેરુ÷÷◇●♡●◇●♡●
પ્રભાસ પાટણ સોમનાથ ની બાજુ મા ‘ગીર ખોરાસા’ નામના એક નાનકડા ગામ ના પાદર ના કુવે પનિહારીઓ પાણી ભરી રહી છે…કુવા ની ગરેડી ના ખીલા કીચુડ..કીચુડ ના અવાજ થી ગાજી રહ્યા છે…
વચ્ચે વચ્ચે પનિહારીઓ ની વાતો ના જકોળા વાતાવરણ ને ઘોંઘાટીયુ બનાવી રહ્યા છે…કોઈ ની નણંદ તો કોઈ ની સાસુ વગોવાઈ રહી છે…આજે ગામના દરબાર ને ઘરે વિવાહ નો પ્રસંગ છે..એટલે બાયુ ની વાતો મા..ક્યારેક ક્યારેક ‘રૂપાળી બા’
ના મામેરા ની વાત પણ આવી જાય છે..
એક બાઈ બોલી….
“જોતો ખરી એલી..રૂપાળીબા ના મામેરા ની હેલ્યુ આવે છે ક્યાંય…?”
બીજી બાઈએ ટાપસી પુરી..”પાટણ ના કેડા તો હજી સુના છે”
ત્રીજી બાઈ..”રૂપાળી બા નું મામેરુ હવે આવી રહ્યુ..!!”
અને બધી પનિહારીઓ એકસાથે હસી પડી…
આમ જ્યા વાતો ચાલે છે ત્યા..પ્રભાસપાટણ નોએક હરીજન કુવે પાણી પીવા આવ્યો..
“બોન..તરસ્યા વાટમારગુ ને પાણી પાશો..?”
“કયે ગામ જવુ છે ભાઈ..!!”
પાણી ની ગાગર નમાવી એક બાઈ પાણી ખોબા મા રેડતા પુછવા લાગી…
“માધુપૂર જાવ છું બૉન..”
“ઓહો…આમ ક્યાથી આવો છો..?”
“સોમનાથ પાટણ થી..”
“લે…તો..તો અમારા દરબાર ની વહુવારુ ના મામેરીયા…”
કહી ને પાણી પાતી બાઈએ બીજી બાઈ સામે આંખ ઊલાળી
હરીજન કાંઈ સમજ્યો નહીં એટલે સામે જોઈ રહ્યો..
“તને કાંઈ ખબર નથી ભાઈ…
આજ અમારા ગામ ના દરબાર ગઢ મા વિવાહ નો પ્રસંગ છે..અને તમારા દરબાર ની દિકરી રૂપાળીબા આહ્યા સાસરે છે..
અમને તો એમ કે,તમે એનું મામેરૂ લઈ ને આવ્યા હશો..”
આટલું બોલી બધી બાઈઓ ઠઠ્ઠો કરતી ચાલતી થઈ..
ગામ માથી આ હરીજન ના જુવાન ને જાણવા મળ્યું કે,ખોરાસા અને પાટણ ના દરબાર વેવાઈ છે..પણ બંને વચ્ચે કાંઈક દુખ થયુ હોવાથી વહેવાર નથી…
અને એના..ઝઘડો નો ભોગ બની છે રૂપાળીબા
આજે વિવાહ જેવો રૂડો અવસર ને રૂપાળી બા મામેરે વિનાની રહેશે..
આપણી ભારતીય સંસ્કૃતિ મા મામેરા નું બહું મહત્વ છે…
બેન ને ભાઈ ના મામેરા ની જીંદગીભર વાટ હોય છે..
એને ઘરે પ્રસંગ આવે ને બેન મામેરુ વધાવી ને આંગળીઓ ના ટાંચકા ફોડે ત્યારે એને જે હરખ હોય…
એનું શબ્દો મા વર્ણન ન થઈ શકે…
આ હરીજન નો જુવાન…વિચાર કરતો કરતો ગામ ના પાદરે આવ્યો..
મન મા કાંઈક ગાંઠ વાળી ને પાછો વળ્યો…
ગામ ની બજાર મા આવી ને દરબાર ગઢ નો રસ્તો પુછ્યો
દરબાર ગઢ મા તો ઢોલ શરણાઈ ની પ્રાંછટ બોલે છે…
વિવાહ નો અવસર છે કિલ્લોલ થાય છે…
પણ આ હરીજન વિચારે છે
કે,આ આનંદ મા મારા ગામની એક દિકરી કોઈ ખૂણા મા ઓશીયાળી થઈ ને બેઠી હશે..
એની ઊપર મેણા ના મેહ વરસતા હશે…
એણે..ગામઘણી દરબાર ની મુલાકાત માંગી,દરબાર મા હાજર થયો..
“બોલ ભાઈ…ક્યુ ગામ..?”
“પ્રભાસ પાટણ…!!”
“ઓ..હો…વેવાઈ નું ગામ…,શુ આવ્યા છો..?”
“અમારા રૂપાળીબેન નું મામેરૂ લઈ ને આવ્યો છું બાપુ..”
“વેવાઈ ને શું થયું..?”
“એના કુંટુંબ મા એક અણધાર્યુ મરણ થયુ એટલે અવાઈ એમ નથી…મને મોકલ્યો છે”
“વાહ..તો..તો..મામેરા ના ગાડા પાછળ આવતા હશે..?”
“અમારી દિકરી ના મામેરા ગાડામા નો સમાઈ બાપું…
બેન ને મામેરા મા હું ‘ઈશ્વરયું ને કીંદરયું’ બે ગામ લખી દઉ છું”
દરબાર ની કચેરી ના માણસો…છક થઈ ગયા..
પણ,દરબારે કીધુ “એના દસ્તાવેજ ક્યા..?”
“મને ખબર નૉતી દરબાર…. કે ખોરોસા ના દરબારગઢ મા માણસ ની જીભાન કરતા કાગળ ની ચબરખી ને મોટાઈ આપવામા આવે છે…”
દરબાર નીચે જોઈ ગયા..
રૂપાળીબા..આવ્યા હરીજન ના જુવાન ના કપાળે ચાંદલો કરી મામેરૂ વધાવ્યું…
જુવાન પોતાના પંથે પડ્યો..
સોમનાથ પાટણ આવી ને,
પોતાના ગામ ના દરબાર……જે..
ભગવાન સોમનાથ મહાદેવ ની પૂજા કરી દરબાર ભરી ને બેઠા છે એ કચેરી મા આવી ને કહેવા લાગ્યો…
“બાપું..હવે જીવાડો કે મારો એ તો તમારા હાથ મા છે…પણ રૂપાળીબા બોન નું મામેરૂ ભરી ને હાલ્યો આવું છું…”
પ્રભાસ પાટણ ના દરબાર ની દાઢી ને મુછ ફરકવા લાગી..
“મામેરા મા શું દીધુ ભાઈ…?”
“ઈશ્વરીયુ ને કિંદરયું બેઈ ગામ નો દસ્તાવેજ પુગાડવાનો છે..”
“વાહ…બાપ તે તો મારી આબરૂ રાખી…બે ગામ તે બેન ને દીધા આ પાંચ ગામ નો ગરાસ આજ થી હું તને લખી દઉં છું..”
એમ કહેવાઈ છે કે…આઝાદી મળી એના પહેલા સોમનાથ પાટણ ની આસપાસ ના પાંચ ગામ નો ગરાસ સોમનાથ ના હરીજનો ને મળતો….
✍ભરત વ્યાસ.
जब टाइटैनिक डूब रहा था चार्ल्स जोघिन आराम से शराब पी रहा था।
🚢 टाइटैनिक की कई कहानियाँ हैं… लेकिन शायद आपने ये नहीं सुनी होगी।
मिलिए चार्ल्स जोघिन से — टाइटैनिक पर चीफ़ बेकर।
उन्हें दो चीज़ों से गहरा लगाव था: ब्रेड बनाना और शराब पीना।
और जिस रात दुनिया का सबसे मशहूर जहाज़ एक हिमखंड से टकराया, उस रात उन्होंने दोनों का बख़ूबी इस्तेमाल किया।
उस शाम, चार्ल्स अपने प्राइवेट केबिन में रोज़ की तरह आराम कर रहे थे — फ्लास्क से सिप लेते हुए और अपने बनाए हुए मूनशाइन डिस्टिल (घरेलू शराब की भट्टी) की जांच करते हुए (बिना लिमिट यीस्ट होने के फायदे)।
तभी जहाज़ के स्टारबोर्ड हिस्से में एक गहरी, डरावनी खराश की आवाज़ आई।
बिना घबराए, उन्होंने अपना फ्लास्क उठाया और डेक पर आ गए — तभी उन्होंने कैप्टन स्मिथ को लाइफबोट्स तैयार करने का आदेश देते सुना।
🍞 फिर चार्ल्स ने क्या किया?
उन्होंने अपनी बेकरों की टीम को इकट्ठा किया और लाइफबोट्स के लिए ब्रेड का वितरण खुद व्यवस्थित किया — क्योंकि ठंडे समुद्र में कैलोरीज से जान बच सकती थी।
इसके बाद वे फिर अपने केबिन लौटे… और थोड़ी और व्हिस्की पी।
जब लाइफबोट #10, जिस पर उन्हें सवार होना था, तैयार थी — उन्होंने अपनी सीट किसी और क्रूमैन को दे दी और खुद वहीं रह गए — शांत और थोड़े नशे में।
आख़िर में, जब सभी लाइफबोट्स जा चुकी थीं, चार्ल्स जहाज़ पर अकेले खड़े थे, और डेक की कुर्सियाँ एक-एक कर समंदर में फेंक रहे थे — ताकि जो लोग पानी में हों, उनके लिए वो फ्लोटेशन डिवाइस बन सके।
और हाँ, वो लगातार पीते जा रहे थे।
🧊 जब टाइटैनिक का पिछला हिस्सा ऊपर उठा,
चार्ल्स चुपचाप रेलिंग पार कर गए…
और जहाज़ उनके नीचे डूब गया — बिना उन्हें खींचे।
उन्होंने बर्फीले अटलांटिक महासागर में दो घंटे तक तैराकी की — उनके बाल तक सूखे थे और दिमाग़ पूरी तरह संतुलित।
जब उन्हें बचाया गया, तो सेकंड ऑफिसर लाइटोलर — जिन्हें यकीन था कि चार्ल्स अब तक मर चुके होंगे — उन्हें ज़िंदा देखकर हैरान रह गए।
चार्ल्स का मानना था कि शराब ने ही उनका खून जमने से और होश टूटने से बचा लिया।
वो बच गए।
दूसरों को बचाया।
और इतिहास की सबसे बड़ी समुद्री त्रासदी से ज़िंदा बाहर निकले।
💬 उसके बाद?
फिर से समंदर में लौटे।
ब्रेड बनाते रहे। शराब पीते रहे।
दो और जहाज़ दुर्घटनाएँ सहकर बच निकले।
और 78 साल की उम्र तक जिए।
आज उनकी कब्र पर लिखा है:
“The Baker of the Titanic” (टाइटैनिक का बेकर)।
🥃🛳️ एक ऐसा आदमी जिसने ज़िंदगी का जाम उठाया — जब समंदर भी उसे निगलने चला था।
सलाह…..😊
जयंत बाबू शिक्षक से सेवानिवृत्त हुए हैं।
वह और उनकी पत्नी पटना के एक फ्लैट में रहते हैं।
उन्होंने दशहरा में अपने गाँव जाने की योजना बनाई।
गाँव जाने से पहले जयंत बाबू ने सोचा कि अगर उनकी गैरमौजूदगी में कोई चोर घुस गया तो वो घर की सारी अलमारी और पेटी तोड़ कर क्षतिग्रस्त कर देंगे क्योंकि कोई नकद नहीं मिलेगा।
इसलिए उन्होने घर को बर्बाद होने से बचाने के लिए 1000 रुपये टेबल पर रख दिए।
एक संवाद के साथ एक पत्र छोड़ा जिसमें लिखा था:
हे अजनबी, मेरे घर में प्रवेश करने के लिए आपने कड़ी मेहनत की इसके लिए मेरी हार्दिक बधाई।
लेकिन अफसोस के साथ कहना पड़ रहा है की हम शुरू से मध्यम वर्गीय परिवार से हैं और हमारा परिवार बिना पेंशन के पैसे से चलता है। इसलिए हमारे पास कोई नकदी नहीं है।
मुझे सच में बहुत शर्म आ रही है कि आपकी मेहनत और आपका कीमती समय बर्बाद हो रहा है।
इसलिए मैंने आपकी पैरों की धूल के सम्मान में यह थोड़े से पैसे मेज पर छोड़ दिए हैं।
कृपया इसे स्वीकार करें।
और मैं आपको आपके बिजनेस को बढ़ाने के कुछ तरीके बता रहा हूं।
आप कोशिश कर सकते हैं।
सफलता मिलेगी।
मेरे फ्लैट के सामने आठवीं मंजिल पर एक बहुत प्रभावशाली भ्रष्ट मंत्री रहता है।
नामी प्रॉपर्टी बईमान डीलर सातवें माले में रहता है।
सहकारी बैंक के अध्यक्ष जो छठे तल पर रहते हैं।
पांचवी मंजिल पर प्रमुख उद्योगपति।
चौथी मंजिल पर नामी महाराज जी हैं।
व तीसरी मंजिल पर एक भ्रष्ट राजनीतिक नेता हैं।
उनका घर गहनों और नकदी से भरा है।
मैं निश्चित रूप से कह सकता हूं की आपकी व्यावसायिक सफलता उन्हें नुकसान नहीं पहुंचाएगी और उनमें से कोई भी पुलिस को रिपोर्ट नहीं करेगा।
दशहरा के बाद जब जयंत बाबू और उनकी पत्नी वापस अपनी फ्लैट में लौटे तो उन्हें टेबल पर एक बैग रखा मिला।
बैग में 10 लाख रुपए नकद और एक पत्र रखा देखकर वह हैरान रह गये।
पत्र पर लिखा था:
गुरुजी आपके निर्देश और शिक्षा के लिए बहुत-बहुत धन्यवाद सर।👏
मुझे इस बात का अफ़सोस है की मैं पहले क्यों आपके करीब नहीं आ पाया।
आपके निर्देशानुसार मैंने मिशन को सफलतापूर्वक पूरा किया।
मैंने इस छोटी सी राशि को धन्यवाद के रूप में छोड़ दिया है।
भविष्य में भी मैं आपके आशीर्वाद और मार्गदर्शन की कामना करता हूँ…
भवदीय – चोर…🤪🤪
સમીર મારો આસિસ્ટન્ટ આમ તો બહુ મહેનતુ છોકરો છે.
પણ એની એક તકલીફ એ છે કે એને હર બે-ત્રણ મહિને પ્રેમ થઈ જાય છે.
આમ જુઓ તો મારે ત્યાં કામ કરતો માણસ એની પર્સનલ લાઈફમાં શું કરે છે એનાથી મારે કોઈ મતલબ ના હોય પણ સમીરની લવલાઈફ ક્યારેક મારા કામને અસર કરતી હોય છે જ્યારે જ્યારે સમીરનું બ્રેકઅપ થાય છે ત્યારે એ દેવદાસ બની જાય છે અને એવા સમયે એ કોઈ કામ બરોબર કરતો નથી.
કહે છે ને કે..
ઈશ્ક ને ગાલિબ નીકમ્મા કર દિયા
વરના હમ ભી આદમી થે કામ કે
મેં જોયું હતું કે સમીરની લગભગ બધી પ્રેમિકાઓ એકદમ શાંત અને ડાહી હોય છે. આવી ભાગ્યશ્રી ટાઈપની છોકરીઓ જોડે સમીરને પ્રેમ થાય પછી થોડા દિવસમાં સમીર બોર થઈ જતો અને બ્રેકઅપ થઈ જતું.
આ વખતે છેલ્લી પ્રેમિકા દેવાંગી જોડે સમીરનો પ્રેમસંબંધ લગભગ એક વરસ ચાલ્યો.
આ છોકરી થોડી અલગ માટીની હતી. એ સ્માર્ટ હતી અને બહું જ નટખટ હતી.
આજકાલની ભાષામાં જેને toxic કહેવાય એવી છોકરી.
થોડા દિવસ પહેલા કોઈ વાત ઉપર આ બાબુ સોનાનો ઝગડો થયો અને સોનાએ બાબુને કહી દીધું કે ઘોચું I don’t like you anymore.
બ્રેકઅપ બ્રેકઅપ બ્રેકઅપ.!!
પુરુષનું જ્યારે દિલ તૂટે ત્યારે ભાંગી પડે છે એ તો બરોબર છે પણ એમાંથી રિકવર થવાની બધાયની રીત અલગ અલગ હોય છે.
કોઈ દારૂ જેવા નશાનો સહારો લે તો કોઈ સેડ સોંગ સાંભળીને થોડા દિવસ ગુમસૂમ બેસી રહે.
કોઈ એવા પણ હોય કે તું નહિ તો ઓર સહી…
ટૂંકમાં પ્રેમભંગ પુરુષના જીવનમાં ખાલીપો આવી જતો હોય છે જેને ભરવા માટે પુરુષ કઈક ને કંઇક ઈલાજ કરતો હોય છે.
અમારા સમીરભાઈ તો આ વખતે કઈક અલગ મિજાજમાં હતા.
સમીરે બીજે દિવસે સાઇટ ઉપર આવીને મને હસતા હસતા કહ્યું કે સારું થયું બ્રેકઅપ થઈ ગયું. એક વરસથી મારું લોહી પી ગઈ હતી. હવે જિંદગીમાં ઘણી શાંતિ છે.
મને સમીરના આવા વર્તનથી નવાઈ લાગી આમ છતાં મે કહ્યું મજાનું!!
આ વાતને એક અઠવાડિયું વીતી ગયું હશે ત્યારે એક સાંજે સમીરના મમ્મીનો મને ફોન આવ્યો.
“અમિતભાઈ આ સમીરનું કઈક કરો”
મેં પૂછ્યું “શું થયું?”
મને કહે “એકવાર ઘેરે આવો તો ખબર પડે.”
હું ASAP સમીરની ઘેરે ગયો.
એના મમ્મી પપ્પાએ મને આવકાર આપ્યો અને કહ્યું કે સમીર એના બેડરૂમમાં છે.
હું બેડરૂમમાં ગયો અને જોયું તો સમીર એના બેડ ઉપર બેઠો હતો અને આખા બેડ ઉપર કુલ પાંચ બિલાડીઓ બિરાજમાન હતી.
સમીર એની જોડે રમતો હતો.
મે પૂછ્યું “સમીર??? આ શું છે?
સમીરે મને અંગ્રેજીમાં જવાબ આપ્યો “Cats are human’s best friend. Cats never leave.Cats never fight. Cats never argue.”
ઠીક તો સમીરભાઈ એનો ખાલીપો બિલાડા જોડે રમીને ભરતા હતા.
હું લિવિંગ રૂમમાં પાછો આવ્યો એટલે સમીરના મમ્મીએ કીધું કે અઠવાડિયા પહેલા એક બિલાડી લાવ્યો હતો. એનું નામ એણે દેવાંગી રાખ્યું હતું.
એના પછી રોજ એક નવી બિલાડી એમ કહીને લાવે છે કે દેવાંગીને એકલું લાગે છે એટલે એના માટે આ બીજી બિલાડી લાવ્યો છું.
હર દુઃખનો ઈલાજ સમય છે.
થોડા દિવસ સહન કરો એવું આશ્વાસન આપીને હું ત્યાંથી નીકળી ગયો.
બીજે દિવસે મે સમીરને પૂછ્યું કે બિલાડીઓ જોડે તારા ફોટા છે?
એક કામ કરને ગઈકાલે બિલાડીઓ વિશે તું અંગ્રેજીમાં બોલ્યો હતો એ કેપ્શન બનાવીને તારા ઇન્સ્ટામાં પોસ્ટ કર.
સમીર કહે હા ઘણી સેલ્ફીઓ લીધી છે.પોસ્ટનો આઈડિયા સારો છે.
પોસ્ટ મૂકી.
અને પોસ્ટ કામ કરી ગઈ.
થોડીવાર થઈ ત્યાં દેવાંગીનો ફોન આવ્યો.
“બાબુ I am sorry હું બેવફા નથી”
સમીરના રોમ રોમમાં દીવા પ્રગટ્યા.
ઝટકાથી ઉભો થયો અને મારી પરમિશન લીધા વગર એની સોનાને મળવા ભાગી ગયો.
P.s.
સમીર આ બધી બિલાડીઓ બબ્બે હજાર રૂપિયા ખર્ચીને કોઈ pet shopથી લાવ્યો હતો.
દેવાંગી જોડે પેચઅપ થઈ ગયું પછી એને બિલાડીઓમાં કોઈ રસ રહ્યો નહિ એટલે બેય બાબુ સોનાએ બબ્બે હજારમાં બિલાડીઓ વેચવાની છે એવી પોસ્ટ મૂકી.
બે હજારમાં બિલાડીઓ લેવા કોઈ ફરક્યું નહિ પછી બિલાડીઓ મફતમાં આપી દેવાની છે એવી પોસ્ટ મૂકી તો પણ કોઈ આવ્યું નહિ.
પછી સમીર અને દેવાંગીએ પોતાના ઘર પાસે ફૂટપાથ ઉપર એક ટેબલ રાખ્યું અને બોર્ડ લગાવ્યું કે જે કોઈ આ બિલાડીઓ પોતાના ઘેરે લઈ જશે એને એક બિલાડી દીઠ પાંચસો રૂપિયા મળશે.
આખરે એવું સાંભળવા મળ્યું કે નજીકની ઝૂંપડપટ્ટીના બાળકો આવ્યા હતા તે બધી બિલાડીઓ પ્લસ 500-500 રૂપિયા લઈ ગયા.
✍️ અમિત ખંભાયતા
‘હું તમારી સાથે વાત કરવા માંગતી નથી, તમે મારા પિતાને માર્યું.’
આર અશ્વિનના યુટ્યુબ ચેનલ પર ‘કુટ્ટી સ્ટોરીઝ’ શો દરમિયાન
જ્યારે હરભજન સિંહને પૂછવામાં આવ્યું કે તેના જીવનમાંથી એવી કઈ ઘટના છે જે દૂર કરવા ઈચ્છશે.
તેણે કહ્યું, “મારા જીવનમાં એક વસ્તુ બદલવા માંગુ છું તે છે શ્રીસંત સાથેની ઘટના. હું મારી કારકિર્દીમાંથી તે ઘટનાને દૂર કરવા માંગુ છું.
2008ની IPLની પ્રથમ સિઝન દરમિયાન, મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હરભજને કિંગ્સ XI પંજાબના શ્રીસંતને લીગ મેચના અંતે થપ્પડ મારી દીધી હતી. BCCIએ હરભજનને બાકીના મેચો માટે સસ્પેન્ડ કરીને પ્રતિક્રિયા આપી હતી, તે હજુ પણ IPLમાં ખૂબ જ ચર્ચિત ઘટનાઓમાંની એક છે.
હરભજને કહ્યું, “જે બન્યું તે ખોટું હતું અને મારે તેમ નહોતું કરવું જોઈતું. તે એક ભૂલ હતી. આપણે બધા ભૂલો કરીએ છીએ અને આશા રાખીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ કે આવી ભૂલોનું ક્યારેય પુનરાવર્તન ન કરીએ. તે મારો સાથી હતો અને અમે સાથે રમી રહ્યા હતા. હા, તે રમતમાં અમે વિરોધી હતા. તેનો એકમાત્ર દોષ એ હતો કે તેણે મને ઉશ્કેર્યો પરંતુ મેં જે કર્યું તે ઠીક નહોતું”.
“તે પછી મેં તેની લગભગ 200 વાર માફી માંગી હશે. તે ઘટનાના વર્ષો પછી પણ, હું દરેક તક મળ્યે હું માફી માંગી રહ્યો છું.
પરંતુ પેસરની પુત્રી સાથેની વાતચીતે મને ભાંગી નાખ્યો”
હરભજન સિંહ શ્રીસંતની પુત્રી સાથેની ભાવનાત્મક વાતચીતને યાદ કરતાં કહે છે: “ઘણા વર્ષો પછી જ્યારે હું તેની દીકરીને મળ્યો અને હું તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો હતો
અને તેણે કહ્યું:
‘હું તમારી સાથે વાત કરવા માંગતી નથી. તમે મારા પિતાને માર્યું’
મારું હૃદય તૂટી ગયું અને હું રડવાની અણી પર હતો. મેં મારી જાતને પૂછ્યું કે મેં તેના પર શું આવી છાપ છોડી છે? તે મારા વિશે ખરાબ વિચારી રહી હશે, ખરું ને? તે મને એ વ્યક્તિ તરીકે જુએ છે જેણે તેના પિતાને માર્યા હતા.
મને ખૂબ ખરાબ લાગ્યું. હું હજુ પણ તેની દીકરીની માફી માંગુ છું . હું તેને કહેતો રહું છું, કે જે બન્યું તે વિશે હું કંઈ કરી શકતો નથી. પરંતુ જો હું કંઈ કરી શકું જેથી તને સારું લાગે અને તને લાગે કે હું તે પ્રકારનો વ્યક્તિ નથી, તો કૃપા કરીને મને કહે’.
હું ઈચ્છું છું કે જ્યારે તે મોટી થશે, ત્યારે તે મને એ જ દૃષ્ટિએ ન જુએ. અને મને લાગે છે કે તેના કાકા હંમેશા તેની સાથે રહેશે અને જે પણ પ્રકારનો ટેકો આપી શકે તે આપશે.
તે નાનકડી છોકરીની વાતથી મારા પર ખરેખર ઊંડી અસર પડી. હું તેના પિતા સાથેના મારા ખરાબ વર્તનનું પ્રકરણ મારા જીવનમાંથી દૂર કરવા માંગુ છું,”
જીવનમાં આપણી સાથે પણ આવું બની જાય છે. કોઈ એવી ક્રોધની પળે અઘટિત વર્તન કે કૃત્ય થઈ જાય પછી પારાવાર પસ્તાવો થાય છે. ત્યારે ક્રોધનો ભોગ બનનાર વ્યક્તિની હ્રદયપૂર્વક ક્ષમા માગવી જોઇએ. ભવિષ્યમાં તેવી પરિસ્થિતિ નિવારવા ક્રોધ પર કાબૂ મેળવીને જાત પર સંયમ વર્તવો જોઈએ. દ્રઢ સંકલ્પ કરીને તેવા કૃત્યનું પુનરાવર્તન અટકાવવું જોઇએ. તે જ તેનું સાચું પ્રાયશ્ચિત છે.
ક્રોધ અને કટુતા બંને હ્રદયને બાળે છે.
(અખબારી અહેવાલો ઉપરથી )
🌺
નાની પણ પ્રેરણાદાયી (સત્ય ઘટના) વાત
એક વાર હું અને મારી સાહેલી રિક્ષામાં રાયપુર માર્કેટ જઈ રહ્યા હતા. ગરમીના દિવસો હતો, તેથી ખુબ ગરમી પડી રહી હતી.
રિક્ષાવાળો પણ પરસેવે રેબઝેબ હતો. એટલામાં અચાનક મારી સાહેલીને એક જ્યૂસ સેન્ટર દેખાયું.
તેણે રિક્ષાવાળાને ત્યાં થોભવા માટે કહ્યું. પછી રિક્ષામાંથી ઊતરીને તેણે ૩ ગ્લાસ જ્યૂસનો ઓર્ડર આપ્યો.
મેં આશ્ચર્યથી પૂછ્યું, “ત્રીજો ગ્લાસ કોના માટે છે?”
ત્યારે તેણે શાંતિથી કહ્યું, “રિક્ષાવાળા માટે. તે પણ માણસ
છે. આપણે ગરીબ પ્રત્યે લાગણીની વાત તો કરીએ છીએ, પરંતુ મદદ માટે પાછળ રહેતા હોઈએ છીએ.”
મારી સાહેલીના વિચાર મારા દિલને સ્પર્શી ગયા.
– રશ્મિ કોડાપે
( ક્યાંક વાંચેલું અને ગમેલું)
સં./ ટાઈપીંગઃ હસમુખ ગોહીલ
एक युवा महिला पत्रकार को प्रख्यात लेखक एच.जी वेल्स का इंटरव्यू लेने के लिए कहा गया। उसने कुछ ही दिनों पहले अपने करियर की शुरुआत की थी। उसने बड़ी मेहनत से प्रश्न तैयार किए और उनके घर पहुंच गई। इतने बड़े लेखक के सामने जाने में उसे घबराहट हो रही थी। जब वह वेल्स के घर पहुंची तो वह अपना नया मकान अपने एक दोस्त को दिखा रहे थे। उन्होंने उस पत्रकार को भी वहीं बुला लिया। तीसरी मंजिल पर एक छोटे से कमरे को दिखाते हुए उन्होंने कहा, यह मेरा बेडरूम है।’ इस पर उनके मित्र ने पूछा, ‘पर आप निचली मंजिल में बने इतने शानदार कमरों का उपयोग अपने शयन-कक्ष के रूप में क्यों नहीं करते?’ वेल्स बोले, ‘वे मेरी नौकरानी और रसोइये के लिए हैं, जो पिछले बीस वर्षों से मेरे साथ हैं।’
यह सुनकर मित्र को थोड़ा आश्चर्य हुआ। उसने कहा, ‘आमतौर पर तो लोग छोटे कमरे अपने नौकरों के लिए रखते हैं।’ यह सुनकर वेल्स मुस्कराए, फिर बोले,’लेकिन मेरे मकान और मेरे दिल में ऐसी व्यवस्था नहीं हैं, क्योंकि मैं बिल्कुल नहीं भूला कि मेरी मां भी किसी समय लंदन के एक घर में नौकरानी का काम करती थी।’ यह कहते हुए वेल्स की आंखें नम हो गई थीं। महिला पत्रकार यह सब चुपचाप सुन रही थी। एक प्रतिष्ठित लेखक के मन में समाज के निम्न वर्ग के प्रति सम्मान के इस भाव को देख वह अभिभूत हो गई। वेल्स के लिए उसके मन में इज्जत पहले से भी ज्यादा बढ़ गई। उसके भीतर का रहा-सहा डर भी खत्म हो गया। उसने वेल्स से खुलकर सवाल पूछे और एक बेहतरीन इंटरव्यू तैयार हुआ।

ये मोहम्मद साकिब नाचन है।
इसे पहली बार 1991 में गुजरात के एक आतंकवादी मामले में गिरफ्तार किया गया था,, इसे उम्रकैद की सजा हुई, लेकिन सुप्रीम कोर्ट ने इसकी सजा घटाकर 10 साल कर दी। वह 2001 में जेल से बाहर आ गया। क्या वह सुधर गया? हाहाहा!
2003 में उसे फिर मुंबई के तीन बम धमाकों के मामले में गिरफ्तार किया गया,,,इसे फिर 10 साल की सजा मिली,, लेकिन अच्छे व्यवहार के कारण जल्दी छोड़ दिया गया। क्या वह सुधर गया? हाहाहा!!
वह अपने गांव पाढ़गा (ठाणे में) लौटा, और गांव को ‘मुक्त क्षेत्र’ यानी ‘अल-शाम’ घोषित कर दिया,,वहां उसने ISIS के खलीफा के नाम पर युवा मुसलमानों को ‘बैयत’ (निष्ठा की शपथ) दिलाई,, पाढ़गा-बोरीवली के युवाओं को भर्ती किया और भारत में आतंक फैलाने की साजिश रची,, 2023 में उसे मुंबई पर ड्रोन हमले की योजना बनाते हुए फिर से गिरफ्तार किया गया,,क्या अब वो सुधरेगा? हाहाहाहा!!!
आप कहेंगे – नहीं।
लेकिन हमारी न्यायपालिका उसे फिर एक मौका दे रही है।
अब देखिए न्यायपालिका उसे कितना पसंद करती है: 2024 में जेल में रहते हुये उसने सुप्रीम कोर्ट में याचिका डाली कि सरकार ने ISIS को आतंकवादी संगठन क्यों घोषित किया,,, कोर्ट ने इस याचिका को खारिज नहीं किया, बल्कि सुनवाई की और उसे ऑनलाइन पेश होने की इजाजत भी दी।
उसके कई रिश्तेदार भी आतंकवादी हैं, कुछ तो सीरिया में ISIS के लिए लड़े हैं। किसी समझदार सिस्टम में तो उसे पहले अपराध के बाद ही रोक दिया गया होता, लेकिन हमारी न्याय व्यवस्था ने उसे आतंक का एक पूरा साम्राज्य खड़ा करने दिया और औरों को भी जोड़ने दिया।
जब बीजेपी के निशिकांत दूबे ने कहा था कि सुप्रीम कोर्ट आतंकवादियों को बढ़ावा दे रहा है तो क्या गलत कहा था?
सुप्रीम कोठा के मियालार्डो की भी सुनवाई जनता जनार्दन की अदालत में होनी चाहिए. जबतक इनकी सड़कों पर कुटाई नहीं होगी तबतक यह सुधरने वाले नहीं है … बिगड़ैल मियालाडों को जनता की अदालत में न्याय मिलना ही चाहिए. वे भी न्याय के दायरे से बाहर नहीं है.
#everyonehighlightsfollowers
