મહાવીર સિંહ રાઠોડ પણ ભારતના મહાન ક્રાંતિકારી હતા.
આ એ જ મહાવીર સિંહ છે, જેમણે ભગતસિંહને લાહોરથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તે એસેમ્બલીમાં બોમ્બ ફોડવામાં અને સોન્ડર્સની હત્યામાં પણ સામેલ હતા. તે પછી, મહાવીર સિંહ, ભગત સિંહ અને તેમના સાથીઓને સેલ્યુલર જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
પરંતુ તેણે જેલમાં કોઈની પણ માફી માંગી ન હતી. બલ્કે એ જ જેલમાં અંગ્રેજો સામે ભૂખ હડતાળ પર બેઠા. ઘણા દિવસો સુધી હડતાળ પર રહ્યા પછી, અંગ્રેજોએ ગુસ્સે થઈને તેમને પકડી ને બળજબરીથી દૂધ પીવડાવ્યુ એટલે દૂધ તેમના ફેફસામાં ગયું, અને એક ક્રાંતિકારી ભયાનક વેદનામાં શહીદ થાય અને તેના શહીદ દેહને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો…
અને મૃતદેહની સાથે આ ક્રાંતિકારીનું નામ પણ દરિયામાં ગાયબ થઈ ગયું.
શહીદ મહાવીર સિંહની કમનસીબી એ હતી કે તેઓ એવા કોઈ સંગઠન કે પક્ષ સાથે જોડાયેલા નહોતા, જે તેમને આજે યાદ કરે, જે તેમને આજે પ્રોત્સાહન આપી શકે… એટલે જ આટલા મહાન ક્રાંતિકારી આજે ગુમનામ છે….
જય હિન્દ
