Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રાજા ખાય રીંગણા…

એક સુંદર નગર હતુ.
ત્યાંનો રાજા ખુબ જ સારી રીતે રાજ્ય કરતો હતો.
પ્રજા માટે તમામ પ્રકારની કાળજી રાખતો.
તે રાજા ખાવાંનો ખુબ જ શોખીન હતો. તેથી રાજાની સેવામાં ઉત્તમ રસોઇયો રાખ્યો હતો.
જે નિયમીત રાજાનું ભોજન બનાવતો.

હવે રાજા, તો ખાવાનાં શોખીન એટલે રાજા માટે દરરોજ ઉત્તમ ભોજન બનતું. શાકભાજીમાં પણ પરવળ, વટાણાં અને બીજા મોંઘા મોંઘા શાકભાજી વપરાતા.

રાજાએ ક્યારેય રીંગણાંનું શાક ખાધેલુ નહી.
કેમ કે ત્યાનાં પ્રધાનજી અને રસોઇયાનું માનવુ હતું કે રીંગણાં તો સાવ સસ્તુ શાક કહેવાય.
વળી તેનો દેખાવ પણ કાળોમેશ એટલે રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોતું હશે ?

એવામાં બન્યુ એવું કે,
રાજ્યના મુખ્ય રસોઇયાને ક્યાંક બહાર જવાનું થયુ અને તેની જગ્યાએ નવો રસોઇયો હાજર થયો.
આ નવાં રસોઇયાએ કોઇ દિવસ આવું રાજાઓ માટે ભોજન બનાવેલુ નહી. એટલે એને બિચારાને એવી કશી ખબર નહી.

નવો રસોઇયો તો બજારમાંથી ઉત્તમ પ્રકારનાં રીંગણા લઇ આવ્યો અને મસાલેદાર રીંગણનું શાક બનાવીને રાજાની થાળીમાં પીરસ્યુ.

એટલામાં પ્રધાનજી આવીને રસોઇયાને પૂછપરછ કરી. રસોઇયાએ કહ્યું કે રીંગણનું શાક છે.
આ સાંભળીને પ્રધાનજીનો રંગ ઉડી ગયો.
રસોઇયાને ખખડાવતા કહ્યુ કે “એલાં મુરખ શીરોમણી રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોય !?

હવે રાજાનો ગુસ્સો કોના પર કેટલો ઉતરે છે ?
તે માટે પ્રધાનજી કંઇક ઉપાય વિચારવા લાગ્યા.
રસોઇયો પોતાને દંડ થશે એમ માની ધ્રુજવા લાગ્યો.

રાજાએ શાક જોયુ, રોજ કરતાં કંઇક નવિન જણાયું, અને પેલો કોળિયો ભરીને મોઢામાં મુક્યો…
આહા…હા… શુ સ્વાદ છે.
રાજાએ તો આવુ સ્વાદિષ્ટ શાક ક્યારેય ખાધુ જ ન હતુ.

તેણે રસોઇયાને બોલાવ્યો.
રસોઇયાના મોતિયા મરી ગયા
ડરતો ડરતો તે અંદર ગયો.
પાછળ પાછળ પ્રધાનજી ગયા.

રાજાએ પુછ્યુ : ” શેનુ શાક બનાવ્યુ હતુ ? “

રસોઇયો કહે : રીંગણાનું.

રાજા કહે વાહ…વાહ… શુ શાક હતુ.. પોતાના ગળામાથી હાર કાઢીને રસોઇયાને પહેરાવી દીધો.
અને કહ્યુ આજથી તમામ શાકનો રાજા રીંગણ.
રાજાએ રસોડામાંથી રીંગણ મંગાવ્યા…

પ્રધાનજી એ જોઇને તરત જ કહ્યું
વાહ.. રાજાજી તમે બરોબર કહ્યુ.
આનો રંગ તો જુઓ કેટલો સરસ છે. કૃષ્ણ…
અરે.. એની ઉપર મુઘટ પણ એટલો જ શોભે છે. (ડીંટીયું) અને મુંગટ તો રાજાને જ હોય.
અરે… બટેટા, પરવળ, વટાણા એ તો કોઇ શાક કહેવાય ?

આમ એક પછી એક બધા દરબારીઓએ રીંગણનાં ગુણગાન ગાવા લાગ્યા.
આ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. “શાકોનો રાજા તો રીંગણા હો ભાઇ “

રાતોરાત રીંગણાનું બજાર ઉંચકાયુ. અત્યાર સુધી જે રીંગણનો કોઇ ભાવ પણ નહોતુ પુછતુ એનો ભાવ આસમાને પહોચ્યો.
રાજા માટે દરરોજ રીંગણનું શાક, ભરેલ રીંગણ, રીંગણનું ભડથુ અને રીંગણની જુદી જુદી વેરાયટી બનવા લાગી.

અત્યાર સુધી જે ધનિક લોકો રીંગણને સસ્તુ ગણીને ખાતા નહોતા. એ પણ હોંશે હોંશે ખાવા લાગ્યા.

જેણે પોતાની વાડીમાં રીંગણી વાવી હતી તે બધા માલામાલ થઇ ગયા.

શ્રીમંતો પોતાના લગ્ન પ્રસંગોમાં રીંગણનું શાક બનાવી વટ પાડવા લાગ્યા. લેખકો અને કવિઓ રીંગણની કવિતાઓ, વાર્તાઓ અને પ્રશસ્તિ ગીતો લખવા લાગ્યા. લોકો કહેવતો બનાવવા લાગ્યા ” રીંગણ તો રાજા, બટાકા વગાડે વાજા ”
રીંગણની ખેતી માં ભારે ઉછાળો આવ્યો.
રીંગણની રેસીપી માટેના સ્પેશિયલ કોચિંગ શરૂ થઇ ગયા.
કૃષિ નિષ્ણાંતો ઉત્તમ પ્રકારના રીંગણની જાતો વિકસાવવામાં લાગી ગયા.

રાજયની બુદ્ધિવર્ગની પ્રજા અને વૈદ્યો પણ રીંગણ ખાવાંથી થતા ફાયદા ગણાવવા લાગ્યા.
કેટલાક અતિભાવુક લોકોએ નગરનું નામ બદલીને રીંગણનગર રાખવાનું સુચન પણ કર્યુ.

રાજાને તો હવે ભોજનમાં દરરોજ ભરેલા રીંગણા, આખા રીંગણા, રીંગણનો ઓળો, રીંગણના રવૈયા,  રીંગણની અવનવી  વાનગીઓ પીરસાવા લાગી.
એક મહિનો, બે મહિના પુરા થયા.
એક બપોરે રાજા જમવા બેઠા.
થાળીમાં રીંગણનું શાક આવ્યુ.
હવે રાજા રોજ રોજ રીંગણ ખાઇને કંટાળી ગયા હતા.
રાજાએ થાળીને ઉલાળીને ફેંકી દીધી. : ” આ શુ રોજ રીંગણા. રોજ રીંગણા.. આ થાળી લઇ જાવ અને મારા માટે બીજું ભોજન તૈયાર કરો.”

તરત જ બાજુમાં ઉભેલા પ્રધાને રસોઇયાને કહ્યું
રીંગણનું તે કોઇ દિ’ શાક હોતુ હશે ?
એનો રંગ તો જુઓ કાળો કાળો મેશ દીઠોય ન ગમે તેવો
ભલા કોઇ દિવસ રાજા  રીંગણા ખાય ?

તરત જ થાળી લઇને બીજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ વાત વિજળીવેગે આખા નગર ને રાજયમાં ફેલાઇ ગઇ.
રાતોરાત રીંગણનાં ભાવમાં કડાકો થયો.
રીંગણા આસમાનેથી તળીયે પહોચ્યાં.
જે લોકો હોંશેહોંશે રીંગણા ખાતા તે લોકો રીંગણા સામે સુગથી જોવા લાગ્યા. જેણે રીંગણ ના નામે ખેતી, ધંધો અને રચનાઓ કરી હતી તે બધાને રોવાનો વારો આવ્યો.
હવે
કૃષિ વૈજ્ઞાનિકો, વૈદ્યો અને બુદ્ધિવાદીઓ રીંગણથી થતા ગેરફાયદા શોધવામાં લાગી ગયા….

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

*ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહ નેકોઇ યાદ કરતું નથી..!*
*તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા.* *મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે*
*ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.*
*આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય.* *પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.*
*ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. *              *આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?*
*બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ.*
*આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિ ની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.💐💐🙏🙏*