લોકસભા ભવન
નવી દિલ્લી સ્થિત ભારતની લોકસભાની ઇમારત જે ભવન કે પાર્લામેન્ટ હાવુંસ કહેવાય છે એને એડવિન લુટ્યેને ડિઝાઇન કરેલું એ વાત ઘણાંબધાં લોકો જાણે છે. પરંતુ એક વાત જે લોકો નથી જાણતા એ માહિતી અહીં આપવી છે. આ માહિતી જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થશે.
લોકસભા ભવન એ કોઈ પશ્ચિમી કે યુરોપિયન સ્થપાત્યનો નમૂનો નથી. ૧૯૦૦ માં લુટિયન મધ્યપ્રદેશના મોરેનામાં ગયો હતો. ત્યાં સ્થિત ચૌસઠ યોગીની મંદિરની મુલાકાત એણે લીધેલી. આ મંદિરના સ્થાપત્યથી એ એટલો પ્રભાવિત થયો કે એણે નવી દિલ્લીમાં હૂબહૂ એના જેવીજ ઇમારત બનાવી જે પાર્લામેન્ટ હાઉસ કહેવાય છે. લુટીંયાને મંદિરના થાંબલાની જેમજ લોકસભાના થાંબલા પણ બનાવ્યા.
દશકો સુધી લોકસભા ભવનને લૂટિયેનનું ‘માસ્ટટપીસ’ તરીકે દુનિયાભરમાં ચગાવ્યું. ક્યાંય ચૌસઠ યોગીની મંદિરના નામનો ઉલ્લેખ પણ નહીં. આ વાત આશ્ચર્ય કરવા જેવી નથી. લૂટિયેન ભારતીય સ્થાપત્યને મહત્વ આપવા માગતો ના હતો.
ચૌઉસઠ યોગીની મંદિર ઈસ્વીસન ૧૦૫૦ માં બંધાયેલું. એટલે કે લોકસભા ભવન બંધાયું એના લગભગ ૯૦૦ વર્ષો પહેલાં. મજાની વાત તો એ છે કે આ માહિતી લોકસભા ભવનમાં પણ ક્યાંય અપાઈ નથી!
આર્કીટેચર પણ આ વાત ને માને છે