કેવા કેવા ષડયંત્ર #સરદાર વિરુદ્ધ ચાલતા હતા?
… અને દેશે પોતાના ‘સરદાર’ એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ગુમાવી દીધા….
સરદાર પટેલ સામે કેવા કેવા ષડયંત્રો ચલાવાયા…? ગાંધીજીની હત્યા બાદ સરદાર સામે જે ષડયંત્ર ચલાવાયુ તેના તાર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના આવાસ સુધી પહોંચતા હતા.
જયપ્રકાશ નારાયણ અને સમાજવાદીઓએ રેલી કરી અને સરદાર પટેલ સામે જુઠ્ઠા આરોપો લગાવ્યા એટલું જ નહીં એવા જ આરોપો જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને કમલાદેવી ચટ્ટોપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ લગાવાયા. ગાંધીજીના આ સિપેહસાલાર ગાંધીજીની હત્યાથી ક્ષુબ્ધ હતા, દુ:ખી હતા ત્યારે બીજી તરફ સમાજવાદીઓએ સરદારને બદનામ કરવાના કાવતરા કરવા માંડ્યા હતા.
સામ્યવાદી પાર્ટીના મહામંત્રી પી. સુંદરૈયાએ ‘સરદાર, આરએસએસ અને હિંદુ મહાસભાએ મળીને ગાંધીજીની હત્યા કરી હોવાનો વાહિયાત આરોપ લગાવ્યો તો સમાજવાદીઓએ સરદાર ગાંધીજીને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા એવો સીધો અને તાનાશાહ હોવાનો આડકતરો આરોપ લગાવ્યો. પોતાની દેશભક્તિ, પદનિષ્ઠા, ગાંધીજી પ્રત્યે શ્રદ્ધા ઉપર થતા પ્રહારોથી સરદાર ક્ષણભર માટે નિરાશ થયા અને નેહરૂના મંત્રી મંડળમાંથી મુક્ત થવા રાજીનામું પણ લખી દીધુ. જોકે બાદમાં રાજીનામુ ન આપ્યું પરંતુ તેઓ કેટલા દુખી હતા તે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જોવા મળ્યું.
સરદાર પટેલનો વિરોધ કરનારા બે પ્રકારના લોકો હતા, સમાજવાદીઓ (સોશ્યાલિસ્ટ) અને સામ્યવાદીઓ (Communist), આ બંને પ્રકારના લોકો સ્વપ્નશીલ હતા વ્યવહારુ નહોતા જ્યારે સરદાર પટેલ માટે રાષ્ટ્ર હિત સર્વોપરી હતું અને એ જ કારણે સરદાર આ બંને પ્રકારના લોકોને ભાવ નહોતા આપતા. બંને પ્રકારના લોકોએ એક તરફ જ્યાં સરદારને બદનામ કરવાનો આરંભ કર્યો હતો ત્યારે સરદારે એમની મંશા શું હોઈ શકે એનો તાગ મેળવ્યો અને પછી આ આખી લોબીને ખબર પડી ગઈ કે ‘સરદાર’ એટલે કોણ?
બન્યું એવું કે જેપી અને એમના સાથીઓ સરદાર વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હતા ત્યારે દેશનો ગુપ્તચર વિભાગ પણ એમની ઉપર સાવચેતીપૂર્વક નજર રાખી રહ્યો હતો. જેપી એન્ડ કંપનીની ગતિવિધિઓ વિશે ગુપ્તચર વિભાગનો રિપોર્ટ આવ્યો જેમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો કે જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને કમલાદેવી ચટ્ટોપાધ્યાયને હિતમાં રાખીને આખું કાવતરું ઘડાયુ હતું. સરદાર પટેલે 6ઠ્ઠી ફ્ર્બ્રુઆરી, 1948ના દિવસે એ રિપૉર્ટ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને મોકલી આપ્યો.
આ રિપૉર્ટ શું હતો? આ રિપૉર્ટ ‘સરદાર પટેલ્સ કોરસપોન્ડસ, ખંડ – 6, દુર્ગાદાસ માં પ્રુષ્ઠ 33 ઉપર છે. રિપૉર્ટમાં જે લખાયુ તે આ મુજબ હતું..
‘એ જાણવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસ સંગઠન અને સરકારમાં શક્તિ પ્રાપ્ત કરવા માટે ગાંધી હત્યા બાદ ઉપસ્થિત થયેલી પરિસ્થિતિઓનો લાભ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. સમાજવાદીઓ એવું ઇચ્છે છે કે તેમને અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી (AICC)માં ત્રણ કે ચાર બેઠકો મળી જાય. જયપ્રકાશ નારાયણના દિલ્હી સ્થિત નિવાસ ઉપર બંધ બારણે એક બેઠક થઈ જેમાં દિલ્હીમાં ઉપસ્થિત સર્વે સમાજવાદીઓએ ભાગ લીધો. આ બેઠકમાં જેનાથી તેમના સપના સાકાર થઈ શકે એ રણનીતિ નક્કી કરવામાં આવી. બેઠકમાં ગૃહમંત્રી સરદાર પટેલ વિરુદ્ધ સતત એક અભિયાન ચલાવવું એવું નક્કી કરવામાં આવ્યું. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે સરદાર પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહને કેન્દ્ર સરકારમાંથી દૂર કરવામાં આવે અને તેમના સ્થાન પર જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને કમલાદેવી ચટ્ટોપાધ્યાયને મંત્રીપદ આપવામાં આવે. પોતાના ઇરાદાઓ પાર પાડવા માટે જ તેમણે તાજેતરમાં (4 ફેબ્રુઆરી) પત્રકાર પરિષદ કરી હતી. તેનાથી તેમના ઈરાદાઓની જણાઈ આવે છે. સમાજવાદીઓએ મજૂર યુનિયનોની પણ બેઠક લીધી છે અને એમાં સરદાર પટેલ વિરુદ્ધ આરોપપત્ર રજૂ કરવામાં આવ્યું છે. કેટલાક સમાજવાદીઓએ આરોપ લગાવ્યો કે સરદાર પટેલ ગાંધીજીના હત્યારાઓની મદદ કરી રહ્યા છે. આ લોકોએ અનેક સ્થાનો ઉપર આ વિશે જાહેર ચર્ચાઓ પણ કરી છે.”
સરદાર પટેલે આ રિપૉર્ટ જવાહરલાલ નેહરૂને મોકલી આપ્યો, રિપૉર્ટ જોતા જ નેહરૂજી બેકફૂટ ઉપર આવી ગયા. 8મી ફેબ્રુઆરીએ કૉંગ્રેસની એક બેઠક થઈ જેમાં નેહરૂએ જયપ્રકાશ નારાયણને તેમના કૃત્ય બદલ ઠપકો આપ્યો. જોકે નેહરૂજીની ઠપકો આપ્યા બાદ કંઈક બીજું પણ ઇચ્છતા હતા જેનો ઉલ્લેખ મણિબેનની ડાયરીમાં મળે છે. થોડાક દિવસ બાદ ગાંધીજીના પુત્ર દેવદાસ સરદાર પટેલને મળવા ગયા. એ વખતે સરદાર પટેલે દેવદાસને કહ્યુ, જવાહરલાલે પાર્ટીની બેઠકમાં જયપ્રકાશને ઠપકો આપ્યો, પરંતુ તે નહોતા ઇચ્છતા કે એ વાત છાપાઓમાં પ્રકાશિત થાય. શું સરદાર એવું કહેવા માંગતા હતા કે જયપ્રકાશ નારાયણને ઠપકો આપવાનો નેહરુજી માત્ર અભિનય કરતા હતા અને નહોતા ઇચ્છતા કે એ વાત બધા જાણે? આ આશંકાનો ઉત્તર રામમનોહર લોહિયાના પુસ્તક ‘વિભાજન કે ગુનેહગાર કૌન‘ થી મળી આવે છે. લોહિયાજી તેમના પુસ્તકના પૃષ્ઠ નંબર 92 ઉપર લખે છે, “જ્યારે સરદાર પટેલના સમર્થકોએ જયપ્રકાશની વિરુદ્ધ હોબાળો મચાવ્યો ત્યારે તે (જયપ્રકાશ નારાયણ) પોતાના બધા દાવપેચ ભુલી ગયા. ત્યારે નેહરૂએ જયપ્રકાશનું રક્ષણ કર્યું. નેહરૂએ પોતાના આશ્રિતને અને આ બાબતે પોતાના ખાસ એજન્ટને અતિ ઉદાર અને સાર્વજનિક ઉપહાર આપીને બચાવ્યા.”
સરદાર પટેલ પોતાની વિરુદ્ધ ચલાવાઈ રહેલા બધા કાવતરાઓને નિષ્ફળ કરીને ફરીથી પોતે જ ‘સરદાર’ હોવાનો સૌને પરચો આપ્યો. પરંતુ ગાંધીજીની હત્યાના થોડાક જ કલાકોમાં શરૂ થયેલી સત્તાની આ ગંદી રમતોએ એમના મન ઉપર ઊંડો આઘાત કર્યો. સરદાર પહેલાથી જ ગાંધીજીની હત્યાથી અત્યંત દુખી હતા અને ત્યારબાદ આ કાવતરાઓએ તેમને છેક અંદર સુધી તોડી નાંખ્યા અને ગાંધીજીની હત્યાના માત્ર 35 દિવસ બાદ, 5 માર્ચ 1948ના દિવસે સરદાર પટેલને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો અને થોડાક મહિનામાં 15 ડિસેમ્બર, 1949 ના દિવસે દેશે પોતાના લોખંડી મનોબળના પ્રતીક સમાન લોહપુરુષ સરદાર પટેલને ગુમાવી દીધા.
– દેવેન્દ્રકુમાર
#SardarVallabhbhaiPatel #SardarPatel #sardar #Sardar150 #JawaharlalNehru #Congress #gandhiji
Day: December 21, 2025
जब देश के राष्ट्रपति चुनाव में जीत की घोषणा जामा मस्जिद से हुई,
जाकिर हुसैन की जीत की घोषणा दिल्ली की जामा मस्जिद से लाउडस्पीकर से की गई। नई दिल्ली और पुरानी दिल्ली की सड़कों गलियों में लाउडस्पीकर से उनकी जीत का ऐलान हो रहा था। मुस्लिम मोहल्लों में लोग खुशी से नाच रहे थे, एक दूसरे को गले लगा रहे थे जैसे वे ईद मना रहे हो। अब आप यह सोचो कि अगले राष्ट्रपति
चुनाव के बाद जीत घोषणा अयोध्या के राम लला के मंदिर से हो जाए, तो कितना बवाल मचेगा!!
1967। यह साल राजनीतिक घटनाक्रमों के लिहाज से ऐतिहासिक साबित हुआ। इस साल दो बड़े वाकयात हुए। पहला इंदिरा गांधी ने तुष्टिकरण की राजनीति के चलते विद्वान राष्ट्रपति सर्वपल्ली राधाकृष्णन को हटा अपने “रबड़ स्टांप” जाकिर हुसैन को कांग्रेस की ओर से राष्ट्रपति बनवा दिया। दूसरा कार्य यह किया कि कैलाशनाथ वांचू को देश के सुप्रीम कोर्ट का मुख्य न्यायधीश बना दिया, जबकि उनके पास लॉ की कोई डिग्री नहीं थी।
राष्ट्रपति चुनाव के लिए वोटिंग 6 मई 1967 को हुई। 9 मई की शाम को जाकिर हुसैन की जीत का ऐलान हो गया। उन्हें 4,71,244 और के. सुब्बाराव को 3,63,911 वोट मिले थे।
मजे की बात देखिए, जाकिर हुसैन की जीत की घोषणा दिल्ली की जामा मस्जिद से लाउडस्पीकर से की गई। नई दिल्ली और पुरानी दिल्ली की सड़कों गलियों में लाउडस्पीकर से उनकी जीत का ऐलान हो रहा था। मुस्लिम मोहल्लों में लोग खुशी से नाच रहे थे, एक दूसरे को गले लगा रहे थे जैसे वे ईद मना रहे हो। अब आप यह सोचो कि अगले राष्ट्रपति चुनाव के बाद जीत घोषणा अयोध्या के राम लला के मंदिर से हो जाए, तो कितना बवाल मचेगा!!
इधर चूंकि विपक्षी दलों के उम्मीदवार सुब्बाराव सुप्रीम कोर्ट से इस्तीफा देकर चुनाव लड़ने आए थे, तो उनकी जगह इंदिरा गांधी ने नेहरू परिवार के निकटस्थ कैलाश नाथ वांचू को सुप्रीम कोर्ट का मुख्य न्यायाधीश बना दिया।
मजे की बात यह की वांचू साहब ने जिंदगी में कभी लॉ की कोई परीक्षा पास नहीं की थी। उनके पास लॉ की कोई डिग्री नहीं थी। उनको जवाहरलाल नेहरू ने बरेली में काम करते समय सीधे उठाकर जज बना दिया था। फिर वह राजस्थान उच्च न्यायालय के पहले मुख्य न्यायाधीश भी बने। और फिर विशेष परिस्थितियों में इंदिरा गांधी ने उन्हें देश के सुप्रीम कोर्ट का मुख्य न्यायाधीश बना दिया।
आज केजरीवाल को जब जमानत मिली तो यह सब वाकये सहसा ध्यान हो आए। सोचा आप सब से शेयर करूं कि देश के उच्च पदों पर पहले कैसे कैसे खेल हुए है!

ગઢકુંડારનું જૌહર🚩
આ વાર્તા છે સોના જેવી રૂપવાન રાજકુમારી કેશરદેઈ ની, જેમણે વિધર્મી આક્રમણકારોના તાબે થવાને બદલે પોતાના સુંદર દેહને રાખમાં બદલવાનું વધુ યોગ્ય માન્યું.
મુશ્કેલી એ છે કે નાનામાં નાનો વિદેશી આક્રમણકાર પણ પોતાના દરબારી ઈતિહાસકારો રાખતો હતો જેઓ સૈનિક પણ હતા (જેમ કે અકબરના દરબારમાં બદાયુની, અબુલ ફઝલ વગેરે). આ લેખકો ભલે ચાપલૂસી કરતા હોય, પરંતુ તેમ છતાં તેમના લખાણમાં તથ્યો અને ઘટનાક્રમ મળી રહે છે.
લોક પરંપરાઓનો આભાર કે જેણે લોકગીતો અને લોકકથાઓ દ્વારા આંસુઓથી ભરેલી આ અમર ગાથાઓને જીવંત રાખી છે. જેમ કે વિરાટામાં થયેલા જૌહર વિશે ડૉ. વૃંદાવનલાલ વર્માએ ખૂબ સંશોધન પછી “વિરાટા કી પદ્મિની” નામની નવલકથા લખી છે.
કહેવાય છે કે ગુજરાતના ખંગાર ક્ષત્રિય યોદ્ધાઓ જે મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ સાથે ચંદેલો સામે લડવા આવ્યા હતા, તેમાંથી જ એક યોદ્ધા મહારાજ ખેત સિંહ ખંગારને પૃથ્વીરાજ ચૌહાણે વિજય પછી ગઢકુંડારનો કિલ્લો સોંપ્યો હતો. ખંગારોએ પોતાના સમયમાં આ કિલ્લાને વિશાળ વૈભવ પ્રદાન કર્યો.
સંભવતઃ કડા માનિકપુર (વર્તમાન પ્રયાગરાજ પાસે) ના તુઘલકના સુબાએ, જેના રાજ્ય હેઠળ તે સમયે બુંદેલખંડનો પ્રદેશ હતો, તેણે ખંગાર રાજા માનસિંહની રાજકુમારીની અસીમ સુંદરતાના સમાચાર મુહમ્મદ તુઘલકને આપ્યા.
મુહમ્મદ તુઘલકે મહારાજ માનસિંહ ખંગાર પાસે રાજકન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો, જેને રાજાએ સ્પષ્ટપણે નકારી દીધો. ઝાંસીના પ્રસિદ્ધ ઈતિહાસકાર જાનકી શરણ વર્મા તો લખે છે કે મુહમ્મદ તુઘલકે રાજા પાસે રાજકુમારીની એક ઝલક જોવાની માંગ કરી હતી, જેના માટે તે બળદગાડાઓ લઈને પહોંચ્યો હતો. જોકે, લેખકનું માનવું છે કે કદાચ સુલતાન પોતે નહીં, પણ તેનો ભાઈ ફિરોઝ શાહ તુઘલક (જે ધાર્મિક કટ્ટરતામાં ઔરંગઝેબ કરતા પણ આગળ હતો) અથવા તેનો કોઈ સગો સંબંધી કુંડાર પહોંચ્યો હશે અને તેણે જ ષડયંત્ર રચી તુઘલકને લાલચ આપી હશે.
ગમે તે હોય, પણ ઈ.સ. 1347 માં ફાગણ મહિનાના અંતમાં તુઘલકી સેનાએ કુંડાર પહોંચીને કિલ્લાને ઘેરી લીધો. ક્યાં દિલ્હી સલ્તનતની વિશાળ સેના અને ક્યાં નાનકડું રાજ્ય કુંડાર!
બીજા દિવસે ચૈત્ર નવરાત્રી શરૂ થવાની હતી. ક્ષત્રિય યોદ્ધાઓએ જોયું કે હવે ગૌરામાઈ બલિદાન માંગી રહ્યા છે અને તેને ટાળી શકાય તેમ નથી. તેમણે ‘શાકા’ કરવાનો નિર્ણય લીધો. ‘શાકા’ એવી પ્રથા છે જેમાં ક્ષત્રિય યોદ્ધાઓ કેસરીયા વસ્ત્રો પહેરીને મૃત્યુના મુખમાં ઝંપલાવે છે, તેઓ યુદ્ધભૂમિ છોડી ભાગતા નથી પણ આત્મબલિદાન આપે છે.
રાજા માનસિંહએ સુલતાન સાથે કોઈ પણ કરાર કરવાનો ઇનકાર કર્યો. રાત્રે જ હળદર અને ખાખરાના ફૂલોથી વસ્ત્રોને કેસરી રંગે રંગવામાં આવ્યા. વસંતી ચોલા પહેરીને વીર યોદ્ધાઓ માતા દુર્ગાના ચરણોમાં પ્રણામ કરી શાકા કરવા નીકળી પડ્યા.
પ્રસિદ્ધ વિદ્વાન અશોક સૂર્યવેદી લખે છે કે ટૂંક સમયમાં જ ક્ષત્રિય સેનાના બલિદાનનો સિલસિલો શરૂ થયો. રાજા માનસિંહ ખંગાર શહીદ થયા અને તેમની રાણી દેવલ દેઈએ જૌહર કરી લીધું. આગળ યુદ્ધનું નેતૃત્વ રાજકુમાર બરદાઈ સિંહે સંભાળ્યું અને અંદર ઉત્સાહ વધારવા રાજકુમારી કેશર દેએ હાથમાં કટાર લીધી.
બપોર સુધીમાં બધું જ ખતમ થઈ ગયું હતું. કેસરી પાઘડીઓ આત્મબલિદાન પછી ધરતી પર એવી રીતે પડી હતી જાણે ધરતી માતાના ખોળામાં થાકેલા પુત્રો સૂતા હોય. આ મહાવિનાશ પછી સુલતાની સેના કિલ્લામાં ઘૂસવા તૈયાર થઈ, પરંતુ ત્યાં રાજકુમારી કેશર દેવીના નેતૃત્વમાં ઈતિહાસ એક નવો વળાંક લઈ રહ્યો હતો.
કિલ્લાની અંદર જ આવેલા એક કૂવાને ‘જૌહર કુંડ’ બનાવવામાં આવ્યો. રાજકુમારીના નેતૃત્વમાં કિલ્લાની તમામ સ્ત્રીઓ, બાળકો અને મહિલા સેવિકા ઓ સવારે માતાના મંદિરમાં પૂજા કરી અને બધા જ ધગધગતી અગ્નિમાં કૂદી પડ્યા. લગભગ સો લોકોએ જૌહર કર્યું. સ્વ. કવિ રામનારાયણ શ્યામ કહેતા હતા કે આ બલિદાનને લઈને એક લોકગીત ગવાય છે:
“સારે વારે ફૂલ ચઢાવે, ગૌર કી વિન્નાઈ ફિરાવે, ગૌરા રાની કહાં ચલીં, મડુવા કે પેડે”
એટલે કે કિલ્લાના તમામ લોકો અને બાળકો પણ માતાને ફૂલ ચઢાવે છે (પોતાનું બલિદાન આપે છે). આ બલિદાનથી માતા ગૌરા પણ દ્રવિત થઈ જાય છે અને તે સ્થાન છોડવાનું મન બનાવી લે છે.
આ ઘટના ચિત્તોડના મહારાણી પદ્માવતીના જૌહર પછીનું બીજું મોટું જૌહર હતું, પરંતુ કમનસીબે આ ઘટનાક્રમ લખવા માટે કોઈ “જાયસી” ન મળ્યા. છતાં પણ ખેતરોમાં કામ કરતી મહિલાઓ અને નવરાત્રી રમતી કન્યાઓના હોઠો પર આ બલિદાનની ગાથાઓ આજે પણ જીવંત છે.
કિલ્લામાં બનેલો સતી સ્તંભ આજે પણ આ લોહી અને આંસુઓથી ભરેલી દુઃખદ કથા સંભળાવે છે.
રાજકુમારી જેટલી સુંદર હતી એટલી જ પ્રેમાળ પણ હતી, એટલે જ તેના બલિદાન પર કુંડારના પહાડો, નદીઓ, પશુઓ અને પક્ષીઓ પણ રડ્યા હતા. આજે પણ જ્યારે કુંડારમાં કોયલ ટહુકે છે ત્યારે એવું લાગે છે કે તે રાજકુમારીની યાદમાં વિલાપ કરી રહી છે.
કુંડારના જંગલોમાં ભેંસો ચરાવતો ભરવાડ આજે પણ ગાય છે:
“કાં વિલા ગયીં કુંવર, રોવૈં સબરીં ચિરૈંયા”
(રાજકુમારી ક્યાં ખોવાઈ ગયા, બધી ચકલીઓ તમને શોધીને રડે છે).
જય ક્ષત્રાણી! 🚩
જય ક્ષાત્ર ધર્મ! 🚩
જય રાજપુતાના!🚩

पृथ्वीराज चौहान….. अंधा करके मारा गया,,,,,
गुरु अर्जुनदेव जी… गर्म तवे पर बैठाने के बाद उन पर खौलती हुई रेत डालकर मारा गया !
गुरु तेगबहादुर जी…. नृशंस हत्या कैसे की गई यह बताने की जरूरत नहीं !
भाई मतिदास जी…. लकड़ी के दो पाटों में बांधकर, ऊपर से नीचे आरी से चीरा गया !
भाई सतीदास जी…. बड़े कड़ाह में खौलते तेल में डुबाकर मारा !
भाई दयाला जी…. रुई में लपेटकर जिन्दा जलाया !
गुरु गोविंद जी के दो मासूम *साहिबजादों को…. जिंदा ही दीवार में चुनवा दिया गया !
बाबा बंदा बहादुर…. उनकी खाल नोंचते हुए पंजाब से दिल्ली लाने के बाद मारा गया, उनके मुँह में उनके ही बच्चे का दिल ठूँस दिया गया !
छत्रपती संभाजी महाराज…. 65 दिन हाल-हाल करके उनकी चमड़ी छीलकर, उनका वध किया गया !
जिस सोच ने सैंकड़ों साल तक ऐसी नृशंसताएँ कीं, उसी सोच ने….
1990 में कश्मीर के सैंकड़ों हिन्दुओं* के सिर में रॉड ठोककर मारा !
स्क्वाड्रन लीडर अजय आहूजा* को 12 घंटे से ज्यादा समय तक टॉर्चर करके मारा गया !
कैप्टन *सौरभ कालिया* के* *साथ हुई नृशंसता को लिखने के लिए मेरे पास शब्द नहीं हैं* !
अभी अभी हाल ही में, फरवरी 2020 में, *अंकित शर्मा* को 2 घंटे से ज्यादा समय तक चाकू के 400 वार करके मारा गया !
लेकिन… फिर भी अगर आपको ऐसा लगता है कि…. मेरे जैसे लोग नफरत फैला रहे है तो… शायद आपको भगवान भी नहीं बचा सकेंगे !
हम व्यक्तिगत तौर पर किसी भी पार्टी के खिलाफ नहीं हैं
ये मैसेज आप सही दृष्टिकोण से समझोगे तो ही जान सकोगे कि महंगाई और तेल के दाम से इतना फ़र्क़ नहीं पाने वाला है जितना कि ऐसे राजा को शासन करने का मौका गवां देने से पड़ेगा, जिसने कि धर्म की रक्षा के लिए देश में महत्वपूर्ण कदम उठाये हैं* ।
🚩 जय हिंद,,🚩
#everyonefollower
एक कहानी सुनी थी कि #चीन में कभी एक बहुत बड़े विचारक आए, वहाँ के छोटे से स्कूल के #बौद्ध बच्चों से बात की और उनसे पूछा “अगर बुद्ध तुम्हारे सामने आयें और तुमसे तुम्हारा टिफिन तोड़ दें तो क्या करोगे?”
बच्चा बोला “वो हमारे #भगवान है, मैं उनकी पूजा करूँगा”
और अगर वो तुम्हारा घर तोड़ दें तो?
बच्चा थोड़ा सोचकर बोला, “कोई बात नहीं, तब भी उनकी पूजा करूँगा”
और अगर वो तुम्हारा देश तोड़ दें तो?
बच्चा अचानक भड़का और दाँत पीसकर बोला “फिर मैं उन्हें जीवित नहीं छोड़ूँगा”
विचारक को समझ आया कि चीन के नागरिकों के लिए उनका देश उनके घर, भोजन और धर्म से भी ऊपर है।
ऐसे ही एक समय जापान से अमेरिका की ओर जाते एक जहाज में, लो क्लास का एक वर्कर लगातार चिल्ला रहा था कि “जापान से ज़्यादा घटिया देश कोई नहीं है, इतनी लंबी दूरी की यात्रा में उसे खाना भी नहीं मिल रहा है”
इस बात पर उसने इतना रौला पाया कि एक जापानी नागरिक उठा और अपनी खाने की थाली उसके सामने रखते बोला “ले, तुझे खाना चाहिए तो मेरा ले ले, पर जापान की बुराई में एक शब्द और बका न तो तुझे उठाकर समुंदर में फेंक दूँगा”
अब ये तस्वीर देखिए। कांधार हाईजैक का नाटकीय चित्रण है।
170 भारतीय खुश हैं कि फाइनली सरकार ने उनकी रिहाई के लिए पैसा और आतंकी दोनों गँवाने का फ़ैसला कर लिया है। यहाँ #₹अजीत डोभाल नारा लगाते हैं कि “#भारत_माता_की…” और किसी की हिम्मत नहीं पड़ती कि वो ‘#जय’ कह सके!
ये घटना कोई फ़िल्मी क्रीएटिवटी नहीं, हक़ीकत है।
हम आप दर्जनों लोग इस घटना पर उन 170 लोगों को गालियाँ दे सकते हैं, उन्हें कायर कह सकते हैं… पर क्या हम ये सोचने-विचारणे की कोशिश कर सकते हैं कि हमारे देश में #देशभक्ति सिर्फ 15 अगस्त और 26 जनवरी तक सीमित क्यों रह जाती है? क्यों हम सिनेमा हॉल में ही देशभक्त नज़र आते हैं?
कहीं जापान और चीन के आम नागरिकों के लिए देश इसलिए तो सर्वोपरि नहीं कि उनके शीर्ष पद पर बैठे नेताओं के लिए भी #नागरिक सर्वोपरि हैं?
हम’में से हर दूसरा आदमी चाहता है कि कैसे न कैसे उसका योरप, कनाडा या अमेरिकन वीसा लग जाए तो वो इन टूटी सड़कों के जंजाल से बाहर निकले।
देश है क्या एक आइडिया ही तो है, एक जगह जिसकी चार दीवारी के अंदर हम सुरक्षित और समृद्ध हैं। जब #भारतीय नागरिक देश से बाहर किसी गल्फ, यूरोप या नॉर्थ अमेरिका जाता है तो उसका लौटने का मन नहीं करता। वहाँ के सख्त नियम, बेहतर सड़कें, अच्छा मेहनताना और साफ़-सफ़ाई उसका मन इसलिए मोह लेती है कि ये सब उसे इस देश में नहीं मिलता।
हम सिनेमा हॉल में ‘सारे जहां से अच्छा हिन्दुस्तां हमारा” गाते हैं और बाहर निकलते ही सफ़ेद दीवार पर गुटखा थूक देते हैं तो हिंदुस्तान कहाँ से टॉप क्वालिटी रह जाता है?
अधिकांश शहरों में वहाँ हर साल बरसात में सड़क टूटती है। और ऑक्टोबर में बन जाती है, कयी बार दिसम्बर में भी नहीं बनती है। धूल का इतना गुबार उठता है कि स्कूल के बच्चे खाँसते-खाँसते घर पहुँचते हैं।
दिल्ली तो गैस चैम्बर बन ही चुका है। बाक़ी शहरों की डिटेल्स आप बेहतर बता सकते हैं।
मैं तो इतना कह सकता हूँ कि अपने देश के लिए मर मिटने की एक्स्पेक्टैशन सिर्फ और सिर्फ फौजियों से करके हम देश को महान बनाने से रहे…
जनमानस में देश के प्रति वाकई प्रेम जगाना है तो सिर्फ फ़िल्में बनाने से काम नहीं चलेगा, पोलिसीज़ बेहतर बनानी होंगी, करप्शन पर सजायें सख्त करनी ही पड़ेंगी, एजुकेशन को बेहतर बनाना ही होगा और बेसिक आर्मी ट्रेनिंग हर एक व्यक्ति के लिए #अनिवार्य करनी होगी।
आज सोचेंगे, कल नीति बनेगी तब जा के 2050 तक कुछ बदलाव होता दिखेगा।
तबतक हम इसी में संतोष ढूंढते रहेंगे कि देखो हमारी तो सिर्फ सड़कें टूटी है, पड़ोसी का तो देश टूट गया है, हा……हा…
#dhurandhar #AjitDoval #patriotism #China #japan #bharat
ગીતાપ્રેસ એ પણ અંગ્રેજો સામે લડત ચલાવી હતી.
રાજીવ દીક્ષિત..
#BBC_ને_જવાબ
આજથી લગભગ છ મહિના પહેલા મેં BBCમાં ગીતાપ્રેસ પર એક લેખ વાંચ્યો હતો. લેખમાં એવો કુતર્ક રજૂ કરવામાં આવ્યો હતો કે કેવી રીતે ગીતાપ્રેસ નામનું છાપખાનું ‘હિંદુ ભારત’ બનાવવાના મિશન પર કામ કરી રહ્યું છે. ત્યારબાદ મેં બીજો એક લેખ વાંચ્યો જેનું શીર્ષક હતું – “ગીતાપ્રેસની મહિલાઓ પર તાલિબાની વિચારધારા”. આ બંને લેખ વાંચીને મારા મગજમાં શંકા જાગી કે આખરે BBC ગીતાપ્રેસ જેવી વિશુદ્ધ ધાર્મિક સંસ્થાનો વિરોધ શા માટે કરી રહ્યું છે? ચોક્કસ આની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે, કારણ કે BBC ભારતની તે દરેક શક્તિનો વિરોધ કરતું આવ્યું છે જે અંગ્રેજી સત્તાના વિરોધી હતા. ત્યારે જ મને વિચાર આવ્યો કે નક્કી ગીતાપ્રેસ પણ અંગ્રેજી સત્તા વિરુદ્ધ રહ્યું હશે.
ત્યારથી હું શોધ કરી રહ્યો હતો. ગઈકાલે મારી શોધ પૂરી થઈ અને આજે હું BBCના એ જૂના લેખનો જવાબ આપી રહ્યો છું. આગળ વધતા પહેલા જણાવી દઉં કે ગીતાપ્રેસ વિરુદ્ધ ડાબેરીઓનું અલગ ષડયંત્ર ચાલી રહ્યું છે. ગીતાપ્રેસ પર એક ડાબેરી પત્રકારે પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ છે – Gita Press And The Making Of Hindu India.
ગીતાપ્રેસની સ્થાપના ૧૯૨૪માં થઈ, પરંતુ તે પહેલા ૧૯૨૦માં કલકત્તામાં ‘ગોવિંદ ભવન કાર્યાલય’ની સ્થાપના થઈ હતી અને તેની પણ પહેલા ‘કલ્યાણ’ પત્રિકા શરૂ થઈ હતી. બહુ ઓછા લોકોને જાણકારી હશે કે ગીતાપ્રેસના સંસ્થાપક હનુમાન પ્રસાદ પોદ્દાર એક ક્રાંતિકારી હતા અને તેમના ક્રાંતિકારી સંગઠનનું નામ હતું – અનુશીલન સમિતિ. કલકત્તામાં બંદૂક, પિસ્તોલ અને કારતૂસની એક શસ્ત્ર કંપની હતી જેનું નામ હતું – “રોડા આર.બી. એન્ડ કંપની”. આ કંપની જર્મની, ઇંગ્લેન્ડ વગેરે દેશોથી બંદરો દ્વારા હથિયારોની પેટીઓ મંગાવતી હતી.
દેશભક્ત ક્રાંતિકારીઓને અંગ્રેજો સામે લડવા માટે પિસ્તોલ અને કારતૂસની જરૂર હતી, પરંતુ તેમની પાસે તે ખરીદવા માટે ધન નહોતું. ત્યારે અનુશીલન સમિતિના ક્રાંતિકારીઓએ હથિયારોની પેટીઓ ચોરવાની યોજના બનાવી અને આ કામ હનુમાન પ્રસાદ પોદ્દારજીને સોંપવામાં આવ્યું. હનુમાન પ્રસાદજીએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. આ રોડા કંપનીમાં એક શિરીષ ચંદ્ર મિત્ર નામના બંગાળી ક્લર્ક હતા, જેઓ આધ્યાત્મિક પ્રવૃત્તિના હતા અને હનુમાન પ્રસાદ પોદ્દારજીનો ખૂબ આદર કરતા હતા. પોદ્દારજીએ તેનો સંપર્ક સાધીને તે ક્લર્કને પોતાના પક્ષમાં કરી લીધા.
એક દિવસ કંપનીએ શિરીષ ચંદ્ર મિત્રને કહ્યું કે દરિયાઈ જકાત ભરીને માલ છોડાવી લાવવો. તેમણે આ માહિતી તત્કાલ હનુમાન પ્રસાદ પોદ્દારજીને આપી દીધી. માહિતી મળતા જ પોદ્દારજી કલકત્તા બંદર પર પહોંચી ગયા. આ વાત ૨૬ ઓગસ્ટ ૧૯૧૪, બુધવારના દિવસની છે. બંદર પર રોડા કંપનીની ૨૦૨ હથિયારની પેટીઓ આવેલી હતી, જેમાં ૮૦ માઉઝર પિસ્તોલ અને ૪૬ હજાર કારતૂસ હતા, જે કંપનીના ક્લર્ક શિરીષચંદ્ર મિત્રએ જકાત ભરીને છોડાવી લીધા.
બંદરની બહાર હનુમાન પ્રસાદ પોદ્દારજી શિરીષ ચંદ્રની રાહ જોઈ રહ્યા હતા. તેમાંથી ૧૯૨ પેટીઓ કંપનીમાં પહોંચાડી દેવામાં આવી અને બાકીની ૧૦ શસ્ત્ર પેટીઓ હનુમાન પ્રસાદ પોદ્દારના ઘરે પહોંચી ગઈ. પોદ્દારજીએ તરત જ પોતાના સંગઠનના ક્રાંતિકારી સાથીઓને બોલાવ્યા અને બધા હથિયારો સોંપી દીધા. તે પેટીઓમાં ૩૦૦ મોટા કદની પિસ્તોલ હતી. જેમાંથી ૪૧ પિસ્તોલ બંગાળના ક્રાંતિકારીઓ વચ્ચે વહેંચવામાં આવી અને બાકીની ૩૯ પિસ્તોલ બંગાળની બહાર અન્ય પ્રાંતોમાં મોકલવામાં આવી – કાશી, અલ્હાબાદ, બિહાર, પંજાબ અને રાજસ્થાન પણ ગઈ.
ઓગસ્ટ ૧૯૧૪ પછી ક્રાંતિકારીઓએ આ માઉઝર પિસ્તોલોથી સરકારી અફસરો અને અંગ્રેજોને મારવા જેવા ૪૫ કાંડ કર્યા હતા. ક્રાંતિકારીઓએ બંગાળના મામુરાબાદમાં જે ધાડ પાડી હતી તેમાં પણ પોલીસને ખબર પડી કે આ રોડા કંપનીમાંથી ગાયબ થયેલી માઉઝર પિસ્તોલનો ઉપયોગ થયો છે.
હનુમાન પ્રસાદ પોદ્દારજીને પેટીઓ સંતાડવામાં અને ઠેકાણે પહોંચાડવામાં પંડિત વિષ્ણુ પરાડકર (જેઓ પછીથી ‘કલ્યાણ’ના સંપાદક બન્યા) અને સફાઈ કર્મચારી સુખલાલે પણ મદદ કરી હતી. બાદમાં આ મામલો ખુલ્યા પછી હનુમાન પ્રસાદ પોદ્દાર, ક્લર્ક શિરીષ ચંદ્ર મિત્ર અને અન્ય સાથીઓ વિરુદ્ધ ધરપકડના વોરંટ નીકળ્યા. ૧૬ જુલાઈ ૧૯૧૪ના રોજ કલકત્તાની બિરલા ક્રાફ્ટ એન્ડ કંપનીમાંથી હનુમાન પ્રસાદ પોદ્દારજીની ધરપકડ કરવામાં આવી. બાકીના લોકો પણ પકડાયા. બધાને કલકત્તાની ડુરન્ડા હાઉસ જેલમાં રાખવામાં આવ્યા. પોલીસે ૧૫ દિવસ સુધી બધાને ફાંસી અને કાળાપાણીની સજાની ધમકી આપીને સાથીઓના નામ કઢાવવા માંગ્યા, પણ કોઈએ મચક ન આપી. પોદ્દારજીની ધરપકડથી મારવાડી સમાજમાં ભય ફેલાઈ ગયો અને પકડાઈ જવાના ડરથી લોકોએ પોદ્દારજીનું લખેલું સાહિત્ય પણ સળગાવી દીધું હતું.
પૂરતા પુરાવા ન મળવાને કારણે હનુમાન પ્રસાદ પોદ્દારજી છૂટી ગયા. તેના બે મુખ્ય કારણો હતા: એક તો કંપનીના ક્લર્ક શિરીષ ચંદ્ર મિત્ર બંગાળ છોડી ચૂક્યા હતા તેથી પકડાયા નહીં, અને બીજું કે અસહ્ય અત્યાચારો પછી પણ કોઈએ ભેદ ખોલ્યો નહીં.
આ ઘટનાના છ વર્ષ પહેલા ૧૯૦૮માં જે બંગાળના માનિકતલા અને અલીપુર બોમ્બ કાંડ થયા હતા, તેમાં પણ પરોક્ષ રીતે ગીતાપ્રેસ ગોરખપુરના સંપાદક હનુમાન પ્રસાદ પોદ્દાર સામેલ હતા. તેમણે બોમ્બ કાંડના આરોપી ક્રાંતિકારીઓની પેરવી કરી હતી. પોદ્દારજીનો ભુપેન્દ્રનાથ દત્ત, શ્યામ સુંદર ચક્રવર્તી, રાસ બિહારી બોસ અને પુલિન બિહારી દાસ જેવા ક્રાંતિકારીઓ સાથે ગાઢ સંબંધ હતો. પોતાની ધાર્મિક ‘કલ્યાણ’ પત્રિકા વેચીને તેઓ ક્રાંતિકારીઓની મદદ કરતા હતા. પાછળથી જ્યારે કલકત્તામાં ગોવિંદ ભવન કાર્યાલયની સ્થાપના થઈ, ત્યારે પુસ્તકો અને કલ્યાણ પત્રિકાના બંડલની નીચે ક્રાંતિકારીઓના હથિયારો છુપાવવામાં આવતા હતા.
એટલું જ નહીં, ખુદીરામ બોઝ, કન્હાઈ લાલ, વારીન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષના મુકદ્દમામાં પણ અનુશીલન સમિતિ વતી હનુમાન પ્રસાદ પોદ્દારે પેરવી કરી હતી. તે દિવસોમાં ક્રાંતિકારીઓની પેરવી કરવી એ કોઈ સામાન્ય વાત નહોતી.
ભારત વિભાજનની માંગ પર જ્યારે કોંગ્રેસી નેતાઓ ઝીણા સામે ચૂપ રહેતા હતા, ત્યારે ગીતાપ્રેસની ‘કલ્યાણ’ પત્રિકા જોરદાર અવાજે કહેતી હતી –
“જિન્ના ચાહે દે દે જાન, નહીં મિલેગા પાકિસ્તાન”
આ પંક્તિ ‘કલ્યાણ’ના મુખ્ય પૃષ્ઠ પર છપાતી હતી. પાકિસ્તાનના નિર્માણના વિરોધમાં ‘કલ્યાણ’ મહિનાઓ સુધી લખતું રહ્યું.
ગીતાપ્રેસની ‘કલ્યાણ’ પત્રિકા એટલી નિર્ભય હતી કે તેણે એક અંકમાં વડાપ્રધાન નહેરુને હિંદુ વિરોધી સુધી કહી દીધા હતા. તેણે મહાત્મા ગાંધીને પણ એકવાર ખરીખોટી સંભળાવતા કહ્યું હતું –
“મહાત્મા ગાંધી પ્રત્યે મને લાંબા સમયથી શ્રદ્ધા છે, પરંતુ અત્યારે તેઓ જે કરી રહ્યા છે અને ગીતાનો હવાલો આપીને હિંસા-અહિંસાની જે મનઘડત વ્યાખ્યા કરી રહ્યા છે, તેનાથી હિંદુઓને ચોક્કસ નુકસાન થઈ રહ્યું છે અને ગીતાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે.”
જ્યારે માલવીયજી હિંદુઓ પર થતા અત્યાચારોની ગાથા સાંભળીને ૧૯૪૬માં સ્વર્ગવાસ પામ્યા, ત્યારે ગીતાપ્રેસે તેમની સ્મૃતિમાં ‘કલ્યાણ’નો શ્રદ્ધાંજલિ અંક બહાર પાડ્યો હતો. તેમાં નોઆખલી અને પંજાબ-સિંધમાં થઈ રહેલા અત્યાચારો પર માલવીયજીની ટિપ્પણીઓ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશ અને બિહારની કોંગ્રેસ સરકારે આ અંકને વાંધાજનક ગણીને જપ્ત કરી લીધો હતો.
જ્યારે ભારત વિભાજન સમયે રમખાણો શરૂ થયા અને પાકિસ્તાનથી હિંદુઓ પર અત્યાચારના સમાચાર આવવા લાગ્યા, ત્યારે પણ ગીતાપ્રેસે કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે ‘કલ્યાણ’ એ સપ્ટેમ્બર-ઓક્ટોબર ૧૯૪૭ ના અંકમાં “હિંદુ શું કરે” શીર્ષક હેઠળ લખવાનું શરૂ કર્યું હતું, જેમાં હિંદુઓને આત્મરક્ષાના ઉપાયો બતાવવામાં આવતા હતા.
મૂળ લેખ: રાજીવ દીક્ષિત
સૌજન્ય: સંજીત સિંહની પોસ્ટ પરથી