એક અજબ વૈદ્ય કથા / મનહર જમીલ
———————————————-
જુની દીલ્હીમાં એક બુઝર્ગ ખ્યાતનામ નાડીવૈદ્ય રહેતા હતા. એક દહાડે એમને શહેનશાહ અકબરે પોતાની બેગમની બીમારી સબબ શાહી મહેલે તેડાવ્યા. એક તો એ નાડીવૈદ્ય પુરુષજાત અને બેગમ પરદાનશીન મહીલા. એમને તો પરપુરુષના હાથનો સ્પર્શ તો શું, દર્શન પણ વર્જ્ય. છેવટે એ વૈદ્યે એક ઉપાય બતાવ્યો. પડદા પાછળ રહેલાં બેગમના એક હાથે એક દોરી બંધાવડાવી. પડદાની આ બાજુ રહી વૈદ્યે એ દોરી પકડી અને તર્ત જ નીદાન કરી જણાવી દીધું કે બેગમે રાતે ઉંદર ખાધો છે. હાજર સૌ ચોંકી ઉઠ્યા. અકબરના તો આશ્ચર્યનો પાર ના રહ્યો. શહેનશાહે બે હાથ જોડીને અને ત્રીજું માથું નમાવીને એ વૈદ્યની માફી માંગતાં જણાવ્યું કે એમની વીદ્યાની કસોટી કરવા માટેનું જ આ તો એક છટકું હતું. દોરી બેગમના હાથે નહીં પણ એક બીલાડીના આગલા એક પગે બાંધવામાં આવી હતી. વૈદ્યને કીંમતી ભેટ સોગાદો આપીને એ દીવસથી અને એ જ ઘડીથી જ અકબરે એમને પોતાના શાહી હકીમ (રાજવૈદ્ય) તરીકે નીમી દીધા.
(આવી હતી આપણી એ પ્રાચીન સ્વાસ્થ્ય વીદ્યાઓ. અભણ, ભોટ, વેચાઉ અને દલાલ લોકોને સત્તાધીશો બનાવીને આપણે આપણું એ સર્વ-સ્વ ગુમાવી બેઠા છીએ. એલોપેથીની દેશી-વીદેશી દવા કંપનીઓનાં કાવત્રાં અને લાંચ-રુશ્વતોએ આપણી એ સંજીવની સમ આરોગ્ય વીદ્યાઓને અને આપણા એ આરોગ્ય રક્ષકોને નામશેષ જ કરી દીધા છે. અપ્રાકૃતીક આધુનીક દવાઓને કારણે ભુતો કાઢવા જતાં પલીતો પેસી રહ્યાં છે અને આપણાં તન-મન-ધન લુંટાઈ રહ્યાં છે, ખલાસ થઈ રહ્યાં છે !)
ફોટામાં – નાડી પરીક્ષણ કરતા નાડીવૈદ્ય

