Posted in જાણવા જેવું

ખોરાક અને પાંચ તત્વો


ખોરાક શરીરનું નિર્માણ કરે છે અને ઘસારાની કાળજી લે છે.

શરીર પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશનું બનેલું છે.

પૃથ્વી તત્વ

– તમામ અનાજ અને કઠોળ પૃથ્વી તત્વમાં આવે છે.

જેઓ શારીરિક શ્રમ કરે છે તેમને પૃથ્વી તત્વની વધુ જરૂર હોય છે.

જેઓ બુદ્ધિથી કામ કરે છે તેમને પૃથ્વી તત્વની જરૂર ઓછી હોય છે.

*- 25 વર્ષની ઉંમર પછી પૃથ્વી તત્વનો ખોરાક અડધો કરી દેવો જોઈએ.

તે અડધું ભોજન પણ સાંજે જ ખાવું જોઈએ.

પાણી તત્વ

પાણીના તત્વમાં માત્ર શાકભાજી જ આવે છે.

શાકભાજી જે જમીન ઉપર હોય છે.

  • કોળું, ગોળ, પરવલ, તોરાઈ, ટીંડા, કોબી વગેરે.
  • આ શાકભાજીમાં વધુ પાણી હોય છે અને તે શરીરમાંથી કચરો દૂર કરવાની શક્તિ ધરાવે છે.

બટાકા, શક્કરિયા વગેરેમાં પાણીનું તત્વ ઓછું અને પૃથ્વી તત્વ વધુ હોય છે.

અગ્નિ તત્વ

  • ફળોમાં અગ્નિ તત્વ વધુ હોય છે.

ફળો સૂર્યમાં રહે છે.

જ્યારે આપણે ફળો ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં અગ્નિનું તત્વ વધુ જાય છે.

રસદાર ફળોમાં શરીરને શુદ્ધ કરવાની શક્તિ હોય છે.

વાયુ તત્વ

  • વાયુ તત્વ પતિઓમાં હોય છે.

તુલસી અને બાલના પાન શરીરને શુદ્ધ કરે છે.

કોથમીર, ફુદીનો, બથુઆ, પાલક, ચોલાઈ, કોબી પણ પાંદડાવાળા શાકભાજી છે.

આકાશ તત્વ

તે સૂક્ષ્મ તત્વ છે.  તે ખાવામાં આવતું નથી.

*- પેટ ખાલી રાખ્યા સિવાય આ સિદ્ધ થતું નથી.

  • વ્રત કરવાથી આકાશ તત્વ પણ પ્રાપ્ત થાય છે.

*- જો તમારે આકાશ તત્વથી ભરપૂર થવું હોય તો સવારે 6 થી 8 કલાક જ ઉપવાસ કરો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

લેડી પોલીસનો ખુશી અને દુઃખનો જાત અનુભવ


એક સાંજે મારી નોકરી પુરી કરીને ઘરે જતી હતી  ધીમો-ધીમો વરસાદ ચાલુ હતો. સરસ મજાના વાતાવરણ ને માણતી – માણતી ધીમે ધીમે મારું ટુ વ્હીલર લઈને જતી હતી.
તળાવ ની પારે પહોંચી ત્યારે અચાનક મારી નજર એક ટેણીયા પર પડી. સ્કુલ નો યુનિફોર્મ પહેર્યો હતો. પેન્ટ ક્યાય સુધી વાળી ને એને પગ ઉપર ચડાવી દીધું હતું. મોટી બધી બેગ ખમ્ભે લટકાવી હતી જે એનાથી ઉપડતી પણ ન હતી. એટલે એને જોતા લાગ્યું કે સ્કૂલથી ઘરે જતો હતો.

મેં આગળ જઈ બ્રેક મારી વાહન સાઈડ માં ઉભી  રાખ્યું. બાળક નજીક આવ્યું એટલે મે પૂછ્યું કે ક્યાં જઈશ? ઘરે જાઉં છે? તો કે હા….મે કીધું કે કઈ બાજુ રહેશ તું? એટલે એ મારા ઘરથી થોડોક જ દૂર રહેતો હતો.

રસ્તા માં બધે પાણી ભરાય ગયું હતું. તો મનમાં થયું કે આ બાળક ને ઘરે મુકી આવું. એટલે મે તરત જ કીધું કે ચાલ બેસી જા હુ તને તારા ઘર સુધી મુકી જાઉં. તો તરત જ ટેણીયાએ ના પાડી કે ના મારે નથી આવવું….તમે જાવ. હુ વઈ જઈશ.. મે કીધું કેમ? બેસી જા તને મુકી જાઉં. બે થી ત્રણ થી વાર કીધું પણ ન બેઠો ને ચાલતો થઇ ગયો…
હુ તેની બાજુમાં ધીમે ધીમે ગાડી લઈને જતી હતી ને મે ફરી થી હસી ને કિધુ કે કેમ નથી બેસવું ? બેસી જા તો કે ના હુ વઈ જાઈશ…

મે રેઇન કોર્ટ પહેર્યો હતો એટલે મારો યુનિફોર્મ દેખાતો ન હતો એટલે મે કીધું બેટા બેસી જા હુ પોલીસ જ છું ડર નહીં…તો કે ના પણ મારે નથી બેસવું..ફરી થી કીધું મે તોય એ ટેણીયુ ન જ બેઠું….

મારે મોડું થતુ હતું એટલે પછી હુ નીકળી ગઈ…પણ રસ્તા મા વિચાર કરતી કરતી જતી હતી કે…
વધતા જતા અપહરણ ના કિસ્સા ના લીધે આ બાળક ને ઘરેથી શીખવવામાં આવ્યું હશે ને  કે કોઈ પણ ગમે એટલુ કે છતા પણ કોઇ સાથે જ્વુ નહિ….કોઈ ગમે તેવી લાલચ આપે તોય કોઈ સાથે જવાનું નહીં.

આ જોઈને એક બાજુ મને ખુશી થઇ કે આ બાળક પોતાના દ્રઢ નિર્ણય પર કેટલો મક્કમ છે કે હું કહુ છું કે હુ પોલિસ છું તોય એ મારી સાથે ન બેઠુ..ને મારા પર વિશ્વાસ ન કર્યો.

અને એક બાજુ થોડું દુઃખ થયું કે આટલા વરસાદમાં આટલા પાણીમાં પણ એ ટેણીયુ ઘરે બેગ નો વજન ઉંચકી ને ચાલી ને એકલું જતું હતું….

લેખક – અજ્ઞાત

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

તારે ઝમી પર…


એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા. મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતા કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય. થોડી મિનિટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે. બધાને એ વાતનું આશ્વર્ય હતું કે આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે…!!!

એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે આ છોકરાને આપણે પુછીએ કે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે.?
પુજારીને પણ આ જાણવું જ હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો, બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો, દફતર ખભા પર જ હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પુરી કરીને એ બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.,

પુજારીએ પુછ્યુ,“ સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો.?”

પેલા બાળકે કહ્યુ, “ અરે, પુજારીજી મને ના ઓળખ્યો હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો બાળક છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય, અને શું ન કહેવાય એ કંઇ જ સમજાતું નથી., હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને ૨ વખત બારાક્ષરી બોલી જાવ છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઇતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.”…

પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી, શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જામનગર જિલ્લાની ઇતિહાસિક અમર કથાઓ



(ગુજરાતમાં જ્યારે નાના રજવાડાઓ હતા ત્યારનાં સમય ની આ સત્ય ઘટના છે,આજે પણ કપુરિયા કેનાલ તરીખે ઓળખાતી આ નહેર ના અવશેષો હયાત છે)


      ” હાશ, આ ત્રીજો ફેરો પૂરો થયો,કઈક નિરાંત થઈ ” બબડતા બ્રાહ્મણ પુત્રવધૂએ માથેથી ગોરી ( બે હેલ પાણી સમાય એવું વાસણ) અને કાંખમાંથી હેલ ને ઓસરીની કોળે મૂકી.પાલવથી પરસેવો લૂછ્યો.
       ” એમાં થાકી શેનું જવાય. આ પાણી ભરી – ભરીને અમેય જન્મારો કાઢ્યો છે.” કહેતા સાસુએ છણકારો કર્યો.
      ” બા,આજી કેટલી દૂર છે ! ને પોણો એક ગાવના ચાર – ચાર ફેરા કરીને પાણી ભરવું,તે થાકી તો જવાય ને ! “
      ” વહુ,તો તમારા બાપાને કહો કે આજી નદીને બાલંભાના પાદરમાં લઈ આવે ! ” કહેતા સાસુએ સવા મણનું મેણું માર્યું.ને આ મ્હેણું  બ્રાહ્મણ કન્યાને હાડોહાડ લાગ્યું.
      ” મને જે કહેવું હોય એ કહો બા,પણ મારા બાપાને ના કહો ” કહેતા રડતલ ચહેરે એ કન્યા પોતાના ઓરડામાં ગઈ.ઓરડાની દીવાલોમાં એના ડુસકા સમાઈ ગયા.
      જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામનું તળ સાવ સૂકું,તે દિવાળી જાતા તો ગામના કોઇ કૂવામાં એક ટીપું પણ પાણી ના રહે.ને પાણી માટે ગામની વહુ – દીકરીઓએ બે – ત્રણ કિલોમીટર દૂર આજી નદીમાંથી હેલેથી પાણી ભરવું પડે.
      બ્રાહ્મણ કન્યા માવતર આવી રડતા હૈયે પિતાને સાસુના મેણાની વાત કરી. જામનગરના ખડ – ખંભાળિયામાં રહેતા ને રજવાડામાં ઠેકેદાર નો ધંધો કરતા પિતા ભાણદાસભાઈ પંડ્યાએ હાથની મુઠ્ઠીઓ વાળી દાંત પિસ્યા.મનોમન નિર્ધાર કર્યો કે,    ” આજીનું પાણી દીકરીના પાણીયાળા સુધી પહોચાડું “
      ભાણદાસભાઈ ઇજનેરો ને માણસોનો મોટો કાફલો લઈ આવી પહોંચ્યા બાલંભા.બે ત્રણ દિવસ સર્વે કરી નહેરનું ખોદાણ શરૂ કર્યું.દિવસ ને રાત કામ ચાલ્યું.થોડા મહિનામાં તો નહેર પહોંચી ગઈ બાલંભાના પાદરમાં.
      ગામવાળા કહે, ” વેવાય,હવે બસ કરો.”
      પણ સ્વમાની ભાણદાસભાઈ ના માને,કહે કે ” દીકરીની ડેલી સુધી નહેર લઈ જવી છે.
      આખરે આખા ગામે અને દીકરીના સાસુ – સસરાએ માફી માગી ને નહેર બાલંભાના પાદરમાં અટકી.
     સાસુનું મ્હેણું ભાંગવા દીકરી માટે બનાવેલી આ નહેરે બાલંભા ગામનું પાણીનું સંકટ દૂર કર્યું.ને ભાણદાસભાઈ પંડ્યાનું નામ બાલંભા અને જામનગર ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગયું.
     આજે પણ બાલંભા ગામ ના પાદર માં આ નહેર ” કપુરિયા કેનાલ ” તરીકે ઓળખાય છે.ને બાપની દીકરી પ્રત્યે ની લાગણીનું નીર એમાં વહે છે.

        – શાંતિલાલ કાશિયાણી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

દરેક રાહદારી ભિખારી નથી હોતો


આજે કોપરગાંવ (મહારાષ્ટ્ર) થી આવતા માર્ગ પર, મેં એક વૃદ્ધ યુગલને રસ્તાની બાજુએ ચાલતા જોયા.

મારી હંમેશની આદત મુજબ, મેં ભિખારી જેવી હાલત માં જઈ રહેલા કપલને ભોજન માટે પૂછ્યું કારણ કે બપોર થઈ ગઈ હતી, પરંતુ તેઓએ ના પાડી, પછી મેં તેમને 100/- આપવા માંગ્યા, પરંતુ તેઓએ તે પણ લેવાની ના પાડી, તો પછી મારો આગળનો પ્રશ્ન તમે લોકો આ રીતે કેમ ફરો છો, પછી તેણે તેમનું જીવનચરિત્ર કહેવાનું શરૂ કર્યું – તેઓ 2200 કિલોમીટરની મુસાફરી કરી ચૂક્યા હતા અને હવે દ્વારકામાં તેમના ઘરે જઈ રહ્યા હતા. તેણે કહ્યું કે મારી બંને આંખો 1 વર્ષ પહેલા જ ગઈ હતી.

ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું નકામું છે, પછી મારી માતાએ ડૉક્ટર પાસે રડતાં રડતાં ઑપરેશન કરવાની તૈયારી કરી, પછી ડૉક્ટર તૈયાર થઈ ગયા અને ઑપરેશન કરવું પડ્યું. માતાજીએ શ્રી કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનને પ્રતિજ્ઞા કરી કે જો તેમની (પુત્રની) આંખો પાછી આવશે તો પુત્ર પગપાળા બાલાજી અને પંઢરપુર જશે અને પછી દ્વારકા પરત આવશે, તેથી જ માતાના કહેવાથી હું પદયાત્રા કરું છું.

પછી મેં તેની પત્ની વિશે પૂછ્યું, તેણીએ કહ્યું કે તે મને એકલો છોડવા તૈયાર નથી,
હું તમારી સાથે રહીશ રસ્તામાં જમવાનું બનાવીને સાથે નીકળી ગયો, મેં શિક્ષણ વિશે પૂછ્યું કારણ કે તે 25% હિન્દી અને ઇંગ્લિશ 75% માં કામ કરે છે.મારું મન સુન્ન થઈ ગયું અને હું સ્તબ્ધ થઈ ગયો.

તેણે લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ખગોળશાસ્ત્રમાં 7 વર્ષ પીએચડી કર્યું છે અને તેની પત્નીએ લંડનમાં સાયકોલોજીમાં પીએચડી કર્યું છે (આટલું શીખ્યા પછી પણ તેના ચહેરા પર કોઈ ગર્વ નથી, અન્યથા, અહીં 10મુ પાસ પણ છાતી કાઢીને ને ફરે છે ),

એટલું જ નહીં તેના વી. રંગરાજન (ગવર્નર) અને કલ્પના ચાવલા સાથે કામકાજ અને મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને તે પોતાનું માસિક પેન્શન એક અંધ ટ્રસ્ટને આપે છે. હાલમાં તે સોશિયલ મીડિયાથી દૂર રહે છે. રસ્તા પર જતા દરેક યુગલ ભિખારી છે, એવું નથી

કોઈ પુત્ર માતાના વચન માટે ભગવાન રામ બનવા તૈયાર છે તો કોઈ સીતા પણ તેના પતિ સાથે.

આજે આ કળિયુગમાં હું જે લોકોને મળ્યો છું, તેમને હું રામ સીતા માનું છું.રસ્તા પર ઉભા રહીને લગભગ 1 કલાક સુધી તેની સાથે વાતચીત કરી. આવા ઊંડા વિચારોએ આખું મન સુન્ન કરી નાખ્યું. અહંકાર દૂર થઈ ગયો. અને મને લાગ્યું કે અમે ખોટા બહાના હેઠળ જીવી રહ્યા છીએ.

એ વ્યક્તિની વાણીની સાદગી જોઈને એવું લાગતું હતું કે આ દુનિયામાં આપણે કંઈ જ નથી.

આ વૉકિંગ ટૂર જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મુસાફરીના ત્રણ મહિના થઈ ગયા છે અને ઘરે પહોંચતા હજુ એક મહિનો લાગશે.

તેમના નામ –
ડો.દેવ ઉપાધ્યાય અને ડો.સરોજ ઉપાધ્યાય

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक


એક ૯૪ વષઁના વુધ્ધ ભાડુ ન આપવાના કારણે મકાન માલીકે ઘરની બહાર કાઢી મુક્યા .વુધ્ધ પાસે એક સુવાનું બિસ્તર , થોડા એલ્યુમીનયમના વાસણ , એક નાની ડોલ આનાથી વધારે લગભગ સામાન નહોતો.વુધ્ધે મકાનમાલિકને ભાડા માટે થોડા દિવસનો સમય માંગ્યો .પાડોસીને પણ વુધ્ધ ઉપર દયા આવી ને મકાન માલિકને થોડો સમય આપવા અનુરોધ કર્યો .મકાનમાલિકે પંદર દિવસનો સમય આપ્યો ને વુધ્ધ પોતાનો સામાન ફરી મકાન મા લઇ ગયા .
રસ્તા ઉપર નીકળેલ પત્રકારે આ દર્શ્ય જોઇ રહ્યો હતો. એણે વિચાર્યું કે આ વાત તો સમાચાર બને એવી છે.એમણે બે ત્રણ ફોટા પણ પાડી લીધા .ને ઓફિસે જઇ પોતાના માલિક ને આખી ઘટના જણાવી ને પેલા ફોટો ન્યુઝ પેપર ના માલિકને બતાવ્યા .ફોટા જોઇ ? માલિક હેરાન રહી ગ્યા . પત્રકાર ને પૂછ્યું આ વુધ્ધને તું ઓળખે છે ?પત્રકારે કહ્યું નહી !
વળતે દિવસે સમાચાર પત્રની હેડ લાઇન હતી
“ભારતના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા દયનીય પરિસ્થિતિ મા જીવનજીવી રહ્યા છે.”આગળ લખ્યું હતું મકાનનું ભાડુ નહી આપી શકવાના કારણે ઘર માથી કાઢી મુક્યા હતા જે વ્યક્તિ બે વખત વડાપ્રધાન અને લાંબા સમય સુધી કેન્દ્રીય મંત્રી રહ્યા હોય એમની પાસે રહેવા માટે પોતાનું મકાન નથી


હકીકત વાત એમ હતી કે ગુલઝારીલાલનંદા સ્વતંત્રતા સેનાની હોવાના લીધે અમને ૫૦૦ રુપિયા ભથ્થું દર મહિને મળતુતુ પણ એમનું કહેવાનું એમ હતું કે ૫૦૦ રુપિયાના ભથ્થા માટે થોડી સ્વતંત્રતાની લડાય લડી છે.
         અખબારમાં ખબર છપાયાના બીજા દિવસે તત્કાલીન પ્રધાનમંત્રીને મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીયોને એમના ઘરે મોકલ્યા .

આવા મોટા કાફલાને જોઇ સોસાયટી વાળા અને મકાન માલિક દંગ રહી ગયા.ત્યારે એમને ખબર પડી કે આપણા મકાનમાં ભાડે રહેનાર વ્યકિત કોઇ બીજું નહી પણ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારીલાલ નંદા છે.તરતજ મકાન મલિકે માફી માંગી કે મે તમારી સાથે દુરવ્યહેવાર કર્યો એ બદલ મને માફ કરી દયો .

અધીકારી ઓ એ ગુલજારીલાલ ને વિનંતી કરી કે તમે સરકારી મકાન તથા પ્રધાનમંત્રીને મળતી સુવિધાનો સ્વીકાર કરો

પણ ગુલઝારીલાલ ના માન્યા ને જયા સુધી જીવ્યા ત્યાં સુધી એક સામાન્ય નાગરિક ના જેમ જ જીવન પસાર કર્યું

૧૯૯૭મા પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાય અને એચ ડી દેવગૌડાના પ્રયાસથી ગુલઝારીલાલ નંદા ને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા દેહઅવસાનની  પુર્ણતિથી પર એમને સાદર વંદન.

🙏🙏🙏🙏🙏🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જ્યાં પ્રેમ છે ત્યાં લક્ષ્મીજીનો વાસ છે


એક વાણિયા  થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. વાણિયો  બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે. લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું. થોડાક દિવસો પછી, વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો. વાણિયા  ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો. આ બાજુ ઘરે, વાણિયા  ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું. સાંજે સૌથી પહેલા વાણિયો  આવ્યો. પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે. એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે. પણ કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા. એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો. એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ? બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’. હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા. રાતે નુકસાન હાથ જોડીને વાણિયા  ને કહેવા લાગ્યો, ’ હું જઈ રહ્યો છું. વાણિયા  એ પૂછ્યું, “કેમ ?” ત્યારે નુકસાન કહે છે, ” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા. તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

सन 1680 में औरंगजेब को समझ आ चुका था कि शिवाजी को रोकने उसे स्वयं ही दक्खन जाना होगा। पांच लाख की विशाल फौज लेकर वह दक्खन की ओर निकला और उसके वहां पहुंचने के पहले ही छत्रपति की मृत्यु हो गई।

औरंगजेब को लगा अब तो मराठों को पराजित करना अत्यंत आसान होगा।

परन्तु छत्रपति सम्भाजी ने 1689 तक उसे जीतने नहीं दिया। अपने सगे साले की दगाबाजी की वजह से छत्रपति सम्भाजी पकड़े गए और औरंगजेब ने अत्यन्त क्रूर और वीभत्स तरीके से उनकी हत्या करवा दी।

अब छत्रपति बने राजाराम मात्र 20 वर्ष के थे और औरंगजेब के अनुभव के सामने कच्चे थे। एकबार फिर उसे दक्खन अपनी मुट्ठी में नज़र आने लगा था।

यहीं से इतिहास यह बताता है कि छत्रपति शिवाजी ने किस आक्रामक संस्कृति की नींव डाली थी। हताश हो कर हथियार डालने के बजाय संताजी घोरपड़े और धनाजी जाधव के नेतृत्व में राजाराम को छत्रपति बना कर संघर्ष जारी रहा।

सन 1700 में छत्रपति राजाराम भी मारे गए।

अब उनके दो साल के पुत्र को छत्रपति मान कर उनकी विधवा ताराबाई, जो कि छत्रपति शिवाजी के सेनापति हंबीराव मोहिते की बेटी थी, आगे आई और प्रखर संघर्ष जारी रहा। समय पड़ने पर ताराबाई स्वयं भी युद्ध के मैदान में उतरी।

संताजी और धनाजी ने मुगल सम्राट की नींद हराम कर दी।
कभी सेना के पिछले हिस्से पर, कभी उनकी रसद पर तो कभी उनके साथ चलने वाले तोपखाने के गोला बारूद पर हमले कर मराठों ने मुगलों को बेजार कर दिया। सब लोग इस खौफ में ही रहते थे कि कब मराठे किस दिशा से आएंगे और कितना नुकसान कर जायेंगे।

एक बार संताजी और उनके दो हजार सैनिकों ने सर्जिकल स्ट्राइक की तर्ज पर रात में औरंगजेब की छावनी पर हमला बोल दिया और औरंगजेब के निजी तंबू की रस्सियां काट दी। तंबू के अंदर के सभी लोग मारे गए। परन्तु संयोग से उस रात औरंगजेब अपने तंबू में नहीं था इसलिए बच गया।

27 साल मुगलों का सम्राट, महाराष्ट्र के जंगलों में छावनियां लगा कर भटकता रहा। रोज यह भय लेकर सोना पड़ता था कि मराठों का आक्रमण न हो जाए।

27 साल कुछ हजार मराठे लाखों मुगलों से लोहा भी ले रहे थे और उन्हें नाकों चने भी चबवा रहे थे। 27 वर्ष सम्राट अपनी राजधानी से दूर था। लाखों रुपए सेना के इस अभियान पर खर्च हो रहे थे। मुगलिया राज दिवालिया हो रहा था। अन्तत: सन 1707 में औरंगजेब की मृत्यु हो गई। 27 वर्षों के सतत युद्ध और संघर्ष के बाद भी मराठों ने घुटने नहीं टेके। छत्रपति के दिए लक्ष्य की प्राप्ति के लिए हजारों मराठे कट गए।

यह इतिहास भी कहां पढ़ाया जाता है?

कितने लोग है जिन्हें ताराबाई, संताजी और धनाजी के नाम भी मालूम है, पराक्रम तो छोड़ ही दीजिए?

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Art of Spending – ખર્ચ કરવાની કળા

*બેટા ! લે આ ૧૦૦ રૂપિયા. એવી જગાએ તારે વાપરવાના છે કે જ્યાં રોકાણ કરતાં વળતર વધુ મળે

અને પિતાજી પાસેથી મળેલ ૧૦૦ રૂપિયા લઇને દીકરો સાંજના જ્યારે ઘરે આવ્યો ત્યારે એના ચહેરા પર કોઇ અનેરી ચમક હતી.

‘બેટા ! ૧૦૦ રૂપિયા’

*વાપરી દીધા

‘ક્યાં?’

‘ઘરેથી સ્કૂલે જતો હતો અને ત્યાં રસ્તાના એક ખૂણે બેઠેલા ભિખારીના પરિવાર પર મારી નજર પડી. બે નાના બાળકો એની માતાના ખોળામાં સૂતા હતા અને માતા ચકળવકળ નજરે આજુબાજુ જોઈ રહી હતી. એ બંને બાળકોના પિતાના ચહેરા પર ભારે ઉદાસીનતા દેખાતી હતી અને મને એમ થયું કે આ પરિવાર જ ૧૦૦ રૂપિયાને લાયક છે.

મેં એ ભિખારી બાપના હાથમાં ૧૦૦ રૂપિયા આપ્યા અને એની આંખોમાં જે હર્ષાશ્રુ આવી ગયા એ જોઇને મને વિશ્વાસ બેસી ગયો કે ૧૦૦ રૂપિયાના રોકાણનું આનાથી શ્રેષ્ઠ કોટિનું વળતર બીજું કોઈ જ હોઇ શકે નહીં

અને દીકરાની આ વાત સાંભળીને સ્તબ્ધ તથા આનંદિત થઇ ગયેલા પિતાજીએ એને ૧૦૦૦ રૂપિયા આપી દીધા.

“પિતાજી શેના?”

‘તેં જે સ્થળે ૧૦૦ નું રોકાણ કર્યું, એના જેવાં વધુ ને વધુ સ્થળોએ તું સંપત્તિનું રોકાણ કરતો જા અને વળતરમાં સહુના ચહેરા પર પ્રસન્નતા લાવતો જા એના પિતાએ દીકરાને જવાબ આપી દીધો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ચોક્સાઈ
મુલ્લા નસરુદ્દીન જુદાં જુદાં સ્થળો જોવાના શોખીન હતા. તેમણે લંડન એક વાર જોયું હતું. તેમના ગામના કેટલાક મિત્રોએ કહ્યું, ‘મુલ્લા, અમારે લંડન જોવું છે. તમે ત્યાં જઈ આવ્યા છો. અમારી સાથે ચાલો તો અમને મુશ્કેલી ન પડે. તમારો ખર્ચો અમે ઉપાડીશું.’ મુલ્લા કબૂલ થયા.
મિત્રમંડળી સાથે મુલ્લા લંડન ઊપડ્યા. બધું બતાવ્યું. છેલ્લે કહ્યું કે અહીંનું મ્યુઝિયમ જોવા જેવું છે. મંડળી મ્યુઝિયમમાં ગઈ. મુલ્લાએ સલાહ આપી કે ગાઈડ રાખી લો, એ તમને બધું સમજાવશે. એટલે મંડળીએ ગાઈડ લીધો. ગાઈડ બધું બતાવતો ગયો. એક પવિત્ર મૂર્તિ પાસે આવ્યા ત્યારે ગાઈડે સમજાવ્યું કે, ‘મૂર્તિ ઈજિપ્તની દિવ્ય દેવીની છે. એ પાંચ હજાર વર્ષ જૂની છે.’
‘પાંચ હજાર વર્ષ નહીં, પાંચ હજાર ને ત્રણ વર્ષ જૂની છે.’ મુલ્લાએ ગાઈડની માહિતીમાં સુધારો કર્યો. ગાઈડ કંઈ બોલ્યો નહીં.
આગળ જતાં કબાટમાં મૂકેલું એક સુંદર ફ્લાવરવાઝ જોવા મળ્યું. ગાઈડે કહ્યું, ‘આ ફલાવરવાઝ રાજા હેન્રીનું છે. એ પાંચસો વર્ષ જૂનું છે.’ મુલ્લાએ સુધારો કર્યો, ‘પાંચસો નહીં, પાંચસો ને ત્રણ વર્ષ.’
હવે ગાઈડ ચિડાયો, ‘તમે કેવી રીતે આટલો ચોક્કસ સમય બતાવી શકો ?’
મુલ્લાએ કહ્યું, ‘બહુ સીધી વાત છે. ત્રણ વર્ષ પહેલાં હું અહીં આવ્યો’તો ત્યારે તમે કહેલું કે ફલાવરવાઝ પાંચસો વર્ષ જૂનું છે તો હવે પાંચસો ને ત્રણ વર્ષ થયાં કે નહીં ?
ગાઈડ બબૂચકની જેમ મુલ્લા સામે જોઈ રહ્યો.