Posted in જાણવા જેવું

ઈ.સ. 1912માં ટાઈટેનિક ડૂબી જેની વિશ્વ આખાએ નોંધ લીધેલી. તેમાં બચી ગયેલા લોકોના છાપાંઓમાં આવેલા ઈન્ટરવ્યૂના આધારે કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં. જેનો આધાર લઈને પછી વર્લ્ડક્લાસ ફિલ્મ પણ બની, પરંતુ તેનાં ૨૪ વર્ષ પહેલાં ઘટેલી વીજળીની દુર્ઘટનામાં આવું ન બન્યું.

આજથી 113 વર્ષ પહેલાં ઈ.સ. 1888ની 8મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી‘ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો, દંતકથાઓ, લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ.
સમસ્યા એ છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પનાતત્ત્વ વધુ હોવાથી દુર્ઘટનાને લઈને અનેક અફવાઓ, લોકવાયકાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે.

તેની જળસમાધિથી લઈને છેક 2009સુધીનાં 120વર્ષના ગાળામાં માત્ર ‘હાજી કાસમ તારી વીજળી રે..’ લોકગીત, ‘વીજળી વિલાપ’ નામથી કાવ્યોની બે પુસ્તિકા અને ગુણવંતરાય આચાર્યની નવલકથા સિવાય કશું લખાયું નહીં. એય પાછું સાંભળેલી વાતો પર વધારે આધારિત હોઈ ખરેખર શું બન્યું હતું તે જાણી શકાતું નહોતું. આ કમી છેક 2010માં ધોરાજીના વિદ્વાન સંશોધક યુનુસ ચીતલવાલાએ પુરી કરી આપી. એક દાયકાની મહેનત અને સંશોધન બાદ તેમણે તૈયાર કરેલું પુસ્તક ‘વીજળી – હાજી કાસમની’ આપણને આખી દુર્ઘટના વિશે સત્ય વાત પુરાવા સાથે આપે છે.

આ જહાજને એસ.એસ.વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું.
શેફર્ડ શિપિંગ કંપનીની એ સમયે ભારતમાં 10 થી 15 સ્ટીમરો ચાલતી હતી. આ બધાં જ જહાજોનાં નામ ભારતની વિવિધ નદીઓનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં હતાં.જેમાં નીરા, સાવિત્રી, તાઇફ, જુવારી, ભીમા, ગોદાવરી, કાલી, ક્રિષ્ના, રાજાપુરી વગેરેનો સમવેશ થતો હતો.’વૈતરણા’મુંબઇથી ગોવા, ત્રિવેન્દ્રમ-કોંકણ, જેવાં દરિયાઇ કાંઠાનાં સ્થળો વચ્ચે ચાલતી હતી.

એસ.એસ.વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા 1885માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા 292 ટન હતી જેમાં 258 ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ 21″ હતો અને જે 42″ અને 30″ ના હડસેલા વડે 73 હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ 170.1 ફીટ, પહોળાઈ 26.5 અને ઊંડાઈ 9.9 ફીટ હતી.

વીજળીના કેપ્ટન હાજી કાસમ ઇબ્રાહીમ શેફર્ડ શિપિંગ કંપનીના એક અનુભવી કેપ્ટન હતા જે મુંબઇ કોંકણના હોવાનું મનાય છે “વીજળી”પાંચમી નવેમ્બર 1888ના રોજ સવારે 7.30 વાગે મુંબઇથી કચ્છના માંડવી બંદરે જવા ઊપડી હતી. 8મી નવેમ્બરે સવારે 7.30 વાગે તે માંડવીથી દ્વારકા થઇ પોરબંદર, માંગરોળ, વેરાવળ થઇ મુંબઇ પહોંચતાંતેને 36 કલાક જેટલો સમય લાગવાનો હતો.એ સમયે કચ્છ-સૌરાષ્ટ્રમાં રેલવે નવી હતી. દરિયાઇ માર્ગે મુસાફરી કરવાનું વધારે અનુકૂળ અને સસ્તું હતું. એટલે માંડવીથી અનેક કચ્છીઓ આ નવીનકોર સ્ટીમરમાં ચડ્યા હોય એ સ્વાભાવિક છે.

વૈતરણા એ જ દિવસે સાંજના સમયે પોરબંદરના
દરિયાકાંઠાથી દૂર હતી ત્યારે જ પોરબંદરના દરિયામાં વાવાઝોડું શરૂ થઇ ગયું હતું. આથી ‘વૈતરણા-વીજળી’ પોરબંદરના બારા સુધી આવી જ ન હતી. પોરબંદરના હાલાઇ મેમણ હાજી કાસમ નૂરમહંમદ એ વખતે પોરબંદરમાં જ રહેતા હતા.
“વીજળી પોરબંદર આવી ત્યારે હાજી કાસમ પણ દરિયે
ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના તત્કાલીન એડમિનિસ્ટ્રેટર લેલીસાહેબ આઇ.સી.એસ. હતા. તેમનું પૂરું નામ સી.એફ.એલ.લેલીલ હતું. દરિયાને ગાંડોતૂર બનેલો જોઇ હાજી કાસમે અનેક મુસાફરોને ‘વીજળી’માં ન જવાની સલાહ આપી હતી.

ચિત્તલવાલાને મતે માંડવીથી ‘વીજળી’માં આશરે 750 મુસાફરો ચડ્યા હતા. એ પછી દ્વારિકાથી 100 મુસાફરો તેમાં ચડ્યાં હતાં. હાજી કાસમની સમજાવટને કારણે પોરબંદરથી એક પણ મુસાફર ‘વીજળીમાં ચડ્યો ન હતો. ‘વીજળી’ સ્ટીમરનો સ્ટાફ 40 સભ્યોનો હતો.
વીજળી આશરે 900 મુસાફરોને લઇને આગળ વધી ત્યારે એ માંગરોળ સુધી દેખાઇ હતી. એ માંગરોળથી વેરાવળ વચ્ચેના દરિયામાં ડૂબી હોવીજોઇએ. ‘વીજળી’ને ગળચી જનારું એ વાવાઝોડું 48 કલાક
સુધી ચાલ્યું હતું. એ જ વખતે શેફર્ડ કંપનીની બીજી એક
સ્ટીમર જાફરાબાદ પાસે હતી. પણ સદ્‌નશીબે એ સ્ટીમરને વાવાઝોડાથી કોઇ જ નુકશાન થયું ન હતું. પરંતુ વીજળી જ ડૂબી.!

જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી. મુંબઈ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ જહાજનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.

‘વીજળી’નો કેસ બ્રિટનની અદાલતમાં ચાલ્યો ત્યારે તેમાં અનેક શખ્સોની ઇન્કવાયરી થઇ હતી. જેમાં એક અંગ્રેજ નિષ્ણાતે કહ્યું હતું કે, હિન્દુસ્તાનના સૌરાષ્ટ્ર પ્રદેશના સાગરકાંઠે મીટિઅરોલોજી સ્ટેશન (હવામાન-વાયુમથક) સ્થાપવાનું મેં લેખિતમાં સૂચન કર્યુ હતું. પરંતુ એ સ્વીકારવામાં આવ્યું ન હતું .
જો આવું કેન્‍દ્ર સ્થાપવામાં આવ્યું હોત તો એ દરિયાઇ તોફાનની અગાઉથી આગાહી કરી શકાઇ હોત. કેમ કે એ તોફાન ભારે ચક્રવાત હતો. પણ કમનશીબે એ નિષ્ણાત અંગ્રેજની સલાહ અવગણાઇ, જેના કારણે આશરે 900 જેટલા મુસાફરોને પોતાના ખોળામાં લઇને ‘વીજળી’ કાયમને માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોઢી ગઇ.

લેખ સૌજન્ય:
(કૂલછાબ’ માં થી ટૂંકાવીને) – રાજેન્દ્ર દવે
વૈતરણા વીજળી તસવીર તથા પૂરક માહિતી સૌજન્ય: વીકિપિડીયા
🍁

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

यह भ्रम किसने फैलाया कि स्त्री पर हाथ नहीं उठाया जाना चाहिए?

हनुमान जी ने भी दो गदा खींच के मारा था लंकिनी को, भरत जी ने अपनी माँ कैकेई को भला बुरा सुनाया था, ज़रूरत पड़ने पर लक्ष्मण जी ने सूर्पनखा का नाक काट दिया, भगवान श्री कृष्ण ने भी पूतना का वध किया था!

जब रानी चेनम्मा और रानी लक्ष्मीबाई युद्ध के मैदान में गयी तो क्या स्त्री समझ कर उन पर वार नहीं किया गया होगा? युद्ध का मैदान स्त्री पुरुष का भेद क्या जाने?

कन्या है तो हाथ मत उठाओ, आखिर क्यों भाई? गलती करेगी तो मार भी पड़ेगी जैसे बेटे को पड़ती है, सब सुविधा दो लेकिन हाथ मत उठाओ?

इसी मानसिकता ने सारी गड़बड़ की है, दो थप्पड़ बचपन में लगाओ और फिर बताओ की तुम कहीं की परी नहीं हो, गलती करोगी तो कुटाई भी होगी, तब जाकर वह एक दम सही रास्ते पे चलेगी

सारा काम मेरी गुडिया, मेरी रानी, मेरी परी करने वालों ने बिगाड़ा है, लेकिन जब उनकी बेटी लव जिहाद का शिकार हो जाती है तब उनके पास छाती पीटने के अलावा कोई उपाय नहीं बचता, एक घटना देखने को मिला है जिसमें अपनी बेटी को तो सुधार नहीं पाए लेकिन श्राद्ध जरूर किए थे तो आखिर ऐसा नौबत क्यों आया?

लड़का और लड़की दोनों को हमारा धर्म और कानून समानता का अधिकार देता है लेकिन अक्सर यह देखने को मिलता है गलती चाहे लड़की करे फिर भी ज्यादातर दोष लड़कों के ऊपर डाल दिया जाता है!

आजकल अक्सर आपको बड़े शहरों में देखने को मिलेगा की बहुत सी लड़कियां नशा करती है, गलत रास्ते पर चलती है और इसका असर धीरे-धीरे छोटे-छोटे शहरों के साथ गांव में भी आने लगा है!

Posted in જાણવા જેવું

આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે… *”બારેય મેઘ… ખાંગા થયા”…!*

પણ કોઈને ખબર નથી… *”બાર મેઘ”* શું છે.?

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે…..
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

*૧. ફરફર:*
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

*૨. છાંટા :*
ફરફર થી થોડો વધારે વરસાદ

*૩. ફોરા :*
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

*૪. કરા :*
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

*૫. પછેડીવા :*
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

*૬. નેવાધાર :*
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

*૭. મોલમેહ :*
મોલ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

*૮. અનરાધાર :*
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

*૯. મુશળધાર :*
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ – સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

*૧૦. ઢેફાં :*
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

*૧૧. પાણ મેહ :*
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

*૧૨. હેલી :*
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
ચોમાસુ ચાલે છે ને એટલે યાદ રાખવું જરૂરી🙏
⛈️🌧️⛈️🌧️⛈️🌧️

Posted in रामायण - Ramayan

શું તમે જાણો છો કે ભારતને ખ્રિસ્તી રાષ્ટ્ર બનાવવા માટે બેલ્જિયમથી મોકલવામાં આવેલા ‘ખ્રિસ્તી મિશનરી’ ફાધર કામિલ બલ્કે ભગવાન શ્રી રામના પાત્રથી એટલા “પ્રભાવિત” થયા કે તેમણે સનાતન ધર્મ અપનાવ્યો અને રામાયણ સહિત ભારતીય સનાતન સાહિત્ય નો અભ્યાસ કર્યો.
ફાધર કામિલ બુલ્કે શ્રીરામ વિશે લખ્યું હતું. કે તે “વાલ્મીકિ” કાલ્પનિક પાત્ર નથી.
તેમણે એમ પણ લખ્યું છે કે ‘રામાયણ’ માત્ર ધાર્મિક સાહિત્ય જ નથી પરંતુ જીવન જીવવાનો સાચો રાહ દર્શાવતો મહત્વ નો દસ્તાવેજ પણ છે.
ભારતમાં તેમને ‘બાબા બુલ્કે’ના નામથી બોલાવવામાં આવતા હતા. પાછળથી તેઓએ તેમનું નામ “બિહારી” રાખ્યું .
તેઓ ગર્વથી કહેતા કે સંસ્કૃત રાજમાતા છે, અને અંગ્રેજી ‘નૌકરાણી’ છે!!
બુલ્કેલીનું બીજું વિશ્વ-પ્રસિદ્ધ પાસું એ છે કે તે હિન્દીના મહાન વિદ્વાન અને રામકથાના “ઊંડા” અને વિદેશી મૂળના ભારતીય હતા, તેમણે 1950 માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી રામકથા ની ઉત્પત્તિ અને વિકાસ પર પીએચડી મેળવ્યું હતું.

જીવન આનંદ મિશ્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભારત નો મધ્યમ વર્ગ લોન ના ભયંકર ભરડા માં ફસાતો જાય છે. મોબાઈલ ફોન હપ્તે , ટુ વિહ્લર હપ્તે , ફોર વિહ્લર હપ્તે , ક્રેડિટ કાર્ડ , કન્ઝ્યુમર લોન્સ , પર્સનલ લોન , હોમ લોન.

આજે એક બિલ્ડર મિત્ર ની ઓફિસ પર બેઠા હતા એ લોકો નવા ફ્લેટ બનાવે છે ૨ બેડરૂમ નો ફ્લેટ ૪૪ લાખ રૂપિયા એક ભાઈ જોવા આવ્યા ઈ ક્યે મારે ૪૪ ની લોન કરવા ની છે તો ક્યે થઇ જશે. એ ભાઈ ગયા પછી મેં ફ્રેન્ડ ને પૂછ્યું મેં કીધું આ મરવા ના ધંધા નથી ? તો ક્યે ૧૦૦% મરવા ના ધંધા છે અમે તો સમજીયે છીએ પણ લોકો ક્યાં સમજે છે એટલે તો અમારું હાલે છે લોકો સમજતા નથી કે પેહલી તારીખ આવતા વાર નથી લાગતી ૪૪ લાખ નો ૪૦ થી ૪૪ હજાર નો મહિને હપ્તો આવે એના કરતા ૧૨ થી ૧૫ હજાર માં ભાડે રેહવું પોષાય અને આવા ૬૫૦ ફૂટ ના ફ્લેટ ના ભાવ વધવા ની તો દૂર ની વાત છે ૧૦ વર્ષ પછી જુના ફ્લેટ વેચાતા જ નથી.હોમ લોન ના કમિટમેન્ટ ૨૦ થી ૩૦ વર્ષ સુધી ના લાંબા ગાળા ના હોય છે અને એ દરમ્યાન એવી પરિસ્થિતિ કે આકસ્મિક ખર્ચ આવી જાય કે થોડું ઘણું મુદ્દલ ભરાણું હોય એ પણ ટોપ અપ કરી ને ફરી લોન તો એટલી જ ઉભી રહે.તમારી પાસે ૫૦% રૂપિયા ઘર ના અને ૫૦% લોન હોય ત્યાં સુધી વાંધો ના આવે બાકી તો ઊંઘ વેચી ને ઘર ના મકાન માં ઉજાગરા કરવા ના ધંધા છે આ.

જે બાયું ને એક થી સો એકડા પણ નથી આવડતા એ પણ એવું કેહતી જોવા મળે કે ભાડા ભરીયે એ કરતા હપ્તા ભરી ને ઘર નું ઘર થઇ જાય આમાં કઈ રીતે થાય એ તો એને જ ખબર.

ફોરેન માં આ રીત ની ઈકોનોમી ચાલે છે કારણ કે સોશિયલ સિક્યુરિટી છે બાળકો ને ફ્રી શિક્ષણ છે , મેડિકલ ફ્રી છે , ઓલ્ડ એઈજ પેંશન છે બેકારી ભથ્થુ છે આપણે અહીંયા આ બધું કઈ મળતું નથી એટલે બહુ સમજી ને ચાલવું પડે એવું છે સામાન્ય બીમારી માં પણ એક લાખ રૂપિયા ખર્ચ થતા વાર નથી લાગતી અને એ પણ એવો ખર્ચ કે જે મેડિક્લેઈમ માં પાસ ના થાય.

એટલે તો કહે છે મધ્યમ વર્ગ આ બેડ ડેબ્ટ ના ચકરડા માં જ કોઈ દિવસ એક્ચ્યુઅલ માં પૈસાદાર થતો જ નથી એ ફક્ત પૈસાદાર હોવા નું પ્રિટેન્ડ કરી શકે હપ્તા ગાડી ચલાવી ને.
કલ્પેશભાઈ કણસાગરા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

20 જુલાઈ, 1969 ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડરીને ચંદ્રની સપાટી પર પગ મુક્યો એ અભિયાન અમલમાં મુકાયું એ પહેલા મહિનાઓ સુધી એ અંતરિક્ષ યાત્રીઓએ ચંદ્રની જમીન જેવા દેખાતા પશ્ચિમ અમેરિકાના સુદૂર રણ વિસ્તારમાં તાલીમ લીધી હતી. આ પ્રદેશ નેટિવ અમેરિકન સમુદાયોનું વતન હતું અને ત્યાં અમુક આદિવાસી સમુદાય વસતા પણ હતાં.

અંતરિક્ષ યાત્રીઓ તાલીમ લેતા હતા એ દરમ્યાન એક દિવસ રિસર્ચ ટીમનો ભેટો એક વૃદ્વ અમેરિકન આદિવાસી સાથે થયો. એ આદિવાસીએ પુછ્યુ કે તમે લોકો અહીં શુ કરી રહ્યા છો? રિસર્ચ ટીમના સભ્યોએ જણાવ્યું કે અમે ટૂંક સમયમાં સંશોધન માટે ચંદ્ર પર જવાના છીએ. આ સાંભળી વૃદ્વ થોડી વાર ચુપ થઈ ગયો અને પછી એણે કહ્યુ.. મારુ એક કામ કરશો?
રિસર્ચ ટીમના સભ્યોએ પૂછ્યું.. શુ કરવું છે?
વૃદ્ધ બોલ્યો.. મારી જાતિના લોકોને વિશ્વાસ છે કે ચંદ્રમા પર પવિત્ર આત્માઓ વસે છે. મારી જાતિના લોકો તરફથી એક અગત્યનો સંદેશ એ આત્માઓ સુધી પહોંચાડશો?

અંતરિક્ષ યાત્રીઓએ પૂછ્યું.. શુ સંદેશો છે?
એના જવાબમાં પેલો વૃદ્વ આદિવાસી એમની ભાષામાં કંઈક બબડ્યો અને યાત્રીઓને એ સંદેશ બે ત્રણ વાર રિપીટ કરવા કહ્યુ જેથી એમને સંદેશો યાદ રહી જાય.

અંતરિક્ષ યાત્રીઓ એમને ફાવ્યુ એ રીતે સંદેશો બોલી ગયા અને પૂછ્યું.. આ સંદેશનો અર્થ શુ છે?
વૃદ્ધ જવાબમાં બોલ્યો.. એનો અર્થ મારાથી તમને નહી કહેવાય. આ એક એવું રહસ્ય છે જે જાણવાનો અધિકાર મારી જાતિના લોકો અને ચંદ્રમા પર વસતી આત્માઓને જ છે. અને વૃદ્વ ચાલતો થયો.

અંતરિક્ષ યાત્રીઓ એમના મૂળ મુકામે પાછા આવ્યા પછી એમણે એક એવો માણસ શોધ્યો જે એ આદિવાસી ભાષા જાણતો હતો. યાત્રીઓએ એ માણસ સમક્ષ એ સંદેશો બોલી સંભળાવ્યો અને એનો અર્થ પૂછ્યો. એ સંદેશ સાંભળી પેલો માણસ પહેલા તો હસ્યો અને પછી કહ્યુ.. તમે જે સંદેશો ખુબ સાવધાનીપૂર્વક યાદ રાખ્યો છે એનો મતલબ થાય છે કે… ‘આ લોકો જે પણ કંઈ કહે, તે એકેય શબ્દનો વિશ્વાસ ના કરતા. આ લોકો તમારી જમીન પચાવી પાડવા આવ્યા છે.’

આ સત્ય ઘટના પરથી એટલું પ્રતીત થાય છે કે વિશ્વના દરેક ખૂણે મૂળ નિવાસી એવા આદિવાસીઓ પર ખુબ અત્યાચાર થયા છે. વિકાસની આંધળી દોટમાં માનવીએ આદિવાસીઓને જમીન વિહોણા કરવામાં પાછું વળીને જોયુ નથી.

હાર્દિક બારોટ

Posted in हिन्दू पतन

कटु सत्य—क्या आप जानते है??
1-साईं का असली नाम चाँद मियाँ था।
2-साईं ने कभी अपने जीवन में 2 गाव से
बहार
कदम नहीं रखा।
3-साईं सत्चारित में 10 बार से
अधिक”अल्लाह
मालिक” आया है। परन्तु एक बारभी ॐ
नहीं आया।
4-साईं के समय में उसके आस पास के राज्यों में
भयंकर अकाल पड़ा। परन्तु साईं भगवान्
(भक्तो के
अनुसार)ने गरीबो की मदद
करना जरूरी नहीं समझा।
5-साईं का जन्म 1834 में हुआ। पर इन्होने
धर्म
युद्ध (आजादी की लड़ाई) में
भारतीयों की मदद
करना जरूरी नहीं समझा ।
(पता नहीं क्यों अगर ये
राम कृष्ण के अवतार थे। तो इन्हें मदद
करनी चाहिए थी। क्युकी कृष्ण
जी का हीकहना है
की धर्म युद्ध में सभी को भाग
लेना पड़ता है।
स्वयं कृष्ण जी ने महा भारत में
पांडवो का मार्ग
दर्शन किया।और वक़्त आने पर शस्त्र
भी उठाया। राम जी ने भी यही किया।पर
पता नहीं साईं कहा थे)
6-साईं भोजन से पहले फातिमा,कुरान पढ़ते
थे।
परन्तु कभी गीता और रामायण नहीं पढ़ी न
ही कोई वेद। वाह कमाल के भगवान थे।
7-साईं अपने भक्तो को प्रशाद के रूप में मॉस
चावल (नमकीन चावल) देते थे। खास कर
ब्राह्मण
भक्तो को।ये तो संभव ही नहीं की कोई
भगवान्
का रूप ऐसा करे ।)
8-साईं जात के यवनी(मुसलमान) थे। और
मस्जिद में रहते थे। लेकिन आज कल उसे
ब्राह्मण
दिखने का प्रयास चल रहा है (प्रश्न-
क्या ब्राह्मण मस्जिदों मे रहते है)
नोट-ये सारी बाते स्वयं” साईं सत्चारित
“में देखे।

अरुण सुकला