Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक ठेकेदार किसी राज्य में गरीबों को सस्ते दर पर भोजन सप्लाई किया करता था.

अब भोजन तो जरूरी चीज है और उसकी जरूरत सभी को होती है…
एवं, गरीबों की संख्या भी काफी रहती है…
इसीलिए, वो ठेकेदार अपने राज्य में बहुत पॉपुलर था क्योंकि वो महज 5 रुपये प्रति व्यक्ति के हिसाब से ही भोजन सप्लाई कर दिया करता था.

फिर, एक दिन उस ठेकेदार के मन में लालच आ गया और वो सोचने लगा कि यदि मैं भोजन का दाम कुछ बढ़ा दूँ तो मेरे वारे-न्यारे हो जाएंगे.

लेकिन, मुसीबत यह थी… नियमानुसार बिना राजा की आज्ञा के भोजन का दाम बढ़ाया नहीं जा सकता था.

तो, वो इसकी आज्ञा लेने हेतु राजा के पास पहुंचा और राजा को बताया कि वो भोजन का दाम बढ़ाना चाहता है और अब वो प्रति प्लेट 5 की जगह 10 रुपये प्रति प्लेट भोजन बेचना चाहता है.

राजा ने उसकी बातें ध्यान से सुनी… और, उससे कहा कि…. ठीक है, वो भोजन का दाम बढ़ा ले.
लेकिन, वो भोजन का दाम बढ़ा कर 10 रुपये नहीं बल्कि 30 रुपये करे.

5 रुपये से बढ़ाकर अचानक 30 रुपये करने के नाम से ठेकेदार घबड़ा गया और वो राजा का मुँह देखने लगा.

लेकिन, राजा ने उसे दुबारा यही कहा कि वो भोजन का दाम 30 रुपये की करे.

ठेकेदार राजा की बात सुनकर वापस लौट गया और राजा के कहे अनुसार उसने अगले दिन से भोजन का दाम 30 रुपये प्रति प्लेट कर दिया.

अचानक ऐसे दाम की घोषणा सुनकर पूरे राज्य में हंगामा हो गया एवं हर जगह इसके विरोध में धरना-प्रदर्शन होने लगे.
एवं, पत्र-पत्रिकाओं में इस अन्याय के खिलाफ लेख लिखे जाने लगे.

तब… राजा ने इस मामले में इंटरफेयर किया…
और, जनता के बीच जाकर राजा ने घोषणा की कि…. वो अपनी प्रजा की भावना का सम्मान करता है और वो एक भी प्रजा के साथ अन्याय नहीं होने देगा.

इसीलिए, वो आज्ञा देता है कि…. भोजन का दाम तत्काल प्रभाव से आधा कर दिया जाए ताकि किसी पर अनावश्यक बोझ न पड़े.

राजा की इस घोषणा के बाद प्रजा… राजा की जय जयकार करने लगी क्योंकि अब उन्हें 30 रुपये वाला भोजन 15 रुपये में ही मिल जा रहा था.

इधर… राजा भी खुश…. क्योंकि, ठेकेदार ने उसे महज 10 रुपये प्रति प्लेट की ही बात कही थी..
इस तरह… 5 रुपये प्रति प्लेट राजा के हिस्से आना था.

और, ठेकेदार भी खुश कि… उसने अपनी कीमत महज एक दिन में ही दुगुना कर दिया.

मनोज मुन्तशिर भी उसी राजा वाला खेल खेल रहा है.

पहले उसने काफी ज्यादा घटिया स्क्रिप्ट, कहानी, डायलॉग्स आदि लिख दिए..
उस बजरंगबली तक को कुम्भकर्ण से मार खाते दिखा दिया जिसके प्रहार को खुद रावण तक नहीं झेल पाया था.
साथ ही…. फिल्म के अंत में वो भगवान राम को रावण से पिटता हुआ तक दिखा दिया.

और तो और… उन्होंने ये तक साबित करने की कोशिश की कि…. रावण ने भगवान राम और लक्ष्मण के आंखों के सामने माता सीता को लेकर चला गया तथा भगवान राम और लक्ष्मण उसे ले जाते देखते रहने के सिवा और कुछ नहीं कर सके.

लेकिन, अब ये मनोज… ठीक उसी राजा के समान जनता के बीच आकर कह रहा है कि…. उसे दर्शक की भावना का सम्मान है और एक भी दर्शक की भावना आहत नहीं होने दी जाएगी…
इसीलिए, वो तत्काल प्रभाव से अपने आपत्तिजनक डायलॉग बदल रहा है.

और, ऐसा वो इसीलिए कर रहा है क्योंकि उन्हें लगता है सनातनी हिन्दू तो बेवकूफ हैं ही…
उन्हें इस तरह की भावना वाला झुनझुना पकड़ा देंगे तो वो फिर से हमारी जय-जयकार करने लगेंगे जैसे कि 15 रुपये प्रति प्लेट सुनते ही जनता ने राजा की जय-जयकार शूरू कर दी थी.

तो, भाई बात ऐसी है कि…. वो समय चला गया जब गधे भी जलेबी खाया करते थे..

अब लगभग हर सनातनी हिन्दू इन खेलों को समझता है.

और, अब किसी भी सनातनी हिन्दू को अपने आराध्यों के चरित्र से अनावश्यक छेड़छाड़ स्वीकार्य नहीं है.

इस बात को चालबाज लोग जितनी जल्दी समझ लें… उनके लिए ये उतना ही बेहतर है.

जय श्री राम…!!
जय महाकाल…!!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકવાર I.I.T. મુંબઈના 4 વિદ્યાર્થીઓ મોડી રાત સુધી પત્તા રમતા રહ્યા અને બીજા દિવસે યોજાનારી પરીક્ષા માટે અભ્યાસની તૈયારી કરી શક્યા નહીં .

સવારે તેઓએ એક યુક્તિ વિચારી.

તેઓ પોતે ગ્રીસ, ધૂળ અને ગંદકીથી મેલા ઘેલા થઈ ડીન પાસે ગયા અને કહ્યું કે… તેઓ ગઈકાલે રાત્રે એકમિત્રની અચાનક તબિયત બગડતાં તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અને પરત ફરતી વખતે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું, તેમને કારને આખે રસ્તે, આખી રાત ધક્કો મારીને હોસ્ટેલ સુધી પહોંચવું પડ્યું છે. અને તેઓ આ સ્થિતિમાં પરીક્ષા આપી શકે તેમ નથી.
ડીન સાહેબને તેમની મુશ્કેલી નો ખ્યાલ આવી ગયો અને સહાનુભૂતિ દર્શાવી તેમને 3 દિવસની મુદત આપી… 3 દિવસ પછી ફરી પરીક્ષા યોજી ઉપસ્થિત રહેવા વિકલ્પ આપ્યો.
વિધ્યાર્થીઓએ ખુશી સાથે વિકલ્પ સ્વીકારી ડીન સાહેબનો આભાર માન્યો. અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.
ત્રીજા દિવસે તેઓ ડીન સમક્ષ હાજર થયા. ડીને કહ્યું કે આ _સ્પેશિયલ કન્ડિશન ટેસ્ટ_ હોવાથી ચારેયને અલગ-અલગ ક્લાસરૂમમાં ટેસ્ટ માટે બેસવાનું છે.

તેઓએ છેલ્લા 3 દિવસમાં સારી તૈયારી કરી હતી એટલે બધા સંમત થયા.

આ કસોટીમાં કુલ 100 માર્ક્સ સાથે માત્ર 2 જ પ્રશ્નો હતા.


પ્ર.1. કયું ટાયર ફાટ્યું હતું ? (50 માર્ક્સ)

a) આગળનું ડાબી બાજુનું
b) આગળનું જમણી બાજુનું
c) પાછળનું ડાબી બાજુનું
ડી) પાછળનું જમણી બાજુનું

પ્ર.2. કારમાં કોણ ક્યાં બેઠું? (50 માર્ક્સ)

હa) ડ્રાયવર સીટ પર : _______
b) આગળ ડાબી બાજુ : _________
c) પાછળ ડાબે: _________
d) પાછળ જમણે: _________

નોંધ: ચારેય ચાર વિધ્યાર્થીઓના, બંને પ્રશ્નોના એકસરખા જવાબ હશે તો જ ગુણ આપવામાં આવશે.

I.I.T ની સત્ય ઘટના 1992ની બોમ્બે બેચ.
પરિણામ તમે વિચારી શકો છો..

માસ્તર… પંતુજી… જે કહેવુ હોય તે કહો પણ…
Never underestimate Teacher’s.

*🙏🏻ગુરુ ગુરુ હી રહેગા 🙏🏻*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Copied from the wall of shri Bhimshibhai Ahir

ત્રણ વરદાન

એક વાર એક ચતુર નામનો ખેડૂત ગાડું લઈને સાંકડાં રસ્તે જતો હતો. એને અચાનક એક કાચબી દેખાઈ જે રસ્તો ઓળંગતી હતી. એને એકદમ ગાડું ઉભું રાખ્યું અને કાચબીને બચાવી લીધી. કાચબીની પાછળ એના બે બચ્ચાં હતાં. ત્રણે યે રસ્તો ઓળંગ્યો ત્યાં સુધી ચતુરે નિરાંતે રાહ જોઈ.

રસ્તો ઓળંગ્યા પછી કાચબીમાંથી એક દેવી પ્રગટ થઈ અને ચતુરને કહ્યું, “ હે મનુષ્ય, હું તારા વર્તાવથી ખુબ પ્રસન્ન થઈ છું. તે અમારા ત્રણ પ્રત્યે જે સંવેદના બતાવી એ બદલ હું તને ત્રણ વરદાન આપવા માંગુ છું. હકીકતમાં હું તારી પરીક્ષા લેવા આવી હતી જેમાં તું સફળ રહ્યો છે.”

ચતુર ખુબ રાજી થયો અને તુરંત પહેલું વરદાન માંગવા ઉતાવળ કરી. દેવીએ તેને સાવધાન કરતાં કહ્યું, “ વરદાન માંગતી વખતે શબ્દો વિચારીને બોલજે, એક વાર બોલ્યા પછી એ બદલી નહિ શકાય.”

પહેલું વરદાન
ચતુર સમંત થતા બોલ્યો, “ મને એ વરદાન આપો કે મારે કંઈ કરવું ન પડે અને છતાં જરૂરી પૈસા મળ્યાં કરે.” દેવીએ તથાસ્તુ કહી તાકીદ કરી કે, “તે કંઈ નહિ કરવાની શરતે પૈસા મેળવ્યાં છે એટલે તારે તારા ઓરડામાં બંધ રહેવુ અને ઘરમાં જે પણ ચાલતું હોય તેમાં વચ્ચે પડવું નહિ. જો આ વાત નો ભંગ કરીશ તો મેળવેલ પૈસા પરત આપવા પડશે.”

ચતુરનું પ્રથમ અઠવાડિયું મફતમાં મળતાં પૈસાને લીધે આનંદમાં વીત્યું. પણ બીજા અઠવાડિયે બાળકો યાદ આવ્યાં. મહેમાનો આવીને જતાં રહ્યા પણ મળાયું નહી. બીમાર પત્નીની સંભાળ પણ ન લેવાઈ. ત્રીજું અઠવાડિયું વીતતાં સુધીમાં જિંદગી નિરર્થક લાગવા માંડી.

ચોવીસમાં દિવસે તેને દેવીનું સ્મરણ કર્યું. અને એ પ્રગટ થતાં પૈસા ભરેલ પાત્ર પાછું આપી બીજું વરદાન માંગવાની ઈચ્છા વ્યક્ત કરી.

બીજું વરદાન
દેવીએ હા પાડતાં ચતુર બોલ્યો, “ દેવી મારું પહેલું વચન ફોક કરો અને અડધા પૈસા આપજો પણ ઘરમાં રહેવાની અને કુટુંબની સંભાળ લેવાની છૂટ આપો. દેવીએ તથાસ્તુ કહી તાકીદ કરી તે ઘર અને કુટુંબની માંગણી કરી છે એટલે ઘરની બહાર ન જતો અને પરિવાર સિવાય બીજી કોઈ પંચાતમાં પડતો નહિ”

વળી પાછો એ જ ક્રમ ચાલ્યો. પ્રથમ સપ્તાહ આનંદ આનંદ, બીજા સપ્તાહે કંટાળો, ત્રીજા સપ્તાહે ખેતર અને મોલ ન જોવાનું દુઃખ, ઢોરોને હાથ ફેરવવા અને ચારપૂળો નહી નાખવાની બળતરા, દિવસે પંખીના માળા અને રાતે આભના તારાથી અળગા થવાની પીડા. ચતુરને જીવનમાં રસ ન જણાયો.

એકવાનમાં દિવસે તેને થાકી દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થતાં પૈસા ભરેલ પાત્ર પરત આપતાં તે બોલ્યો, “ માતાજી દશમાં ભાગના જ પૈસા આપજો પણ ઘર બહાર જવાની રજા આપો.” દેવી એ તથાસ્તુ કહેતા તાકીદ કરી, “ ઘર બહાર ખેતર છે, ત્યાં જજે પણ ગામમાં ના જતો નહી તો વરદાન ફોક થશે.”

વળી ધીમે ધીમે પૈસાથી ચતુરની દેગ ભરાવા માંડી. પણ દશ બાર દિવસે સાંજે પાદરના શંકરનાં મંદિરના ઓટલે બેસી દોસ્તો સાથે ગપ્પા મારવાની ઈચ્છા જાગી, વૃદ્ધ વિધવા રતનબાની ખબર ન પૂછાતાં પસ્તાવો થયો, અરે, પેલા પાદરના વડને પાણી કોણ પાતું હશે? ચતુરને ઘર ખેતર ખાવા ધાયા અને એ સવાર સાંજ ગામ તરફ નજર કરી બેસી રહેતો. અને સંઘમાં ચાલતાં જાત્રામાં ન જવાયું ત્યારે તો ચતુરની ધીરજની હદ આવી ગઈ.

ત્રીજું વરદાન
બ્યાંશીમાં દિવસે એને દેવીને વિનવ્યા. દેવી પ્રગટ થતાં એ બોલ્યો, “માતાજી મારે હરામની લક્ષ્મી નથી જોઈતી, બધું હતું એવું કરી દો”. દેવી મલકાયા અને બોલ્યા, “તને એક વાત કહું? લક્ષ્મીજી અને મારી વચ્ચે એક વર્ષથી શરત ચાલે છે કે માણસો પર કોનો પ્રભાવ વધારે છે. તેમની આટલી મહિમા હોવા છતાં તે શરત જીતી શક્યા નથી. અને તું પણ સંકોચ ન કરતો. એક વર્ષમાં તું દશમો વ્યક્તિ છે જેને ચતુરાઈ છોડી માણસાઈ અપનાવી છે, લાગણી સામે લક્ષ્મી જતી કરી છે અને જીતવા કરતાં જીવવું પસંદ કર્યું છે. તથાસ્તુ.”

Posted in महाभारत - Mahabharat

મહાભારત સીરિયલ માં રાહી માસૂમ રાજાને યાદ કરનારા પંડિત નરેન્દ્ર શર્માને કેમ ભૂલી રહ્યા છો?

સોશિયલ મીડિયા માં લોકો મહાભારત ના સંવાદ લખનાર રાહી માસૂમ રઝા ના ભર પેટ વખાણ કરે છે. આ લોકો પંડિત નરેન્દ્ર શર્મા ને કેમ ભૂલી રહ્યા છે.

વાસ્તવમાં મહાભારતના સંવાદો પંડિત નરેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ લખાયા હતા, નહીં તો તેનું 100% ઉર્દૂકરણ થયું હોત. સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ તેમનો મોટો રોલ હતો. પંડિત નરેન્દ્ર શર્મા એ વ્યક્તિ છે જેમણે પહેલેથી જ ‘દ્રૌપદી’ નામની કવિતા લખી હતી, એવી રીતે તેમનું મહાભારત વિશેનું જ્ઞાન પણ અસરકારક હતું. રાહી માસૂમ રઝા પોતે કહેતા હતા કે તે મહાભારતની ભુલભુલામણી ગલીઓમાં પંડિતજીની આંગળી પકડીને આગળ વધતી હતી.
રાહી જે પણ સવાંડી લખતા તે નરેન્દ્ર શર્માની સંમતિ બાદ જ આગળ મોકલવામાં આવતા હતા બીઆર ચોપરાના નજીકના મિત્ર શર્મા મહાભારતના દરેક પાસાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હતા. તેમની છેલ્લી રચના છે “

“शंखनाद ने कर दिया, समारोह का अंत, अंत यही ले जाएगा, कुरुक्षेत्र पर्यन्त”

પંડિત નરેન્દ્ર શર્માને ભૂલશો નહીં, તેમને સમાન સન્માન આપો. આ તેમના પર તમારો ઉપકાર નહીં હોય, પરંતુ ધર્મક્ષેત્રમાં તેમના યોગદાન માટે આ એક નાનો આદર હશે.
પંડિત નરેન્દ્ર શર્માને ‘ગંગા-જામુની તહઝીબ’ના લોકો જાણી જોય ને ભૂલી રહ્યા છે.
આ તે વ્યક્તિ છે જેમને ગાયિકા અનુરાધા પૌડવાલે પણ તેના ‘દુર્ગા-સપ્તશતી’ ગાવાનો શ્રેય આપ્યો હતો.
તે પંડિત નરેન્દ્ર શર્મા હતા, જેમના માર્ગદર્શન હેઠળ મુકેશે રામચરિતમાનસ ગાયું હતું.
લતા મંગેશકરનું યાદગાર ગીત ‘સત્યમ શિવમ સુંદરમ’ તે પંડિતજીએ લખેલું છે.
આવો, આપણે સૌને પંડિત નરેન્દ્ર શર્મા વિશે જણાવીએ, જેઓ સાંસ્કૃતિક ઈતિહાસ અને જ્યોતિષ શાસ્ત્ર ના ઊંચા જાણકાર છે.

#મહાભારત #પંડિત_નરેન્દ્ર _શર્મા
#mahabharat #pandit_narendra_shrma

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

*સ્ત્રીની આંતર મનની વ્યથા:-*

*નાની હતી.*
*ખુબ બોલતી.*
*મા ટોકતી :*
*ચુપ રહે,*
*નાનાં છોકરાં બહું ના બોલે…..!*

*કિશોરી બની.*
*તોળીને બોલતી.*
*છતાં મા કહેતી :*
*ચુપ રહે,*
*હવે તું નાની નથી…..!*

*યુવતી બની.*
*મ્હોં ખોલું,*
*ત્યાં મા ઠપકારતી :*
*ચુપ રહે,*
*પારકા ઘરે જવાનું છે…..!*

*નોકરી કરવા ગઈ.*
*સાચું બોલવા ગઈ.*
*બોસ બોલ્યા :*
*ચુપ રહો,*
*માત્ર કામમાં ધ્યાન આપો…..!*

*પુત્રવધુ બની.*
*બોલવા જાઉં*
*તો સાસુ ટપારતી :*
*ચુપ રહે,*
*આ તારું પિયર નથી…..!*

*ગૃહિણી બની.*
*પતિને કાંઈ કહેવા જાઉં,*
*પતિ ગુસ્સે થતો :*
*ચુપ રહે,*
*તને શું ખબર પડે…..!*

*માતા બની.*
*બાળકોને કાંઈ કહેવા જાઉં.*
*તો તે કહેતા :*
*ચુપ રહે,*
*તને એ નહીં સમજાય…..!*

*જીવનની સાંજ પડી.*
*બે બોલ બોલવા ગઈ.*
*સૌ કહે :*
*ચુપ રહો,*
*બધામાં માથું ના મારો…..!*

*વૃદ્ધા બની.*
*મ્હોં ખોલવા ગઈ.*
*સંતાનો કહે :*
*ચુપ રહે,*
*હવે, શાંતિથી જીવ…..!*

*બસ……..,*
*આ ચુપકીદીમાં અંતરના ઊંડાણમાં ઘણુંય સંઘરાયું છે…..*
*એ સઘળું શબ્દોમાં ઉજાગર કરવા જાઉં,*
*ત્યાં તો સામે યમરાજા દેખાયા.*
*તેમણે આદેશ આપ્યો:*
*ચુપ રહે,*
*તારો અંત આવી ગયો…..!*

*હું ચુપ થઈ ગઈ…..*
*હંમેશના માટે……….!*
🙏🏻🙏🏻