Posted in જાણવા જેવું

શું તમે જાણો છો?

ચેસ એ વિશ્વની સૌથી જૂની રમતોમાંની એક છે અને એવું માનવામાં આવે છે કે ચેસનું મૂળ ભારત છે.

ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન છઠ્ઠી સદીમાં ભારતમાં ચેસની શરૂઆત થઈ હતી. તે ચતુરંગા તરીકે ઓળખાતું હતું, જે એક સંસ્કૃત શબ્દ છે જેનો અનુવાદ “લશ્કરીના ચાર વિભાગો” તરીકે થાય છે — પાયદળ, ઘોડેસવાર, હાથી અને રથ, જે અનુક્રમે આધુનિક પ્યાદા સ્વરૂપે રજૂ થયા.

કન્નૌજના રાજા હર્ષવર્ધનનું જીવનચરિત્ર બાણભટ્ટના હર્ષ ચરિથા (ઈ.સ. 625)માં ચતુરંગા નામનો સૌથી પહેલો સંદર્ભ છે. ચતુરંગા “અષ્ટપદ” (જેનો અર્થ થાય છે 64 ચોરસ) નામના 8×8 બોર્ડ પર વગાડવામાં આવતો હતો.

ભારતથી આ રમત પર્શિયામાં ફેલાઈ ગઈ. 7 મી સદીમાં, જ્યારે આરબોએ પર્શિયા પર વિજય મેળવ્યો, ત્યારે મુસ્લિમ વિશ્વ દ્વારા ચેસ લેવામાં આવી અને નામ અરબીમાં “શતરંજ” પડ્યું. તે પછીથી દક્ષિણ યુરોપમાં ફેલાયું. યુરોપમાં, ચેસ તેના વર્તમાન સ્વરૂપમાં 15મી સદીમાં વિકસિત થઈ.

#ઇતિહાસનામા #history #india #worldchessday

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

📩🥥

પુરૂષોત્તમ માસની ૩૦ તિથિના વ્રત – દાન

૧. એકમનું વ્રત : પાપ વિનાશક – તલનું દાન

ર. બીજનું વ્રત : રૂદ્રવ્રત – ગોળનું દાન દેવું (પ્રેત યોનિમાંથી છુટે)

૩. ત્રીજનું વ્રત : નીલ વ્રત – માથામાં તેલ ન નાખવું – બ્રાહ્મણને સીધુ આપવું.

૪. ચોથનું વ્રત : પ્રીતી વ્રત – ગૌરીપૂજન કરવું (સૌભાગ્યની વસ્તુનું દાન કરવું.

૫. પાંચમનું વ્રત : શિવવ્રત – શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું (અકાળ મૃત્યુ અટકે)

૬. છઠ્ઠનું વ્રત : સોમવ્રત – મીઠું નહિ ખાવાનું, મીઠાનું દાન કરવું (શત્રુ તથા ગુપ્તરોગ નાશ પામે છે.

૭. સાતમનું વ્રત : સુગતિ – સુખડના લાકડાનું દાન કરવું (સારી ગતિ મળે), ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત : વીરવ્રત – શકિત પ્રમાણે નાની બાળકી તથા ગૌરીમાની પૂજા કરવી. શણગારનું દાન કરવું. (પતિ અપરાધમાંથી છુટે).

૧૦. દશમનું વ્રત : ત્ર્યંબકં વ્રત આ દિવસે કુંભદાન દેવું. કુંભ ઉપર દિવો રાખી શિવમંદિરે મુકવો.

૧૧. અગિયારસનું વ્રત : એકાદશી વ્રત : દાન પુણ્યનો અને ઉપવાસનો મહિમા છે.

૧૨. બારસનું વ્રત : અહિંસા વ્રત : કુળદેવનો દિવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી.

૧૩. તેરસનું વ્રત : પ્રદોશ વ્રત – શિવપુજન – શિવ દર્શનનો મહિમા.

૧૪. ચૌદશનું વ્રત : શીલ વ્રત – આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથીયા પુરવા, કુળદેવીનો દિવો કરવો.

૧૫. પૂનમનું વ્રત : પુરૂષોત્તમ ભગવાનનું પૂજન કરવું. (નિંદાના પાપથી છુટે)

૧. એકમનું વ્રત : દિપણી વ્રત – લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું.

૨. બીજનું વ્રત : દ્રઢ વ્રત – આ દિવસે ચંદન – કંકુ – કેસર – અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું (માતા પિતાના દોષની મુકિત)

૩. ત્રીજનું વ્રત : બિલ્વ વ્રત ગુરૂ, વડીલોનું પૂજન કરવુ, વંદન કરવા (અળદનું દાન કરવું)

૪. ચોથનું વ્રત : વિનાયક વ્રત – ગણેશની પુજા કરવી, ગણેશને લાડુ ધરાવવા, બાળકોને પ્રસાદ વહેચવો.

૫. પાંચમનું વ્રત : નામ પ્રભાકર – સુર્યની પુજા કરવી. એક જ અન્ન ખાવુ, જે અન્ન ખાવુ તેનું દાન કરવું.

૬. છઠ્ઠનું વ્રત : સ્કંદ પૂજન : સુર્યની પૂજા કરવી. સુર્યના બાર નામ લઇ બાર નમસ્કાર કર્યા બાદ ફૂલ ચઢાવવા બપોરે ૧૨ વાગ્યે ૧૨ વખત ધી થી અગ્નિમાં આહુતી આપવી (વૈદ્યૃતિ)

૭. સાતમનું વ્રત : સરસ્વતી વ્રત – ઘર સાફ કરી સાથિયો કરવો અને બાળકોને મિઠાઇ આપવી.

૮. આઠમનું વ્રત : શ્યામ વ્રત-પુરૂષોત્તમ પુરાણ તથા કથા કરનારની પુજા કરવી. દક્ષિણા આપવી.

૮. આઠમનું વ્રત : શ્યામ વ્રત પુરૂષોત્તમ પુરાણની પુજા કરવી (દ્રષ્ટિદોષ નાશ થાય) ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત : વિશ્વાનર વ્રત આ વ્રત કરનારે ખીર ખાવી, ચોખાનું દાન કરવું (અગ્નિ દેવ પ્રસન્ન થાય) (વ્યતિપાત) સંપુટ દાન, ગુપ્ત દાન.

૧૦. દશમનું વ્રત : આનંદ વ્રત – આ દિવસે સોનાના – ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું.

૧૧. અગિયારસનું વ્રત : પરમા વ્રત – સૌભાગ્યનું વ્રત છે. આ દિવસે પતિ સેવા તથા પુરૂષોત્તમ ભગવાનનું વ્રત કરવું.

૧૨. બારસનું વ્રત : વીર વ્રત – આ દિવસે તીર્થ સ્નાન કરવું. તીર્થ દેવનું પૂજન કરવું (પુરૂષોત્તમ ભગવાનનું વ્રત)

૧૩. તેરસનું વ્રત : યદુ વ્રત – બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવુ. બાળકોને ગોળ – દાળીયા વહેચવા.

૧૪. ચૌદશનું વ્રત : આ દિવસે કાંસાનું દાન આપવું (શરીર શુધ્ધિ થાય છે)

૧૫. અમાસનું વ્રત : આ દિવસે શકિત પ્રમાણે બ્રાહ્મણને સીધુ દાન, વસ્ત્રદાન આપવું.