એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો પથ્થર મારી રહ્યો હતો પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો. તેથી પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા જાળ જ ઉપર ચણ નાખી રહ્યો હતો અને બીજાની દાનત સારી હતી એટલે પક્ષીઓ જાળમાં ફસાય નહીં એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો. જીવનમાં ક્યારેક નજરે જોયેલું પણ સાચું નથી હોતું. સાચું કે ખોટું નક્કી કરતા પહેલા તેની પાછળ સંજોગો શું હતા એ જાણ્યા વગર વાતને આગળ વધારવી નહીં.