Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

છવ્વીસ કે સત્યાવીસ વર્ષ થયાં.
તારીખ ૩૧ જાન્યુઆરી ૧૯૯૬ ના દિવસે મને આ કાંસકો ભેટ મળેલો.કોણે આપ્યો હતો ?…એમ કોઈ પૂછતાં નહિ..સમજી જાજો.
આજે એ કાંસકાના દાંતા ખર્યા.
ને એ ઉપરથી આપણા સૌરાષ્ટ્રનો એક ખમીરવંતો ઇતિહાસ યાદ આવી ગયો.
બહુ ટૂંકમાં એ ભવ્ય ગાથાનું વર્ણન કરીને પછી કાંસકાને પણ શણગાર કરીશું.
૯૦૦ વરહ પેલાની વાત.
રા’ નો વંશ…એટલે રા’ખેંગાર અને સતી રાણકદેવી ની વાત.
પાટણનો પ્રાતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ જૂનાગઢ માથે ચડી આવ્યો.ઘણા મહિના ઉપરકોટ ને ઘેરો નાખ્યો પણ ગઢની કાંકરી નો ખરી.
છેવટે રા’ખેંગારના ભત્રીજા,દેશળ અને વિશલ ના ઉપયોગથી સિદ્ધરાજે ઉપરકોટ કબજે કર્યો અને રા’ખેંગાર યુદ્ધમાં કામ આવી ગયા બાદ સતી રાણકદેવીને રથમાં બંધિત કરી, બેસાડી સિદ્ધરાજ હાલતો થાય છે ત્યારે…..
રાણકદેવી ગરવા ગિરનારને ઠપકો દીયે છે.

ગોઝારા ગિરનાર,વળામણ વેરીને કિયો
મરતાં રા’ખેંગાર,તું ખડેડી ને ખાંગો નો થિયો ??

હે ગિરનાર ! રોજ અશ્વ પર સવાર થઈ તારો ખોળો ખૂંદનારો જાતો રિયો…ને તું હજી અડીખમ ઉભો !??
તને શરમ નો આવી ??
પણ ત્યાંતો ગિરનારના પહાડો ખળભળ્યા…હુડુડ.. હુડુડ…કરતા મોટા મોટા ભેલા માંડ્યા દડવા,ધરતી ઘણેણી…
ને સતીને પસ્તાવો થયો… વળી,કીધું…

મા પડ્ય મુ આધાર,ચોસલા કોણ ચડાવશે ?
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.

હે મહાન પર્વત ! પડતો બંધ થા…. કારણ…
કારણ કે તું હૈશ તો કોક જણ જાત્રાએ આવશે .
તને જોશે ને મારા પતિને યાદ કરશે.
એમ કહેતા તો ગિરનારના પડતા વિશાળ પથ્થરો અટકી ગયા.બહુ મોટો પથ્થર સાવ જાણે ટીંગાઈ રહ્યો હોય એમ અટકી રહ્યો છે.જે સતીના સતને આધારે રહ્યો છે.ત્યાં યાદી રૂપે સતી રાણકદેવી ના હાથના પંજા નું ચિહ્નન છે.એ સ્થળને રાણકના થાપા તરીકે ઓળખવામાં આવે છે.
પછીતો વઢવાણ ભોગાવો નદીના કાંઠે જાતાં રાણકદેવી સતી થયા.ત્યાં સતીનું મંદિર છે.

——————
તમને થશે કે કાંસકો જોઈને જૂનાગઢનો આ ઇતિહાસ કેમ યાદ આવ્યો.?
હવે કાંસકાની વાત.(મારા વિચાર અને મારી શૈલીમાં)
છવ્વીસ વર્ષ પહેલાં મને હિના તરફથી ભેટ મળેલો આ દાંતીયો આજે એવોને એવો સરસ મજાનો જોવા મળ્યો.એટલે મેં એને દુહો કીધો.

ઘણો વખતરો ઘાટ,( જોને)કાંસકડા તુને કિયો
સર પર થાતાં સપાટ,તું પડીને પાંખો નો થિયો ??

હે દાંતીયા !! ઘણા સમય સુધી તેં ભાલના વાળમાં કેટલાય ઘાટ કર્યા..ઘડીક આનિકોર્ય પેંથો પાડ્યો…ઘડીક ઓલિકોર્ય પેંથી પાડી.ક્યારેક અનિલ કપૂર જેવી સટાઇલ કરી દીધી..ક્યારેક અમોલ પાલેકર ટાઈપ ઓળી દીધા..
ને હવે જ્યારે એના માથે ટાલ પડી ગઈ…કોક કોક ગણ્યા ગાંઠ્યા તવણા રહ્યા…ત્યારે હજી તારા દાંતા કેમ ઈમનાન છે?.તને શરમ નો આવી ??
ત્યાંતો આકાશમાં કડાકો થયો.
દાંતા ખરવા માંડ્યા…
એક……બે……ને ત્રણ દાંતા ખર્યા ત્યાં મને એમ થયું કે જો આમનામ બધા દાંતા ખરી જાહે તો આ દાંતીયો ઢુંઢીયાની રાંપ જેખો દેખાશે…ટૂંકમાં દયા આવી.
ને બીજો દુહો કીધો.

તું ખરવાનું ટાળ,ક્યાં ક્યાં નજરું ખોળશે?
(મારા) વૈ ગ્યા ભલેને વાળ,હશે વાળ ઈ હોળશે.

એમ કહેતા તો કાંસકાના ઝીણા ઝીણા દાંતા ખરતા અટકી ગયા.
બસ અહીં કાંસકાની વાત પુરી.
-હિતેશ ભાલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

● *तीन दोस्त भंडारे में भोजन कर रहे थे। उनमें से…*
● *पहला बोला*- “काश.. हम भी ऐसे भंडारा कर पाते!”
● *दूसरा बोला*- “हाँ.. यार सैलरी तो आने से पहले ही जाने के रास्ते बना लेती है!”
● *तीसरा बोला-* “खर्चे.. इतने सारे होते हैं तो कहाँ से करें भंडारा..!!”
● *उनके पास बैठे एक महात्मा भंडारे का आनंद ले रहे थे और वो उन तीनों दोस्तों की बातें भी सुन रहे थे।*
*महात्मा उन तीनों से बोले-*

“बेटा भंडारा करने के लिए #धन_नहीं_केवल_अच्छे_मन_की जरूरत होती है!”

● वह तीनों आश्चर्यचकित होकर महात्मा की ओर देखने लगे।
महात्मा ने सभी की उत्सुकता को देखकर हंसते
हुए कहा — बच्चो तुम..

रोज़ 5-10 ग्राम आटा लो और उसे चीटियों के स्थान पर खाने के लिए रख दो, देखना अनेकों चींटियां-मकौड़े उसे खुश होकर खाएँगे। *#बस_हो_गया_भंडारा।*

चावल-दाल के कुछ दाने लो, उसे अपनी छत पर बिखेर दो और एक कटोरे में पानी भर कर रख दो, चिड़िया-कबूतर आकर खाएंगे। *#बस_हो_गया_भंडारा।*

गाय और कुत्ते को रोज़ एक-एक रोटी खिलाओ और घर के बाहर उनके पीने के लिये पानी भर कर रख दो।
*#बस_हो_गया_भंडारा।*

● ईश्वर ने सभी के लिए अन्न का प्रबंध किया है।
ये जो तुम और मैं यहां बैठकर पूड़ी-सब्जी का आनंद ले रहे हैं ना, इस अन्न पर ईश्वर ने हमारा नाम लिखा हुआ है।

● बच्चो..!! तुम भी जीव-जन्तुओं के भोजन का प्रबन्ध करने के लिए जो भी व्यवस्था करोगे, वह भी उस ऊपर वाले की इच्छा से ही होगा.
*#यही_तो_है_भंडारा।*

● *महात्मा बोले*- बच्चो जाने कौन कहाँ से आ रहा है और कौन कहाँ जा रहा है, किसी को भी पता नहीं
होता और ना ही किसको कहाँ से क्या मिलेगा या नहीं
मिलेगा यह पता होता, #बस_सब_ईश्वर_की_माया_है।

● तीनों युवकों के चेहरे पर एक अच्छी सुकून देने वाली
खुशी छा गई।

उन्हें भंडारा खाने के साथ-साथ, #भंडारा_करने_का_रास्ता भी मिल चुका था।

● ईश्वर के बनाये प्रत्येक जीव-जंतु को भोजन देने के ईश्वरीय कार्य को जनकल्याण भाव से निस्वार्थ करने का संस्कार हमें बाल्यकाल से ही मिल जाता है।
*गर्व_है_हमें_अपनी_ संस्कृति_पर !*


🙏🏻🙏🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

100 કામ પડતા મૂકીને આ 4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે.


ચાર મિત્રોએ નિર્ણય લીધો કે 40 વર્ષ પછી મળીશું, આ દરમિયાન જે થયું તે જાણીને આંખો ભીની થઈ જશે.

સ્કૂલના ચાર નજીકના મિત્રોની આંખો ભીની કરવાવાળી સ્ટોરી છે, જેમણે એક જ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.

એ સમયે શહેરમાં એકમાત્ર લક્ઝરીયસ હોટલ હતી. ધોરણ 12 ની પરીક્ષા પછી તેમણે નક્કી કર્યું કે આપણે તે હોટલમાં જઈને ચા-નાસ્તો કરવો જોઈએ.

એ ચારે જણે મહામહેનતે ચાલીસ રૂપિયા જમા કર્યા. રવિવારનો દિવસ હતો, અને સાડા દશ વાગે તે ચારે સાઇકલ લઈને હોટલ પહોંચ્યા. સીતારામ, જયરામ, રામચંદ્વ અને રવિશરણ ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

તે ચારેય જણાએ મળીને સર્વસંમતિથી નિર્ણય કર્યો કે 40 વર્ષ પછી આપણે પહેલી એપ્રિલે આ જ હોટલમાં ફરી મળશું. ત્યાં સુધી આપણે બધાએ ઘણી મહેનત કરવી જોઈએ. અને એ જોવું ઘણું રસપ્રદ હશે કે કોની કેટલી પ્રગતિ થઈ?

જે મિત્ર તે દિવસે છેલ્લે હોટલમાં આવશે તેણે તે સમયનું હોટલનું બિલ આપવું પડશે.

ચા નાસ્તો પીરસવાવાળો વેટર કાલુ આ બધું સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું કે જો હું અહીં રહ્યો, તો હું આ હોટલમાં તમારા બધાની રાહ જોઇશ. એ પછી આગળના અભ્યાસ માટે ચારેય જણ અલગ અલગ થઈ ગયા.

સીતારામ શહેર છોડીને આગળના અભ્યાસ માટે તેના ફુવા પાસે ગયો, જયરામ આગળના અભ્યાસ માટે તેના કાકા પાસે ગયો, રામચંદ્ર અને રવિશરણને શહેરની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ મળ્યો. છેલ્લે રામચંદ્ર પણ શહેર છોડી ચાલ્યો ગયો.

દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા. 40 વર્ષમાં તે શહેરમાં આમૂલ પરિવર્તન આવ્યું, શહેરની વસ્તી વધી, રસ્તાઓ, ફ્લાયઓવરોએ મહાનગરનો દેખાવ બદલી નાખ્યો.

હવે એ હોટેલ ફાઈવ સ્ટાર હોટેલ બની ગઈ હતી. પેલો વેઈટર કાલુ હવે કાલુ શેઠ બની ગયો હતો અને આ હોટેલનો માલિક બની ગયો. 40 વર્ષ પછી, નક્કી કરેલી તારીખ, 01 એપ્રિલના રોજ બપોરના સમયે, એક લક્ઝરી કાર હોટલના દરવાજે આવી. સીતારામ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યો. સીતારામ પાસે હવે ત્રણ જ્વેલરી શોરૂમ છે.

સીતારામ હોટલના માલિક કાલુ શેઠ પાસે પહોંચ્યો, બંને એકબીજાને જોતા જ રહ્યા. કાલુ શેઠે કહ્યું કે રવિશરણ સાહેબે તમારા માટે એક મહિના પહેલા એક ટેબલ બુક કરાવ્યું હતું.

સીતારામ મનમાં ને મનમાં ખુશ થતો કે એ સૌથી પહેલો આવ્યો છે, તેથી તેણે આજનું બિલ આપવું નહી પડે, અને તે સૌથી પહેલા આવવાને કારણે પોતાના મિત્રોની મજાક ઉડાડશે.

એક કલાકમાં જયરામ આવ્યો, જયરામ શહેરનો મોટો રાજકારણી અને બિઝનેસમેન બની ગયો હતો. હવે બંને જણા વાતો કરી રહ્યા હતા અને બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા, ત્રીજો મિત્ર રામચંદ્ર અડધા કલાકમાં આવી ગયો. તેની સાથે વાત કરતાં બંનેને ખબર પડી કે રામચંદ્ર બિઝનેસમેન બની ગયો છે.

ત્રણેય મિત્રોની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી કે રવિશરણ ક્યારે આવશે? આ પછી કાલુ શેઠે કહ્યું કે – રવિશરણ સાહેબનો મેસેજ આવ્યો છે, તમે લોકો ચા-નાસ્તો શરૂ કરો, હું આવું છું.

ત્રણેય જણા 40 વર્ષ પછી એકબીજાને મળીને ખુશ હતા. કલાકો સુધી મજાક ચાલી, પણ રવિશરણ આવ્યો નહિ. કાલુ શેઠે કહ્યું કે ફરી રવિશરણ સરનો મેસેજ આવ્યો છે, તમે ત્રણેય તમારું મનપસંદ મેનુ પસંદ કરીને ખાવાનું શરૂ કરો.

જમ્યા પછી પણ રવિશરણ દેખાયો નહીં. બિલ માગતાં જ ત્રણેયને જવાબ મળ્યો કે ઓનલાઈન બિલ ચૂકવાઈ ગયું છે.

સાંજના આઠ વાગે એક યુવક કારમાંથી નીચે ઉતર્યો અને ભારે હૈયે જવાની તૈયારી કરતા ત્રણેય મિત્રો પાસે પહોંચ્યો. ત્રણેય તે માણસને જોતા જ રહ્યા.

યુવક બોલવા લાગ્યો, હું તારા મિત્રનો દીકરો યશવર્ધન છું, મારા પિતાનું નામ રવિશરણ છે. પપ્પાએ મને આજે તમારા આવવા વિશે કહ્યું હતું, તેઓ આ દિવસની રાહ જોતા હતા, પરંતુ ગયા મહિને એક ગંભીર બીમારીને કારણે તેમનું અ-વ-સા-ન થઈ ગયું.

તેઓએ મને તમને લોકોને મોડેથી મળવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તું વહેલો નીકળીશ, તો તેઓ ઉદાસ થશે, કારણ કે મારા મિત્રો જ્યારે જાણશે કે હું આ દુનિયામાં નથી રહ્યો તો તેઓ મસ્તી નહીં કરે, અને તેઓ એકબીજાને મળવાનો આનંદ ખોઈ બેસસે. તેથી તેમણે મને મોડા આવવાનો આદેશ આપ્યો હતો. તેમણે મને તેમના વતી તમને ગળે મળવાનું પણ કહ્યું.

એ પછી યશવર્ધને તેના બંને હાથ ફેલાવ્યા. આજુબાજુના લોકો ઉત્સુકતાથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓએ આ યુવકને ક્યાંક જોયો છે. પછી યશવર્ધને કહ્યું કે, મારા પિતા શિક્ષક બન્યા અને ભણાવીને મને કલેક્ટર બનાવ્યો. આજે હું આ શહેરનો કલેક્ટર છું.

બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કાલુ શેઠે કહ્યું કે હવે 40 વર્ષ પછી નહીં, પરંતુ દર 40 દિવસે આપણે આપણી હોટેલમાં વારંવાર મળીશું, અને દરેક વખતે મારી તરફથી એક ભવ્ય પાર્ટી હશે.

તમારા મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓને મળતા રહો. તમારા પ્રિયજનોને મળવા માટે વર્ષો સુધી રાહ ન જુઓ. કોણ જાણે ક્યારે કોઈનાથી અલગ થવાનો સમય આવી જાય અને આપણને ખબર પણ ન પડે.

કદાચ આપણું પણ એવું જ છે. આપણે આપણા કેટલાક મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ વગેરે સંદેશાઓ મોકલીને જીવતા હોવાનો પુરાવો આપીએ છીએ. જીવન પણ એક ટ્રેન જેવું છે, જ્યારે સ્ટેશન આવશે ત્યારે ઉતરી જવું પડશે. અને રહી જશે તો માત્ર ઝાંખી યાદો.

તો પરિવાર સાથે રહો, અને જીવતા હોવાનો આનંદ અનુભવો. માત્ર હોળી કે દિવાળીના દિવસે જ નહીં, પરંતુ અન્ય તમામ પ્રસંગોએ અથવા દરરોજ મળો ત્યારે એકબીજાને ભેટો તો તમારી મિત્રતા વધુ મજબૂત થશે.

આ સ્ટોરી અન્ય ગ્રુપની સાથે સાથે તમારા સંબંધીઓ, મિત્રો અને પરિચિતો સાથે પણ ચોક્કસ શેર કરજો.

બળદેવપરી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक हसीन लडकीराजा के दरबार मेंडांस कर रही थी…


एक हसीन लडकी
राजा के दरबार में
डांस कर रही थी…

( राजा बहुत बदसुरत था )

लडकी ने राजा से एक
सवाल की इजाजत मांगी
.
राजा ने कहा ,
” चलो पुछो .”
.
लडकी ने कहा ,
“जब हुस्न बंट रहा था
तब आप कहां थे..??
.
राजा ने गुस्सा नही किया
बल्कि
मुस्कुराते हुवे कहा
~ जब तुम हुस्न की
लाइन् में खडी
हुस्न ले रही थी , ~
.
~ तो में
किस्मत की लाइन में खडा
किस्मत ले रहा था
.
और आज
तुझ जैसीे हुस्न वालीयां
मेरी गुलाम की तरह
नाच रही है………..
.
इसलीय शायर खुब कहते है,
.
” हुस्न ना मांग
नसीब मांग ए दोस्त ,

   हुस्न   वाले   तो
  अक्सर   नसीब   वालों  के
  गुलाम   हुआ   करते   है...

  " जो   भाग्य   में   है , 
    वह   भाग   कर  आएगा,

     जो   नहीं   है , 
     वह   आकर   भी 
     भाग   जाएगा....!!!!!."

यहाँ सब कुछ बिकता है ,
दोस्तों रहना जरा संभाल के,

बेचने वाले हवा भी बेच देते है,
गुब्बारों में डाल के,

    सच   बिकता   है , 
    झूट   बिकता   है,
   बिकती   है   हर   कहानी,

   तीनों  लोक  में  फेला  है ,
   फिर   भी   बिकता   है 
   बोतल  में  पानी ,

कभी फूलों की तरह मत जीना,
जिस दिन खिलोगे ,
टूट कर बिखर्र जाओगे ,
जीना है तो
पत्थर की तरह जियो ;
जिस दिन तराशे गए ,
” भगवान ” बन जाओगे…!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અનુભવના ઓટલેથી.


✒️ અનુભવના ઓટલેથી.

ઘણા સમય પહેલાની વાત છે. હું અમદાવાદમાં ઓટોથી નરોડા રીલાયન્સમાં (વિમલમાં) જઈ રહ્યો હતો (ત્યારે હું વિમલનો ઓથોરાઇઝ્ડ ડિલર હતો). ઓટોવાળો ખૂબ આરામથી ઓટો ચલાવી રહ્યો હતો. ત્યારે એક કાર અચાનક જ પાર્કિંગમાંથી રોડ ઉપર આવી ગઈ. સમય સૂચકતાથી ઓટોવાળાએ ઝડપથી બ્રેક મારી ઓટોવાળાને જ ખરી-ખોટી સંભળાવા લાગ્યો, જ્યારે કે વાંક કાર ડ્રાઇવરનો જ હતો. ઓટોવાળાએ કાર ડ્રાઇવર પર ગુસ્સો ન કર્યો અને સૉરી બોલીને આગળ વધી ગયો. મને કાર ડ્રાઇવરના વ્યવહાર ઉપર ગુસ્સો આવી રહ્યો હતો અને મેં ઓટોવાળાને પૂછ્યુ; “તે કાર ડ્રાઇવરને કંઈ કહ્યા વિના જ કેમ જવા દીધો ? તેણે તને ખરી ખોટી સંભળાવી જ્યારે વાંક તો તેનો હતો”.

“સાહેબ આપણું નસીબ સારું છે નહીં તો એના કારણે આપણે અત્યારે હોસ્પિટલ ભેગા થઈ ગયા હોત”. ઓટો ડ્રાઇવરે આગળ કહ્યુ; “સાહેબ, ઘણા લોકો ગાર્બેઝ ટ્રક (કચરાની વેન) ની જેમ હોય છે. તે ઘણો બધો કચરો પોતાના મગજમાં ભરી રાખે છે. જે વસ્તુઓ જીવનમાં કોઈ કામની નથી હોતી તેને મહેનત કરીને ભેગા કરતા રહે છે. જેમ કે ગુસ્સો, નફરત, ચિંતા, નિરાશા, વગેરે. જ્યારે તેમના મગજમાં કચરો ખૂબ વધુ થઈ જાય છે તો તે પોતાનો ભાર હળવો કરવા માટે તેને બીજા ઉપર ફેંકવાનો મોકો શોધવા લાગે છે. એટલે હું આવા લોકો સાથે અંતર બનાવીને રાખું છું અને તેમને દૂરથી જ હસીને અલવિદા કહી દઉં છું. કારણ કે જો એના જેવા લોકો દ્વારા ફેંકેલો કચરો મેં સ્વીકાર કરી લીધો તો હું પણ એક ગાર્બેજ ટ્રક બની જઇશ અને પોતાની સાથે-સાથે આજુબાજુના લોકો ઉપર પણ કચરો ફેંકતો રહીશ. મારું માનવું છે કે જીવન ખૂબ સુંદર છે એટલે જે આપણી સાથે સારો વ્યવહાર કરે તેમનો આભાર માનો અને જે આપણી સાથે સારો વ્યવહાર ન કરે તેને હસીને માફ કરી દો. આપણે કાયમ એ યાદ રાખવું જોઈએ કે બધા માનસિક રોગી માત્ર હોસ્પિટલમાં જ નથી રહેતા. કેટલાક આપણી આજુબાજુ ખુલ્લામાં પણ ફરતા રહે છે.

લાઇફ મેનેજમેન્ટ

જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે. એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપો આપ પોતાની જગ્યા બનાવી લે છે.

બીજો નિયમ છે કે જેની પાસે જે હોય છે તે એ જ વેંચે છે. સુખી સુખ, દુઃખી દુઃખ, જ્ઞાની જ્ઞાન, ભ્રમિત ભ્રમ અને ભયભીત ભય જ વેંચે છે. અસંસ્કારી એના અસંસ્કારોનુ પ્રદર્શન કરતા રહે છે અને બાંટતા રહે છે.

શોપીંગ મોલ અને દુકાનમાં જઇએ ત્યારે શું ખરીદવું તે આપણો અબાધિત અધિકાર છે. બસ આ રીતે જ આમાંથી શું ગ્રહણ કરવું તે પણ આપણો અબાધિત અધિકાર છે.

મન ભરીને જીવીએ તો જ જીવન તણો આનંદ માણી શકાય, મનમાં ભરીને ગાર્બેઝ ટ્રકની જેમ રહીને જીવનમાં આનંદ ક્યાંથી માણી શકાય ?

રોહિત પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક સાચો કલાકાર


Rohit Patel,
👉🏻 એક સાચો કલાકાર

1961 ની વાત છે..શિહોરમાં શ્રી ‘હેમુભાઇ ગઢવી’ નો જાહેર કાર્યક્રમ હતો..આજુબાજુંના પંદર ગામના લોકોને હેમુભાઇ ગઢવીએ.. મુળુભા બંકડા..નાછડીયા હથિયાર..શિવાજી નું હાલરડુ..રાંકનુ રતન..ચેલૈયાનું હાલરડું..આવા લોકગીતો રાસડા.. અને લોકસાહિત્યની વાતોથી પ્રસન્ન કર્યા..

સવારમાં રાજકોટ જવા નીકળ્યા..હેમુભાઇની સાથે એના એક મિત્ર હતા..
એમને હેમુભાઇએ કહ્યું..
“ભાઇ..આ બાજું આવ્યા છીએ તો મારી એક બહેન આ બાજું રહે છે એને મળતા જઇએ..”
મિત્ર અંગત હતા એને ખબર હતી કે હેમું ભાઇની કોઇ બહેન આ બાજું નથી..પણ છતાં કોઇક કાકા-મામાની દીકરી હશે..એવું વિચારી મિત્ર સાથે ચાલ્યા..બસમાં બેઠા…કાઠિયાવાડના ઢસા ગામની નજીકના એક ગામમાં ઉતર્યા..મિત્રએ કહ્યુ “બેન નું ગામ આવી ગયું…?”
હેમુંભાઇએ કહ્યું..”ના”
ત્યાર પછી પાંચેક કિલોમીટર જેટલો પગપાળા ધુળિયો રસ્તો કાપીને આ બંને મિત્રો..સાવ અંતરિયાળ એવા એક નાનકડા ગામમાં પ્રવેશ્યા..ગામનાં પાદરમાં જઇ બેઠેલા લોકોને હેમુંભાઇએ પૂછ્યું…”ભાઇ આ ગામમાં એક ધનીબેન રહે છે..?”
“હા ભાઇ તમે એના સગા છો..?”
“હા મારી બેન થાય..હું એનો ભાઇ છું”
“સારું…ભાઇ ધનીબેન એક વિધવા બાઇ છે
પરગામ થી રે’વા આવી છે…છોકરા આહીં આવ તો…!! મે’માનને ધનીબેનનું ઘર બતાવી આવ્ય..”
છોકરો આગળ થયો…ગામમાં દાખલ થતાં એક સાવ તુટલી ફુટલી ખડકી આવી..મકાનના અર્ધા છાપરામાં દેશી નળિયા હતાં અર્ધુ છાપરું ઉજ્જડ હતું..ગાર માટીની દિવાલોના ગામડામાં ગરીબી સમાતી નહોતી..નાના બાળકો ફળિયામાં રમતા હતા..એને હેમું ભાઇએ પુછ્યું..”બેટા..તારા બા ક્યા છે..?”
“ઈ..મારી બા..રોટલા ઘડે..”
“બા..મેમાન આવ્યા..”
અને જેની સાડીમાં ભાતેભાતે થીંગડા ‘ને સાક્ષાત ગરીબીએ સ્વરુપ ધારણ કર્યુ હોય એવી એક બાઇ બહાર આવી..
“કોણ..?”
“હું હેમુ ગઢવી”
બાઇ આગળ આવી..દુ:ખણાં લીધા..
ચા બનાવી..પીધી..
અને હેમુ ભાઇએ ખીસ્સામાંથી પાંચસો જેટલા રૂપિયા કાઢ્યા..અને પેલી બાઇને આપ્યા…
“લ્યો બેન અટાણે આટલા રૂપિયા મારી પાસે છે..પણ,વિશેષ સગવડ થશે તો પાછો આવીશ..”
આંખમાં આંસું સાથે પેલી ગરીબ બાઇએ રૂપિયા લીધા..અને બંને મિત્રોએ વિદાય લીધી…પણ રસ્તે ચડ્યા પછી હેમુભાઇના મિત્રએ પુછ્યું..
.”તમારા આ બેન ને હું ઓળખતો નથી..”
મરક મરક હસતા રુડામોઢા વાળા..હેમુંભાઇ બોલ્યા..
“હું પણ નથી ઓળખતો…!!”
અચંબો પામી ને મિત્ર એ કહ્યું…”તો પછી આ રૂપિયા…?”
અને હેમું ભાઇ એ જે વાત કરી એ આજના તમામ કલાકારોને પ્રેરણા આપે એવી હતી..
“ભાઇ..આકાશવાણી ઉપર મારા પ્રોગ્રામ આવે એ આ બેનના બાળકો સાંભળે અને પુછે…..’બા..! આ કોણ ગાય..?’
એ બેન કહે..’બેટા તારા હેમુંમામા ગાય છે..
અને એક દિવસ આ બેનના મોટા દીકરાએ આકાશવાણીના સરનામે..ત્રાંગા બાંગા અક્ષરોમાં પત્ર લખ્યો..

મારા હેમુ મામાને માલુમ થાય..કે મારા બાપું મરી ગયા છે મારી બા મજુરી કરે છે અમને થાય એટલું ખાવાનું નથી મળતું..તો તમે પૈસા મોકલજો..’
એ કાગળ મે વાંચ્યો..
અને ગામનું સરનામું લીધું..
આજ પ્રોગ્રામ ‘ને પૈસા મળ્યા..
એ બેનને આપ્યા…
હું એ છોકરાનો મામો…
અને તું હવે મારો મામા થા..
ને,આપણી બેની રાજકોટની ટીકીટ કપાવી લે..!!”

આને કહેવાય..એક સાચો કલાકાર..
‘ચડશે ઘટા ઘનઘોર..
ગગને મેઘજળ વરસાવસે..
અને નીલવર્ણી ઓઢણી ધરા સર પર ધારશે..
ગહેકાટ થાતા મોરઘન..
અને પીયુંજન પોકારશે..
તે વખત આ ગુજરાત ને..
ઓલ્યો..યાદ ‘હેમુ’ આવશે..

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક બાળક હતો. નામ એનું વરદરાજ


Dineshbhai Vyas:
એક બાળક હતો. નામ એનું વરદરાજ. પાંચ વરસનો થયો એટલે પિતાએ તેને ભણવા માટે ગુરુના આશ્રમમાં મોકલ્યો. આશ્રમમાં વરદરાજના જેવાં ઘણાં બાળકો હતાં. આશ્રમમાં તો ભણવાની સાથે વિદ્યાર્થીને ગુરુનાં કેટલાંક કામ પણ કરવાં પડે, સવારે વહેલાં ઊઠવું પડે. ગાયો દોહવી પડે. આશ્રમ વાળી ને સાફસૂફ કરવો પડે, છોડવાઓને પાણી પાવું પડે. ગાયો ચરાવવા જવું પડે. બીજા વિદ્યાર્થીઓની સાથે સાથે વરદરાજ પણં ભણવા લાગ્યો.

આશ્રમમાં વૃક્ષની ફરતે ઓટલા પર ગુરુજી બેસે સામે જમીન પર પલાંઠી વાળી શિષ્યો બેસે. ગુરુ શ્લોકો બોલે, શિષ્યો તે શ્લોકો દોહરાવે. ગુરુ તેનો અર્થ સમજાવે. આમ ગુરુ-શિષ્ય વચ્ચે વિદ્યાનું આદાન-પ્રદાન ચાલે. તે સમયે આજના જેવાં લેખનનાં સાધનો વિકસ્યાં ન હતાં. જે કંઈ શીખવું હોય તે મુખપાઠ કરવું પડે. વરદરાજ આશ્રમમાં બધાં કામ મન દઈને કરે. ગુરુજીને તે ગમે, પરંતુ વરદરાજ મંદબુદ્ધિનો હતો. તેને શ્લોક યાદ ન રહે.

તેની સાથે ભણનારા મિત્રો આગળ વધી ગયા. વરદરાજ ભણવામાં ખૂબ પાછળ પડી ગયો. બીજા શિષ્યો વરદરાજની મશ્કરી કરતા. કોઈ કહે, ‘જ્યારે બ્રહ્મા બુદ્ધિ વહેંચતાં હશે ત્યારે વરદરાજ ગાયો ચરાવવા ગયો હશે.’ બીજા શિષ્યો કહે, “ના ના, ગાયો ચરાવવા નહિ, પણ ઊંઘી ગયો હશે.’ સૌ હસી પડે બિચારો વરદરાજ! સૌના ટોણા મૂંગે મોએ ખમી લે. તેને મનમાં તો થાય કે મશ્કરી કરનારની ચોટી જ ખેંચી લઉં, પણ ગુરુજીની બીક લાગે. એક દિવસ ગુરુજીએ વરદરાજને બોલાવ્યો.

મનમાં વિચાર કરતો વરદરાજ ગુરુજી પાસે ગયો. ગુરુજીને વંદન કરી ઊભો રહ્યો. ગુરુજી કહે, “વત્સ વરદરાજ! આમ મને લાગે છે કે તારા નસીબમાં વિદ્યા ભણવાનું નહિ લખ્યું હોય. એમ કર, ઘેર જા અને કોઈ વ્યવસાયમાં ચિત્ત પરોવ. વરદરાજના પિતા મોટા વિદ્વાન હતા. પિતા વિદ્વાન ને પુત્ર જડભરત! આ કેવી વાત! જો એ નહીં ભણે ને ઘેર જાય તો તો પિતાજી ગુસ્સે થાય. હવે શું કરવું? વરદરાજે આખી રાત ખૂબ વિચાર કર્યો.

જો તે ઘેર ન જાય તો માતા-પિતા ચિંતા કરે. આશ્રમમાં હવે રહેવાનો કશો અર્થ ન હતો. સવાર પડી. વરદરાજે ઘેર જવાની તૈયારી કરી લીધી. તે ગુરુજીને પગે પડી ચાલી નીકળ્યો. તેને રસ્તામાં ભૂખ લાગે તો ખાવા માટે ગુરુજીએ થોડું ભાથું બાંધી દીધું હતું. વરદરાજ આગળ ને આગળ ચાલતો ચાલતો જ રહ્યો. સૂરજ માથા પર આવ્યો. તે ભૂખ્યો ને તરસ્યો થયો.

તેને થયું કે ક્યાંક કૂવો આવે ત્યાં ભોજન કરવા બેસું. આગળ જતાં એક ગામ આવ્યું. ગામને પાદર કૂવો હતો. વરદરાજ એક ઝાડના છાંયડે ભાથું છોડીને ખાવા બેઠો. ભરપેટ ખાઈને તે કૂવા પર પાણી પીવા ગયો. કૂવા પર બે-ત્રણ પનિહારીઓ પાણી સીંચતી હતી. વરદરાજ કૂવાનું નિરીક્ષણ કરવા લાગ્યો.

તેણે જોયું તો કૂવાની ધાર પર પથ્થરમાં કાપા પડી ગયા હતા. તેને ‘ મનમાં સવાલ થયો. આ પથ્થર પર આવી ઘીસીઓ કોણે ‘ પાડી હશે? શા માટે પડી હશે? પથ્થરમાં તે ખાડા પડે? પાણી પીને તેણે પનિહારીઓને આ પ્રશ્ન પૂછ્યો. તેનો પ્રશ્ન સાંભળી પનિહારીઓ ખી…ખી.. કરતી હસી પડી. એક જણી બોલી, ‘ભાઈ, તમારામાં બુદ્ધિ નથી કે શું?

અમે રોજ દોરડાં વડે કૂવામાંથી પાણી સીંચીએ છીએ તે દોરડાના ઘસારાથી આ પથ્થરો ઘસાય છે અને કાપા પડે છે.” પનિહારીઓ તો ચાલી ગઈ, પરંતુ વરદરાજને વિચાર ‘કરતો મૂકતી ગઈ. વરદરાજ તો ઝાડના છાંયડે બેઠો ને ‘વિચાર કરવા લાગ્યો. તેને થયું : વારંવાર ઘસવાથી જો પથ્થર જેવા પથ્થરમાંય ખાડા પડી જતા હોય તો વારંવાર બોલવાથી શ્લોક કેમ યાદ ન રહે?

ગોખવાથી મારા મગજમાંય કેમ છાપ ના પડે? બસ વરદરાજના શરીરમાં, મનમાં ચેતન ઉભરાયું. તે ઉત્સાહથી ઊભો થયો. પોતાને ગામ જવાને બદલે ગુરુજીના આશ્રમ તરફ ઝડપથી ડગ માંડ્યો. સાંજ પડે તે પહેલાં તે આશ્રમમાં પહોંચી ગયો. વરદરાજને પાછો આવેલો જોઈ સૌ નવાઈ પામ્યા.

તે સીધો ગુરુજી પાસે ગયો. ગુરુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી બોલ્યો, ‘ગુરુદેવ, ભણવાનો મંત્ર મને જડી ગયો છે. હવે હું ધ્યાન દઈ ભણીશ. હવે જો ન ભણી શકું તો મને ઘેર કાઢી મૂકજો. મને એક તક આપો.’ ગુરુજી વરદરાજના શબ્દોમાં રહેલી તાકાત પામી ગયા.

તેમને થયું કે વરદરાજને એક તક આપવી જોઈએ. તેઓ બોલ્યા, “ભલે વત્સ, થોડા દિવસ પ્રયત્ન કરી જો.’ પછી તો વરદરાજ ચિત્ત દઈને ભણવા લાગ્યો. તેની ઊંઘ હવે હરામ થઈ ગઈ હતી. હાલતાં-ચાલતાં, કામ કરતાં બેસતાં-ઊઠતાં, જાગતાં-ઊંઘતાં બસ એક જ કામ અધ્યયન કરતો જ રહ્યો.

પહેલાં જે શ્લોક તેને પર્વત પર ચઢવા જેવા કઠિન ભાસતા હતા તે હવે સાવ સરળ દેખાવા લાગ્યા. વરદરાજ પર મા સરસ્વતીની કૃપા થઈ. હવે આશ્રમમાં કોઈ વરદરાજની મશ્કરી કરતું ન હતું. દિવસે દિવસે વરદરાજ તેજસ્વી થવા લાગ્યો. ગુરુજી પણ હવે તેની ગણના તેજસ્વી શિષ્યોમાં કરવા લાગ્યા..

વરદરાજ ભણીગણીને મોટો પંડિત થયો. દેવગિરિ રાજપના રાજા મહાદેવના દરબારમાં તે મહાપંડિત તરીકે બિરાજમાન થયો. તે હવે પંડિત બોપદેવ તરીકે જાણીતો થયો. વિદ્યાનું તેજ વર્તાવા લાગ્યું તેના ચહેરા પર.
તમે પણ વરદરાજ જેવા મહાન થઈ શકો છો. વરદરાજના જીવન પરથી કહી શકાય કે પથ્થર પણ જો ઘસાતો હોય તો આપણી બુદ્ધિ ઘસી ને કેમ શક્તિશાળી ના બનાવી શકાય.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક નાનકડી સુંદર ઝેન વાર્તા છે


“એકબીજાને ગમતાં રહીએ”માંથી
✍️ કાજલ ઓઝા વૈધ
એક નાનકડી સુંદર ઝેન વાર્તા છે. એક છોકરો રોજેરોજ એક લાઈબ્રેરીમાં જતો અને
એક પુસ્તક પોતાની સાથે લઈ જતો. લાઈબ્રેરીમાં જે છોકરી કામ કરતી હતી એને આ છોકરો
ખુબ પ્રેમ કરતો પણ એને કહી શકતો નહી. એ રોજ એને એક પત્ર લખતો પણ પોસ્ટટ કરી
શકતો નહી. દિવસો વીતતા ગયા અને છોકરો અચાનક અકસ્માતમાં ગુજરી ગયો. એના
ખાનામાંથી આ છોકરીને લખેલા બધા જ પત્રો મળ્યા… અને છોકછોકરી ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી કારણ કે એ એને રોજ જે પુસ્તક આપતી એમાં પત્ર મુકતી… છોકરો પુસ્તક વાંચવા નહોતો લઈ જતો, છોકરીને મળવા આવતો હતો… એ પુસ્તક ખોલ્યા વિના જ પાછુ આપી દેતો અને છોકરીનો પત્ર વગર ખોલ્યે બંધ કવરમાં પાછો આવતો.

છોકરી માનતી રહી કે એ એને પ્રેમ નથી કરતો એટલે પત્રો નથી ખોલતો, છોકરો માનતો
રહ્યો કે હું રોજ જાઉં છુ અને પુસ્તક નથી ખોલતો એવી ખબર હોવા છતાં એ કાઈ રિસ્પોન્સ
નથી આપતી એનો અર્થ એ કે એ મને નથી ચાહતી…
સંબંધોમાં આવું જ થતું હોય છે, કદાચ!

તમે ખરેખર વિચારીને એક લીસ્ટ બનાવો તો તમને સમજાશે કે તમે વર્ષોવર્ષ બેલેન્સીટ
તો બનાવો છો, રીટર્ન પણ સમયસર ભરો છો, ટીડીએસ પુરોપુરો કપાયો હોય તો કદાચ
ઇન્કમટેક્ષ રીટર્ન પણ મળી જાય છે તમને… એમાં તમે મોડુ નથી કરતા. માર્ચની ૩૧મી તારીખ
તમને દર વર્ષે બરાબર યાદ રહે છે પણ સંબંધોના હિસાબો કરવાની વાત આવે ત્યારે તમારી
અંદર હમેશા ટાળી દેવાની, મૂકી દેવાની, ફરી ક્યારેક કરવાની અથવા નહી કરવાની વૃતિ જોર
કરે છે.
નજીકમાં નજીકની વ્યક્તિ સાથે પણ ગમા-અણગણા કે સુખ-દુ:ખના હિસાબો કરવાની
વાત આવે ત્યારે પહેલ કોણ કરે એ વિચારે તમે અટકી જાઓ છો. પ્રિય વ્યક્તિને ‘ચાહુ છુ’ કહી
શકતા નથી… જેની સાથે મનદુ:ખ થયું હોય એની સાથે બેસીને ‘સાચી લેવડ-દેવડ’ કરી શકતા
નથી.
અંતે તમારૂ બેલેન્શીટ કોરૂ રહી જાય છે, હિસાબો પૂરા હોવાને કારણે સંવેદનાની
ક્વેરી નીકળે છે, લાગણીઓનાં વાઉચર અધૂરા લાગે છે, તમારા વિથડ્રોઅલની સ્લીપ્સ તમે જમા
કરેલા ચેક કરતા વધારે હોય છે અને હિસાબોનો તાળો મળતો નથી.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ખેડુતે પોતાના ફાર્મ હાઉસ


એક ખેડુતે પોતાના ફાર્મ હાઉસ પર પાઇપનું રીપેરીંગ
કરવા માટે એક પમ્લરને બોલાવ્યો. પમ્લરે આવીને જોયુ
તો ઘણા વર્ષોથી આ ફાર્મ હાઉસબંધ હોય એવું લાગ્યું.
પમ્લરે પાઇપને ખોલવાના ખુબ પ્રયાસ કર્યા પાઇપ
તો ના ખુલ્યો ઉલ્ટાના પમ્લરના પાના-પકડ તુટી ગયા.
પાઇપ કાટી ગયો હતો આથી થોડું વધુ બળ લગાડ્યુ
તો પાઇપ જ તુટી ગયો.
પમ્લરે પોતાનું કામ ચાલુ રાખ્યુ થોડી વાર પછી કામ
કરતા કરતા એના હાથ પર જ હથોડી વાગી એ
ગુસ્સામાં કંઇક બડબડ કરતો રહ્યો અને માંડ માંડ પોતાનું
કામ પુરુ કર્યો. હવે તો એ ખુબ થાકી ગયો હતો અને સાંજ
પણ પડી ગઇ હતી આથી એ ઝડપથી પોતાનો સરસામાન
લઇને પોતાના વાહન પાસે આવ્યો એણે જોયુ
તો પોતાના સ્કુટરમાં પણ પંચર હતું. એણે ફાર્મ
હાઉસના માલીકને પોતાના ઘરે મુકી જવા માટે
વિનંતી કરી એટલે ફાર્મ હાઉસનો માલિક એને
પોતાની કાર લઇને ઘેર મુકવા ગયો.
રસ્તામાં કાર માલિકે જોયુ કે પેલો પમ્લર ખુબ જ
ગુસ્સામાં હતો. આજનો આખો દિવસ એના માટે ખરાબ
રહ્યો હતો એ ગુસ્સામાં કંઇ બોલતો પણ ન હતો પણ
એના ચહેરા પરની તંગ રેખાઓ બતાવતી હતી કે એ ખુબ જ
ગુસ્સામાં છે. પમ્લરનું ઘર આવ્યું એટલે એણે પેલા ખેડુતને
પોતાના ઘરમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. ખેડુતે
નિમંત્રણનો સ્વિકાર કર્યો અને એની સાથે જ
દરવાજામાં પ્રવેશ કર્યો.
ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરે એ પહેલા એ પમ્લર
ફળિયામાં આવેલા એક ઝાડ પાસે ગયો એણે ઝાડને
પ્રેમથી સ્પર્શ કર્યો અને એના ચહેરા પરના ભાવ
બદલાવા લાગ્યા એનુ ગુસ્સો જણે કે અદ્રશ્ય થઇ ગયો અને
ચહેરા પર સ્મિત આવી ગયું. પછી એણે ડોરબેલ
વગાડી દરવાજો ખુલતા જ એ હસતા ચહેરે અંદર
પ્રવેશ્યો અને પોતાના બાળક તથા પત્નિને
પ્રેમથી ભેટ્યો. આ બધુ જોઇને
ખેડુતતો વિચારમાં પડી ગયો. જ્યારે ચા-
પાણી પીધા પછી પમ્લર ખેડુતને એની કાર
સુધી મુકવા આવ્યો આવ્યો ત્યારે એ પમ્લરને પુછ્યા વગર અન
રહી શક્યો કે આ ઝાડમાં એવી તે શું જાદુઇ શક્તિ હતી કે
એને સ્પર્શ કરતા જ
તારા ચહેરા પરનો ગુસ્સો સ્મિતમાં પલટાઇ ગયો ?
પમ્લરે કહ્યુ , “ માલિક , હું કામ પરથી જ્યારે ઘરે આવું છું
ત્યારે મારી સાથે અનેક સમસ્યા અને
પ્રશ્નોના પોટલા પણ લાવું છું. પરંતું મારી આ સમસ્યાઓ કે
પ્રશ્નોની અસર મારા પરિવારના બીજા સભ્યો પર ન
પડે તેની પણ તકેદારી રાખુ છું અને એટલે
ઘરમાં પ્રવેશતા પહેલા મારા તમામ પ્રશ્નો આ ઝાડ પર જ
ટાંગી દઉં છુ અને સવાર સુધી એ પ્રશ્નો પ્રભુના હવાલે
કરી દઉં છું. આનંદની વાત તો એ છે કે જ્યારે સવારે ઝાડ
પર ટાંગેલા મારા પ્રશ્નોનું પોટલું લેવા માટે જાઉં ત્યારે
મોટા ભાગના પ્રશ્નો તો પોટલામાંથી ભાગી પણ
ગયા હોય છે અને ક્યારેક તો પોટલું સાવ ખાલી હોય છે.
મિત્રો એવું નથી લાગતુ કે આપણે પણ આ પમ્લરની જેમ
આપણા પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર જ ટાંગવા માટે
એક નાનો છોડ કે ખીંટીની જરુર છે!!!!!!!!!!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સુદામા દરિદ્ર હોવાનું કારણ


સુદામા દરિદ્ર હોવાનું કારણ

બ્રાહ્મણ માગે અને મગવે, વાક્ય ની ખરી સમજ

સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું/કથાકારો દ્વારા વાંચવા/સાંભળવા મલે છે… કે

સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં

પોતાના બાલ સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ?

આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું

જે દરેકે સમજવું જરૂરી છે

જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ આવે. ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય

સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહું જ મોટી રોચક અને ત્યાગ-પૂર્ણ કથા છે…

એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોશી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી…..

એક સમય એવો આવ્યો કે, તેને પાંચ દિવસ ભિક્ષા ન મળી

તે રોજ પાણી પી ને ભગવાન નું નામ લઇ સૂઇ જતી

છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠી ચણા મલ્યા

પોતાની ઝુંપડી પહોંચતા પહોંચતા રાત થઇ ગઇ

ડોશી એ વિચાર કર્યો કે, આ ચણા અત્યારે નહિ, સવારે ઠાકોરજી ને ભોગ લગાવીને ખઇશ

આવો વિચાર કરી ચણા કપડાં બાંધી રાખી દિધા. અને વાસુદેવનું નામ જપતાં જપતાં સૂઇ ગઇ.

ડોશીના સૂતા પછી એક ચોર ચોરી કરવા માટે તેની ઝુંપડીમાં આવ્યો

ચોરે ચણાંની પોટલી જોઇ સમજ્યો કે આમાં સોના ના સિક્કા બાંધ્યા છે અત: તેને ઉપાડી લિધી.

ચોરનો પગરવ સાંભળી ડોશી જાગી ગઇ. અને બૂમો પાડવા લાગી

બૂમો સાંભળી આજૂબાજૂનાલોકો એકઠાં થઇ ગયા

બધા ચોરને પકડવાં દોડ્યા

ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે પકડાઇ જવાના ભયથી તે સંદીપન મુનિના આશ્રમ માં છુપાઇ ગયો

આ સંદીપન મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા.

ચોરનો પગરવ સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઇ આશ્રમમાં આવ્યું છે

ગુરુમાતા એ પોકાર કર્યો- કોણ છે ?

ગુરુમાતાને પોતાની તરફ આવતાં જોઇ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયો.

આ બાજૂ ભૂખથી વ્યાકુળ ડોશીએ જાણ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ભાગી ગયો છે

તો તેણે શ્રાપ આપ્યો

“મૂજ દીનહીન અસહાયના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે”.

આ બાજૂ આશ્રમમાં ઝાડૂ લગાવતાં સમયે ગુરુમાતાને તે ચણાની પોટલી મળી

ગુરુમાતાએ પોટલી ખોલી ને જોયું તો તેમાં ચણા હતા

તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વિણવા જઇ રહ્યા હતા

ગુરુમાતા એ તે ચણાની પોટલી સુદામાને દેતાં કહ્યું

બેટા ! જ્યારે ભૂખ લાગે તો તમે બન્ને આ ચણા ખાજો

સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા

તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લિધી

બધું રહસ્ય જાણી ગયા

સુદામાએ વિચાર કર્યો

ગુરુમાતા એ કહ્યું છે કે, આ ચણા બન્ને બરાબર વહેંચી ને ખાજો

પણ આ ચણા તો શ્રાપિત છે

જો હું આ ચણા ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે ત્રણે લોક દરિદ્ર થઇ જશે

નહિ-નહિ હું આવું હરગિઝ નહિ થવા દઉં

મારા જીવિત રહેતાં “પ્રભુ” દરિદ્ર થાય !

એવું હું કદાપિ નહિ કરું!

હું આ ચણા ખાઇ જઇશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં !

અને સુદામાએ કૃષ્ણથી છુપાવીને બધા ચણા ખાઇ લિધા

અભિશ્રાપિત ચણા ખાઇને સુદામાએ
દરિદ્રતા વ્હોરી લિધી
પણ પોતાના સખા
શ્રીકૃષ્ણ ને બચાવી લિધા

અદ્રિતીય ત્યાગનું ઉદાહરણ
પ્રસ્તુત કરવા વાહલા સુદામા એ
ચોરી-છુપી ચણા
ખાવાનો અપયશ પણ સહન કર્યો

તો બહું અન્યાયી ગેરસમજણ
દેતી કથાની ખરી હકિકત
સમજાવતાં
ગહન શંકાનું નિવારણ થયું.

હવે ખબર પડી કે કૃષ્ણને પટરાણીઓ કરતાંય રાજ પાટ કરતાંય સુદામો જ કેમ વહાલો હતો ?

એ કાનો કાનુડો તો હતો જ પણ એ યુગપુરુષ પણ હતો

સુદામા ના ત્યાગનો, ઉપકારનો , પ્રેમનો બદલો ચૂકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો

પરમ જ્ઞાની વિદ્વાન વિપ્ર મિત્ર ના પ્રેમ માટે તરસતો રહ્યો, તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો

ઉઘાડા પગે દોટ મૂકી એ દ્વારિકા ના ધણી એ એને છાતી સરસો ચાંપવા માટે તો

પટરાણીઓ સામે એ મેલા ઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ઘોયા લૂછ્યા ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથ એ વિરાટસ્વરુપે

તાંદુલ ચાવીને દરિદ્તા ટાળવા સંકલ્પ બદ્ધ થયા એ સખા કેશવ એ મિત્ર માધવ

મિત્રતા ની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણ એ બધા માપને , પરિમાણને પણ વામણા બનાવી દીધા

જય શ્રીકૃષ્ણ🙏👏🙏

ભરતભાઈ રાઠોડ