Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

भोले भक्त की भक्ति (कहानी)

एक गरीब बालक था जो कि अनाथ था। एक दिन वो बालक एक संत के आश्रम में आया और बोला कि बाबा आप सब का ध्यान रखते है, मेरा इस दुनिया मेँ कोई नही है तो क्या मैँ यहाँ आपके आश्रम में रह सकता हूँ ?

बालक की बात सुनकर संत बोले बेटा तेरा नाम क्या है ? उस बालक ने कहा मेरा कोई नाम नहीँ हैँ।

तब संत ने उस बालक का नाम रामदास रखा और बोले की अब तुम यहीँ आश्रम मेँ रहना। रामदास वही रहने लगा और आश्रम के सारे काम भी करने लगा।

उन संत की आयु 80 वर्ष की हो चुकी थी। एक दिन वो अपने शिष्यो से बोले की मुझे तीर्थ यात्रा पर जाना हैँ तुम मेँ से कौन कौन मेरे मेरे साथ चलेगा और कौन कौन आश्रम मेँ रुकेगा ?

संत की बात सुनकर सारे शिष्य बोले की हम आपके साथ चलेंगे.! क्योँकि उनको पता था की यहाँ आश्रम मेँ रुकेंगे तो सारा काम करना पड़ेगा इसलिये सभी बोले की हम तो आपके साथ तीर्थ यात्रा पर चलेंगे।

अब संत सोच मेँ पड़ गये की किसे साथ ले जाये और किसे नहीँ क्योँकि आश्रम पर किसी का रुकना भी जरुरी था।

बालक रामदास संत के पास आया और बोला बाबा अगर आपको ठीक लगे तो मैँ यहीँ आश्रम पर रुक जाता हूँ।
संत ने कहा ठीक हैँ पर तुझे काम करना पड़ेगा आश्रम की साफ सफाई मे भले ही कमी रह जाये पर ठाकुर जी की सेवा मे कोई कमी मत रखना।

रामदास ने संत से कहा की बाबा मुझे तो ठाकुर जी की सेवा करनी नहीँ आती आप बता दिजिये के ठाकुर जी की सेवा कैसे करनी है ? फिर मैँ कर दूंगा।

संत रामदास को अपने साथ मंदिर ले गये वहाँ उस मंदिर मे राम दरबार की झाँकी थी। श्रीराम जी, सीता जी, लक्ष्मण जी और हनुमान जी थे।

संत ने बालक रामदास को ठाकुर जी की सेवा कैसे करनी है सब सिखा दिया।

रामदास ने गुरु जी से कहा की बाबा मेरा इनसे रिश्ता क्या होगा ये भी बता दो क्योँकि अगर रिश्ता पता चल जाये तो सेवा करने मेँ आनंद आयेगा।

उन संत ने बालक रामदास कहा की तू कहता था ना की मेरा कोई नहीँ हैँ तो आज से ये राम जी और सीता जी तेरे माता-पिता हैँ।

रामदास ने साथ मेँ खड़े लक्ष्मण जी को देखकर कहा अच्छा बाबा और ये जो पास मेँ खड़े है वो कौन है ?

संत ने कहा ये तेरे चाचा जी है और हनुमान जी के लिये कहा की ये तेरे बड़े भैय्या है।

रामदास सब समझ गया और फिर उनकी सेवा करने लगा। संत शिष्योँ के साथ यात्रा पर चले गये।

आज सेवा का पहला दिन था, रामदास ने सुबह उठकर स्नान किया ,आश्रम की साफ़ सफाई की,और भिक्षा माँगकर लाया और फिर भोजन तैयार किया फिर भगवान को भोग लगाने के लिये मंदिर आया।

रामदास ने श्री राम सीता लक्ष्मण और हनुमान जी आगे एक-एक थाली रख दी और बोला अब पहले आप खाओ फिर मैँ भी खाऊँगा।

रामदास को लगा की सच मेँ भगवान बैठकर खायेंगे. पर बहुत देर हो गई रोटी तो वैसी की वैसी थी।

तब बालक रामदास ने सोचा नया नया रिश्ता बना हैँ तो शरमा रहेँ होँगे। रामदास ने पर्दा लगा दिया बाद मेँ खोलकर देखा तब भी खाना वैसे का वैसा पडा था।

अब तो रामदास रोने लगा की मुझसे सेवा मे कोई गलती हो गई इसलिये खाना नहीँ खा रहेँ हैँ !
और ये नहीँ खायेंगे तो मैँ भी नहीँ खाऊँगा और मैँ भूख से मर जाऊँगा..! इसलिये मैँ तो अब पहाड़ से कूदकर ही मर जाऊँगा।

रामदास मरने के लिये निकल जाता है तब भगवान राम जी हनुमान जी को कहते हैँ हनुमान जाओ उस बालक को लेकर आओ और बालक से कहो की हम खाना खाने के लिये तैयार हैँ।

हनुमान जी जाते हैँ और रामदास कूदने ही वाला होता हैँ की हनुमान जी पीछे से पकड़ लेते हैँ और बोलते हैँ क्याँ कर रहे हो?

रामदास कहता हैँ आप कौन ? हनुमान जी कहते है मैँ तेरा भैय्या हूँ इतनी जल्दी भूल गये ?

रामदास कहता है अब आये हो इतनी देर से वहा बोल रहा था की खाना खा लो तब आये नहीँ अब क्योँ आ गये ?

तब हनुमान जी बोले पिता श्री का आदेश हैँ अब हम सब साथ बैठकर खाना खायेँगे। फिर राम जी, सीता जी, लक्ष्मण जी , हनुमान जी साक्षात बैठकर भोजन करते हैँ।

इसी तरह रामदास रोज उनकी सेवा करता और भोजन करता।

सेवा करते 15 दिन हो गये एक दिन रामदास ने सोचा घर मैँ ५ लोग हैं,सारा काम में ही अकेला करता हुँ ,बाकी लोग तो दिन भर घर में आराम करते है.मेरे माँ, बाप ,चाचा ,भाई तो कोई काम नहीँ करते सारे दिन खाते रहते हैँ. मैँ ऐसा नहीँ चलने दूँगा।

रामदास मंदिर जाता हैँ ओर कहता हैँ पिता जी कुछ बात करनी हैँ आपसे।राम जी कहते हैँ बोल बेटा क्या बात हैँ ?

रामदास कहता हैँ की घर में मैं सबसे छोटा हुँ ,और मैं ही सब काम करता हुँ।अब से मैँ अकेले काम नहीँ करुंगा आप सबको भी काम करना पड़ेगा,आप तो बस सारा दिन खाते रहते हो और मैँ काम करता रहता हूँ अब से ऐसा नहीँ होगा।

राम जी कहते हैँ तो फिर बताओ बेटा हमेँ क्या काम करना है?रामदास ने कहा माता जी (सीताजी) अब से रसोई आपके हवाले. और चाचा जी (लक्ष्मणजी) आप घर की साफ़ सफाई करियेगा.

भैय्या जी (हनुमान जी)शरीर से मज़बूत हैं ,जाकर जंगल से लकड़ियाँ लाइयेंगे. पिता जी (रामजी) आप बाज़ार से राशन लाइए और घर पर बैठकर पत्तल बनाओँगे। सबने कहा ठीक हैँ।मैंने बहुत दिन अकेले सब काम किया अब मैं आराम करूँगा.
अब सभी साथ मिलकर काम करते हुऐँ एक परिवार की तरह सब साथ रहने लगेँ।
एक दिन वो संत तीर्थ यात्रा से लौटे तो देखा आश्रम तो शीशे जैसा चमक रहा है, वो बहुत प्रसन्न हुए.मंदिर मेँ गये और देखा की मंदिर से प्रतिमाऐँ गायब हैँ.
संत ने सोचा कहीँ रामदास ने प्रतिमा बेच तो नहीँ दी ? संत ने रामदास को बुलाया और पूछा भगवान कहा गये

रामदास भी अकड़कर बोला की मुझे क्या पता हनुमान भैया जंगल लकड़ी लाने गए होंगे,लखन चाचा झाड़ू पोछा कर रहे होंगे,पिताजी राम पत्तल बन रहे होंगे माता सीता रसोई मेँ काम कर रही होंगी.

संत बोले ये क्या बोल रहा ? रामदास ने कहा बाबा मैँ सच बोल रहा हूँ जब से आप गये हैँ ये चारोँ काम मेँ लगे हुऐँ हैँ।

वो संत भागकर रसोई मेँ गये और सिर्फ एक झलक देखी की सीता जी भोजन बना रही हैँ राम जी पत्तल बना रहे है और फिर वो गायब हो गये और मंदिर मेँ विराजमान हो गये।

संत रामदास के पास गये और बोले आज तुमने मुझे मेरे ठाकुर का दर्शन कराया तू धन्य हैँ। और संत ने रो रो कर रामदास के पैर पकड़ लिये…!

रामदास जैसे भोले,निश्छल भक्तो की भक्ति से विवश होकर भगवान को भी साधारण मनुष्य की तरह जीवन व्यतीत करने आना पड़ता है.
जय श्री राम

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

મુહમ્મદ અલી જીણાની પ્રેમ કહાની પ્રતિનાયક બનવાની પ્રક્રિયા

નોંધ: આ લેખ જીણાને glorify કરવા નહીં પણ નગ્ન સત્ય ઇતિહાસ રજૂ કર્યો છે તમે જે રીતે આનું અર્થઘટન કરવા ઇચ્છો તે રીતે કરી શકો છો.

મુહમ્મદ અલી જીણાનો ઇતિહાસ તેના દાદાથી શરૂ થાય. મુહમ્મદના દાદા પુંજા ઠક્કર એ રાજકોટ પાસે આવેલા મોટી પાનેલીના હતા. તેમણે પોતાના એક મિત્ર જે ખોજા જાતિના હતા તેને પોતાની દુકાન ભાડે આપી હતી. ઘણા લોકો એવું કહે કે તેઓ માછલીનો વેપાર કરતાં તો પાનેલીમાં એવો કોઈ સમુદ્ર નથી કે ત્યાં માછલીનો વેપાર થાય. પરંતુ તેમના મિત્ર જે આવો કોઈ વેપાર તેના કરાચીના સંબંધી સાથે કરતાં હતા એવો ઉલ્લેખ છે અને આવા વ્યક્તિને દુકાન ભાડે આપવાથી અમુક ઈર્ષાળુએ આ વાતનો ફાયદો લઈ પુંજા ઠક્કર નો વિરોધ શરૂ કર્યો. વટમાં ને વટમાં પુંજા ઠક્કરે ખોજા ધર્મ અપનાવી લીધો.

હવે ખોજા અને મેમણ બંને મુસ્લિમો લોહાણામાંથી જ ગયા છે આ ઇતિહાસ પણ જગ જાહેર જ છે. અને સિંધના સામાણી મુસ્લિમ રાજપૂત પણ લોહાણા હતા તેવું ઇતિહાસકાર સી વી વૈદ્ય નોંધ કરે છે.

પરંતુ જે મૂળભૂત રીતે હિન્દુ હોય તે કેવી રીતે અન્ય સંસ્કૃતિને પચાવી શકે. મુહમ્મદ બિન કાસીમના વખતે મજબૂરીમાં ઇસ્લામ અપનાવવો તે અલગ વાત હતી જ્યારે અહી તો પોતાની મરજી થી વાત હતી અને પુંજા ઠક્કર આને મનથી અપનાવી નો શક્યા.

તેઓ હવેલીના બાવાશ્રી પાસે પહોંચ્યા કે મને પાછો હિન્દુ બનાવો અને મારુ શુદ્ધિકરણ કરો પણ બાવાશ્રી એ કહ્યું

‘આ કાંઈ બોડી બામણીનું ખેતર થોડું છે કે ગમે તે મનફાવે ત્યારે વયો જાય અને મનફાવે ત્યારે હાયલો આવે.’

આથી આઘાત પામેલા પુંજા ઠક્કર દુઃખી થઈ જાય છે અને જીવવાની ઇચ્છા છોડી દે છે અને આવી રીતે ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. હવે આ ઘટના બને છે ત્યારે પુંજા ઠક્કરના દીકરા જીણાભાઈના લગ્ન થઈ ચૂક્યા હોય છે. (મતલબ જીણાભાઈની પત્ની પણ એક લોહાણી જ હોય છે) અને ત્યારે પુંજા ઠક્કરનો પેલો ખોજા મિત્ર જીણાભાઈ પાસે આવે છે અને તેને કરાંચી લઈ જાય છે. આ સમયે જીણાભાઈના પત્નીને સારા દિવસો જતાં હોય છે અને કરાંચીમાં જ તેને દીકરો આવે છે તેનું નામ મુહમ્મદ(ખોજા મિત્રની સલાહથી) રખાય છે.

પોતાનો મૂળ ઇતિહાસ જાણતો અને ધર્મથી ખોજા પણ લોહીથી પૂરો લોહાણો એવો મુહમ્મદ પોતાને મુસ્લિમ તરીકે ઓળખવતા શરમ અનુભવતો હતો. તેના બાળ લગ્ન એક ખોજા યુવતી સાથે થાય છે પરંતુ કોઈ બીમારીથી તેની પત્નીનું મૃત્યુ થાય છે. મુહમ્મદ અંગ્રેજોની જેવા કપડાં પહેરવા અને તેની જેમ પોર્ક(સુવ્વરનું માંસ પણ ખાતો હતો) હવે કાયદાનું ભણીને આઝાદીની લડાઈ માટે કોંગ્રેસમાં જોડાય છે.

આ કોંગ્રેસમાં એક બહુ મોટા પારસી વેપારી દિનશો માણેકશો પેતીત જે કોંગ્રેસના દાતા હતા તે એક વાર કોંગ્રેસના ઘણા નેતાઓને પોતાના દાર્જીલીંગના ફાર્મ હાઉસમાં આરામ કરવા બોલાવે છે. આમાં તે મુહમ્મદ અલી જીણાને પણ બોલાવે છે. હવે અહીથી જ જીણાની પ્રતિનાયક બનવાની શરૂઆત થાય છે.

આ દિનશો માણેકશો પેતીતને એક 16 વરસની દીકરી હોય છે જેનું નામ રતનબાઈ હતું અને ઘરમાં પ્યારથી તેને રોટ્ટી બોલાવતા. આ રોટ્ટી પણ અહી હાજર હોય છે અને આ રોટ્ટી જીણાની તીવ્ર બુદ્ધિ થી આકર્ષાઈ જાય છે અને જીણા પણ બાળપણમાં થયેલા લગ્નને ક્યારનો ભુલાવી ચૂક્યો છે.

પણ આ વાતની ખબર રોટ્ટીના પિતા દિનશોને ખબર પડે છે અને તે વિરોધ કરે છે. એક તો જીણા અને રોટ્ટી વચ્ચે ધર્મ અને ઉમરનો તો તફાવત છે અને જીણા એક વિધુર પણ છે અને ક્યો દીકરીનો બાપ આવું ઠેકાણું દીકરી માટે પસંદ કરે?

આ વાત આખી ગાંધીજી સુધી જાય છે અને દિનશો ગાંધીજીને આમાં દખલ કરવા કહે છે. ગાંધીજી મુહમ્મદ સાથે વાત કરે છે અને સમજાવે છે કે દિનશો એ કોંગ્રેસના એક મોટા દાતા છે અને જૂના સભ્ય છે. આઝાદીની લડાઈમાં માણસો સાથે ફંડ પણ જોઈએ જે આવા દાતાઓ તરફથી મળી રહે છે. તમારા આ પ્રકરણથી દિનશોને બહુ ખરાબ લાગ્યું છે તેની અસર આઝાદીની લડાઈ ઉપર પણ પડી શકે છે.

પણ મુહમ્મદ અલીનો જવાબ હતો કે ગાંધી તમે ધર્મના ભેદભાવનો ઢોંગ કરો છો અને મારો ધર્મ અલગ છે માટે તમે વિરોધ કરો છો જો તમે સાચે જ ધર્મના ભેદભાવ ને મિટાવવા માંગતા હોવ તો મારા લગ્ન માટે તમે જ દિનશો સરને સમજાવો.

ગાંધીજી મુહમ્મદને સમજાવવામાં નિષ્ફળ રહે છે અને દિનશો કોર્ટમાંથી ઓર્ડર લઈ આવે છે અને રોટ્ટી અને મુહમ્મદને મળવા પર પ્રતિબંધ લગાવે છે. રોટ્ટી 18 વર્ષની થતાં રોટ્ટી ખુદ ભાગીને મુહમ્મદ પાસે જાય છે અને બંને લગ્ન કરી લે છે.

આનો ગાંધીજી ખુદ વિરોધ કરે છે જેથી આ ઘટનાનો લાભ મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા લાભ લેવામાં આવે છે અને જીણાને ઉશ્કેરવામાં આવે છે અને પછીનો ઇતિહાસ અને પાકિસ્તાનનું સર્જન આપડે જાણીએ છીએ.

પાકિસ્તાનના સર્જન પછી કાયદે આઝમ બનેલા જીણાને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે. પણ મુહમ્મદ અલી જીણા અને તેની પત્ની રોટ્ટી વચ્ચે અમુક અણબનાવ થતાં તે ભારત આવીને છૂટાછેડા લે છે પરંતુ મુહમ્મદ અલી જીણાની દીકરી ફાતિમા મોટી થઈને પારસી વાડિયા પરિવારમાં લગ્ન કરે છે. અને જીણા મરતી વખતે પોતે પાકિસ્તાનનું સર્જન કરી ભૂલ કરી હતી એવો પશ્ચાતાપ પણ મૃત્યુ સમયે વ્યક્ત કરે છે.

ભાવિન કુંડલિયા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Akbar asked Birbal to look for five biggest idiots in his state and produce them in his court within a month.

After a month’s extensive search operations, Birbal brought to the court only two people!

“But I asked for five”, Akbar angrily asked.

“Give me a chance to present them one by one”, Birbal pleaded and went on to present his idiots:

“Maharaj, this man, while travelling in a bullock cart, was keeping his luggage on his head so as not to hurt the bullocks. He is the first idiot. (In corporate parlance , the ones who take all load on themselves and not delegate)

Pointing to the second man Birbal continued, “And this man here is the second idiot. Some grass grew on the roof of his thatched house and he was trying to force his cow climb up a ladder to graze on them.” ( In corporate parlance, these are those who set unrealistic targets and force others to achieve it without realising their capabilities and competency)

Birbal continued, “Maharaj, there were a lot of importants jobs for me to do in the state, but I ignored them and wasted a precious month in searching for idiots. According to me I am the third idiot.” ( Idiots who rush obediently for wrong job assignments without any qualms)

Birbal paused here for a moment.

“Who are the fourth and fifth idiots?”, Akbar thundered.

“Beg your pardon, Maharaj”, Birbal continued, “You are the King and are responsible for the wellbeing of the entire state and its people. You need wise persons to help you oversee the state affairs. Instead of looking for wise people you engaged me to look for idiots. According to me you are the fourth idiot. ( Bad leaders who make poor strategies and want idiots to follow blindly)

And, Maharaj, the person who is glued to this Whatsapp, keeping aside all his high priority assignments, oblivious of pressing needs of his familiy, just to learn who is the fifth idiot, is the fifth idiot himself. What do you say, Maharaj?” Birbal concluded.

Akbar said, “Post it immediately in all groups.”.🤣😜..

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઉંદરની_શિખામણ (બોધકથા) અમર કથાઓ

એક ઉંદર એક કસાઇના ઘરમાં દર બનાવીને રહેતો હતો…🐭

એક દિવસ ઉંદરે જોયું કે કસાઇ અને એની પત્નિ એક થેલામાંથી કંઇક કાઢી રહ્યાં હતા. ઉંદરે વિચાર્યુ કે કદાચ કંઈ ખાવાની ચીજ હશે..🥮

ઉત્સુક્તાવશ ઉંદરે જોયું તો એમણે જાણ્યું કે થેલામાં તો ઉંદર પકડવાનું પાંજરું હતું..🗑

ખતરાથી સાવધાન થઈ ઉંદર ભાગ્યો પછવાડે જઈને કબૂતરને વાત કરી ઘરમાં ઉંદર પકડવાનું પાંજરૂં આવી ગ્યું છે…🕊

કબૂતર મજાક ઉડાવીને કીધું કે એમાં મારે શું ? મને થોડો એમાં પૂરશે..🐭

નિરાશ ઉંદરે આ વાત મરઘાને બતાવી..🐔
મરઘાએ ઉંદરની ઠેકડી ઉડાડી કહ્યું “જા ભાઈ આ મારી સમસ્યા નથી.”

હતાશ થઈને ઉંદર વાડામાં બકરાને આ વાત કરી બકરો તો હસવા લાગ્યો..🐐

એ જ રાતે પાંજરામાં “ખટ્ટાક” દઇને અવાજ આવ્યો, જેમાં એક ઝેરીલો સાપ ફસાઇ ગયો હતો..🗑🐉

અંધારામાં સાપની પૂછડીને ઉંદર સમજીને કસાઇની બૈરીએ એને ખેંચી કાઢ્યો સાપે એને ડંખ માર્યો..

બૈરીની તબિયત બગડી એટલે કસાઇએ વૈદ્યને બોલાવ્યો.. વૈદ્યે એની બૈરીને કબૂતરનું સૂપ પીવરાવવાનું કીધું..

હવે કબૂતર તપેલામાં ઉકળતું હતું..

ખબર સાંભળી એના સગાવહાલાં આવ્યા જેમના ભોજન માટે મરઘાને કાપ્યો..

થોડા દિવસ પછી કસાઇની બૈરી સ્વસ્થ થઈ ગઈ એની ખુશીમાં એ માણસે પોતાના બધા શુભચિંતકોના માટે ભોજન સમારંભ ગોઠવ્યો અને બકરો કાપ્યો…

ઉંદર હવે દૂર.. ઘણો દૂર.. જતો રહ્યો હતો..

બીજી વખત કોઈ તમને એમની પોતાની સમસ્યા બતાવે અને તમને એમ લાગે કે આ મારી સમસ્યા નથી તો પણ એમને પહેલા સાંભળજો…પછી વિચારજો..બની શકે તો સહયોગ કરજો..

કોઈની સમસ્યા નિવારણ ના થઈ શકે તો મહેરબાની કરી એની મજાક ઉડાડવી યોગ્ય નથી..

કરતો કરાવતો ઈશ્વર છે, આપ તો કેવળ નિમિત્ત માત્ર છો..🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઈમાનદારી – ડૉ. આઈ. કે. વીજળીવાળા

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

બપોરના બાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ લગભગ ૧૨૦ જેટલાં દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. બાળ-દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સન જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું : એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલત હોય.

‘સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું.

‘શું થયું છે?’ મેં પૂછ્યું.

‘નાનું બાળક છે અને ખૂબ હાંફે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.

થોડીવારમાં જ એક માજી અને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયાં. બંનેનાં કપડાં પરથી એમના ઘરની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો. અનેક થીંગડાંવાળાં કપડાં બતાવી જ આપતાં હતાં કે એમની પરિસ્થિતિ કેવી હશે. બાળકને પણ એવાં જ ગાભામાં વીંટાળ્યું હતું. મેં એમને મારી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. માજી એ દીકરાને લઈને મારી બાજુમાં બેસી ગયાં.

‘ક્યા ગામથી આવો છો?’ મેં પૂછ્યું.

‘ગારિયાધારની બાજુના ગામડેથી’ માજીએ જવાબ આપ્યો.

‘બાળક કેટલા દિવસથી બીમાર છે?’

‘ત્રણ દિવસથી. ત્રણ દિ’પહેલાં એને ઉધરસ શરૂ થઈ હતી અને ગઈકાલથી ઊભો શ્વાસ થઈ ગયો છે.’ માજીએ કહ્યું.

મેં બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું. સાવ હાડપિંજર જેવું એ બાળક ધમણની માફક હાફતું હતું. કુપોષણ અને ઘણાં બધાં વિટામિનની ખામીથી એ કૃશ શરીર કાળું મેશ જેવું બની ગયું હતું. આંખો અર્ધી ખુલ્લી હતી. એનું શરીર પણ ખાસ્સું તપતું હતું. હાથપગના નખ ભૂરા થઈ ગયા હતા. આ બધી બાબતો એને બંને ફેફસામાં ન્યુમોનિયા થયો હોવાની ચાડી ખાતી હતી.

‘માજી ! આને દાખલ કરવો પડશે. કદાચ એને શ્વાસના મશીનની જરૂર પણ પડે (વેન્ટીલેટરની). એ સગવડ મારી પાસે નથી. તમે એક કામ કરો. ભાવનગરના સરકારી દવાખાને આને દાખલ કરી દ્યો. ત્યાં હવે આવી બધી સુવિધાઓ હોવાથી આ બાળકના બચી જવાની શક્યતા વધારે રહેશે.’ મેં કહ્યું. ભાવનગર મેડિકલ કોલેજ બન્યા પછી અહીંની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.

‘પણ બાપા ! અમે બે જ જણ આવ્યાં છીએ. અમને તો એમ હતું કે દવા લઈને પાછાં જતાં રહીશું !’ માજી બોલ્યાં.

‘નહીં માડી ! પાછાં જવાય એવું નથી. બાળક ખૂબ સિરિયસ છે. ઘરે દવા થઈ શકે એવું નથી લાગતું. તમારે એને દાખલ તો કરવું જ પડશે.’ મેં ભાર દઈને કહ્યું

‘પણ… ! પણ…’ માજી બે વખત ‘પણ’ બોલીને અટકી ગયાં. એને શું કહેવું હતું એનો અંદાજ લગાવતા હું બોલ્યો, ‘માડી ! તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આ સરકારી દવાખાનું છે. ગરીબ માણસોને સાવ મફતમાં સારામાં સારી સારવાર ત્યાં મળે છે, એટલે તમે ખર્ચની ચિંતા નહીં કરતા.’

‘પણ અમે સાસુ-વહુ ત્રણસો રૂપિયા લઈને નીકળ્યાં છીએ ! એમાંથી ચોથા ભાગના ટિકિટમાં વયા ગ્યા. હવે અમારી પાસે માંડ બસોએક રૂપિયા વધ્યાં છે. અમારે દવા કે એવું કાંઈક લાવવું પડશે તો?’ માડીએ વાત કઈ જ નાખી.

મને એમના ખચકાટનું કારણ શું હોઈ શકે એનો લગભગ અંદાજ તો હતો જ. મેં એમને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું, ‘માડી ! અત્યારે તમે આ લઈને જાવ અને દાખલ થઈ જાવ. એક વાર દીકરાની સારવાર શરૂ થઈ જાય પછી બીજું બધું જોયું જાશે.’

પરંતુ મારી નવાઈ વચ્ચે માજીએ એ લેવાની સાફ ના પાડી.

‘કેમ માડી?’ મેં કહ્યું. ‘અત્યારે આ લઈને તમે જલદી જાવ અને આને દાખલ કરી દ્યો.’

પણ મારો હાથ પાછો ઠેલતાં માજી બોલ્યાં, ‘ના સાહેબ ! અમે હમણાં બસટેંડે જઈને કો’ક ઓળખીતા ભેગું કે’વડાવશું એટલે ઘરે સમાચાર મશી જાશે. પછી આ ચોકરાનો બાપ ગમે ઈમ કરીને પૈસાનું કરશે. પણ તમારા થોડા લેવાના હોય?’

‘માડી !’ મેં કહ્યું, ‘અત્યારે એવો બધો સંકોચ છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે જતાવેંત મોંઘા ઈન્જેકશન લાવવાના થયા તો? તમે કહેવડાવો અને છોકરાનો બાપ વ્યવસ્થા કરીને બાવનગર આવે એટલી વારમાં તો મોડું ન થઈ જાય? એના કરતા આ પૈસા લેતા જાવ અને જલદી એને મોટા દવાખાનામાં દાખલ કરી દ્યો. અને હા ! જો ત્યાં દાખલ થયા પછી પણ કોઈ દવા કે ઈન્જેકશન લાવવા માટે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જજો. પણ હવે જલદી જાવ !’ મેં એમને સમજાવવાની કોશિશ કરી.

મારા આપેલા પૈસા લેવાની એમની જરા પણ ઈચ્છા નહોતી. પરંતુ મારી સમજાવટની અસર હોય કે પછી બાળકની ગંભીર સ્થિતિ એ ગમે તે હોય પણ માજીએ વધારે રકઝક કરવાનું માંડી વાળ્યું અને બાળકને લઈને સાસુ-વહુ સરકારી દવાખાને જવા રવાના થયાં.

એ વાતને ત્રણ દિવસ વીતી ગયા. ચોથા દિવસે બપોરે હું ઓપીડીના બાકી રહેલા છેલ્લા બાળદર્દીને તપાસી રહ્યો હતો. મેં મારા માણસને પૂછ્યું કે, ‘બહાર કોઈ છે હવે?’

‘હા સાહેબ ! ત્રણ દિવસ પહેલા જે સિરિયસ છોકરાને મોટા દવાખાને મોકલ્યો હતો એના દાદીમા બહાર બેઠાં છે. મોકલું?’

મેં હા પાડી. રોજની દોડધામમાં અમે એ વાત ભૂલી પણ ગયા હતા. પછી હું વિચારમાં પડી ગયો. મને થયું કે, ‘કદાચ પેલા છોકરા માટે વધારે મદદની જરૂર પડી હશે. નહીંતર મોટાભાગે તો બીજા દવાખાને મોકલેલા દર્દીના સગા ભાગ્યે જ મળવા આવતા હોય છે.’ હું આગળ કાંઈ વિચારું એ પહેલા જ પેલા માજી અંદર આવ્યા.

મેં માજીને બેસાડ્યાં. પછી પૂછ્યું, ‘બોલો માડી ! કેમ આવવું થયું?’

‘આ પેલા પાંચસો રૂપિયા પાછા આપવા આવી છું, સાહેબ !’ માજી બોલ્યાં.

‘પાછા આપવા? કેમ?’ મને નવાઈ લાગી.

‘હા સાહેબ ! પાછા આપવા આવી છું.’ માજીએ કહ્યું

‘પણ કેમ માડી?’

‘સાહેબ અમે મોટા દવાખાને ગયા પછી બે કલાકમાં જ દીકરો તો ગુજરી ગ્યો. ત્યાંના દાકતરે એકેય દવા બજારમાંથી નહોતી માંગવી. દીકરો તો ઈ પહેલા જ પાછો થયો હતો. તે દિ’તો અમે મૈયત લઈને ઘરે વયાગ્યા’તા. આજ જિયારત પત્યા પછી હું આ પૈસા દેવા આવી છું.’

‘પણ માડી, એ રાખવા હતા ને? ઘરમાં કામ આવત. એટલાક રૂપિયા માટે આટલો લાંબો ધક્કો થોડો ખવાય?’ મેં કહ્યું.

‘ના સાહેબ ! એ તો હરામના કે’વાય તમે તો દીકરાની દવા માટે આપ્યા’તા. દીકરો તો પાછો થયો. એના માટે ફદિયું પણ વપરાયું નહોતું. હવે ઈ પૈસા અમારે નો જ રખાય. તમે ઈ પાછા લઈ લ્યો.’ માડીએ મારા ટેબલ પર પૈસા મૂક્યા.

હું નિઃશબ્દ બની ગયો. આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે. ઘણી વખત અનુભવાય છે. પણ એ ક્ષણે હું જે જોઈ રહ્યો હતો એ થોડીક મિનિટો ચોક્કસપણે કહી શકાય કે કળિયુગની તો નહોતી જ ! ધરતી માનવીઓનો ભાર કદાચ એમ જ ઝીલી નહીં લેતી હોય. આવા લોકોના કારણે જ એ શક્ય બનતું હશે. ગામડામાં વસતો સાવ છેવાડાનો માણસ વ્યવહારમાં હજુ આવો અણીશુદ્ધ રહી શક્યો છે ત્યાં સુધી આ દેશની ચડતી જ હોય એવો વિશ્વાસ મને આવી ગયો. મારા દેશના આવા કહેવાતા ‘નાના’ પરંતુ હકીકતમાં ‘વિરાટ’ માણસો માટે મારી છાતી એકાદ ગજ ફૂલી ગઈ. આપણા સમાજની ઈમારતનો ઉપરનો માળ ઘણો સડી ગયેલો લાગે છે, પણ એનો પાયો હજુ મજબૂત છે એવી નક્કર હૈયાધારણ મળી ગઈ.

‘માડી !’ મેં માજીના હાથમાં પાંચસો રૂપિયા પાછા મૂકતા કહ્યું, ‘આ પૈસા તમારે રાખવાના છે. તમારી ઈમાનદારીના છે. નહીંતર આજના જમાનામાં આમ કોઈ ગાંઠના પૈસા ખર્ચીને પાછા આપવા આવે ખરું? તમે વાપર્યા કે નહીં એ હું ક્યાં જાણું છું કે ક્યાં પૂછવાનો હતો?’

‘પણ ઉપરવાળો તો પૂછશે ને?’ માજી બોલ્યાં.

માડીનો જવાબ સાંભળીને હું ફરી એકવાર નિઃશબ્દ બની ગયો. મને થયું કે નીતિ-અનીતિની સાવ સ્પષ્ટ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આચરતા ભણેલાગણેલા લોકોમાં નહીં હોય? કદાચ હશે તો પણ એ લોકો પોતાના અંદરના અવાજને દબાવી દેતા હશે

મેં માંડ માંડ એ માજીને સમજાવ્યા. એ નહોતાં જ માનતાં. જ્યારે મેં કહ્યું કે ‘માડી ! એ પૈસા પેલો ગુજરી ગયો એ દીકરાના નામના છે, હું એ પાછા ન લઈ શકું. એટલે એની યાદમાં ક્યાંક વાપરજો.’ ત્યારે છેક એમણે એ સ્વીકાર્યા.

મારી સામે જોઈ, આંસુભરી આંખે અને હળવે પગલે મારી ચેમ્બરમાંથી એ માજી બહાર ગયાં. તે વખતે એમની વળેલી કમર જોઈને મને થતું હતું કે ખરેખર, આ આખી ધરતીને ટકાવી રાખવાના ભારથી માણસની કમર આટલી તો વળી જ જાય ! એ કાંઈ નાનો સૂનો ભાર થોડો છે?

Posted in संस्कृत साहित्य

एक घटना आपके यहाँ घटित होती है।

हजरत इब्राहीम को सपना आता है उसके बाद वे अपना पुत्र कुर्बान करने को तैयार हो जाते हैं।

दैवीय कृपा से म्रत्यु के द्वार को पंहुचा हुआ वो पुत्र बकरे में बदल जाता है और इसके बाद से पूरी दुनिया के बकरा प्रजाति की शामत आ जाती है।

एक घटना हमारे यहां घटती है, ऋषि वाजश्रवा अपने पुत्र नचिकेता को म्रत्यु अर्थात यमराज को दान में दे देते हैं।

नचिकेता भी म्रत्यु के द्वारे पंहुचता है और जो ज्ञान लेकर वह वापिस लौटता है वो ज्ञान आज भी पूरी दुनिया के दर्शन शास्त्र का आधार बना हुआ है।

उस कठोपनिषद का प्रकाश आज भी मद्धिम न हुआ है।

दोनों घटनाओं में समानता है, दोनों में चमत्कार की कल्पना है पर दोनों घटनाओं से निकलने वाली प्रेरणा सर्वथा भिन्न है।

यह भी विचार मेरे मन में आता है कि यदि यही बालक हमारे किसी पुराण में बकरे से बदला हुआ दिखाया गया होता तो निष्कर्ष यह रहता कि बकरों का संरक्षण होना प्रारम्भ हो जाता क्योंकि ऋषि निष्कर्ष यह निकालते कि बकरे और मनुष्य पुत्र में एक समान ही चेतना है।

ईश्वर ने मनुष्य और बकरे को आपस मे बदल कर यही संदेश दिया है।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એ વાતને તો ઘણો વખત વહી ગયો છે પણ વાત હજી ભુલાઇ નથી.ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે.

તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી.જોરાવર બોરડી!મીઠા મધ જેવા,જોતા લાળ ટપકી પડે એવા,ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.

થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો હિઝ હાઇનેસ રાઓલસાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો.

“કોણ છે ?”

સિપાઇઓ બહારના રસ્તે દોડ્યા.થોડીવારમાં એક મેલાં-ઘેલા લૂંગડા પહેરેલ માણસને પકડી લાવ્યાં.ગરીબ લાગતા એ આદમીના અંગેઅંગ ધુણવા માંડ્યા હતાં.હવે તો ચોક્કસ ધરખમ સજા મળવાની!

બનેલું એમ કે,બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ,એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા.અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો.એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે!સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે!

“કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!”

“કેમ પથ્થર ફેંક્યો હતો,ભાઇ?”

“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય,બાપુ!”એ થથરતો હતો.

કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું.અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો.

“લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું.મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”

આવા હતાં ભાવનગરના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ!કેવો પ્રજાપ્રેમ!કેવી દિલાવરીયુક્ત દાતારી!આજે પણ લોકો એની કીર્તિની અમરગાથાને યાદ કરીને આંખના ખૂણા ભીંજવે છે.રંક હોય કે અમીર,ભાવેણામાં સૌ સરખાં રહેતા જ્યારે કૃષ્ણકુમારસિંહના રાજ તપતાં !

આઝાદ ભારતના એકીકરણ માટે સૌપ્રથમ ભારતસંઘ સાથે જોડાનાર રાજ્ય ભાવનગર હતું.અને હસતે મુખે રાજને માં ભારતના શરણે ધરી દેનાર રાજવી હતાં કૃષ્ણકુમારસિંહજી.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🪴 !!! ક્લબ ૯૯ !!! 🪴

એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ ફરતાં હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું. રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, "હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?"

મંત્રી એ હસીને જવાબ આપ્યો, “એ લોકો ક્લબ ૯૯ નાં સભ્યો નથી અને તમે છો ને એટલે!!”
“ક્લબ ૯૯? એ શું છે??” રાજા ને આશ્ચર્ય થયું.
મંત્રી એ કહ્યું, “મને ૯૯ સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ.” રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને ૯૯ સોનામહોર આપી. મંત્રી એ એજ રાત્રે જઈને એ ૯૯ સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી. બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ.

એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર…..નવ્વાણું.
કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો ૯૯ નો જ આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, “તું આ સોનામહોર ગણ. એને ય આંકડો ૯૯ નો જ આવ્યો.” સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, "જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી ૧૦૦ સોનામહોર થઈ જશે." એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો. એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણી......તો આંકડો ૯૭ નો જ આવ્યો.

“આમાંથી બે સોનામહોર ઓછી કેવી રીતે થઈ ગઇ?” એણે અતિશય ગુસ્સામાં કહ્યું.
એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, “બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ સાડી ……કેવી લાગે છે ?”
પતિનો પિત્તો ગયો, “તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?”
“તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો”, પત્નીએ છણકો કર્યો.
એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

“સોનામહોર ઘટતી ગઈ”……અને…….”કંકાસ વધતો ગયો.” બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું.

ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, “શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?”
મંત્રીએ હસીને જવાબ આપ્યો, “રાજન! હવે આ લોકો પણ ક્લબ ૯૯ ના સભ્યો છે.” “તમે આપેલી ૯૯ સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ ૯૯ સોનામહોર ને ૧૦૦ કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું.” આપણામાંથી એવા ઘણા છે જેની પાસે ૯૯ સોનામહોર પડેલી જ છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં ને માથાકૂટમાં એ ૯૯ સોનામહોર ખોટી જગ્યા એ વેડફાઈ જાય છે અથવા તો સોનામહોરો એમને એમ મૂકીને પોતે જ ગુજરી જાય છે. જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો ૯૯ ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને ૯૯ સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે!

મારી નમ્ર વિનંતી છે કે…….
જો તમે પણ ક્લબ ૯૯ની સભ્ય ફી ભરી હોય તો તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેશો. આભાર.......પ્રણામ... 🎋🙏🎋🙏🎋

રાજેન્દ્ર મહેતા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો અને મારી સીટ શોધતો શોધતો ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યો. બાજુની બે બેઠકોમાં થી, મારી નીચેની બેઠક હતી. સામે,એક બાળક અને એના માતા-પિતાનું એક નાનું સુખી કુટુંબ હતું. હજુ ત્રણ જગ્યા ખાલી હતી તથા મારી સામેની બેઠક પણ ખાલી હતી. ત્રણ-ચાર મિનીટ માં મારી સામેની બેઠક પર એક ભાઈ આવી ગયા અને એમનો સમાન ગોઠવવા લાગ્યા. ત્યાં એક ૭૦-૭૫ વર્ષની ઉંમરનાં એક સજ્જન અને તેમના જોડીદાર આવ્યા અને પોતાનો સમાન ગોઠવી અને જગ્યા લીધી. જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કમ્પાર્ટમેન્ટ થોડા સમય માટે ઘર જ બની જાય. અત્યારે આ હંગામી ઘરનાં તમામ પાત્રોએ પોતાની જગ્યા લઇ લીધી હતી.

જ્યારે પણ મન થાય અને મા ગંગાની યાદ આવે અથવા મા ગંગા બોલાવે, ત્યારે આ ટ્રેન મારો સેતુ બની જાય. આશરે ૩૬ કલાકની મુસાફરી અને બીજા દિવસે સાંજે હરિદ્વાર પહોંચી જવાય. સાંજે ગંગા આરતીનો લાભ લઇ અને બીજા દિવસે સવારે ઋષીકેશ. આ જ મારો નિત્ય ક્રમ. પરિચય કેળવવાના હેતુથી સામે બેઠેલા લગભગ મારીજ ઉંમરના ભાઈ સાથે વાતચીત શરુ કરી.

સામે પેલું બાળક થોડું તોફાન કરી પોતાનો સમય પસાર કરી રહ્યું હતું…તેના માતા-પિતા પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા. થોડી-થોડી વારે, નાસ્તા , કોલ્ડ-ડ્રીન્કસ અને ચા-કોફીવાળા ફેરીઓ લગાવી રહ્યા હતા. દિવાળી પછીનો સમય હતો એટલે ટ્રેનમાં બંને તરફ સરસ મજાની લીલોતરી જોવાં મળે…સાથે સાથે વચ્ચે આવતી નાની-મોટી નદીઓમાં બંને કાંઠે પાણી હતા.

પેલા બાળક ની સાથે થોડી વાતો કરી સમય પસાર કરતો હતો…વચ્ચે, તેના પિતા પણ વાતો કરતા. પણ, પેલા બંને ઉંમરવાળા યુગલ પોતાની પાસે રહેલા પુસ્તકો વાંચવામાં વ્યસ્ત હતા. કદાચ એમને અમારી વાતોમાં બહુ રસ ના લાગ્યો. છત્રીસ કલાકની મુસાફરીમાં જો બે વ્યક્તિ સાવ અલિપ્ત રહે, તો મજા ના આવે…એટલે, એમને પણ વાતોમાં શામેલ કરવાના ઈરાદાથી વાત શરુ કરી…

”તમે ક્યા સુધી જવાના?”.. મારો પ્રશ્ન સાંભળી પેલા મોટી ઉંમરનાં સજ્જને પુસ્તકમાંથી ઉપર જોઈને આછા હાસ્ય સાથે જવાબ આપ્યો, “હરિદ્વાર સુધી…” વળી પાછા પુસ્તક વાંચવામાં લાગી ગયા.

મેં ફરી પ્રશ્ન કર્યો, “ત્યાં રહો છો? કે ખાલી થોડા સમય માટે?”

તેમણે ધીમેથી પુસ્તક બંધ કરી અને જવાબ આપ્યો,”અમે રુદ્રપ્રયાગ જવાના…ત્યાં રહીએ,વર્ષમાં દસ થી અગિયાર મહિના..”

બંને સરસ વ્યક્તિત્વ હતા ….સજ્જન ઊંચા, વિશાળ કપાળ, માથે શ્વેત વાળ અને થોડી થોડી સફેદ દાઢી-મુછ…સફેદ ઝબ્બો અને લેંઘો અને હાથમાં એક કાળા ડાયલવાળી ઘડિયાળ તેમજ સોનેરી લટકતી ચેઈન સાથે જોડાયેલા ચશ્મા … એમના જોડીદાર બેન પણ એકદમ શાલીન અને પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા…. સાદો કોટનનો ડ્રેસ, શ્વેત લાંબા વાળનો ચોટલો, બંને હાથ માં એક એક બંગડી,કપાળે લાલ મોટો ચાંદલો અને ગળે લટકતી સોનેરી ચેઈન સાથે જોડાયેલા ચશ્માં…

રુદ્રપ્રયાગનું નામ સંભાળી મારી આંખમાં ચમક આવી અને એમને પૂછ્યું, “વાહ… ખુબ સરસ જગ્યા… ત્યાં શું કરો તમે?”

હવે, મારી સામે બેઠેલા ભાઈને પણ રસ પડ્યો…અને પેલા નાના બાળકનાં પિતા પણ અમારી વાતોમાં જોડાયા….

પેલા કાકા હસી પડ્યા અને બોલ્યા,”ત્યાં કશુંજ નથી કરતાં…બસ ઇશ્વરના પ્રયોજનને ન્યાય આપવાનો પ્રયત્ન…..”

અમારી વાતો વધી…. પરિચય પણ વધ્યો….મને ઉત્કંઠા થઇ, એમના અને એમના કામ વિષે જાણવાની….

મેં પૂછ્યું, “તમારા પરિવાર માં કોણ? ત્યાં જતા રહો આટલો લાંબો સમય, તો ઘર ની યાદ ના આવે?”

એમણે એમના જોડીદાર બેન સામે જોયું અને બંને થોડું હસ્યા…

સજ્જને કહ્યું, “ભાઈ, મારા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે…બંને લગ્ન કરીને ખુબ સારી રીતે અમેરિકામાં સ્થાયી છે….” પછી એમની સામે બેસેલા એમના જોડીદાર ની સામે જોઈ બોલ્યા, “એમના પરિવાર માં એક દીકરી છે….એ પણ લગ્ન કરી ને કેનેડા સ્થાયી છે….”

હું અને બાકીના બધા આ સાંભળીને થોડા અવઢવમાં પડ્યા…

મારાથી પૂછાઈ ગયું,” એટલે..તમારા બંનેનો પરિવાર અલગ અલગ છે? તમે …..”

એ મારા પ્રશ્નનો મર્મ સમજી ગયા અને જવાબ આપ્યો…

”ભાઈ, હું ૭૨ વર્ષનો છું અને આ મારી સામે બેઠેલા અનન્યાબેન ૭૦ વર્ષના છે…અમે બંને છેલ્લા દસ વર્ષથી મિત્રો છીએ… હું વ્યવસાયે આધ્યાપક હતો તથા અનન્યાબેન વ્યવસાયે ડોક્ટર.“

“વાહ, તમે બંને મિત્રો છો…મને તો એમ કે…..” બાકીનું વાક્ય અધ્યાહાર છોડી દીધું ….

પેલા સજ્જન મારી સામે જોઈને હળવા હાસ્ય સાથે બોલ્યા, “કેમ બે મિત્રો ના હોયે? “

પછી અનાન્યાબેન ની સામે જોઇને બોલ્યા, “જોયું અનન્યાબેન, આપણે સિત્તેર વર્ષની ઉંમરે પણ મિત્ર હોઈએ એ બધા સહજતાથી સ્વીકારી નથી શકતા…” બંને નાના બાળક ની જેમ હસી પડ્યા….

મેં એમની સામે થોડા ક્ષોભથી જોઈ કહ્યું,” ના, એવું નથી…મોટેભાગે આપણે બધાને પતિપત્નીનાં રૂપમાં જ જોવાં ટેવાયેલા હોઈએ, એટલે … પણ, તમારી વાત ખરેખર નવી છે…અલગ છે… તમને વાંધો ના હોય તો જણાવો કે શું કરો છો તમે રુદ્રપ્રયાગ માં ?”

પેલા સજ્જન બોલ્યા, “ભાઈ, હું રીટાયર્ડ થયો એ પહેલા મારા દીકરા દીકરી નાં લગ્નની જવાબદારી થી પરવારી ગયેલો…બંને સારી રીતે એમના લગ્નજીવનમાં સુખી છે અને અમેરિકા માં સ્થાયી છે… મારા રીટાયર્ડ થયાના એક વર્ષ પછી અમે અમેરિકા, દીકરા સાથે જ રહેવાના ઈરાદાથી ગયા …ત્યાં મારા પત્નીનું એક જ વર્ષમાં માંદગીને કારણે અવસાન થયું…. અને હું પાછો ભારત આવ્યો….એના અસ્થી અને એની યાદો સાથે…”

“અસ્થી પધરાવવા હું ઋષિકેશ ગયો… શિવાનંદ આશ્રમમાં એક અઠવાડિયું રોકાયો… મન ને ખુબ શાંતિ મળી… એક સાંજે આશ્રમ માં સંત કૃષ્ણાનંદજી મળી ગયા…. અમે લગભગ એક કલાક સત્સંગ કર્યો….

.એમણે મને કહ્યું કે, જીવન માં કોઈપણ ઘટના વગર પ્રયોજને નથી થતી….જો તમે અસ્થી વિસર્જન કરવા અહીં ના આવ્યા હોત તો આશ્રમમાં પણ ના રોકાયા હોત…અને આપણે મળ્યા પણ ન હોત….”

“જીવનમાં બનતી દરેક ઘટના પાછળ, ઈશ્વરનું કોઈક પ્રયોજન હોય છે…કોઈક સંકેત હોય છે…. “

મેં જયારે કૃષ્ણાનંદજી ને પૂછ્યું, કે “મારા જીવનનું શું પ્રયોજન? મારી યોજના તો પત્ની સાથે અમેરિકામાં બાકીનું જીવન મારા દીકરા અને દીકરી નાં બાળકો સાથે પસાર કરવાનું હતું….પણ, હવે તો હું સાવ એકલો થઇ ગયો…”

કૃષ્ણાનંદજી એ મને એક સ્મિત સાથે જવાબ આપ્યો….”તમારા માટે પણ ઈશ્વરે કોઈ યોજના બનાવી રાખીજ છે…બસ તમે ઈશ્વર પર ભરોસો રાખો અને એ સંકેત અને ઈશ્વરની ઈચ્છા સામે આવે તેને સ્વીકારી લેવાની માનસિક તૈયારી રાખજો…”

એક સાંજે, ગંગા આરતી પૂર્ણ થયા પછી, એકલો ઘાટ પર બેઠો હતો, મેં જોયું કે એક ગરીબ અને ભિખારી જેવી લાગતી મહિલા જોર જોરથી રડી રહી હતી અને એના ખોળામાં ૬-૭ વર્ષની એક બાળકી હતી….પેલી નાની બાળકી જોરથી હાંફી રહી હતી….

મારી નજર પડી…એક ૬૦-૬૨ વર્ષની ઉંમરનાં જાજરમાન વ્યક્તિત્વવાળા બહેન પેલી મહિલા અને બાળકી તરફ દોડી ગયા….એને એમણે હાથ માં લીધી એનું મોઢું ખોલી અને શ્વાસ આપવા માંડ્યો…

થોડીવાર માં પેલી બાળકી સ્વસ્થ લાગી…હું પણ ત્યાં પહોંચ્યો…. પેલા બહેને પોતાના પર્સમાંથી એક નાની દવાની બોટલ આપી અને, બાળકી ની માતાને કેટલીક દવા લઇ આવવા કહ્યું…પણ પેલી ભિખારી જેવી મહિલા કદાચ પૈસાનાં અભાવે દવા લાવે એવું લાગ્યું નહી….આથી મેં, પેલા બહેન ને કહ્યું, “મને કહો, હું લઇ આવું”….અને ત્વરિત ઘાટ નજીક આવેલી ફાર્મસીની દુકાનથી દવા લઇ આવ્યો અને પેલી બાળકીની માતા ને આપી….

આ બહેન એટલે આ તમારી સામે બેઠેલા અનન્યાબેન….તેઓ વ્યવસાયે બાળકોના ડોક્ટર છે….તેમને એક દીકરી જે લગ્ન કરી અને કેનેડા સ્થાયી થયેલી. અનન્યાબેન ના પતિ પણ ડોક્ટર હતા, એક એકસીડન્ટમાં આજથી લગભગ વીસ વર્ષ પહેલા અવસાન પામેલા…

આ ઘટના પછી, હું અને અનન્યાબેન ઘાટ પર બેઠા…પરિચય થયો…એકબીજાની વાત જાણી. મને કૃષ્ણાનંદજીની વાત યાદ આવી… બીજા દિવસે સવારે હું અને અનન્યાબેન પાછા કૃષ્ણાનંદજી ને મળવા ગયા…અને એમને ગઈકાલે ઘાટ પર થયેલ ઘટના અને અમારા પરિચયની વાત કરી….

કૃષ્ણાનંદજીએ અમારી સામે જોઈ એક હાસ્ય સાથે કહ્યું, “ જાઓ, તમારી બંનેની રાહ હજારો બાળકો જોઈ રહ્યા છે…. રુદ્રપ્રયાગ માં તમારી જરૂર છે… તમે પ્રોફેસર હતા…શિક્ષક હતા….તમારે બાળકો ને જ્ઞાન, વિદ્યા, સંસ્કાર અને જીવનનો ધ્યેય આપવાનો છે અને અનન્યાબેન, તમે ડોક્ટર છો…તમારે એમને સ્વાસ્થ્ય આપવાનું છે….”

કૃષ્ણાનંદજીની વાત ને આદેશ માની, બીજા જ દિવસે અમે રુદ્રપ્રયાગ જવાનું નક્કી કર્યું…હું ક્યારેય રુદ્રપ્રયાગ ગયો નહતો….બીજા દિવસે ત્યાં થી જતી બસમાં અમે પાંચ કલાક ની મુસાફરી કરી રુદ્રપ્રયાગ પહોંચ્યા…

અદ્ભૂત જગ્યા….મા ગંગાના ખોળામાં નાનું ગામ…સાવ અવિકસિત… ત્યાં જવું કોની પાસે? રહેવું ક્યાં? પણ જ્યારે ઈશ્વરનું આયોજન અને પ્રયોજન હોય ત્યારે એ જ બધી વ્યવસ્થા કરી આપે…. અમે કોઈપણ વિચાર કે આયોજન વિના રુદ્રપ્રયાગ ગયા હતા…

બસ માંથી ઉતર્યા, સામે એક નાનુ ગેસ્ટ-હાઉસ હતું…ત્યાં પહોંચ્યા…બે રૂમ લીધા…અને સમાન મૂકી, રુદ્રપ્રયાગમાં ફરવા નીકળ્યા… દસ મિનીટ ચાલી ને ગંગાજી ને કિનારે પહોંચ્યા ત્યાં એક વૃદ્ધ સંન્યાસી મળ્યા….એમને પ્રણામ કર્યા….અમારી સામે જોઇને બોલ્યા, “આપ એક અચ્છા કાર્ય કરનેવાલે હો….ઈશ્વરને હી આપકો ભેજા હૈ…. આપ આગે જાઓ, પુરાના આશ્રમ હૈ વહા જાઓ…આપકા કાર્ય વહી પૂર્ણ હોગા…” બસ, એક પછી એક ઘટનાઓ થતી રહી અને અમે માત્ર ઘટનાઓની ગંગા માં વહેતા રહ્યા…

પેલા નાના આશ્રમ માં જુના ત્રણ-ચાર તૂટેલા-ફૂટેલા ઓરડા,એક નાનુ મંદિર, નાનુ આંગણ અને એક અતિવૃદ્ધ સંન્યાસી …અમારો એમની સામે પરિચય થયો અને અમે કાંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી…. સંન્યાસીએ અમને એમની જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ આપી… અમે ત્યાં જ એક ઓરડામાં વિદ્યાર્થીઓને ભણવા માટેની નાની શાળા અને એક ઓરડામાં અનન્યાબેન નું બાળકો અને સ્ત્રીઓ માટે દવાખાનાની સ્થાપના કરી…..

બીજા દિવસથી અમે આજુબાજુ નાં વિસ્તારમાં ફરતા અને રખડતા બાળકોને શાળામાં આવવા લઇ આવતા… ત્યાં રમતો, નાસ્તો, શ્લોક, વાર્તાઓ અને સાથે થોડું ગણિત, વિજ્ઞાન અને લખવાનું શીખવવાનું શરુ કર્યું… ધીમે ધીમે બાળકો જોડતા ગયા…. એમને રોજ ભરપેટ નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી…

અનન્યાબેન દ્વારા બાળકો , સ્ત્રીઓ અને સન્યાસીઓ માટે મફત દવા અને ઈલાજ ની વ્યવસ્થા શરુ કરી.. આજે લગભગ દસ વર્ષ થઇ ગયા…. ચાર શિક્ષકો માનદ પગારથી રાખ્યા છે….શાળાનો વિકાસ પણ સરસ થયો છે…. ચાર વર્ષથી બાર વર્ષની ઉંમર નાં બાળકો અભ્યાસ કરાવા આવે છે…. લગભગ ૨૫૦ છોકરાઓ આવે છે…….. અનન્યાબેન ડોક્ટર તરીકે અદ્ભુત સેવા આપે છે…આજુબાજુનાં ગામનાં મળી ને પચાસ થી પંચાવન દર્દીઓ તો રોજ આવે….”

“બસ, આ અમારી કથા….” એક હાસ્ય સાથે એ સજ્જન બોલ્યા…..

મરાથી બોલી ગયું, “અદ્ભુત….તમે અદ્ભુત કાર્ય કરો છો…. તમે બંને આજે સારામાં સારી જિંદગી જીવી શકત…પણ તમે આવું કાર્ય સ્વીકારી લીધું….આવું ભાગ્યેજ કોઈ કરે…”

ત્યાં અનન્યાબેન પહેલીવાર બોલ્યા, “ભાઈ, અમે કશુજ નથી કરતાં…..ઈશ્વર અમારી પાસે કાર્ય કરાવે છે….એનો સંકેત હતો..એનું જ પ્રયોજન હતું….અમે તો માત્ર એના દ્વારા નિર્મિત પટકથાનાં પાત્રો છીએ….પાછા જઈશું ત્યારે ઈશ્વર જવાબ માંગશે ને? શું કર્યું તમે જગત માં જઈને? આપણા ભાથા માં કહેવા લાયક કંઇક તો હોવું જોઈએ ને? ”

અમે બધાજ આ બંને સેવાના ભેખધારી ને જોઈ રહ્યા….

કદાચ ઇશ્વરની યોજના, પ્રયોજન, ઈચ્છાના સંકેત આપણને પણ મળતા હશે … પણ આપણે એ સંકેતોને કદાચ અવગણી જતા હોઈએ છીએ…. દરેક નો જન્મ તો કોઈ ઉચ્ચ ધ્યેય માટે જ થયો છે… અસીમ અને અનંત સંભાવના સાથે આપણે જન્મ્યા…પણ નાની-નાની અર્થહીન બાબતો માં એવા અટવાઈ જઈએ કે જીવન ક્યાં વીતી ગયું એ ખબરજ ના પડે….

જીવનને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે….જીવન માં બનતી દરેક ઘટના, જીવનમાં આવતી વ્યક્તિઓ, ઉત્પન્ન થતી પરિસ્થિતિ અને ઘટના પાછળ કોઈ સંકેત હોય જ છે….જીવન તો કોઇપણ જીવી લેશે…અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઈશ્વરનું પ્રયોજન સમજવું જરૂરી છે…

જીવન એમ પણ વીતી જવાનું… આપણી પાસે બે જ વિકલ્પ છે….જીવનને માત્ર જીવવું અથવા જીવનને અર્થપૂર્ણ રીતે જીવવું …ઇશ્વરના સંકેત ને સમજી..તેના પ્રયોજન મુજબ….

મૂળ લેખન : ડો. સ્નેહલ કે. જોશી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Namstey India……..

એક હોટલના વેઈટરે એક ગ્રાહકને સવારના પહોરમાં સ્માઈલ સાથે ચા નો કપ ધર્યો.
વેઈટરના સ્માઈલે કમાલ કરી.પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતું…..પરંતુ…..
જાણે એમાં નવ પલ્લવિત શાખાઓ ફુટી…..!
એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી…..!

વેઈટરને સ્માઈલ બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં.એણે પણ ખુશ થઈ 20 રુપીયા એક ભિખારીના હાથમાં મુકી દીધા…..!

સવાર-સવારમાં 20 રુપીયા મળશે એવી કલ્પના તો એ ભિખારીને ય ક્યાંથી હોય…..?એ ખુશ ખુશાલ થઈ, કાલની ભુખીને ભુખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા માટે દોડયો…..
રસ્તામાં ભરપુર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયાને પરવા કર્યા વિના દોડીને ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો…..!

આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને એને થયું કે જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે…..?*
*અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાંથી કહેવાઉં…..?એ શ્રીમંતે ખુશ થઈને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 – 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા…..!

શેઠના ખુશ ખુશાલ સ્નેહ ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઈને BEACH પર ફરવા ગયો…..!
આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો.જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો…..બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો…

ડ્રાઈવરે પુછયું : “કોણ છો તમે ? અચાનક પાછા કેમ વળ્યા…..?”

આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ…..!
પણ શું…..?
મેં એક સંકલ્પ કરેલો કે, મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો…..!તમારી ખુશીએ મારી જીંદગી બચાવી છે…..! THANK YOU…..!

આમ,આપણા ચહેરા પરનું એક સ્માઈલ અનેકના જીવનમાં અપરંપાર કેટલી ખુશી સર્જી શકે છે કે જેની કલ્પના પણ નહીં કરી શકીએ…..!
કયાં છીએ આપણે…..?

જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને ખોઈ બેઠા છીએ આપણે…..!
એટલે જ દરેક ક્ષણે ખુશ રહેતાં શીખીએ…..! મન ભરીને જીવો મનમાં ભરીને નહી 👍

રાજેન્દ્ર મહેતા