Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

तुलना
छोटी बहू के कमरे से उसकी बहुत ज़ोर से बोलने की आवाज सुनकर सासु माँ उसके कमरे की तरफ भागी। साथ ही बड़ा बेटा और बहु भी अपने कमरे से निकल कर आ गए कि ऐसा क्या हो गया कि नई बहू इतनी ज़ोर ज़ोर से बोल रही है। अभी दो महीने ही तो हुए थे छोटी बहू अंजली को इस घर में आये हुए।

अंजली एक पढ़ी लिखी,स्मार्ट और आज के जमाने की सर्व गुण सम्पन्न लड़की थी। सबसे बहुत प्यार और इज्ज़त से पेश आती थी।
उसकी जेठानी सुनीता भी उसी के जैसी ही पढ़ी लिखी और समझदार बहु थी उसकी शादी को पांच साल हो चुके थे। जब सब लोग उनके कमरे में पहुंचे तो अंजली अपने पति से कह रही थी,” क्यों बनूं मैं भाभी जैसी..मैं अंजली हूं तो अंजली ही रहूंगी।”

सासू माँ ने पूछा,” क्या हुआ बेटे , क्यों परेशान हो?”
तब अंजली ने बताया कि उसका पति हर बात में उसकी तुलना भाभी से करता है और कहता है कि भाभी ऐसे करती है ,भाभी वैसे करती है।अब आप ही बताओ मैं अंजली हूँ तो मैं सुनीता कैसे बनूंगी और भाभी आप बताओ क्या आप अंजली बन सकते हो। जो मुझ में गुण हैं जरूरी नही कि वो भाभी में हों और जो भाभी के गुण हैं ये जरूरी नही कि वो मुझ में हों। हर बन्दे की आदतें ,स्वभाव अलग अलग होते हैं।

इस बात के लिए सासु माँ, जेठानी ओर जेठ जी सब ने छोटी बहू का साथ दिया कि वो बिल्कुल ठीक कह रही है और बेटे को बोला कि तुम्हारा बात बात में अंजली की तुलना भाभी से करना गलत है। उन्होंने इस बात के लिए अपने बेटे को ही गलत ठहराया। उसके बाद फिर अंजली के पति ने उसकी तुलना भाभी से नही की।

अब अंजली का मन शांत हो गया था और वो सोच रही थी कि अगर वो आज ये बात ना उठाती तो ये उसकी तुलना भाभी से करने का पति का रवय्या उसे जाने कब तक झेलना पड़ता ।
मौलिक रचना
रीटा मक्कड़

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

अर्धे लग्न सोडून पळून आलेले श्री रामदास स्वामींच्या पत्नी ची कथा. रामदासांची पत्नी

समर्थ रामदासांना आठवताना त्यांच्याशी संबंधित अजून एका व्यक्तीला आठवणं ही क्रमप्राप्त ठरते, ती व्यक्ती म्हणजे त्यांची पत्नी! होय मी समर्थांनी ज्या मुलीला लग्नमंडपात अर्धवट सोडलं होतं त्या मुलीला , त्यांची पत्नीच म्हणेन मी . आज तिला आठवणं हे सयुक्तिक ठरेल, कारण त्या स्त्रीने समर्थांची आठवण आपल्या हृदयात शेवटपर्यंत जागृत ठेवली. त्या मुलीची बरीच लोक कीव करतात .काही लोक तर समर्थांना हे शोभलं नाही असाही समर्थांना उपदेश करतात .आपल्या भारतीय लोकांना स्वत: पेक्षा इतरांच्या घरातच काय चाललंय याची जास्त चिंता असते. एकाने आचार्य अत्रेंना हाच प्रश्न विचारला होता ,”त्या मुलीचं पुढे काय झालं हो समर्थांनी लग्नमंडपात सोडलेल्या,” तेव्हा आचार्य अत्रेंनी मार्मिकपणे उत्तर दिलं,” मला माहीत नाही, कारण मी त्या वेळी त्या लग्नाला हजर नव्हताे.” पण पुढे जाऊन त्या मुलीचं काय झालं याचा शोध घेणे हे खूपच कमी लोक करतात. इतिहासाने काही व्यक्तींवर खूप अन्याय केला आहे त्यातीलच रामदासस्वामींच्या पत्नी या एक होत. आज त्यांना आठवणं त्यामुळेच क्रमप्राप्त ठरते
*#रामदासस्वामी निघून गेल्यावर मुलीचे वडील मुलीला म्हणाले,” बाळ घरी चल.” तर ती मुलगी बाणेदारपणे म्हणाली,” बाबा तूम्ही कन्यादान केले आहे, आता मी त्या घरात येणार नाही.” गंगाधरपंत, समर्थांचे वडीलबंधू, मुलीला म्हणाले,” मुली तू आपल्या घरी चल, मुलीप्रमाणे तुला सांभाळेन.” त्या वेळी ती मुलगी म्हणाली, “बाबा पाणिग्रहण झालेले नाही, मी तुमच्याकडे येऊ शकत नाही.” मग त्या मुलीने काय केले? ती चालत राहिली. गावे मागे पडली, नगरं मागे पडली आणि तिला एक जंगल लागले, तिथे तिला झुडूपात एक मंदिर दिसलं. त्या मंदिरातच राहण्याचा तिने निश्चय केला. तिने आजूबाजूची झुडपं साफ केली .एक अंगण त्या मंदिराभोवती बनवलं आणि ती तिथेच राहू लागली .त्या अंगणात मुले खेळायला येत त्यांच्यावर तिने संस्कार करायला सुरूवात केली .त्यांना तलवारबाजीचे, भालाफेकीचे, दांडपट्ट्याचे शिक्षण दिले आणि ती फौजच्या फौज शिवाजी महाराजांच्या सैन्याकडे पाठवू लागली ,सैन्यात भरती होण्यासाठी आणि शिवाजी महाराजांच्या सेनापतीला ही प्रश्न पडला की आपलीही फौज इतकी निष्णात नाही, या लायकीची नाही . कोण पाठवतय ही फौज? त्याने ही गोष्ट शिवाजी महाअजांच्या कानी घातली आणि शिवाजी महाराजांना चिंता वाटली, त्यांना वाटलं गनीम तर करत नसावा असं काही? आपल्या फौजेची गुपिते हस्तगत करण्यासाठी !त्यांनी आपल्या हेरखात्याच्या शोध घ्यायला सांगितलं .हेरखात्याने बातमी आणली की इथून खूप लांब राहणारी एक बाई हे काम करते आहे. शिवाजी महाराज मग वेष पालटून त्या माऊलीस भेटायला गेले. त्या माऊलीने शिवाजी महाराजांना सतरंजी दिली बसायला , गुळपाणी दिलं .तेव्हा तशी रीत होती.आजकालसारखे लोक कुणी आलं की तोंड वेडेवाकडे करत नसत .शिवाजी महाराजांनी मुद्दामच तिची परीक्षा घ्यायला, शिवाजी महाराजांना नावं ठेवण्यास सुरुवात केली “काय तुमचा तो राजा! का करता त्याव्यासाठी हे सगळं? ” असं खूप भलतेसलते शिवाजी महाराज बोलू लागले स्वत :विरुद्धच !ऐकलं मात्र आणि त्या माऊलीने एकदम तलवार काढली आणि शिवाजी महाराजांच्या गळ्यावर टेकवली ,”खबरदार” ती गरजली,” शिवाजी महाराज आमचे राजे आहेत, त्यांच्याबद्दल काही भलतंसलतं बोललात तर.” शिवाजी महाराजांनी ओळखलं ,काय पाणी आहे ते !आणि ते निघून गेले. दुसर्‍या दिवशी शिवाजी महाराज पूर्ण इतमामात त्या स्त्रीला भेटायला आले आणि आपला जिरेटोप काढून त्यांनी त्या माऊलीच्या पायावर ठेवला, म्हणजे काय माहितीय का? तुम्ही गादीवर बसा मी तुमचा प्रतिनिधी म्हणून राज्य चालवतो असेच जणू शिवरायांना सांगायचं होतं . पण त्या माऊलीने तो जिरेटोप परत एकदा शिवाजी महाराजांच्या डोक्यावर ठेवला आणि ती म्हणाली,” हा तुम्हालाच शोभतो.” #समर्थांचे दर्शन तिला त्यानंतर फक्त एकदाच आणि तेही फक्त पाचच मिनिटं झालं. तिला खबर लागली की समर्थ कृष्णेच्या काठी येतायत. ती बघायला गेली त्यांना .समर्थ कृष्णा नदीच्या एका कठावरून चालत गेले आणि ती त्यांना समांतर अशी दुसर्‍या काठावरून चालत गेली. एवढ्या लांबून फक्त पाच मिनिटं तिने समर्थांचा चेहरा बघितला .काय पातिव्रत्य होतं तिचं ! म्हणतोना इतिहासाने काही लोकांवर खूप अन्याय केले त्यातीलच ही एक! आजकालच्या युगात जेव्हा मुलींच्या खूप अपेक्षा वाढल्या आहेत आपल्या जोडीदाराबद्दल. म्हणजे कुटुंबे व्यवस्था आपल्याकडेही तुटत आहे. अशावेळी असे आदर्श समाजात प्रस्तुत करणे उचित ठरेल. इथली कुटुंबव्यवस्था! इथला शेजारपाजार!! माणसामाणसात असलेले संबंध . हल्ली स्त्रीमुक्तीच्या वादळात जेव्हा अनेक घरे वाहून चालली आहेत तेव्हा असे आदर्श प्रस्तुत करणे हे उचितच ठरेल. विद्यावाचस्पती शंकर अभ्यंकर म्हणतात त्याप्रमाणे त्या काळात स्त्रीमुक्तीवादी संस्था नव्हत्या हे एका अर्थी बरं आहे . नाहीतर त्या, त्या उर्मिलाला भेटल्या असत्या आणि नक्की सांगितलं असतं,' घटस्फोट घे.' लक्ष्मण आणि ऊर्मिलेचा चौदा वर्षांचा वियोग आहे .चेहरासुद्धा पाहिला नाही चौदा वर्ष्यांत !म्हणून त्यांनी नक्की सांगितलं असतं," तुला त्यांनी टाकली चौदा वर्ष, घटस्फोट घे ." पातिव्रत्य ज्यांना कळत नाही, आदर्श जीवनमूल्यं काय आहेत हे ज्यांना कळत नाहीत ते असं काहीतरी बोलत असतात. पण असं झालं नाही . म्हणून तर रामायण, महाभारत अजूनही सगळीकडे वाचली जातात. तोच आदर्श आपल्याला रामदासस्वामींच्या पत्नीतही दिसतो. त्यामुळे आज रामदास स्वामींना आठवताना त्या माऊलीला आठवणं ही उचित ठरेल .(आधारित)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

सन्त कबीर जी के जीवन का अंतिम प्रसंग !!

जब सन्त कबीर ने इसलाम कबूल करने से मना कर दिया तो सिकंदर लोदी के आदेश से जंजीरो में जकड़कर कबीर को मगहर लाया गया। वहां लाते ही जब शहंशाह के हुक्म के अनुसार कबीर को मस्त हाथी के पैरों तले रौंदा जाने लगा, तब लोई पछाड़ खाकर पति के पैरों पर गिर पड़ी। पुत्र कमाल भी पिता से लिपटकर रोने लगा। लेकिन कबीर तनिक भी विचलित नहीं हुआ। आंखों में वही चमक बनी रही। चेहरे की झुर्रियों में भय का कोई चिद्द नहीं उभरा। एकदम शान्त-गम्भीर वाणी में शहंशाह को सम्बोधित हो कहने लगा:

माली आवत देखिकर
कलियन करी पुकार।
फूले फूले चुन लिए
काल्हि हमारी बार।

और फिर इतना कहते ही हलके से मुस्कुरा दिया। कबीर आगे बोला, ‘मुझे तो मरना ही था; आज नहीं मरता तो कल मरता। लेकिन सुलतान कब तक इस गफलत में भरमाए पड़े रह सकेंगे, कब तक फूले-फूले फिरेंगे कि वह नहीं मरेंगे?’
कबीर को जिस समय हाथी के पैरों तले कुचलवाया जा रहा था, उस समय कबीर का एक शिष्य भी वहां मौजूद था, उसके मुख से निकल पडा:

अहो मेरे गोविन्द तुम्हारा जोर
काजी बकिवा हस्ती तोर।
बांधि भुजा भलैं करि डार्यो
हस्ति कोपि मूंड में मार्यो।
भाग्यो हस्ती चीसां मारी
वा मूरत की मैं बलिहारी।
महावत तोकूं मारौं सांटी
इसहि मराऊं घालौं काटी।
हस्ती न तोरे धरे धियान
वाकै हिरदै बसे भगवान।
कहा अपराध सन्त हौ कीन्हा
बांधि पोट कुंजर कूं दीन्हा।
कुंजर पोट बहु बन्दन करै
अजहु न सूझे काजी अंधरै।
तीन बेर पतियारा लीन्हा
मन कठोर अजहूं न पतीना।
कहै कबीर हमारे गोब्यन्द
चौथे पद में जन का ज्यन्द।

अर्थात ‘हे गोविन्द! आपकी शक्ति की बलिहारी जाऊं। काजी ने आपको (कबीर को) हाथी से तुड़वाने का आदेश दिया। कबीर की भुजाएं अच्छी तरह से बांधकर डाल दिया गया। महावत ने हाथी को क्रोधित करने के लिए उसके सिर पर चोट मारी। हाथी चिंघाड़कर दूसरी ओर भाग चला। उस प्रकार भागते हुए हाथी की मूरत पर मैं बलिहारी जाऊं। हाथी को भागता देख काजी ने महावत से कहा कि मैं तुझे छड़ी से पीटूंगा और इस हाथी को कटवा डालूंगा। लेकिन हाथी तो उस समय भगवान के ध्यान में मस्त था।

लोग भी कहने लगे कि इस सन्त ने क्या अपराध किया है। जो इसका गट्ठर सा बांधकर हाथी के सामने डाल दिया गया है। लेकिन हाथी बार-बार उस गट्ठर की वन्दना करने लगा। पर अज्ञान से अन्धे हुए काजी को यह देखकर भी कुछ सुझाई न दिया। तीन बार उसने परीक्षा ली, परन्तु कठोर मनवाले काजी को अब भी विश्वास न हुआ। कबीर मन में कहने लगे कि गोविन्द तो हमारे हैं, मैं जन का जिश्न्दा पीर हूं तथा मैंने चौथी बार चौथे पद (मोक्ष) को प्राप्त कर लिया।’

लोग कहते हैं कबीर मरने के बाद फूल बन गया और हिन्दू और मुस्लिमो ने उन्हें बराबर बांट लिया, जबकि सचाई यह है कि सिकंदर लोदी ने उन्हें हाथी के पैरो से कुचलवाकर मरवा दिया था, क्योंकि वे सामाजिक कुरीतियों का खंडन करते थे…उपर जो छंद है वह कबीर के मरते वक्त ही रचा गया था और कबीर ग्रंथावली के अंत में भी जोड़ा गया है।

कबीरदास जी ने जीवित रहते हुए इस्लाम नहीं कुबूल किया फिर उनके नाम पर मजार क्यों ?

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

शिव सबके गुरु 🙏

एक सन्यासी घूमते-फिरते एक दुकान पर आये। दुकान में अनेक छोटे-बड़े डिब्बे थे। सन्यासी ने एक डिब्बे की ओर इशारा करते हुए दुकानदार से पूछा, “इसमें क्या है?”
दुकानदार ने कहा, “इसमें नमक है।”
सन्यासी ने फिर पूछा, “इसके पास वाले डिब्बे में क्या है?”
दुकानदार ने कहा, “इसमें हल्दी है।”

इसी प्रकार सन्यासी पूछ्ते गए और दुकानदार बतलाता रहा।
अंत मे पीछे रखे डिब्बे की बारी आयी, सन्यासी ने पूछा, “उस अंतिम डिब्बे में क्या है?”
दुकानदार बोला, “उसमें शिव हैं।”

सन्यासी ने हैरान होते हुये पूछा, “शिव ? भला यह “शिव” किस वस्तु का नाम है भाई ? मैंने तो इस नाम के किसी सामान के बारे में कभी नहीं सुना !”
दुकानदार सन्यासी के भोलेपन पर हंस कर बोला,
“महात्मन ! अन्यान्य डिब्बों में तो भिन्न-भिन्न वस्तुएं हैं, पर यह डिब्बा खाली है। हम “खाली” को खाली नहीं कहकर “शिव” कहते हैं !”

संन्यासी की आंखें खुली की खुली रह गई। जिस ज्ञान के लिये मैं दर-दर भटक रहा था, वो तत्व ज्ञान मुझे आज एक व्यापारी से मिल रहा है। वो सन्यासी उस छोटे से किराने के दुकानदार के चरणों में गिर पड़ा, “ओह, तो खाली में शिव रहते हैं”।

सत्य ही तो है ! भरे हुए में शिव को स्थान कहाँ ?
काम, क्रोध, लोभ, मोह, लालच, अभिमान, ईर्ष्या, द्वेष और भली-बुरी, सुख-दुख की बातों से जब मन-मस्तिष्क भरा रहेगा तो उसमें “शिव” का वास कैसे होगा?

ॐ नमः शिवाय
🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Must Read
લિમિટેડ 10 પોસ્ટના વાચકો માટે

શીર્ષક – ” એક હતો ભવાન ભીંડી ”

🖋મુકેશ સોજીત્રા…..

એક શેવરોલે ક્રુઝ કાર ગામને પાદર આવીને ઉભી રહી, પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી. ધૂળની ડમરી ઉડી!! ડમરી શમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો, લીનનનો શર્ટ પહેરેલો એક આધેડ ઉમરનો એક માણસ ઉતર્યો!! એનાં હાથમાં મોબાઈલ હતો. પણ કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો, મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાંખ્યો પછી સામે આવેલા પાનના ગલ્લાં પાસે જઈને પૂછ્યું કે.

“ભવાન કરમશીનું ઘર ક્યાં આવ્યું”

“ત્રણ ભવાન કરમશી છે આ ગામમાં તમારે કોનું કામ છે?” માવો ચોળતાં ચોળતાં એક યુવાન બોલ્યો.

“ એજ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડોકટર છે” પેલાએ ખુલાસો કર્યો, અને પેલો તરત જ બોલ્યો,

“એમ કહોને તમારે ભવાન “ભીંડી”ને ત્યાં જવાનું છે, એક કામ કરો અહીંથી સીધા જાવ, ડાબી બાજુ એક રસ્તો આવશે એની સામે એક મંદિર છે તે ને ત્યાંથી ઉગમણા વળી જાવ એટલે મઢવાળી શેરી આવશે એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે, કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે એ જ ભવાન ભીંડીનું ઘર છે. ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો પણ ભવાન કરમશીનું કોઈને ના પૂછતા પણ ભવાન “ભીંડી” કહેજો તો તરત જ ઘર બતાવી દેશે” પેલાં એ માવો નાંખ્યો મોઢામાં અને કીધું. અને પેલી ચાર ગાડીઓ આગળ ગઈ. જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાં વાળો બોલ્યો.

“આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન “ભીંડી”ને ત્યાં કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં, બાકી એને ઘરે ભિખારી પણ ના જાય કોઈ દિવસ, ભિખારી તો શું કુતરું પણ એના ઘર આગળ ના નીકળે ” બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂર્તિ વાંચતો હતો એ બોલ્યો.

“એનાં છોકરા કિશોરને આજ રૂપિયો નાળીયેર દેવા આવ્યાં છે, બહું મોટી પાર્ટી છે સુરતની, છોકરીય ડોકટર છે, ભવાન ભાઈ ને હવે તો બખ્ખા છે, ઘરે બબ્બે ડોકટર, અને ભવાન ભીંડીની કાપવા વાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીવે છે” પેલો બોલ્યો કે તરત પાનના ગલ્લાં વાળો બોલ્યો.

“ઈ બધુય આ છોકરો ડોકટર થયોને એનાં પ્રતાપે બાકી ભવાન “ભીંડી” ને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહિ, ગામમાં એની વેલ્યુ જ નથી. કોઈને કોઈ દી ચા ની રકાબી પાઈ છે?? કોઈ દી સત્યનારાયણ ની કથા કરી છે? કોઈ દી દસ રૂપરડીય ફાળામાં લખાવી છે? આ તો સારા પ્રતાપ એનાં દીકરાના કે એ ડોકટર થઇ ગયો ને સંબંધ થઇ જાશે, બાકી વાતમાં માલ નહિ!! અને પેલાં એ પાછો તરત જ જવાબ આપ્યો.

“ છોકરા તો વરસ દિવસ પહેલાં ડોકટર થયો , એની પહેલાં એણે ત્રણ દીકરીયું પરણાવી એ કોની શાખાથી,?? અરે ભાઈ એની રહેણી કરણી એવી હોય એમાં ગામ શું કામ બળતરા કરે છે?? એ કોઈને ચા પાતો નથી એમ કોઈની પીતો પણ નથી ને,? એણે કોઈના પૈસા ખોટા કર્યા ? એણે કોઈનું બુચ માર્યું ક્યારેય બાકી આપણા ગામમાં એક આખી શેરી “બુચ” શેરી છે, ઈ બધાય જેની જેટલી કેપેસીટી એટલું બુચ મારી મારીને સુરતથી આવતાં રહ્યા છે અને આહી આવીને જલસા કરે છે અને બધાને ચા પાય ,એને તમે વેલ્યુ કહો છો,? મને એ નથી સમજાતું નથી કે ગામને ભવાન”ભીંડી’ પર આટલી દાઝ શું કામ છે?”

“ ઈ તો અત્યારે છોકરીઓની તાણને એટલે એનાં સંબંધ તો થઇ જાય, બાપ ગમે એવો ચીકણો હોય તોય દીકરીયુંના સંબંધ તો થઇ જાય બાકી છોકરો પરણાવવો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ બાકી સીતારામની આરતી મારા ભાઈ પણ હશે ભાગ્ય ભવાન ભીંડી ના કે હવે “થોરે કેળા લાગ્યાં છે થોરે કેળા” પાનના ગલ્લાં વાળો પણ ગાંજ્યો જાય તેમ નહોતો. આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વ વિદ્યાલય જોઈ લો!! અહી આખા ગામની વાતું અને અલકમલકના વાવડ તમને સાંભળવા મળે. અને કાઠીયાવાડમાં જેટલા પાનના ગલ્લાં હશે એટલાં બીજે ક્યાય નહિ હોય એ પણ સત્ય વાત છે!!!

‘ ભવાન કરમશી’ આ ગામનું એક અફલાતુન પાત્ર!! જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને “ભીંડી” જ કહેતાં અને ભીંડી હોય પણ ચીકણી જ ને!! એક દમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો!! નાનપણમાં ગરીબી બહું જોયેલી અને બાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયાં હતાં. અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો, મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોળાનો દીકરો કિશોર અને એ પણ હવે ડોકટર હતો. કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર દખણ નો ફેર!! છોકરો હવે તો મોજ શોખથી રહે અને ભવાન “ભીંડી” એની રીતે રહે. દીકરીઓ પણ એવી જ હતી. સાત સાત ધોરણ ભણીને બધી દીકરીયું ઉઠી ગયેલ અને પછી હીરા ઘસવા બેસી ગયેલ અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈ ની વાત હતી. ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો. વીસ વરસની ઉમરે સુરત ગયેલો બે વરસ રોકાયેલો. ઘાટ, તળિયા, મથાળા પેલ વગેરે શીખી ગયેલો પણ એને સુરતની મોંઘવારી નડી ગયેલ. પહેલેથી જ કરકસરવાળું જીવન જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી!! વરસ દિવસમાં મા અને બાપ બેય ગુજરી ગયેલાં અને ઘરમાં એ સાવ એકલો!! બંને ફઈને સારું હતું પણ એનાં બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે એ દાઝ બને ફઈએ રાખી અને કાઈ મદદ ના કરી. અને ભવાને ક્યારેય સગા સંબંધીને કાઈ કીધેલું પણ નહિ કે મને મદદ કરો, બધાં વાટ જોઈએને જ બેઠેલા કે સગપણ વખતે તો ભવાન કયા જાવાનો!!?? અમારી પાસે તો આવવું જ પડશે ને ત્યારે બધું સંભળાવવું છે!! પગે લાગેને પછી જ એનાં સગપણની વાત આગળ વધારવાની છે!!

અમારા કાઠીયાવાડ ની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંઘરે એમ પેઢી દર પેઢી દાઝ પણ સંઘરી રાખવાની અને પછી જયારે મોકો આવે ને ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાઝ બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે!!

“તારો બાપ પરણ્યોને ત્યારે એણે અમારું નામ કંકોતરીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું અમને સોખમણ ના થાય” અથવા તો

“તારી ફઈ પરણીને ત્યારે હું બે બળદ ગાડા લઈને સરભંડાથી આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો. અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો અને બપોરે ખાઈને સીધો વેતો પડી ગયો, આમ વેવાર હાલે જાવ અમે તમારા સીમંતમાં નથી આવવાના , અમારે પણ આબરૂ હોય કે નહિ.?”

પણ ભવાન કરમશીએ જાતેજ લગ્ન કરી નાંખેલા, પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતેજ પરણી ગયો. ગામમાં જયારે કંકોતરી વહેંચાઇ ત્યારે જ ખબર પડી કે લે ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે!! આમ તો એ આખા ગામનાં પ્રસંગમાં જતો તનતોડ કામ કરતો એટલે લોકો તો એનાં પ્રસંગમાં આવેલા!! કોઈક સંબંધી આવેલ કોઈક ના આવેલ, આવ્યાં એનું સ્વાગત ના આવ્યાં એને બીજી વાર કીધેલું પણ નહિ કે કેમ ના આવ્યાં!!?? અને વહુ પણ એને એનાં સ્વભાવ રોખી મળેલી. એ પણ ગણી ગણી ને જ ડગલા ભરે!! કોઈ જાતનું વેરેનટાઈઝ જ નહિ!! કોઈ વધારાનો ખર્ચ જ નહિ!! જીવન જ સાદું અને ખેતી કરવાની!! ઘરે એક ઘંટી રાખેલી હીરાની તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે!! એની વહુ વસન ને પણ હીરા શીખવાડી દીધેલા!! અને પોતે ઓલરાઉન્ડર ખરોને એટલે ભાવનગર જઈ આવે કાચી રફ લઇ આવે ને પછી પોતેજ ઘાટ કરે, મથાળા મારે, પેલ કાપે, તરખુણીયા કાપે,તળિયા મારે અને એ માલ વેચી આવે!! ગામની બધી બાયું નવરાત્રીમાં રાસ લે, માતાજીના ગરબા લે ત્યારે વસન અને ભવાન રાતે હીરાની ઘંટી પર પેલ કાપતા હોય!! ગામમાં કોઈની પાસે ક્યારેય એક રૂપિયો ઉછીનો લીધેલો નહિ કે ક્યારેય કોઈને રૂપિયો દીધેલો નહિ.

ત્રણ છોકરીઓનો જન્મ થયો, ત્રણેય મોટી થઇ કિશોરનો જન્મ થયો એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો. અને છોકરીઓ સાત પાસ કરીને હીરામાં ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી ગયેલી પણ શરીર પર સારું લૂગડું ના પહેરે!! કથામાં જાય પણ ઘરે કથા નહિ!! છોકરીઓ પરણાવી!! સારો એવો કરિયાવર કર્યો!! બીજી છોકરીના લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કર્યું કે આપણે કામ કરવા નથી જાવું!! બધાયે બહાના કાઢવા કે અમારે અમુક જગ્યા એ જાવાનું છે આ વખતે ગમે એ થાય પણ ભવાન ને પછાડી તો દેવાનો છે !! એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવ મંદિર છે ત્યાં શિવમહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપ તો જ અમે કામ કરીશું. આમ ગામલોકો એ એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ!! પણ કોણ જાણે ભવાન ને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એણે એક રાંધવા વાળી ગેંગ ને આપી દીધેલું!! આ કેટરર્સ શબ્દ તો ગામડામાં પછી આવેલો શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી ઈ બધું જ કરે!! તે ગામ જોઈ જ રહેલું!! જાન આવી વરઘોડો ચડ્યો જાન જમી ગઈ પછી ગામ જમવા ના આવ્યું.એને એમ કે ભવાન આવી ને બધાને વિનવણી કરશે બપોરના બે થવા આવ્યા પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા.અને બધાને લાગી હતી ભૂખ એટલે પછી ગામ જાય ક્યાં ?? દિવેલ પીધેલ મોઢે જમવા આવ્યાં. ભૂખ થોડી સગી થાય!! બધાં મને કમને જમ્યા પણ ખરા!! પણ મનની મનમાં રહી ગઈ!! ત્રીજી છોકરી પણ પરણાવી એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું!! કંકોતરીમાં લખ્યું કે “ચાંદલા પ્રથા બંધ છે” ગામ પાછું સમસમીને જોઈ રહ્યું અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ. પણ આવા ચીકણા ભીંડા ને ત્યાં કોણ દીકરી દેશે!!?? ગમે એમ થાય પણ સંબંધ થવા દેવો જ નથી!!

કાઠીયાવાડની બીજી ખાસિયત કે કોઈ છોકરાનો સંબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે. ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે!

“કયું ગામ?? ઓહ માલપરા એમને તે મગન આતા ને ત્યાં આવ્યા હતાં એમને સાચું ભાઈ સાચું એના દીકરા ના દીકરાનો સંબંધ જોવા આવ્યા હતાં નહિ.. કરો કરો સંબંધ માણસ અને ખોરડું સારું જ છે એનો દીકરો લગભગ વરસ દિવસ પહેલા ઉધનામાંથી પકડાયો હતો. કઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો.પૈસા ખરાને એટલે ઘર અને છોકરો વરી જાય !! આમ માણસ અને ખોરડું સારું!! તમ તમારે વેવિશાળ કરો?” આવું કહીને થયેલાં સંબંધ તોડાવી નાંખનાર સ્પેશ્યલ માણસો ગમે ગામ હોય છે.

કિશોર ભણ્યે હોંશિયાર દસ ભણીને એણે સાયંસ રાખ્યું અને વલ્લભ વિદ્યાનગર મુક્યો અને સાયન્સમાં થયો પાસ!! પણ સરકારી મેડીકલ કોલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડીકલમાં તો ઘણાં બધાં ડોનેશનમાં દેવા પડે અને ઈ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટક માં જાવું પડે. ભવાને હિસાબ માંડ્યો, વરસોની બચત કાઢી પણ તોયે ચારેક લાખ ઘટતા હતાં!! ક્યાંથી લાવવા!!? જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નહોતો કે નહોતી કરી કોઈને મદદ!! હવે શું કરવું?? સાંજે બેઠા બેઠા વાત કરી કિશોરે.

“બાપા એમ કરોને જમીન વેચી નાંખો અને આમેય હું ડોકટર થયા પછી તમારે તો જલસા જ છે ને”?

“શું બોલ્યો જમીન વેચવી એમ , પછી મારે ખાવું શું?? , કાલ ઉઠીને તું તારૂ કરી ખા તો મારે ને તારી બા ને જવું ક્યાં,?? એટલે એ વાત તો કરતો જ નહિ. તું આયુર્વેદિક માં જતો રહે એમાં તો તને મળી જ જાય છે ને ખર્ચો પણ ઓછો” ભવાને વાત કરી ને કિશોર ઉકળી ગયો.

“થાવું તો એમબીબીએસ જ બાકી તમે કહો તો હીરા ઘસવા છે મારે ભણવું જ નથી ચાલો વાત પૂરી” કિશોરે મોઢું બગાડીને કહ્યું.

“ આટલું બધું ભણાવ્યો અને હવે કહે એ નથી ભણવું તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ?? પૈસા ઝાડ પર ઉગે છે? હજુ તો કમાતા નથી શીખ્યા અને સામું બોલો છો? પૈસા કેમ પેદા થાય એ બેટા માર્કેટમાં આવોને તો ખબર પડે ખબર?” ભવાન પણ ધગી ગયો અને પછી કિશોર બોલ્યો!! ઈ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઇ ગયો..

“અત્યાર સુધી ગામને હું ગાંડું જ ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો!! તમને બધાં ભવાન ભીંડી કહે એ બરાબર છે!! એકદમ ચીકણી ભીંડી જેવા છો પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી!! મરોને ત્યારે બધું સાથે લેતા જજો” બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો.. એની બાપની આંખમાં આંસુ હતાં, જીવનમાં પહેલી વાર આંસુ હતાં!! વસન પણ સાંભળતી હતી એ કશું બોલી નહિ!! એ બધું જ દુઃખ પી ગઈ થોડી વાર પછી ભવાન બોલ્યો.

“ જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે, હું ક્યાય જાત્રાએ પણ નથી ગયો, કોઈ દિવસ સારું લૂગડું પણ નથી પહેર્યું અને બધું છોકરા માટે જ કર્યું છે તોય કદાચ ગામ સાચું હોય પણ ખરું કારણ કે આજ મારું લોહી જ બોલે અને પોતાનું લોહી ખોટું તો બોલે જ નહિ” સૌ સ્તબ્ધ થઇ ગયાં.

સવારે ભવાન ઉભો થયો કિશોરને કીધું કે

“એક જગ્યા એ જાવ છું તું ચિંતા કરતો નહિ. તને મેડીકલમાં એડમીશન મળી જશે એ પાકું જા, પૈસા લઈને જ આવીશ જા બસ હવે ખુશ ને કદાચ ચાર પાંચ દિવસ પછી પણ આવું પણ પૈસા લઈને જ આવીશ” કિશોરે માફી માંગી લીધી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ પણ બોલાઇ ગયું શું થાય. ભવાન ગયો ચાર દિવસ પછી આવ્યો. સાથે ઘટતાં ચાર લાખ રૂપિયા હતાં. એડમીશન મળી ગયું કિશોર ખુશ!! ગામમાંથી પહેલો ડોકટર બની રહ્યો હતો!! ગામ પહેલેથી આભું જ હતું!! આજ વધારે આભું બની ગયું!! આટલા બધાં રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન “ભીંડી” એ? પાછી વાતો થઇ.

“જીવન આખું ગરીબની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને?

“ આખી જીંદગી બળતરા કરી ને પૈસો ભેગો કર્યો છે આવા પૈસાને શું ધોઈ પીવો?”

“ પણ જોજો છોકરો ઉડાડી દેવાનો , ડોકટર થાશે એટલી વાર છે ઈ ભવાન ને ભેગા ના રાખે , અને આ ક્યાય ટકે એવો નથી એકદમ ફેવિકોલ!! ફેવિકોલ તો ઓછો ચીકણો હોય આ તો ફેવીક્વિક છે ફેવી કવીક!!

વસને પણ એક વાર પૂછેલું કે

“આટલા બધાં પૈસા તમે કોની પાસેથી લાવ્યાં છો મને તો કહો” અને ભવાને જવાબ આપેલો.

“હવે બેહ છાની માની તને ના ખબર પડે આમાં” અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહિ ઈ વખતમાં બાયું પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે…!!! આજના જેવી બાયું તો નહિ જ એ વખતે!!

કિશોર ડોકટર બની ગયો!! સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઇ ગયો!! અને તમે ભણવા જાવ મેડીકલમાં એટલે તમને પ્રેમ પહેલાં થાય અને પછી ડોકટર થવાય !! એક કારણ એ પણ ખરું કે ધોરણ બાર સાયન્સમાં ખુબ ઉંચી ટકાવારી લાવવી પડે. એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઈચ્છા દબાવીને બેઠા હોય તનતોડ મહેનત કરીને જયારે મેડીકલમાં જાય એટલે વરસોથી દબાવેલી પ્રેમ ઝંખના તરત જ જાગી ઉઠે ને પછી એ લોકો સીધાજ પ્રેમમાં ઝંપલાવે!! ઉંધે કાંધ ઝંપલાવે!!!

સંગીતાના પિતા સુરતમાં મોટા વેપારી, એને પણ કિશોર ગમી ગયો!! ભવાન પાસે વાત આવી એ પણ રાજી થઇ ગયો!! એ સુરત જઈને નક્કી કરી આવ્યો!!

તે આજ ચાર ગાડીઓ આવી હતી રૂપિયો નાળીયેર દેવા!! આમ તો એની કાઈ જરૂર જ નહોતી ને કારણ કે વરસ દિવસ થી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતા. સંગીતા ના પાપા એ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું. એક સરસ મજાનો બંગલો લઇ દીધેલો અને એ પણ વેડ રોડ પર કિશોરકુમાર માથે સસરાજી ધનપતરાયના ચારેય હાથ હતાં!! એકની એક દીકરી હતી!! દીકરો હતો નહિ એને જે જોઈતો હતો એ જમાઈ મળી ગયો હતો.!! પછી તો સુરત લગ્ન ગોઠવણા!! ફાર્મ હાઉસમાં બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતાં!! ભવાને આખા ગામમાં કંકોતરી વેચી હતી અને એ પણ સાગમટે!! ભવાને પણ લાગ જોઇને સોગઠી મારતો હતો ને અમુક ને કહેતો હતો.

“જો સુરત લગ્ન છે , ફાર્મ હાઉસમાં છે, બધાએ આવવાનું છે , સાગમટે આવવાનું છે, ઈ એટલાં માટે કે તમને બધાને આવા લગ્ન જોવા મળે ને કે ના મળે !! જુઓ આ ૫૦૦ રૂપિયાની કંકોતરી છે!! વેવાઈનો જ ખરચો છે અને વેવાઈ એ કીધું કે આખું ગામ આવવું જોઈએ, ટિકિટ ભાડા ના પૈસા પણ વેવાઈ આપવાના છે જો કોઈને વેત નો હોય તો કેજો એમ વેવાઈ કહેતા હતાં હતાં, આવજો જરૂર ત્રણ દિવસનો જલસો છે જલસો અને મારે આ છેલ્લો પ્રસંગ અને હા ચાંદલા પ્રથા તો બંધ છે”

ગામ વળી પાછું આભું બની ગયું!! ભવાન ભીંડી એક એક પછી એક કુકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભું બનવું જ પડતું . હવે ઘણાં એ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડોકટર નું કામ પડે ને એટલે અમુક તો કેમ છો “ભવાન કાકા” એમ પણ કહેવા માંડ્યા!! પ્રસંગ પતાવ્યો ધામધૂમ થી પતાવ્યો. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે!! સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેશી તોય એને તકલીફ ના પડી પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો.

બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે

“ આ ચાર હજારનું બિલ આ ચાર જણાનું આ ના પોસાય, આની કરતાં ઘરે બનાવીને ખવાય તમે તો બંને ડોકટર બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ”

“ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ ટીવી”?

“ આ પીઝા અને ઢોસા કરતાં બાજરાના રોટલાં સારા દેશી ખોરાક ઈ દેશી ખોરાક સારો”

શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે

“બાપુજી તમારે મૂંગા રહેવાનું જે થાય ઈ જોવાનું, હવે ઈ જમાના ગયાં, તમે જે રીતે જીવતાં એ રીતે હવે કોઈ ના જીવી શકે”

“ પણ હું એમ કહું છું પૈસા બગાડો નહિ, ભેગા કરો જરૂર હોય ત્યાં વાપરો એની ના નહિ પણ વેડફો નહિ, આતો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે” ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો. પછી તો ભવાન એકાદ મહીનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં પણ પછી તો ગામડામાં જ રહી ગયાં. ખેતી આપી દીધી હતી ભાગીયાને અને હવે કર રહ્યા નહોતા. વસન અને ભવાન ઘરે જ હોય કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઇ દીધેલી પણ વાપરે કોણ પેટ્રોલ બળે ને!! ઉનાળામાં ઘડીક એસી શરુ કરે ને પછી બંધ તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું!! એક મોટું ટીવી અને ડીશ પણ ગોઠવી દીધેલ!!પણ તોય એ શરુ ના કરે કારણકે પાવર બળેને!! આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર!! તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુધી તે રાતોરાત છોકરો આવ્યો. લઇ ગયાં સુરત અને વસન ને ખીજાણો પણ ખરો.

“બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો,? મને પહેલાં વાત કરી હોત તો, હું તરત આવી જાતને , હું કાઈ પારકો છું? અને અહી રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યાં સિવાય ચાલે નહિ અને છેક રામાવતારનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય”.

કિશોર ભવાનને પોતાની હોસ્પીટલમાં દાખલ કર્યો , તાવ મગજમાં ઘુસી ગયો હતો. રીપોર્ટ કરાવ્યા, આખા શરીર નું ચેક અપ કરી નાખ્યું. સાંજે રીપોર્ટ આવવાના હતાં પાંચ વાગ્યા ને ભવાન ભાઈ એ આંખો ખોલી. દીકરો બોલ્યો.

“જુઓ પાપા હવે હું હાથ જોડું છું કાઈ બોલવાનું નથી અને આહી જ રહેવાનું છે નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે, એ જમીન છે ને ત્યાં ભાગીયો વાવશે બાકી તમારે ક્યાય જવાનું નથી”

ભવાન બોલ્યો..

“ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને આમેય મારું બોર્ડ હવે પૂરું થાવામાં છે “ આવી વાત થતી હતી ત્યાં જ રીપોર્ટ લઈને નર્સ આવી. આખા શરીરના ફોટા અને તમામ રીપોર્ટસ હતાં. એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ એ રાડ પાડીને બોલી.

“કિશોર આ જુઓ તો “ કિશોરે એ એક્ષરે જોયો અને બોલ્યો.

“ બાપુજી તમારે એક જ કિડની છે?? એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે. કોણે કાઢી લીધી તમને ખબર છે”??? આમ કેમ ?

“ હા બેટા તારે પૈસા ઘટતા તા ને ઈ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ લાવેલ, તારી માને મેં વાત નથી કરી અને વાત શું કામ કરવાની!!?? દીકરા માટે માં બાપ કિડની તો શું આખે આખા વેચાય જાય!! તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા!! ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતાં પૈસા!! પછી તો આજ ઉપાય હતો!! આ તો વળી ફોટા પાડ્યાને તને ખબર પડી બાકી હું નોતો કહેવાનો!! એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો ક્યારેક કામ લાગે” ભવાન કરમશી બોલતો હતો !! અને વસન , કિશોર અને સંગીતા સંભાળતા હતાં. કિશોરના હાથમાંથી રીપોર્ટસ પડી ગયાં હતાં, આજ બાપને એને એક વખત “ભીંડી” કહ્યો હતો. અને એ સાંજે ભવાન અવસાન પામ્યો. કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો. ભીની આંખે સહુ એની સ્મશાન યાત્રામાં જોડાયા!!

અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે, ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડ ના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહિ ત્યારે ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું!!! આ વખતે ગામ આભું તો હતું જ પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતાં!! અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું!!!!!

ઘણી વખત માં બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જયારે બહુજ મોડું થઇ ગયું હોય છે.

લેખક – મુકેશ સોજીત્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મંગલદીપ

આગંતુક ત્રણેય માણસ , એક યુવાન અને આધેડ સ્ત્રી પુરુષ.. શોભાબેન અને ખુશાલભાઈને અજાણ્યા લાગ્યા.. ” આવો .. જયશ્રી કૃષ્ણ.. “ કહી અંદર બેસાડ્યા..
દીપાને દવાખાનેથી ઘરે લાવ્યા પછી , રોજ ઘણા સગા સંબંધી ખબર પુછવા આવતા.. પતિ પત્નીને લાગ્યું કે દીપાની કોલેજના કોઈ ઓળખીતા હશે..
દીપાનો એ અકસ્માત ભારે હતો.. રોજની જેમ એ ચાલીને કોલેજે જતી હતી.. રસ્તામાં આવતું રેલ્વે ફાટક બંદ હતું.. બન્ને બાજુ વાહનો જમા થઈ ગયા હતા.. આજે મોડું થયું હતું.. એ ઉતાવળે ગરક ઝાંપલીમાંથી નિકળી પાટા ઓળંગી રહી હતી.. ગાડી સામે જ દેખાતી હતી.. અચાનક એનું ઉંચી એડીનું સેન્ડલ પાટાના સાંધામાં ફસાયું.. સેકન્ડોનો મામલો હતો.. સેન્ડલ ન નિકળ્યું.. ન તો એ સેન્ડલમાંથી પગ કાઢી શકી.. એ બહારની તરફ સુઈ ગઈ.. કાંડા નજીકથી પગ છુંદાઈ ગયો.. દવાખાનામાં એટલો ભાગ કાઢી નાખવામાં આવ્યો..
આગંતુકોએ દીપાની ખબર પુછી.. અને પોતાનો પરિચય આપ્યો..
” આ અમારો દિકરો મંગલ.. હમણાં જ બેંકમાં નોકરીએ લાગ્યો છે.. દીપા કોલેજમાં ભણવામાં આનાથી બે વરસ પાછળ છે.. બન્ને પ્રેમમાં છે.. મંગલે અકસ્માતની અને એના દીપા સાથેના સંબંધની વાત ઘરમાં કરી..”
થોડું પાણી પીય.. આધેડ પુરુષે વાત આગળ ચલાવી..
” આપણી ગ્નાતિ એક નથી.. જો દીપાને આવું થયું ન હોત તો અમે મંગલને પ્રેમ છોડી.. પોતાની ગ્નાતિમાં સગાઈ કરવા સમજાવત.. પણ હવે મંગલ વધુ મક્કમ છે.. એટલે અમે તમારી દિકરીનું માંગુ લઈને આવ્યા છીએ..”
શું બોલવું.. એ થોડીવાર પતિ પત્નીને સમજાયું નહીં.. પરંતુ એકબીજા સામે જોઈ મુક સંમતિ આપી દીધી..
અચાનક શોભા બેને આગંતુક સ્ત્રીનો હાથ પકડી લીધો.. ” બેન , તમે મારા માથા પરથી ચીંતાનો ડુંગર ઉતારી નાખ્યો..અમારે કંઈ જ જોવું પુછવું નથી.. આજથી આ દિકરી તમારી..”
એણે અનાયાસ .. મંગલના દુખણા લીધા..


પાંચેય દીપાવાળા ઓરડામાં ગયા.. શોભાબેનના ટેકાથી એ પથારીમાં બેઠી થઈ.. મંગલને જોઈ , એ અચંબો પામી.. તેણે મનોમન વિચારેલું કે..’ મંગલ હવે મને ક્યારેય નહીં મળે..’
આગંતુક સ્ત્રીએ દીપાના માથા પર હાથ ફેરવ્યો..
” મારું નામ માણેક.. હું તારી સાસુ થઈશ.. ને આ તારા સસરા.. ” એમ કહી થેલીમાંથી નાળીયેર અને સાકરનો પડો કાઢ્યો..
શોભાબેને કહ્યું.. “ બેટા બે હાથમાં લઈ લે..”
હીરાલાલે એકસો એક રુપિયા પડા પર મુક્યા..
માણેકબેને કહ્યું.. ” મને કંકુ ચોખા આપો.. ચાંદલો કરી દઉં..”
દીપાનું મોં મરક મરક થઈ રહ્યું હતું.. સાસુએ ચાંદીના સાંકળા કાઢ્યા.. બેય સાંકળા એક જ પગમાં પહેરાવી દીધા..
બીજા બહાર ગયા.. મંગલે ટેકો આપી દીપાને ઉભી કરી.. દીપાએ ગણેશના આરીયા પાસે લઈ જવા કહ્યું.. મંગલે એની કમર પકડી.. દીપાએ મંગલનો ખભો જાલ્યો.. દીપાએ કોડિયામાં દીવો પ્રગટાવ્યો.. બોલી..
” તમે ખુબ કમાજો.. હું ઘર સાંચવીશ.. મમ્મી પપ્પા છોકરાં સાંચવશે.. આપણે એક નાનકડું ખુબ સુંદર મકાન બનાવડાવશું.. એનું નામ રાખશું.. ‘ મંગલદીપ’..”
દીપા મનની અને પગની પીડા સાવ ભૂલી ગઈ..

  • જયંતીલાલ ચૌહાણ ૧૪-૭-૨૧
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार ब्रज की गोपियों ने माखनचोर श्रीकृष्ण को माखन चुराते हुए रंगे हाथ पकड़ने के लिए मिलकर एक युक्ति सोची। उन्होंने योजना बनाई कि किसी तरह कृष्ण की कमर में घंटी बांध दी जाए। उन्होंने इसके लिए यशोदा मैया से ही निवेदन करना उचित समझा।असल में वे यशोदा जी से जब-तब यह शिकायत करती थीं कि उनका लाल जब माखनचुराने आता है, चुपके से आता है और द्वार पर सांकल (कुंडी) लगा देता है ताकि कोई बाहर आकर उसे पकड़ न ले। यही नहीं, कोई शोर मचाए तो खूंटे से बंधे बछड़ों को खोल देता है जिससे वेगाय का सारा दूध पी जाते हैं। यशोदा मैया ने गोपियों की सारी बात सुनकर लाला कृष्ण की कमर में घंटी बांधने के लिए हामी भर दी, ताकि उसके आने का सबको पता चल सके। और एक दिन मैया ने भगवान की कमर पर घंटी बांध दी। भगवानकृष्ण ने इस पर आपत्ति भी जताई और कहा, ‘मां! यह क्या करती हो, यह घंटी तो गर्मी में गर्म हो जाने पर शरीर को जलाएगी।’ मैया ने उत्तर दिया, ‘कुछनहीं होगा, यह बजेगी तो मुझे पता लगता रहेगा कि तुम यहीं हो।अब भगवान जब भी चलते, घंटी बजती। गोप-गोपियों को भी पता चल गया कि अगरघंटी की आवाज आ रही है तो वह माखनचोर कहीं आसपास ही होगा। सब सचेत हो जातेघंटी की ध्वनि सुनकर। इस कारण मित्र-मंडली को तो माखन के लाले पड़ गए। अत: सभी ने श्रीकृष्ण से कहा कि घंटी उतारो। भगवान ने कहा कि मां ने बांधी है, कैसे खोलूं? फिर खुद ही यह सुझाव भी दिया कि ऐसा करते हैं कि जब कहीं माखन चुराने जाएंगे, तो मैं घंटी को हाथ से पकड़ लूंगा ताकि वह बजे ही नहीं। सबने सहमति में सिर हिला दिया।अगले दिन जब घर से निकले तो भगवान श्रीकृष्ण ने घंटी को पकड़ लिया। मित्र- मंडली सहित चुपचाप गोपी के घर में घुसे। देखा माखन तो छींके पर रखा है। भगवान ने घंटी से कहा कि देखो मैं तो माखन मित्रों को, बंदरोंको खिलाऊंगा, अत: बजना नहीं। मित्रोंने आसन बनाया, फिर उनके ऊपर छोटा आसन,फिर उस पर चढे़ श्रीकृष्ण। घंटी नहीं बजी। श्रीकृष्ण ने छींके पर रखे मटके में हाथ डाला, घंटी फिर भी नहीं बजी। उन्हें तसल्ली हुई की घंटी उनकी बात मान रही है।अब क्या था, खुले दिल से बंदरों को माखन लुटाने लगे। घंटी फिर भी नहीं बजी। फिर मित्रों की बारी आई। पहले माखन का एक लोंदा धीरे से उछाला, जब घंटी नहीं बजी तो बेधड़क होकर माखन मित्रों की ओर उछालने लगे। घंटी नहीं बजी। इतना कुछ हुआ, पर घंटी नहीं बजी। अब माखन को देखकर श्रीकृष्ण के मन भी लालच आने लगा।घंटी के न बजनेे से मन आश्वस्त था। अत: निश्चिंत होकर माखन को उंगली के ऊपर लगाया और मुंह में रखा। माखन जैसे ही मुख में गया, घंटी बजने लगी। घंटी बजने की आवाज सुनकर सभी अवाक रहगए। जिसे जिधर समझ आया, उधर भागने लगा। एक अधेड़ उम्र गोपी ने शीघ्रता से आकर कन्हैया को पकड़ लिया और प्रसन्न होकर कहने लगी, ‘लाला! आज पकड़ा गया, आज तुझे मैं यशोदा के पास ले जाऊंगी और बताऊंगी तेरी करतूत।’ बड़ी अनुनय-विनय के बाद भी जब गोपी ने उन्हें नहीं छोड़ा, तो श्रीकृष्ण ने गोपी से कहा,’ ठीक है, ले जाना, पर इससे पहले मुझे घंटी से कुछ पूछने दो।कन्हैया ने घंटी से पूछा, ‘इतनी देर मित्रों को माखन खिलाया, तुम नहीं बजी, पर मेरे खाते ही बजने लगी। मैंने मना किया था ना।’ घंटी ने कहा, ‘आपका आदेश सिर आंखों पर। आप ही का आदेश शास्त्रों की वाणी है। और शास्त्रों के अनुसार जब भी आपको भोग लगता है, घंटी बजती है। घंटी बजे बिना भोग ही नहीं लगता। अगर मैं नहीं बजती जो आपकी वाणी झूठी हो जाती। इसीलिए मैं आपके द्वारा माखन का भोग लगाते ही बज उठी।’
जय श्री कृष्णा
जय श्री राधाकृष्ण

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌹🌹🙌कान्हा, आ जाओ 🙌🌹🌹
.
एक पंडित था, वो रोज घर घर जाके भगवत गीता का पाठ करता था |
.
एक दिन उसे एक चोर ने पकड़ लिया और उसे कहा तेरे पास जो कुछ भी है मुझे दे दो ,
.
तब वो पंडित जी बोला की बेटा मेरे पास कुछ भी नहीं है, तुम एक काम करना मैं यहीं पड़ोस के घर मैं जाके भगवत गीता का पाठ करता हूँ, वो यजमान बहुत दानी लोग हैं,
.
जब मैं कथा सुना रहा होऊंगा तुम उनके घर में जाके चोरी कर लेना ! चोर मान गया.
.
अगले दिन जब पंडित जी कथा सुना रहे थे तब वो चोर भी वहां आ गया तब पंडित जी बोले की…
.
यहाँ से मीलों दूर एक गाँव है वृन्दावन, वहां पे एक लड़का आता है जिसका नाम कान्हा है, वो हीरों जवाहरातों से लदा रहता है, अगर कोई लूटना चाहता है तो उसको लूटो…
.
वो रोज रात को इस पीपल के पेड़ के नीचे आता है। जिसके आस पास बहुत सी झाडियां हैं
.
चोर ने ये सुना और ख़ुशी ख़ुशी वहां से चला गया ! वो चोर अपने घर गया और अपनी बीवी से बोला आज मैं एक कान्हा नाम के बच्चे को लुटने जा रहा हूँ ,

मुझे रास्ते में खाने के लिए कुछ बांध कर दे दो , पत्नी ने कुछ सत्तू उसको दे दिया और कहा की बस यही है जो कुछ भी है,
.
चोर वहां से ये संकल्प ले के चला कि अब तो में उस कान्हा को लुट के ही आऊंगा,
.
वो बेचारा पैदल ही पैदल टूटे चप्पल में ही वहां से चल पड़ा, रास्ते में बस कान्हा का नाम लेते हुए,
.
वो अगले दिन शाम को वहां पहुंचा जो जगह उसे पंडित जी ने बताई थी !
.
अब वहां पहुँच के उसने सोचा कि अगर में यहीं सामने खड़ा हो गया तो बच्चा मुझे देख कर भाग जायेगा तो मेरा यहाँ आना बेकार हो जायेगा, .
.
इसलिए उसने सोचा क्यूँ न पास वाली झाड़ियों में ही छुप जाऊँ, वो जैसे ही झाड़ियों में घुसा, झाड़ियों के कांटे उसे चुभने लगे !
.
उस समय उसके मुंह से एक ही आवाज आयी… कान्हा, कान्हा, उसका शरीर लहू लुहान हो गया पर मुंह से सिर्फ यही निकला, कि कान्हा आ जाओ ! कान्हा आ जाओ !
.
अपने भक्त की ऐसी दशा देख के कान्हा जी चल पड़े
.
तभी रुक्मणी जी बोली कि प्रभु कहाँ जा रहे हो वो आपको लूट लेगा !
.
प्रभु बोले कि कोई बात नहीं अपने ऐसे भक्तों के लिए तो मैं लुट जाना तो क्या मिट जाना भी पसंद करूँगा !
.
और ठाकुर जी बच्चे का रूप बना के आधी रात को वहां आए वो जैसे ही पेड़ के पास पहुंचे चोर एक दम से बहार आ गया और उन्हें पकड़ लिया
.
और बोला कि ओ कान्हा तुने मुझे बहुत दुखी किया है, अब ये चाकू देख रहा है न, अब चुपचाप अपने सारे गहने मुझे दे दे…
.
कान्हा जी ने हँसते हुए उसे सब कुछ दे दिया !
.
वो चोर हंसी ख़ुशी अगले दिन अपने गाँव में वापिस पहुंचा, और सबसे पहले उसी जगह गया जहाँ पर वो पंडित जी कथा सुना रहे थे,
.
और जितने भी गहने वो चोरी करके लाया था उनका आधा उसने पंडित जी के चरणों में रख दिया !
.
जब पंडित ने पूछा कि ये क्या है, तब उसने कहा आपने ही मुझे उस कान्हा का पता दिया था मैं उसको लूट के आया हूँ, और ये आपका हिस्सा है ,
.
पंडित ने सुना और उसे यकीन ही नहीं हुआ !
.
वो बोला कि मैं इतने सालों से पंडिताई कर रहा हूँ वो मुझे आज तक नहीं मिला, तुझ जैसे पापी को कान्हा कहाँ से मिल सकता है !
.
चोर के बार बार कहने पर पंडित बोला कि चल में भी चलता हूँ तेरे साथ वहां पर, मुझे भी दिखा कि कान्हा कैसा दिखता है, और वो दोनों चल दिए !
.
चोर ने पंडित जी को कहा कि आओ मेरे साथ यहाँ पे छुप जाओ, और दोनों का शरीर लहू लुहान हो गया और मुंह से बस एक ही आवाज निकली कान्हा, कान्हा, आ जाओ !
.
ठीक मध्य रात्रि कान्हा जी बच्चे के रूप में फिर वही आये और दोनों झाड़ियों से बहार निकल आये !
.
पंडित जी कि आँखों में आंसू थे वो फूट फूट के रोने लग गया, और जाके चोर के चरणों में गिर गया
.
और बोला कि हम जिसे आज तक देखने के लिए तरसते रहे, जो आज तक लोगो को लुटता आया है, तुमने उसे ही लूट लिया
.
तुम धन्य हो, आज तुम्हारी वजह से मुझे कान्हा के दर्शन हुए हैं, तुम धन्य हो..!!
.
ऐसा है हमारे कान्हा का प्यार, जो उसे सच्चे दिल से पुकारते हैं, तो वो भागे भागे चले आते हैं…..!!
.
मेरो तो गिरधर-गोपाल, दूसरो न कोई

🌹🌞🙌जय जय श्री राधे🙌🌞🌹

अनिल पढियार

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

हम प्रभु से भक्ति क्यों नही मांगते???आज का प्रभु संकीर्तन।परमात्मा ने इतना सुन्दर जीवन हमे दिया है।फिर भी हम उससे धन दौलत या संतान पाने की इच्छा रखते हैं।जबकि यह सब नश्वर है।यदि संसार मे कुछ रहने और साथ जाने वाला है तो वह भक्तिभाव है।हम वही परमात्मा से पहले न मांगकर सांसारिक वस्तुए मांगते हैं।पढिये कथा।श्री अयोध्या जी में एक उच्च कोटि के संत रहते थे, इनके मन मे हर समय रामायण का श्रवण करने की इच्छा रहती थी।
.जहां भी कथा चलती वहाँ बड़े प्रेम से कथा सुनते, कभी किसी प्रेमी अथवा संत से कथा कहने की विनती करते ।
.एक दिन राम कथा सुनाने वाला कोई मिला नहीं । वही पास से एक पंडित जी रामायण की पोथी लेकर जा रहे थे । पंडित जी ने संत को प्रणाम् किया और पूछा की महाराज ! क्या सेवा करे ?
.संत ने कहा – पंडित जी , रामायण की कथा सुना दो परंतु हमारे पास दक्षिणा देने के लिए रुपया नहीं है, हम तो फक्कड़ साधु है । माला, लंगोटी और कमंडल के अलावा कुछ है नहीं और कथा भी एकांत में सुनने का मन है हमारा । पंडित जी ने कहा – ठीक है महाराज। संत और कथा सुनाने वाले पंडित जी दोनों सरयू जी के किनारे जा कर बैठ गये।
.पंडित जी और संत रोज सही समय पर आकर वहाँ विराजते और कथा चलती रहती ।
संत बड़े प्रेम से कथा श्रवण करते थे और भाव विभोर होकर कभी नृत्य करने लगते तो कभी रोने लगते।
.जब कथा समाप्त हुई तब संत ने पंडित जी से कहा – पंडित जी, आपने बहुत अच्छी कथा सुनायी । हम बहुत प्रसन्न है, हमारे पास दक्षिणा देने के लिए रूपया तो नहीं है परंतु आज आपको जो चाहिए वह आप मांगो ।
.संत सिद्ध कोटि के प्रेमी थे, श्री सीताराम जी उनसे संवाद भी किया करते थे ।
.पंडित जी बोले – महाराज हम बहुत गरीब है, हमें बहुत सारा धन मिल जाये ।
संत ने प्रार्थना की कि प्रभु इसे कृपा कर के धन दे दीजिये ।
.भगवान् ने मुस्कुरा दिया, संत बोले – तथास्तु ।
.फिर संत ने पूछा – मांगो और क्या चाहते हो ? पंडित जी बोले – हमारे घर पुत्र का जन्म हो जाए ।
.संत ने पुनः प्रार्थना की और श्रीराम जी मुस्कुरा दिए । संत बोले – तथास्तु, तुम्हे बहुत अच्छा ज्ञानी पुत्र होगा ।
.फिर संत बोले और कुछ माँगना है तो मांग लो । पंडित जी बोले – श्री सीताराम जी की अखंड भक्ति, प्रेम हमें प्राप्त हो । संत बोले – नहीं ! यह नहीं मिलेगा ।
.पंडित जी आश्चर्य में पड़ गए की महात्मा क्यो मना कर रहे है । पंडित जी ने पूछा – संत भगवान् ! यह बात समझ नहीं आयी,कि आप मना क्यो कर रहे हैं।
.संत बोले – तुम्हारे मन में प्रथम प्राथमिकता धन, सम्मान, घर की है । दूसरी प्राथमिकता पुत्र की है और अंतिम प्राथमिकता भगवान् के भक्ति की है । जब तक हम संसार को, परिवार, धन, पुत्र आदि को प्राथमिकता देते है तब तक भक्ति नहीं मिलती ।
.भगवान् ने जब केवट से पूछा कि तुम्हे क्या चाहिए ? केवट ने कुछ नहीं माँगा ।
.प्रभु ने पूछा – तुम्हे बहुत सा धन देते है, केवट बोला नहीं ।
.प्रभु ने कहा – ध्रुव पद ले लो ,केवट बोला – नहीं । इंद्र पद, पृथ्वी का राजा, और मोक्ष तक देने की बात की परंतु केवट ने कुछ नहीं लिया।वह केवल प्रभु भक्ति चाहता था तब जाकर प्रभु ने उसे भक्ति प्रदान की ।
.हनुमान जी को जानकी माता ने अनेको वरदान दिए – बल, बुद्धि, सिद्धि, अमरत्व आदि परंतु उन्होंने कुछ प्रसन्नता नहीं दिखाई ।
.अंत में जानकी जी ने श्री राम जी का प्रेम, अखंड भक्ति का वर दिया ।
.प्रह्लाद जी ने भी कहा कि हमांरे मन में मांगने की कभी कोई इच्छा ही न उत्पन्न हो तब भगवान् ने अखंड भक्ति प्रदान की ।
इस प्रकार शुद्ध भक्त वही है जो परमात्मा से धन, दौलत,पुत्र आदि नश्वर चीजे न मांगकर केवल भगवद भक्ति की ही इच्छा रखता है।जय जय श्री राधेकृष्ण जी।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Must Read
લિમિટેડ 10 પોસ્ટના વાચકો માટે

શીર્ષક – ” એક હતો ભવાન ભીંડી ”

🖋મુકેશ સોજીત્રા…..

એક શેવરોલે ક્રુઝ કાર ગામને પાદર આવીને ઉભી રહી, પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી. ધૂળની ડમરી ઉડી!! ડમરી શમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો, લીનનનો શર્ટ પહેરેલો એક આધેડ ઉમરનો એક માણસ ઉતર્યો!! એનાં હાથમાં મોબાઈલ હતો. પણ કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો, મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાંખ્યો પછી સામે આવેલા પાનના ગલ્લાં પાસે જઈને પૂછ્યું કે.

“ભવાન કરમશીનું ઘર ક્યાં આવ્યું”

“ત્રણ ભવાન કરમશી છે આ ગામમાં તમારે કોનું કામ છે?” માવો ચોળતાં ચોળતાં એક યુવાન બોલ્યો.

“ એજ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડોકટર છે” પેલાએ ખુલાસો કર્યો, અને પેલો તરત જ બોલ્યો,

“એમ કહોને તમારે ભવાન “ભીંડી”ને ત્યાં જવાનું છે, એક કામ કરો અહીંથી સીધા જાવ, ડાબી બાજુ એક રસ્તો આવશે એની સામે એક મંદિર છે તે ને ત્યાંથી ઉગમણા વળી જાવ એટલે મઢવાળી શેરી આવશે એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે, કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે એ જ ભવાન ભીંડીનું ઘર છે. ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો પણ ભવાન કરમશીનું કોઈને ના પૂછતા પણ ભવાન “ભીંડી” કહેજો તો તરત જ ઘર બતાવી દેશે” પેલાં એ માવો નાંખ્યો મોઢામાં અને કીધું. અને પેલી ચાર ગાડીઓ આગળ ગઈ. જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાં વાળો બોલ્યો.

“આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન “ભીંડી”ને ત્યાં કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં, બાકી એને ઘરે ભિખારી પણ ના જાય કોઈ દિવસ, ભિખારી તો શું કુતરું પણ એના ઘર આગળ ના નીકળે ” બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂર્તિ વાંચતો હતો એ બોલ્યો.

“એનાં છોકરા કિશોરને આજ રૂપિયો નાળીયેર દેવા આવ્યાં છે, બહું મોટી પાર્ટી છે સુરતની, છોકરીય ડોકટર છે, ભવાન ભાઈ ને હવે તો બખ્ખા છે, ઘરે બબ્બે ડોકટર, અને ભવાન ભીંડીની કાપવા વાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીવે છે” પેલો બોલ્યો કે તરત પાનના ગલ્લાં વાળો બોલ્યો.

“ઈ બધુય આ છોકરો ડોકટર થયોને એનાં પ્રતાપે બાકી ભવાન “ભીંડી” ને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહિ, ગામમાં એની વેલ્યુ જ નથી. કોઈને કોઈ દી ચા ની રકાબી પાઈ છે?? કોઈ દી સત્યનારાયણ ની કથા કરી છે? કોઈ દી દસ રૂપરડીય ફાળામાં લખાવી છે? આ તો સારા પ્રતાપ એનાં દીકરાના કે એ ડોકટર થઇ ગયો ને સંબંધ થઇ જાશે, બાકી વાતમાં માલ નહિ!! અને પેલાં એ પાછો તરત જ જવાબ આપ્યો.

“ છોકરા તો વરસ દિવસ પહેલાં ડોકટર થયો , એની પહેલાં એણે ત્રણ દીકરીયું પરણાવી એ કોની શાખાથી,?? અરે ભાઈ એની રહેણી કરણી એવી હોય એમાં ગામ શું કામ બળતરા કરે છે?? એ કોઈને ચા પાતો નથી એમ કોઈની પીતો પણ નથી ને,? એણે કોઈના પૈસા ખોટા કર્યા ? એણે કોઈનું બુચ માર્યું ક્યારેય બાકી આપણા ગામમાં એક આખી શેરી “બુચ” શેરી છે, ઈ બધાય જેની જેટલી કેપેસીટી એટલું બુચ મારી મારીને સુરતથી આવતાં રહ્યા છે અને આહી આવીને જલસા કરે છે અને બધાને ચા પાય ,એને તમે વેલ્યુ કહો છો,? મને એ નથી સમજાતું નથી કે ગામને ભવાન”ભીંડી’ પર આટલી દાઝ શું કામ છે?”

“ ઈ તો અત્યારે છોકરીઓની તાણને એટલે એનાં સંબંધ તો થઇ જાય, બાપ ગમે એવો ચીકણો હોય તોય દીકરીયુંના સંબંધ તો થઇ જાય બાકી છોકરો પરણાવવો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ બાકી સીતારામની આરતી મારા ભાઈ પણ હશે ભાગ્ય ભવાન ભીંડી ના કે હવે “થોરે કેળા લાગ્યાં છે થોરે કેળા” પાનના ગલ્લાં વાળો પણ ગાંજ્યો જાય તેમ નહોતો. આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વ વિદ્યાલય જોઈ લો!! અહી આખા ગામની વાતું અને અલકમલકના વાવડ તમને સાંભળવા મળે. અને કાઠીયાવાડમાં જેટલા પાનના ગલ્લાં હશે એટલાં બીજે ક્યાય નહિ હોય એ પણ સત્ય વાત છે!!!

‘ ભવાન કરમશી’ આ ગામનું એક અફલાતુન પાત્ર!! જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને “ભીંડી” જ કહેતાં અને ભીંડી હોય પણ ચીકણી જ ને!! એક દમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો!! નાનપણમાં ગરીબી બહું જોયેલી અને બાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયાં હતાં. અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો, મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોળાનો દીકરો કિશોર અને એ પણ હવે ડોકટર હતો. કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર દખણ નો ફેર!! છોકરો હવે તો મોજ શોખથી રહે અને ભવાન “ભીંડી” એની રીતે રહે. દીકરીઓ પણ એવી જ હતી. સાત સાત ધોરણ ભણીને બધી દીકરીયું ઉઠી ગયેલ અને પછી હીરા ઘસવા બેસી ગયેલ અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈ ની વાત હતી. ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો. વીસ વરસની ઉમરે સુરત ગયેલો બે વરસ રોકાયેલો. ઘાટ, તળિયા, મથાળા પેલ વગેરે શીખી ગયેલો પણ એને સુરતની મોંઘવારી નડી ગયેલ. પહેલેથી જ કરકસરવાળું જીવન જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી!! વરસ દિવસમાં મા અને બાપ બેય ગુજરી ગયેલાં અને ઘરમાં એ સાવ એકલો!! બંને ફઈને સારું હતું પણ એનાં બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે એ દાઝ બને ફઈએ રાખી અને કાઈ મદદ ના કરી. અને ભવાને ક્યારેય સગા સંબંધીને કાઈ કીધેલું પણ નહિ કે મને મદદ કરો, બધાં વાટ જોઈએને જ બેઠેલા કે સગપણ વખતે તો ભવાન કયા જાવાનો!!?? અમારી પાસે તો આવવું જ પડશે ને ત્યારે બધું સંભળાવવું છે!! પગે લાગેને પછી જ એનાં સગપણની વાત આગળ વધારવાની છે!!

અમારા કાઠીયાવાડ ની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંઘરે એમ પેઢી દર પેઢી દાઝ પણ સંઘરી રાખવાની અને પછી જયારે મોકો આવે ને ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાઝ બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે!!

“તારો બાપ પરણ્યોને ત્યારે એણે અમારું નામ કંકોતરીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું અમને સોખમણ ના થાય” અથવા તો

“તારી ફઈ પરણીને ત્યારે હું બે બળદ ગાડા લઈને સરભંડાથી આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો. અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો અને બપોરે ખાઈને સીધો વેતો પડી ગયો, આમ વેવાર હાલે જાવ અમે તમારા સીમંતમાં નથી આવવાના , અમારે પણ આબરૂ હોય કે નહિ.?”

પણ ભવાન કરમશીએ જાતેજ લગ્ન કરી નાંખેલા, પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતેજ પરણી ગયો. ગામમાં જયારે કંકોતરી વહેંચાઇ ત્યારે જ ખબર પડી કે લે ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે!! આમ તો એ આખા ગામનાં પ્રસંગમાં જતો તનતોડ કામ કરતો એટલે લોકો તો એનાં પ્રસંગમાં આવેલા!! કોઈક સંબંધી આવેલ કોઈક ના આવેલ, આવ્યાં એનું સ્વાગત ના આવ્યાં એને બીજી વાર કીધેલું પણ નહિ કે કેમ ના આવ્યાં!!?? અને વહુ પણ એને એનાં સ્વભાવ રોખી મળેલી. એ પણ ગણી ગણી ને જ ડગલા ભરે!! કોઈ જાતનું વેરેનટાઈઝ જ નહિ!! કોઈ વધારાનો ખર્ચ જ નહિ!! જીવન જ સાદું અને ખેતી કરવાની!! ઘરે એક ઘંટી રાખેલી હીરાની તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે!! એની વહુ વસન ને પણ હીરા શીખવાડી દીધેલા!! અને પોતે ઓલરાઉન્ડર ખરોને એટલે ભાવનગર જઈ આવે કાચી રફ લઇ આવે ને પછી પોતેજ ઘાટ કરે, મથાળા મારે, પેલ કાપે, તરખુણીયા કાપે,તળિયા મારે અને એ માલ વેચી આવે!! ગામની બધી બાયું નવરાત્રીમાં રાસ લે, માતાજીના ગરબા લે ત્યારે વસન અને ભવાન રાતે હીરાની ઘંટી પર પેલ કાપતા હોય!! ગામમાં કોઈની પાસે ક્યારેય એક રૂપિયો ઉછીનો લીધેલો નહિ કે ક્યારેય કોઈને રૂપિયો દીધેલો નહિ.

ત્રણ છોકરીઓનો જન્મ થયો, ત્રણેય મોટી થઇ કિશોરનો જન્મ થયો એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો. અને છોકરીઓ સાત પાસ કરીને હીરામાં ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી ગયેલી પણ શરીર પર સારું લૂગડું ના પહેરે!! કથામાં જાય પણ ઘરે કથા નહિ!! છોકરીઓ પરણાવી!! સારો એવો કરિયાવર કર્યો!! બીજી છોકરીના લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કર્યું કે આપણે કામ કરવા નથી જાવું!! બધાયે બહાના કાઢવા કે અમારે અમુક જગ્યા એ જાવાનું છે આ વખતે ગમે એ થાય પણ ભવાન ને પછાડી તો દેવાનો છે !! એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવ મંદિર છે ત્યાં શિવમહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપ તો જ અમે કામ કરીશું. આમ ગામલોકો એ એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ!! પણ કોણ જાણે ભવાન ને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એણે એક રાંધવા વાળી ગેંગ ને આપી દીધેલું!! આ કેટરર્સ શબ્દ તો ગામડામાં પછી આવેલો શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી ઈ બધું જ કરે!! તે ગામ જોઈ જ રહેલું!! જાન આવી વરઘોડો ચડ્યો જાન જમી ગઈ પછી ગામ જમવા ના આવ્યું.એને એમ કે ભવાન આવી ને બધાને વિનવણી કરશે બપોરના બે થવા આવ્યા પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા.અને બધાને લાગી હતી ભૂખ એટલે પછી ગામ જાય ક્યાં ?? દિવેલ પીધેલ મોઢે જમવા આવ્યાં. ભૂખ થોડી સગી થાય!! બધાં મને કમને જમ્યા પણ ખરા!! પણ મનની મનમાં રહી ગઈ!! ત્રીજી છોકરી પણ પરણાવી એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું!! કંકોતરીમાં લખ્યું કે “ચાંદલા પ્રથા બંધ છે” ગામ પાછું સમસમીને જોઈ રહ્યું અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ. પણ આવા ચીકણા ભીંડા ને ત્યાં કોણ દીકરી દેશે!!?? ગમે એમ થાય પણ સંબંધ થવા દેવો જ નથી!!

કાઠીયાવાડની બીજી ખાસિયત કે કોઈ છોકરાનો સંબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે. ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે!

“કયું ગામ?? ઓહ માલપરા એમને તે મગન આતા ને ત્યાં આવ્યા હતાં એમને સાચું ભાઈ સાચું એના દીકરા ના દીકરાનો સંબંધ જોવા આવ્યા હતાં નહિ.. કરો કરો સંબંધ માણસ અને ખોરડું સારું જ છે એનો દીકરો લગભગ વરસ દિવસ પહેલા ઉધનામાંથી પકડાયો હતો. કઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો.પૈસા ખરાને એટલે ઘર અને છોકરો વરી જાય !! આમ માણસ અને ખોરડું સારું!! તમ તમારે વેવિશાળ કરો?” આવું કહીને થયેલાં સંબંધ તોડાવી નાંખનાર સ્પેશ્યલ માણસો ગમે ગામ હોય છે.

કિશોર ભણ્યે હોંશિયાર દસ ભણીને એણે સાયંસ રાખ્યું અને વલ્લભ વિદ્યાનગર મુક્યો અને સાયન્સમાં થયો પાસ!! પણ સરકારી મેડીકલ કોલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડીકલમાં તો ઘણાં બધાં ડોનેશનમાં દેવા પડે અને ઈ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટક માં જાવું પડે. ભવાને હિસાબ માંડ્યો, વરસોની બચત કાઢી પણ તોયે ચારેક લાખ ઘટતા હતાં!! ક્યાંથી લાવવા!!? જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નહોતો કે નહોતી કરી કોઈને મદદ!! હવે શું કરવું?? સાંજે બેઠા બેઠા વાત કરી કિશોરે.

“બાપા એમ કરોને જમીન વેચી નાંખો અને આમેય હું ડોકટર થયા પછી તમારે તો જલસા જ છે ને”?

“શું બોલ્યો જમીન વેચવી એમ , પછી મારે ખાવું શું?? , કાલ ઉઠીને તું તારૂ કરી ખા તો મારે ને તારી બા ને જવું ક્યાં,?? એટલે એ વાત તો કરતો જ નહિ. તું આયુર્વેદિક માં જતો રહે એમાં તો તને મળી જ જાય છે ને ખર્ચો પણ ઓછો” ભવાને વાત કરી ને કિશોર ઉકળી ગયો.

“થાવું તો એમબીબીએસ જ બાકી તમે કહો તો હીરા ઘસવા છે મારે ભણવું જ નથી ચાલો વાત પૂરી” કિશોરે મોઢું બગાડીને કહ્યું.

“ આટલું બધું ભણાવ્યો અને હવે કહે એ નથી ભણવું તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ?? પૈસા ઝાડ પર ઉગે છે? હજુ તો કમાતા નથી શીખ્યા અને સામું બોલો છો? પૈસા કેમ પેદા થાય એ બેટા માર્કેટમાં આવોને તો ખબર પડે ખબર?” ભવાન પણ ધગી ગયો અને પછી કિશોર બોલ્યો!! ઈ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઇ ગયો..

“અત્યાર સુધી ગામને હું ગાંડું જ ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો!! તમને બધાં ભવાન ભીંડી કહે એ બરાબર છે!! એકદમ ચીકણી ભીંડી જેવા છો પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી!! મરોને ત્યારે બધું સાથે લેતા જજો” બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો.. એની બાપની આંખમાં આંસુ હતાં, જીવનમાં પહેલી વાર આંસુ હતાં!! વસન પણ સાંભળતી હતી એ કશું બોલી નહિ!! એ બધું જ દુઃખ પી ગઈ થોડી વાર પછી ભવાન બોલ્યો.

“ જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે, હું ક્યાય જાત્રાએ પણ નથી ગયો, કોઈ દિવસ સારું લૂગડું પણ નથી પહેર્યું અને બધું છોકરા માટે જ કર્યું છે તોય કદાચ ગામ સાચું હોય પણ ખરું કારણ કે આજ મારું લોહી જ બોલે અને પોતાનું લોહી ખોટું તો બોલે જ નહિ” સૌ સ્તબ્ધ થઇ ગયાં.

સવારે ભવાન ઉભો થયો કિશોરને કીધું કે

“એક જગ્યા એ જાવ છું તું ચિંતા કરતો નહિ. તને મેડીકલમાં એડમીશન મળી જશે એ પાકું જા, પૈસા લઈને જ આવીશ જા બસ હવે ખુશ ને કદાચ ચાર પાંચ દિવસ પછી પણ આવું પણ પૈસા લઈને જ આવીશ” કિશોરે માફી માંગી લીધી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ પણ બોલાઇ ગયું શું થાય. ભવાન ગયો ચાર દિવસ પછી આવ્યો. સાથે ઘટતાં ચાર લાખ રૂપિયા હતાં. એડમીશન મળી ગયું કિશોર ખુશ!! ગામમાંથી પહેલો ડોકટર બની રહ્યો હતો!! ગામ પહેલેથી આભું જ હતું!! આજ વધારે આભું બની ગયું!! આટલા બધાં રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન “ભીંડી” એ? પાછી વાતો થઇ.

“જીવન આખું ગરીબની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને?

“ આખી જીંદગી બળતરા કરી ને પૈસો ભેગો કર્યો છે આવા પૈસાને શું ધોઈ પીવો?”

“ પણ જોજો છોકરો ઉડાડી દેવાનો , ડોકટર થાશે એટલી વાર છે ઈ ભવાન ને ભેગા ના રાખે , અને આ ક્યાય ટકે એવો નથી એકદમ ફેવિકોલ!! ફેવિકોલ તો ઓછો ચીકણો હોય આ તો ફેવીક્વિક છે ફેવી કવીક!!

વસને પણ એક વાર પૂછેલું કે

“આટલા બધાં પૈસા તમે કોની પાસેથી લાવ્યાં છો મને તો કહો” અને ભવાને જવાબ આપેલો.

“હવે બેહ છાની માની તને ના ખબર પડે આમાં” અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહિ ઈ વખતમાં બાયું પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે…!!! આજના જેવી બાયું તો નહિ જ એ વખતે!!

કિશોર ડોકટર બની ગયો!! સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઇ ગયો!! અને તમે ભણવા જાવ મેડીકલમાં એટલે તમને પ્રેમ પહેલાં થાય અને પછી ડોકટર થવાય !! એક કારણ એ પણ ખરું કે ધોરણ બાર સાયન્સમાં ખુબ ઉંચી ટકાવારી લાવવી પડે. એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઈચ્છા દબાવીને બેઠા હોય તનતોડ મહેનત કરીને જયારે મેડીકલમાં જાય એટલે વરસોથી દબાવેલી પ્રેમ ઝંખના તરત જ જાગી ઉઠે ને પછી એ લોકો સીધાજ પ્રેમમાં ઝંપલાવે!! ઉંધે કાંધ ઝંપલાવે!!!

સંગીતાના પિતા સુરતમાં મોટા વેપારી, એને પણ કિશોર ગમી ગયો!! ભવાન પાસે વાત આવી એ પણ રાજી થઇ ગયો!! એ સુરત જઈને નક્કી કરી આવ્યો!!

તે આજ ચાર ગાડીઓ આવી હતી રૂપિયો નાળીયેર દેવા!! આમ તો એની કાઈ જરૂર જ નહોતી ને કારણ કે વરસ દિવસ થી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતા. સંગીતા ના પાપા એ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું. એક સરસ મજાનો બંગલો લઇ દીધેલો અને એ પણ વેડ રોડ પર કિશોરકુમાર માથે સસરાજી ધનપતરાયના ચારેય હાથ હતાં!! એકની એક દીકરી હતી!! દીકરો હતો નહિ એને જે જોઈતો હતો એ જમાઈ મળી ગયો હતો.!! પછી તો સુરત લગ્ન ગોઠવણા!! ફાર્મ હાઉસમાં બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતાં!! ભવાને આખા ગામમાં કંકોતરી વેચી હતી અને એ પણ સાગમટે!! ભવાને પણ લાગ જોઇને સોગઠી મારતો હતો ને અમુક ને કહેતો હતો.

“જો સુરત લગ્ન છે , ફાર્મ હાઉસમાં છે, બધાએ આવવાનું છે , સાગમટે આવવાનું છે, ઈ એટલાં માટે કે તમને બધાને આવા લગ્ન જોવા મળે ને કે ના મળે !! જુઓ આ ૫૦૦ રૂપિયાની કંકોતરી છે!! વેવાઈનો જ ખરચો છે અને વેવાઈ એ કીધું કે આખું ગામ આવવું જોઈએ, ટિકિટ ભાડા ના પૈસા પણ વેવાઈ આપવાના છે જો કોઈને વેત નો હોય તો કેજો એમ વેવાઈ કહેતા હતાં હતાં, આવજો જરૂર ત્રણ દિવસનો જલસો છે જલસો અને મારે આ છેલ્લો પ્રસંગ અને હા ચાંદલા પ્રથા તો બંધ છે”

ગામ વળી પાછું આભું બની ગયું!! ભવાન ભીંડી એક એક પછી એક કુકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભું બનવું જ પડતું . હવે ઘણાં એ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડોકટર નું કામ પડે ને એટલે અમુક તો કેમ છો “ભવાન કાકા” એમ પણ કહેવા માંડ્યા!! પ્રસંગ પતાવ્યો ધામધૂમ થી પતાવ્યો. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે!! સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેશી તોય એને તકલીફ ના પડી પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો.

બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે

“ આ ચાર હજારનું બિલ આ ચાર જણાનું આ ના પોસાય, આની કરતાં ઘરે બનાવીને ખવાય તમે તો બંને ડોકટર બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ”

“ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ ટીવી”?

“ આ પીઝા અને ઢોસા કરતાં બાજરાના રોટલાં સારા દેશી ખોરાક ઈ દેશી ખોરાક સારો”

શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે

“બાપુજી તમારે મૂંગા રહેવાનું જે થાય ઈ જોવાનું, હવે ઈ જમાના ગયાં, તમે જે રીતે જીવતાં એ રીતે હવે કોઈ ના જીવી શકે”

“ પણ હું એમ કહું છું પૈસા બગાડો નહિ, ભેગા કરો જરૂર હોય ત્યાં વાપરો એની ના નહિ પણ વેડફો નહિ, આતો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે” ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો. પછી તો ભવાન એકાદ મહીનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં પણ પછી તો ગામડામાં જ રહી ગયાં. ખેતી આપી દીધી હતી ભાગીયાને અને હવે કર રહ્યા નહોતા. વસન અને ભવાન ઘરે જ હોય કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઇ દીધેલી પણ વાપરે કોણ પેટ્રોલ બળે ને!! ઉનાળામાં ઘડીક એસી શરુ કરે ને પછી બંધ તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું!! એક મોટું ટીવી અને ડીશ પણ ગોઠવી દીધેલ!!પણ તોય એ શરુ ના કરે કારણકે પાવર બળેને!! આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર!! તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુધી તે રાતોરાત છોકરો આવ્યો. લઇ ગયાં સુરત અને વસન ને ખીજાણો પણ ખરો.

“બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો,? મને પહેલાં વાત કરી હોત તો, હું તરત આવી જાતને , હું કાઈ પારકો છું? અને અહી રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યાં સિવાય ચાલે નહિ અને છેક રામાવતારનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય”.

કિશોર ભવાનને પોતાની હોસ્પીટલમાં દાખલ કર્યો , તાવ મગજમાં ઘુસી ગયો હતો. રીપોર્ટ કરાવ્યા, આખા શરીર નું ચેક અપ કરી નાખ્યું. સાંજે રીપોર્ટ આવવાના હતાં પાંચ વાગ્યા ને ભવાન ભાઈ એ આંખો ખોલી. દીકરો બોલ્યો.

“જુઓ પાપા હવે હું હાથ જોડું છું કાઈ બોલવાનું નથી અને આહી જ રહેવાનું છે નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે, એ જમીન છે ને ત્યાં ભાગીયો વાવશે બાકી તમારે ક્યાય જવાનું નથી”

ભવાન બોલ્યો..

“ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને આમેય મારું બોર્ડ હવે પૂરું થાવામાં છે “ આવી વાત થતી હતી ત્યાં જ રીપોર્ટ લઈને નર્સ આવી. આખા શરીરના ફોટા અને તમામ રીપોર્ટસ હતાં. એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ એ રાડ પાડીને બોલી.

“કિશોર આ જુઓ તો “ કિશોરે એ એક્ષરે જોયો અને બોલ્યો.

“ બાપુજી તમારે એક જ કિડની છે?? એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે. કોણે કાઢી લીધી તમને ખબર છે”??? આમ કેમ ?

“ હા બેટા તારે પૈસા ઘટતા તા ને ઈ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ લાવેલ, તારી માને મેં વાત નથી કરી અને વાત શું કામ કરવાની!!?? દીકરા માટે માં બાપ કિડની તો શું આખે આખા વેચાય જાય!! તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા!! ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતાં પૈસા!! પછી તો આજ ઉપાય હતો!! આ તો વળી ફોટા પાડ્યાને તને ખબર પડી બાકી હું નોતો કહેવાનો!! એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો ક્યારેક કામ લાગે” ભવાન કરમશી બોલતો હતો !! અને વસન , કિશોર અને સંગીતા સંભાળતા હતાં. કિશોરના હાથમાંથી રીપોર્ટસ પડી ગયાં હતાં, આજ બાપને એને એક વખત “ભીંડી” કહ્યો હતો. અને એ સાંજે ભવાન અવસાન પામ્યો. કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો. ભીની આંખે સહુ એની સ્મશાન યાત્રામાં જોડાયા!!

અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે, ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડ ના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહિ ત્યારે ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું!!! આ વખતે ગામ આભું તો હતું જ પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતાં!! અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું!!!!!

ઘણી વખત માં બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જયારે બહુજ મોડું થઇ ગયું હોય છે.

લેખક – મુકેશ સોજીત્રા