एक साधु सन्यासी का न्यूयार्क में बडे पत्रकार इंटरव्यू ले रहे थे…. पत्रकार- सर, आपने अपने लास्ट लेक्चर में संपर्क *(Contact*) और संजोग *(Connection)* पर स्पीच दिया लेकिन यह बहुत कन्फ्यूज करने वाला था। क्या आप इसे समझा सकते हैं ?साधु मुस्कराये और उन्होंने पत्रकार से ही पूछना शुरू कर दिया।*आप न्यूयॉर्क से हैं?*पत्रकार: Yes*सन्यासी: आपके घर मे कौन कौन हैं?*पत्रकार को लगा कि साधु उनका सवाल टालने की कोशिश कर रहे हैं क्योंकि उनका सवाल बहुत व्यक्तिगत और उसके सवाल के जवाब से अलग था।फिर भी पत्रकार बोला : मेरी माँ अब नही है, पिता हैं तथा 3 भाई और एक बहिन हैं। सब शादीशुदा हैं।साधू ने चेहरे पे एक मुस्कान के साथ पूछा: आप अपने पिता से बात करते हैं?*पत्रकार चेहरे से गुस्से में लगने लगा…*साधू ने पूछा, आपने अपने फादर से last कब बात की?*पत्रकार ने अपना गुस्सा दबाते हुए जवाब दिया : शायद एक महीने पहले…*साधू ने पूछा: क्या आप भाई-बहिन अक़्सर मिलते हैं? आप सब आखिर में कब मिले एक परिवार की तरह ?*इस सवाल पर पत्रकार के माथे पर पसीना आ गया कि इंटरव्यू, मैं ले रहा हूँ या ये साधु ? ऐसा लगा साधु, पत्रकार का इंटरव्यू ले रहा है।*एक आह के साथ पत्रकार बोला : क्रिसमस पर 2 साल पहले।*साधू ने पूछा: कितने दिन आप सब साथ में रहे ?*पत्रकार अपनी आँखों से निकले आँसुओं को पोंछते हुये बोला : 3 दिन*साधु: कितना वक्त आप भाई- बहनों ने अपने पिता के बिल्कुल करीब बैठ कर गुजारा ?*पत्रकार हैरान और शर्मिंदा दिखा और एक कागज़ पर कुछ लिखने लगा… *साधु ने पूछा: क्या आपने पिता के साथ नाश्ता , लंच या डिनर लिया ? क्या आपने अपने पिता से पूछा कि वो कैसे हैँ ? माता की मृत्यु के बाद उनका वक्त कैसे गुज़र रहा है ?*पत्रकार की आंखों से आंसू छलकने लगे।*साधु ने पत्रकार का हाथ पकड़ा और कहा: शर्मिंदा, परेशान या दुखी मत होना।* मुझे खेद है अगर मैंने आपको अनजाने में चोट पहुंचाई हो लेकिन ये ही आपके सवाल का जवाब है। “संपर्क और संजोग” *Contact & Connection*आप अपने पिता के सिर्फ संपर्क *(Contact)* में हैं पर आपका उनसे कोई *’Connection’* (जुड़ाव ) नही है। *You are not connected to him.आप अपने father से संपर्क में हैं पर उनसे जुड़े नहीं हैं।* *Connection* हमेशा आत्मा से आत्मा का होता है। heart से heart होता है। एक साथ बैठना, भोजन साझा करना और एक दूसरे की देखभाल करना, स्पर्श करना, हाथ मिलाना, आँखों का संपर्क होना, कुछ समय एक साथ बिताना।आप अपने पिता, भाई और बहनों के संपर्क *’Contact’* में हैं लेकिन आपका आपस मे कोई’ जुड़ाव *Connection* नहीं है!”*पत्रकार ने आंखें पोंछी और बोला: मुझे एक अच्छा और अविस्मरणीय सबक सिखाने के लिए धन्यवाद।*वो तब का न्यूयार्क था पर आज ये भारत की भी सच्चाई हो चली है…. *At home and society में सबके हज़ारो संपर्क contacts हैं पर कोई connection नहीं। कोई विचार-विमर्श नहीं। हर आदमी अपनी नकली दुनिया में खोया हुआ है।*हमें केवल “संपर्क” नहीं बनाए रखना चाहिए अपितु “कनेक्टेड” भी रहना चाहिये। हमें हमारे सभी प्रियजनों की देखभाल करना, उनके सुख-दुख को साझा करना और साथ में समय व्यतीत करना चाहिए।वो साधु और कोई नहीं *स्वामी विवेकानंद जी* थे।
Day: June 11, 2021
दुर्वासा बह्म साधक थे ( मतलब बह्मा विष्णु शिव को परमेश्वर ना मानकर ॐ को ही परमेश्वर मानना ) वे एक बार स्वर्ग गये रास्ते में अप्सरा सज धज कर जा रही थी उसके गले में सुंदर मोतियों की माला थी । दुर्वासा ने अप्सरा को कहा यह माला मुझे दे दो अप्सरा ने सोचा ऋषि है कोई श्राप दे देगा माला दो पीछा छुडाओ । अप्सरा ने कहा लिजिये ऋषिवर और माला दे दी । दुर्वासा ऋषि ने वो माला अपने लम्बे लम्बे बालो में लपेट कर लगा दी उसी रास्ते में आगे इन्द्र की सवारी साज बाज के साथ जा रही थी ऋषि ने वो निकाल माला हाथी पर बैठे इन्द्र को दे दी इन्द्र ने सम्मान के साथ लेकर अपने ऐरावत हाथी पर रख दी ऐरावत ऐसे ऐसे रखे भेंट पुष्प हटाता रहता था तो उसने माला को पुष्प के साथ फेंक दी माला रास्ते में पडी देख दुर्वासा बडा कुपित हुआ बोला इन्द्र तुझे राज का बडा अभिमान हो गया है तुने मेरी दी माला का अपमान किया है तुने मेरी भेंट का अपमान किया तेरा राज नष्ट हो जायेगा इन्द्र हाथी से उतरा और क्षमा याचना करने लगा कि ऋषि इस हाथी ने भूल वश हटा दी थी पर दुर्वासा बोला जो बोलना था वो बोल दिया अब मेरे बस का कुछ नही और कुछ ही समय में इन्द्र का राज नष्ट हो गया ।अब आपको क्या लगता है गलती किसकी थी …..?*अप्सरा की जिसनें माला दी ।*ऋषि की जिसने माला ली १० मिनिट बाद किसी और को बिन मांगे दी ।*इन्द्र की जिसने माला हाथी की ऊपर रखी ।* हाथी की जिसने माला को पुष्प समझ कर फेंक दिया ।संत रामपाल जी कहते है यह बह्म तक के साधक साधना करते बह्म तक उस से मोक्ष तो होता नही और श्राप और वरदान दे कर अपनी भक्ति पुंजी नष्ट करते औरो को भी हताहत करते है कबीर , ७२ अक्षोणी खा गया , वो चुनक ऋषिवर एक । देह धारे यह मौत फिरे , यह सभी काल के भेख (भेष) ।। दुर्वासा कोपे तहां , समझ ना आई नीच । 56 कोटी यादव कटे , मची रूधिर की कीच ।। *( भक्ति से भगवान तक ) पुस्तक से साभार
जस्टिस बदरूल इस्लाम…
असम का निवासी…
अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी से कानून की पढ़ाई की
असम में प्रैक्टिस की…
1962 से 68 तक कोंग्रेस ने इसे राज्यसभा भेज दिया…
68 के बाद इसे फिर कोंग्रेस ने राज्यसभा भेज दिया, इस कार्यकाल को पूरा होने का समय था 1974 किंतु 1972 में कोंग्रेस ने इस से इस्तीफा लेकर इसे गुवाहाटी हाई कोर्ट का जज बना दिया…
यानी सीधे कोंग्रेस सांसद के पद से हाई कोर्ट का जज बन गया…
7 जुलाई 1979 मार्च 1980 तक हाई कोर्ट का जज बना रहा…
रिटायर होने के बाद इसे सुप्रीम कोर्ट का जज बना दिया गया…
और इस बार प्रधानमंत्री थी।इंदिरा गांधी…
क्या भारतीय इतिहास में ऐसा अन्य कोई उदाहरण है जिसमे हाई कोर्ट का जज रिटायर होने के बाद सुप्रीम कोर्ट का जज बना हो??
कहानी अभी बाकी है मेरे दोस्त…
जज की कुर्सी संभालते ही उसने सब पहला निर्णय बिहार के मुख्यमंत्री जगन्नाथ मिश्रा को अर्बन को ऑपरेटिव घोटाले से बरी करना, समझ गए ना इसे सुप्रीम कोर्ट का जज क्यों बनाया गया ओर किसने बनवाया…
पिक्चर अभी बाकी है मेरे दोस्त…
जगन्नाथ मिश्रा को घोटाले से बरी करने के एक माह बाद इस जज ने सुप्रीम कोर्ट से अचानक इस्तीफ़ा दे दिया…😊
जबकि कार्यकाल अभी भी लगभग 50 दिन का शेष था…
माने इसको 13 जनवरी 1983 को रिटायर होना था
इस्तीफा क्यों दिया…
क्योंकि 19 जनवरी विधानसभा नामांकन की अंतिम दिनांक थी😊
समझ रहे हो खेल कैसे खेला जाता था और कौन खेल रहा था और मोहरा एक मज़हब विशेष से संबंध रखता था…
इसे बारबेटा से कोंग्रेस का उम्मीदवार बनाया गया…
पर किसी कारण से ये चुनाव लड़ नही सका
अभी बाकी है दोस्तों…
15 जून 1983 को कोंग्रेस ने इसे फिर राज्यसभा से सांसद बना दिया…😊
इतना ड्रामा देश मे हो रहा था पर किसी लिब्राण्डु, कोंग्रेसी ने सवाल क्यों नही उठाया?
गंगा माँ पे कुछ पुस्तके – मेरे पुस्तकालय से
गंगा माँ पे कुछ पुस्तके – मेरे पुस्तकालय से | |
harshad30.wordpress.com | |
973-66331781 | |
१ | All Roads Lead To Ganga – Ruskin Bond |
२ | Architecture Of Tribute-Temporality Of River Ganga |
३ | Children Handbook Part_1 |
४ | Children Handbook Part_2 |
५ | Children Handbook Part_3 |
६ | Children Handbook Part_4 |
७ | Ganga – Ack |
८ | Ghats Of Varanasi On The Ganga In India |
९ | Landscape Of Ghats Dissertation |
१० | Life On The Ganga – Assa Doron |
११ | Mother Ganga – Swami Sivaananda |
१२ | Shiva Origins – The Son Of Ganga – Dinesh |
१३ | Status Paper On River Ganga |
१४ | Varanasi Ghats 2016 |
१५ | गंगा – गौरव गाथा.cbr |
१६ | गंगा अंक |
१७ | गंगा की लहरें – संजीव सेठ |
१८ | गंगा पुत्र भीष्म – Rck-14.CBR |
१९ | गंगा लहरी – भारत प्रकाशन मंदिर |
२० | गंगा लहेरी स्तोत्र |
२१ | गंगा सहस्त्रनाम |
२२ | गंगा हेतु संतों की बलिदानी पराम्परा – संदीप पाण्डेय |
२३ | गंगाभरण |
२४ | पवित्र गंगा – टेड |
२५ | पुराणों में गंगा – श्री रामप्रताप त्रिपाठी |
२६ | मोक्षदायिनी गंगा – जी के संतोष |
२७ | वोल्गा ते गंगा – राहुल सांकृत्यायन |
२८ | श्री गंगा महात्मय – स्कन्द पुराण |
२९ | ગંગા લહેરી નું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર – કાશીરામ ભાઈશંકર ઓઝા |
३० | ગંગામાતા – જનાર્દન ના. પ્રભાસ્કર |
३१ | લોકમાતા – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર |
◆ હનુમાનજી ના અનોખાં મંદિરોની મુલાકાત ◆
ખુદ એક અદના ભક્ત પણ પોતાના ભક્તોને સર્વ સંકટોમાંથી ઉગારનારા પવનપુત્ર મારુતિનંદન હનુમાન આપણા દેશમાં અત્યંત ભક્તિભાવથી પૂજાય છે. તેમનાં પ્રાચીન, ઠીક-ઠીક અર્વાચીન અને અનોખાં એવાં પાર વિનાનાં મંદિરો આપણા દેશમાં અને વિદેશમાં આવેલાં છે.
★ શ્રી સાત હનુમાન મંદિર, રાજકોટ
હનુમાનજીની દેરીઓ તો પુષ્કળ જોવા મળતી હોય છે, પણ એક જ જગ્યાએથી સાત હનુમાન એકસાથે પ્રગટ થયા હોય એવું આખા દેશમાં માત્ર ગુજરાતમાં બન્યું છે. અમદાવાદ નૅશનલ હાઇવે નંબર આઠ પર અને રાજકોટથી દસ કિલોમીટર દૂર આવેલા સાત હનુમાન મંદિરમાં અંદાજે ૮૦ વર્ષ પહેલાં હનુમાનજીની એકસાથે સાત પ્રતિમાઓ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મંદિરના પૂજારી ત્રિભુવનદાસ કુબાવત કહે છે, ‘એક જ પથ્થરમાં ઊપસેલી આવી મૂર્તિ આખા દેશમાં બીજે ક્યાંય નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકો પણ આ સાત હનુમાનની માનતા રાખે છે. કહેવાય છે કે અહીં માનતા રાખવી એ એકસાથે સાત હનુમાનને કામે લગાડ્યા બરાબર છે.’
અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી આગળ જતાં તમામ વાહનો નૅશનલ હાઇવે પર આવેલા આ સાત હનુમાનના મંદિર પાસે ઊભાં રહે છે અને હનુમાનજીનાં દર્શન કરીને આગળ વધે છે. બસ, ટ્રક કે એકલદોકલ વાહનો જ નહીં; પ્રધાનો અને સેલિબ્રિટીઓનાં વાહનો પણ અહીં ઊભાં રાખવામાં આવે છે અને જો અંદર જઈ શકે એમ ન હોય તો બહારથી દર્શન કરીને આગળ વધે છે. અનુમાન મુજબ દર વર્ષે સાત હનુમાનના મંદિરે અંદાજે પાંચ લાખથી વધુ લોકો અંદરથી કે બહારથી દર્શન કરે છે. ફેબ્રુઆરીમાં સાત હનુમાન મંદિરમાં ચોરો ચોરી કરવા માટે ઘૂસ્યા હતા અને સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી પર બિરાજમાન કરવામાં આવેલી ચાંદીની પ્રતિમા ચોરી જવાનો પ્રયાસ કર્યો હતો. છ પ્રતિમા તો એ લોકોએ ચોરી લીધી, પણ સાતમી પ્રતિમાનું વજન અચાનક એ હદે વધી ગયું કે એ ઉપાડી નહીં શક્યા. છેવટે ચોરો બધું પડતું મૂકીને ભાગી ગયા. રાજકોટ પોલીસમાં આ ઘટનાની ફરિયાદ પણ લખાવવામાં આવી છે.
★ શ્રી હનુમાન દાંડી મંદિર, બેટ દ્વારકા
ઓખા પાસે આવેલા બેટ દ્વારકાથી દરિયાઈ માર્ગે શ્રી હનુમાન દાંડી મંદિરે જઈ શકાય છે. જમીનથી પાંચ કિલોમીટર દૂર આવેલા આ મંદિરના સર્જનની લોકવાયકા એવી છે કે ચારસો વર્ષ પહેલાં ખારવાઓ દરિયામાં તોફાનમાં અટવાયા હતા. તેમને જમીન સુધી રસ્તો દેખાડવા માટે હનુમાનજી આવ્યા હતા. એ સમયે ખારવાઓએ તેમને રસ્તો દેખાડનારા આ મહાવીરનું નામ પૂછuું ત્યારે તેમને ખબર પડી કે મૂકવા આવનારા અન્ય કોઈ નહીં પણ સ્વયં હનુમાનજી છે. ખારવાઓએ હનુમાનજીને રોકાઈ જવાનો આગ્રહ કર્યો અને હનુમાનજીએ આ જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું. હનુમાનજીએ માર્ગ દેખાડ્યો હોવાથી એ દિવસથી આ હનુમાનજી દાંડીવાળા હનુમાન તરીકે ઓળખાવા લાગ્યા. મંદિરના પ્રમુખ હેમંતસિંહ વાઢેર કહે છે, ‘એ પછી વહાણવટું કરનારા દાદાનાં દર્શન કરીને આગળ વધવા લાગ્યા, જે પ્રથા આજે પણ ચાલુ છે. અહીં દર્શન કરવા પહેલાં તો ખારવા જ આવતા, પણ પછી તો મુસ્લિમ નાવિકો પણ આવવા લાગ્યા.’
દાંડીવાળા હનુમાનજીને પ્રસાદમાં સોપારી ચડાવવામાં આવે છે. આની પાછળની લોકવાયકા પણ એવી છે કે અહીંથી પસાર થનારાં મોટા ભાગનાં વહાણોમાં સોપારીની નિકાસ થતી હોવાથી ખારવાઓ દર્શન કરવા આવે ત્યારે સોપારી ચડાવતા હતા. એક સમયની આ મજબૂરી પછી પ્રથા બની ગઈ અને લોકો હનુમાનજીને સોપારી ચડાવવા લાગ્યા. કહેવાય છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. છેલ્લા થોડા સમયથી શ્રીમંત લોકો અહીં સોના અને ચાંદીની સોપારી પણ ચડાવવા લાગ્યા છે.
★ બડે બાલાજી મંદિર, રાજકોટ
હનુમાનજીની પ્રતિમા હંમેશાં ઊભેલી કે બેઠેલી અવસ્થામાં હોય છે, પણ એક સમય હતો કે સમગ્ર દેશમાં માત્ર બે જ મૂર્તિ એવી હતી જેમાં હનુમાનજી આરામની મુદ્રામાં એટલે કે સૂતેલી અવસ્થામાં છે. એક જગ્યા છે વૃંદાવનની બારહ ઘાટ અને બીજી છે રાજકોટના આ બડે બાલાજી. ૧૯૭૦માં બનેલી આ સૂતેલા હનુમાનની પ્રતિમા અગિયાર ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી છે. બડે બાલાજીની મૂર્તિ પંચધાતુની બનાવવામાં આવી છે. બડે બાલાજી મંદિરના ગાદીપતિ સર્વેશ્વરદાસબાપુ કહે છે, ‘બાલાજીએ કામ હંમેશાં પુખ્ત વયનાં કર્યા છે, પણ સ્વભાવે હંમેશાં બાળસહજ રહ્યા છે. એટલે જ તો હનુમાન જયંતીના દિવસે બટુક ભોજન કરાવવામાં આવે છે. દાદાના સ્વભાવની આ ખાસિયતને ધ્યાનમાં રાખીને અમે એમને પરંપરાગત શ્રીફળનો પ્રસાદ ચડાવવાને બદલે બાળકોને ગમે એવો પ્રસાદ ચડાવીએ છીએ. આ પ્રસાદ ફિક્સ હોય છે. દર શનિવારે ભજિયા-ચટણી અને મંગળવારે બાલાજીને પાણીપૂરીનો પ્રસાદ ચડે છે. આ જ પ્રસાદ ભાવિકોને જેટલો જોઈતો હોય એટલો આપવામાં આવે છે. પાણીપૂરી વખતે તો મંદિરમાં મહિલાઓની લાઇન લાગે છે.’
મંદિરના સંચાલકોના કહેવા મુજબ હવે સૂતેલી અવસ્થાના હનુમાનજીનાં અન્ય મંદિરો બનવા લાગ્યાં છે, પણ રાજકોટ અને વૃંદાવનનાં મંદિરોનું મૂલ્ય ભાવિકોમાં હજી પણ અદકેરું રહ્યું છે.
★ શ્રી સંકલ્પસિદ્ધ હનુમાન, જૂનાગઢ
દોઢેક વર્ષ પહેલાં જૂનાગઢના સક્કરબાગ ઝૂની સામે આવેલી હેતલ પાર્ક નામની હોટેલનું બાંધકામ ચાલતું હતું એ દરમ્યાન હોટેલની પાછળના ભાગમાં પીપળાના ઝાડમાં હનુમાનજીની પ્રતિકૃતિ દેખાઈ આવતાં તૈયાર કરવામાં આવેલા આ હનુમાનજીને સંકલ્પસિદ્ધ હનુમાન નામ આપવામાં આવ્યું છે. પથ્થર સિવાય અન્ય કોઈ રીતે પ્રગટ થયા હોય એવા આ કદાચ દેશના પહેલાં હનુમાનજી છે. પીપળામાંથી પ્રગટેલા આ હનુમાનજીનાં પ્રખર રામાયણકાર મોરારીબાપુ પણ દર્શન કરી ચૂક્યા છે. જોકે મજાની વાત એ છે કે સંકલ્પસિદ્ધ હનુમાન જૂનાગઢ જિલ્લાના કૉલેજિયનોમાં બહુ પૉપ્યુલર છે. હોટેલના માલિક કરસન ધડુક કહે છે, ‘દાદાનાં દર્શન કરવા આવતાં છોકરા-છોકરીઓની માનતા પૂરી થાય છે. એક્ઝામ ટાઇમે તો લાંબી લાઇન લાગે છે.’
સંકલ્પસિદ્ધ હનુમાનની ખાસિયત એ છે કે એ પીપળાના ઝાડની સાથે પોતાનો લુક અને હાઇટ બદલી રહ્યા છે. અત્યારે દાદાની હાઇટ સાડાચાર ફૂટની છે જે દોઢ વર્ષ પહેલાં અઢી ફૂટ જેટલી હતી.
★ શ્રી પંચમુખી હનુમાન, જામનગર
જામનગરની અંબર ટૉકીઝ પાસે આવેલા અને પાંચ મુખ પણ એક જ શરીર ધરાવતા હનુમાનજીના આ મંદિર માટે કહેવાય છે કે એ જામનગર શહેરનું સૌથી પૌરાણિક મંદિર છે. આ મંદિરનો વહીવટ જામનગરના ભૂતપૂર્વ રાજવી શત્રુશલ્યસિંહ જાડેજા હસ્તક રહે છે. પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી આ મૂર્તિનું આયુષ્ય અંદાજે સાડાછસ્સો વર્ષનું છે. મંદિરના મહંત રામેશ્વરાનંદજી કહે છે, ‘આ હનુમાન સંકટને દસ આંખોથી જુએ છે અને વીસ કાનોથી સાંભળે છે એટલે એટલી જ ત્વરાથી એ તમારા પ્રશ્નોનું નિરાકરણ કરે છે.’
મહંતના કહેવા મુજબ દેહ અને પાંચ મુખ ધરાવતા હનુમાનજી દેશમાં અન્ય કોઈ જગ્યાએ નથી, માત્ર જામનગરમાં છે. પંચમુખી હનુમાન મંદિરમાં દરરોજ રાતે નવથી બાર વાગ્યા સુધી હનુમાન ચાલીસાના પાઠ ચાલે છે જે શનિવારે રાતે નવથી વહેલી સવારના છ વાગ્યા સુધી ચાલે છે. આ નિત્યક્રમ છેલ્લાં ચાલીસેક વર્ષથી જળવાઈ રહ્યો છે.
★ શ્રી ચોબરિયા હનુમાનજી, જામનગર
આકૃતિની દૃષ્ટિએ દેશભરના તમામ હનુમાનજી કરતાં સૌથી જુદા પડતા જામનગરના આ ચોબરિયા હનુમાનજીના મંદિરનો વહીવટ પણ રાજપરિવાર પાસે છે. લગભગ અઢીસો વર્ષ જૂના આ હનુમાનજી એક મહાકાય પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. કાળક્રમે એ પથ્થર જમીનમાં ઊતરવા લાગ્યો અને હવે હનુમાનજીનાં દર્શન થાય એટલો જ બહાર રહ્યો છે. જામનગરની નાગેશ્વર સોસાયટી પાસે આવેલા આ હનુમાનજીને પ્રસાદમાં જામનગરનાં બહુ ફેમસ થયેલાં મસાલા પાન ચડાવવામાં આવે છે. મંદિરના મહંત કિશોરદાસબાપુ કહે છે, ‘હનુમાનજીની મૂર્તિનો આકાર પાન જેવો હોવાથી આ પ્રથા પડી હશે એવું કહી શકાય.’
ચોબરિયા હનુમાનજીની આ મુદ્રાને સમાધિ મુદ્રા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. સોમેશ્વર અને નાગેશ્વર એમ બે સોસાયટીઓની બરાબર મધ્યમાં આવેલા આ ચોબરિયા હનુમાનજીનાં દર્શન માટે દરરોજ ઓછામાં ઓછા દોઢથી બે હજાર ભાવિકો દર્શન કરવા માટે આવે છે. મંદિરના મહંત કિશોરદાસબાપુ કહે છે, ‘જેમ મુંબઈના માણસે એક વાર સિદ્ધિવિનાયકનાં દર્શન કર્યા હોય એમ જામનગર જિલ્લાના માણસે તેની જિંદગીમાં એક વાર તો ચોબરિયા હનુમાનનાં દર્શન કર્યા જ હોય.’
★ ભદ્ર મારુતિ મંદિર, ખુલતાબાદ, ઔરંગાબાદ
ઇલોરાની ગુફાઓથી માત્ર ચાર જ કિલોમીટર દૂર આવેલું આ મંદિર એમાં આવેલી મારુતિનંદન એટલે કે હનુમાનની મૂર્તિને કારણે પ્રખ્યાત છે. આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે એમાં હનુમાનજી સૂતા હોય એવી સ્થિતિમાં છે. આવી દુર્લભ મુદ્રા પાછળની કથા પણ ખાસ્સી રસપ્રદ છે. કથા એવી છે કે ખુલતાબાદ પહેલાં ભદ્રાવતી તરીકે ઓળખાતું, કારણ કે એનો રાજા ભદ્રસેન હતો. આ ભદ્રસેન હનુમાનજીનો પરમ ભક્ત હતો અને અહીં આવેલા ભરતકુંડને કિનારે તેમનાં ભજન ગાતો. એક દિવસ તેના ભજનથી આનંદિત થઈને સ્વયં હનુમાનજી તેની સામે પ્રગટ થયા અને સાંભળતાં-સાંભળતાં નિદ્રામાં પોઢી ગયા. પછીથી ભદ્રસેનની ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેને વરદાન માગવા કહ્યું ત્યારે ભદ્રસેને મારુતિનંદનને હંમેશ માટે ત્યાં જ વાસ કરવા અને ભક્તોનાં કષ્ટો દૂર કરવા માટે કહ્યું. ‘તથાસ્તુ’ કહીને પ્રભુ અંતધ્ર્યાન થઈ ગયા. ત્યારથી સૂતેલી અવસ્થામાં હનુમાનજીનું આ મંદિર ચમત્કારિક ગણાય છે.
★ અલત્તિયુર હનુમાન મંદિર, મલપ્પુરમ, કેરળ
સૈકાઓથી અહીંના રાજાઓના સંચાલન હેઠળ રહેલું આ મંદિર આમ તો રામમંદિર છે, પરંતુ એ એમાં આવેલા તેમના સેવક હનુમાનના મંદિર તરીકે વધુ પ્રખ્યાત છે. એના સંચાલકોમાં કાલિકટનો રાજા ઝામોરિન પ્રખ્યાત છે. આ મંદિર વિશે કહેવાય છે કે એમાં રહેલી હનુમાનની મૂર્તિની સ્થાપના આજથી ત્રણેક હજાર વર્ષ પહેલાં સપ્તર્ષિઓમાંના એક એવા વશિષ્ટે કરેલી. રામાયણની કથા અનુસાર હનુમાન દરિયો ઓળંગીને લંકામાં સીતામાતાની શોધમાં ગયેલા. ત્યારે કહેવાય છે કે આ મંદિરથી જ તેમણે પોતાની વિરાટ છલાંગ લગાવી હતી. એ છલાંગની પ્રતિકૃતિરૂપે અહીં પથ્થરનું બનેલું ઢાળવાળું એક પ્લૅટફૉર્મ પણ છે. લોકોમાં એવી માન્યતા છે કે આપણે પણ આ પ્લૅટફૉર્મ પરથી કૂદીએ તો આપણાં સર્વે કષ્ટો પણ હનુમાન દૂર કરશે, જે રીતે તેમણે સીતાજીને શોધીને શ્રીરામનાં કષ્ટ હરેલાં.
બાલા હનુમાન મંદિર, કનૉટ પ્લેસ, નવી દિલ્હી
મહાભારતની કથા અનુસાર અજ્ઞાતવાસ દરમ્યાન દ્રૌપદી માટે એક ફૂલની શોધમાં નીકળેલા ભીમના માર્ગમાં એક કૃષકાય અને અત્યંત વૃદ્ધ વાનર નજરે પડ્યો. ભીમે ઉદ્દંડતાથી એ વાનરને પોતાના માર્ગમાં આવતી એની પૂંછડી હટાવી લેવા કહ્યું. ત્યારે વાનરે કહ્યું કે હું અત્યંત અશક્ત છું એટલે મારી પૂંછડી જાતે હટાવી શકું એમ નથી, તું જ હટાવી દે. અતુલ્ય બાહુબળના સ્વામી એવા ભીમની લાખ કોશિશ છતાં પૂંછડું એની જગ્યાએથી જરાપણ હલ્યું નહીં ત્યારે ભીમને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય વાનર નથી. ભીમની પ્રાર્થના પછી હનુમાનજીએ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. આ સ્વરૂપ ધારણ કરીને જ હનુમાનજીએ લંકા જવા માટે દરિયો પાર કરેલો. પોતાની ભૂલ સમજી ચૂકેલા ભીમે મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી યમુના નદીને કિનારે ફરી વાર ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી અને આજે જ્યાં દિલ્હી છે એ વિસ્તારમાં પાંચ મંદિરો સ્થાપ્યાં એ પૈકીનું એક આ કનૉટ પ્લેસનું બાલા હનુમાન મંદિર છે. આ મંદિરમાં હનુમાનજી બાળસ્વરૂપે છે. મુગલકાળની છાપ તરીકે આ મંદિરના શિખર પર ઇસ્લામ ધર્મના પ્રતીકસમો બીજનો ચન્દ્ર પણ જોવા મળે છે.
★ કરમનઘટ હનુમાન મંદિર, હૈદરાબાદ
અગિયારમી સદીમાં બંધાયેલા આ ઐતિહાસિક મંદિરની સ્થાપના અને એના રક્ષણ પાછળ બે રસપ્રદ કહાણીઓ સંકળાયેલી છે. અગિયારમી સદીમાં અહીંનો તત્કાલીન રાજા જંગલમાં શિકારે નીકળ્યો. અતિશય ગાઢ જંગલમાં તે જ્યારે એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠો ત્યારે તેણે રામનામનો મંત્રોચ્ચાર સાંભળ્યો. તે એ અવાજની દિશામાં ગયો તો તેના આ ર્ય વચ્ચે હનુમાનજીની પદ્માસનમાં બેઠેલી પથ્થરની મૂર્તિમાંથી એ અવાજ આવતો હતો. એ જ રાત્રે હનુમાનજીએ રાજાને સપનામાં આવીને એક મંદિર બનાવવાનો આદેશ કર્યો અને રાજાએ બીજા જ દિવસથી એનું નર્મિાણકાર્ય શરૂ કરાવી દીધું.
આ મંદિર બંધાયું એનાં પાંચસો વર્ષ બાદ મુગલ રાજા ઔરંગઝેબે અન્ય મંદિરોની સાથે આ મંદિર પણ નષ્ટ કરવાનો આદેશ કર્યો ત્યારે તેના સૈનિકો તો ઠીક, ખુદ ઔરંગઝેબ પણ એની અંદર પ્રવેશ નહોતો કરી શક્યો. કથા કહે છે કે જ્યારે ઔરંગઝેબે આ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મંદિરની અંદરથી એક ગર્જના થયેલી કે ‘મંદિર તોડના હૈ તો રાજન, કરો મન ઘટ.’ કહેવાય છે કે ત્યારથી આ મંદિર ‘કરમનઘટ’ તરીકે ઓળખાતું થયું.
★ મહાવીર મંદિર, પટના
સમગ્ર ભારતના સૌથી જાણીતાં હનુમાન મંદિરોમાંનું એક એવું બિહારના પટનામાં આવેલું મહાવીર મંદિર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે અને આવકની દૃષ્ટિએ ઉત્તર ભારતમાં માતા વૈષ્ણોદેવી પછી આ મંદિર બીજા ક્રમે આવે છે (રોજની આવક એક લાખ રૂપિયાથી પણ વધારે). એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના રામાનંદી પંથના સ્વામી બાલાનંદે કરી હતી. ભારતના ભાગલા વખતે મોટી સંખ્યામાં શરણાર્થીઓએ આ મંદિરની નિશ્રામાં આશરો લીધેલો. એંસીના દાયકામાં આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવેલો.
★ જખુ મંદિર, શિમલા
રામાયણમાં લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા માટે હિમાલય પર ગયેલા. ત્યાંથી બુટ્ટીને બદલે આખો પર્વત જ ઊંચકી લાવેલા હનુમાનજીએ પાછા ફરતી વખતે રસ્તામાં પોતાનો એક પગ આ જખુ (‘યક્ષ’નું અપ્રભંશ) પર્વત પર મૂકેલો અને એનો એટલો ભાગ સપાટ થઈ ગયેલો. ત્યાર પછી જલદી પહોંચવાની ઉતાવળમાં હનુમાનજી પોતાના કેટલાક મિત્રોને અહીં ભૂલી ગયેલા. આજે પણ આ જખુ મંદિરની આસપાસ પુષ્કળ સંખ્યામાં વાનરો દેખાય છે. અહીં હનુમાનજીની ૧૦૮ ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે.
★ સંકટમોચન મંદિર, વારાણસી
અયોધ્યામાં હનુમાનગઢી મંદિર આવેલું છે તો વારાણસીમાં અસ્સી નદીના કિનારે સંકટમોચન હનુમાન મંદિર આવેલું છે. કહેવાય છે કે આ જ જગ્યાએ ગોસ્વામી તુલસીદાસને હનુમાનજીનાં દર્શન થયેલાં અને તેમણે રામાયણની ઘણી ચોપાઈઓ અહીં જ લખેલી. પંડિત મદનમોહન માલવીયે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો.
★ આંજનેય મંદિર, નામક્કલ, તામિલનાડુ
તામિલનાડુના નામક્કલ જિલ્લામાં આવેલું આંજનેય (અંજનીના પુત્રનું) આ મંદિર પંદરસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આ મંદિરમાં આંજનેય હનુમાનની અઢાર ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે જેની આંખો સીધી સામે આવેલી લક્ષ્મી, નરસિંહ અને શાલિગ્રામની મૂર્તિઓ તરફ છે. કહેવાય છે કે અહીં આવેલી હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે અને એ સતત વધે છે એટલે જ એના પર છત્ર નથી બલ્કે ખુલ્લું આકાશ છે.
★ ભક્ત હનુમાન કોવિલ, નુવારા એલિયા, શ્રીલંકા
રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયેલો. તેમની શોધમાં ગયેલા હનુમાનજીનાં કોઈ ચિહ્નો ત્યાં ન હોય તો જ નવાઈ. અહીંના નુવારા એલિયામાં હનુમાન કોવિલ નામનું મંદિર આવેલું છે. કહેવાય છે કે રાવણે સીતાજીને અહીં જ રાખેલાં. અહીંના પૂજારી પ્રવાસીઓને હનુમાનજીનું પગલું, સીતાજીનું સ્નાન કરવાનું સ્થળ અને ધ્યાન કરવાની જગ્યા પણ બતાવે છે. શ્રીલંકામાં એલટીટીઈનો સફાયો કરવામાં આવ્યા બાદ હવે શ્રીલંકાએ ખાસ પ્રકારના ‘રામાયણ ટૂરિઝમ’ને પણ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.
★ કાર્યસિદ્ધિ હનુમાન મૂર્તિ, ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો
કૅરિબિયન ટાપુઓ પર મોટી સંખ્યામાં ભારતીયો વસ્યા છે અને ત્યાં ઘણા ઊંચા હોદ્દે પણ પહોંચ્યા છે. એટલે ત્યાં પણ ભારતીય દેવી-દેવતાઓનાં મંદિરો સ્થપાય એ સ્વાભાવિક છે. પરંતુ ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો ટાપુઓ પર ‘કાર્યસિદ્ધિ હનુમાન’ નામે હનુમાનજીની ૮૫ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીં હનુમાનજી ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. હનુમાનજીની આ મૂર્તિ વિશ્વમાં તેમની બીજા નંબરની અને ભારત બહારની સૌથી ઊંચી મૂર્તિ છે, જ્યારે વિશ્વની સૌથી ઊંચી હનુમાનજીની મૂર્તિ હૈદરાબાદના પરિતલ (વિજયવાડા)માં આવેલી ‘વીર અભય આંજનેય હનુમાનસ્વામી’ની મૂર્તિ છે જે ૧૩૫ ફૂટ ઊંચી છે.
★ શ્રી આંજનેય હનુમાન મંદિર, ર્પોટ ડિક્સન, મલેશિયા
મૂળ ભારતીયોની બહોળી વસ્તી ધરાવતા મલેશિયામાં પણ એક અનોખું હનુમાન મંદિર આવેલું છે. શ્રી આંજનેય હનુમાન તરીકે ઓળખાતા અને ૧૯૫૪માં મલેશિયન આર્મીના સૈનિકોએ બંધાવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં આવેલી હનુમાનજીની મૂર્તિએ શ્રીલંકા તરફ પોતાનું મોં ફેરવ્યું છે.
★ ડૅમની વચ્ચોવચ હનુમાન મંદિર, તામિલનાડુ
તામિલનાડુમાં કાવેરી નદી પર ચોલા વંશના રાજા કરિકલને એક બંધ બનાવડાવેલો જે કલ્લાનાઇ (કલ્લ એટલે કે પથ્થર અને અનાઇ એટલે ડૅમ) તરીકે ઓળખાય છે. આ ડૅમના દરવાજાઓની પાછળ, કાવેરીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક હનુમાન મંદિર અડીખમ ઊભું છે. ચોમાસાની ઋતુમાં નદીનું પાણી હનુમાન મંદિરની અંદર થઈને જાય છે.