Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक पण्डित जी किसी राजा को भागवत की कथा सुनाने जाया करते थे। वे बड़े प्रकाण्ड विद्वान थे। शास्त्रज्ञ थे।

राजा भी बड़ा भक्त और निष्ठावान था। पण्डित जी कथा सुनाते हुए बीच−बीच में राजा से पूछ लिया करते, यह जानने के लिए कि राजा का ध्यान कथा में है या नहीं “राजा कुछ समझ रहे हो?”
तब राजा ने कहा “महाराज! पहले आप समझिये।”

पण्डित जी राजा का यह उत्तर सुनकर आश्चर्यचकित हो गये। वे राजा के मन की बात नहीं जान पाये।

एक दिन फिर पण्डित जी ने राजा से पूछा “राजा कुछ समझ रहे हो?”

“महाराज पहले आप समझें” राजा ने उतर दिया। पण्डित जी असमंजस में थे कि आखिर इस भागवत में क्या है जो मेरी समझ से बाहर है।

जब−जब पण्डित जी पूछते राजा उसी प्रकार कहता।

एक दिन पण्डित जी घर पर भागवत की पुस्तक लेकर एकाग्र चित्त हो पढ़ने लगे। आज पंडित जी को बड़ा आनन्द आ रहा था कथा में।

पंडित जी ने समझा कि राजा ठीक कहता है। वे मनोयोगपूर्वक कथा पढ़ने लगे। खाना पीना सोना नहाना सब भूल गये। कथा में ही मस्त हो गये।

पंडित जी की आँखों से अश्रु बहने लगे। कई दिन बीत गये, पंडित जी राजा को कथा सुनाने नहीं पहुँचे।

वे वहीं पर कथा पढ़ते रहते। बहुत दिन हुए। राजा ने सोचा पंडित जी नहीं आ रहे। उसे सन्देह हुआ।

वेश बदलकर राजा पंडित जी के घर पहुँचे और जहाँ कथा पढ़ रहे थे वहाँ बैठकर कथा सुनने लगे।

राजा के मन में पंडित जी का भाव देखकर भक्ति भावना प्रबल हो गई। पंडित जी पाठ पूरा करके उठे तो राजा को पहचान लिया। राजा ने उन्हें साष्टांग प्रणाम किया। पंडित ने कहा

“राजन्! आपने तो मुझे मार्गदर्शन देकर कृतार्थ किया।”

अतः पढ़ने से नही उसके भाव समझने से हृदय परिवर्तन होता है ।

तुलसीतुलसीसब_कहे

तुलसीवनकी_घास

कृपाभईरघुनाथ_की

तोबनगएतुलसीदास।।

🌹🌹जय श्री राम🌹🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઉનાળાનો સમય છે ગરમી અને ઉકળાટ અતીસય છે ચૈતર મહિનાની લુ વાય છે. એવે વખતે જોગીદાસ ખુમાણ પોતાના સાગરિતો સાથે વગડામાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક માલધારીની અઢાર વર્ષની દીકરી ઢોર ચરાવતી હતી.ચારે બાજુ સુનકાર છે. પક્ષી પણ ક્યાય દેખાતુ નથી. ઉજડ વગડામાં એકલી હતી.ત્યારે જોગીદાસ ખુમાણે પાસે જઇને પુછ્યું. કે દિકરી આવા ઉજડ વગડામાં એકલી ને બીક નથી લાગતી. ત્યારે એ દીકરીએ જે જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે. દિકરી બોલી કે જ્યાં સુધી જોગીદાસ ખુમાણ બહારવટે છે ત્યાં સુધી કોની તાકાત છે કે કોઈ પણ બેન દિકરીયુ પર આંખ ઉંચી કરી ને જોઈ શકે. ત્યારે જોગીદાસ ખુમાણની આંખ માથી અશ્રુ વહેવા લાગ્યા કે મારા પર બેન દિકરીયુને કેટલો ભરોસો છે. અને જોગીદાસ ખુમાણ સૂરજ સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે સૂરજદાદા મારૂં બહારવટુ પાર પડે કે ન પડે પણ રૈયત નો મારાપર ભરોસો છે તે કાયમ રાખજે.

ભલે ઉગ્યા ભાણ, ભાણ તોરા ભામણા મર જીયણ
લગી રાખજે કાછપતરાઉ,

બીજી એક ઘટના બની હતી ભાણેવા ના રાજમાતા માનતા ઉતારવા માટે દડવે ગયા હતા. અને વળતા સાંજ પડી ગઈ હતી. પોતાના સૈનિકો સાથે વગડામાં થી પસાર થઈ રહ્યા હતા. રાત પોતાનો અંધાર પછેડો પાથરી રહી હતી. અને તમરાઓ તમ તમ અવાજે બોલી રહ્યા હતા. દુર દુર ગામડાંમાં ઠાકર મહારાજની આરતી સમયે ઝાલરનો અવાજ સંભળાતો હતો. વગડાની ઝાડીમાંથી ચીબરી પોતાના કર્કશ અવાજે ભય ફેલાવી રહી હતી. ત્યારે દુરથી અવાજ આવ્યો કે હવે જ્યાં છે ત્યાં રોકાઈ જાવ. અને જેટલા ઘરેણાં હોય તે કાઢી આપો.
રાજમાતાએ પુછ્યું કે તુ કોણ છે. ત્યારે એ માણસે કહ્યું કે હુ જોગીદાસ ખુમાણ છુ. રાજમાતા બોલ્યા કે જોગીદાસ કોઈ દિવસ બેન દિકરીયુને ન લુંટે. વાતો કરવાનું બંધ કરોને ઘરેણાં ઉતારી દ્યો. રાજમાતા પોતાના ઘરેણાં ઉતારવા લાગી. ત્યારે દુર થી અવાજ આવ્યો કે કોણ છે.ત્યારે એ માણસે કહ્યું કે આવ જોગીદાસ આજ મોકો છે ભાવનગરની રાજમાતાને લુંટવાનો મોકો છે. આકડે મધ છે અને એ પણ માખીયુ વિનાનુ. ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે કાઠીનો દિકરો કોઈ પણ બેન દિકરીયુને ન લુંટે માટે હાલતો થા. અને જોગીદાસ બાપુએ લુંટારાઓ ને તગડી મુક્યા અને રાજમાતાને ભાવનગર સુધી પહોંચાડવા માટે પોતે હારે હાલ્યા. પાદર આવતા જોગીદાસ બાપુએ રાજમાતાને કહ્યું કે હવે હુ જાવ છુ. ત્યારે રાજમાતા બોલ્યા કે જોગીદાસ ભાઈ રાજ દરબારમા હાલો હુ તમારા બહારવટા પાર પડાવુ. જોગીદાસ બાપુ એ કહ્યું કે બેન બહારવટા તો તલવારની ધાર પર પાર પડશે. અને એટલુ કહીને એ વિરપુરુષ અંઘારામા અદ્રશ્ય થઇ ગયો.

ગિરીશ રાબરિ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

(((( बैजू के भोलेनाथ ))))
.
बैजू निहायत ही सीधा और सरल इन्सान.. सवेरे शाम जानवर चराता और बाकी का समय मंदिर की साफ-सफाई में।
.
पुजारी बाबा दो महीने के लिए तीर्थ पे जा रहे थे.. बैजू को बुलाया और कहा..
.
बैजू मंदिर की सारी जिम्मेदारी तुम्हारे ऊपर है.. और एक बात भोलेनाथ को भोग लगाये बिना खुद भोजन मत ग्रहण करना..!!
.
बैजू दूसरे दिन नहा-धो के जैसे तैसे बन पड़ा का भोजन तैयार कर भोलेनाथ के सामने थाली ले के हाजिर..
.
बाबा भोजन कर लो, बाबा टस से मस नही..
.
सवेरे से शाम हो गई.. न बाबा ने भोजन ग्रहण किया और न ही बैजू नें..
.
दो तीन दिन यही सिलसिला चला..
.
चौथे दिन बैजू का धीरज टूट गया.. पास पड़ी लाठी उठाई और जकड़ दिया.. शिवलिंग पे..!!
.
तत्काल भोलेनाथ हाजिर पीठ मलते हुए.. बोलो बैजू क्या बात है..?
.
चार दिन से तुम्हरे चक्कर में बिना कुछ खाए-पिए गुहार लगाय रहें हैं.. सुनाई नहीं पड़ा और लाठी जकड़ा नहीं के हाजिर..
.
चलो भोजन करो तो हमहूँ कुछ खाई..
.
बेचारे भोलेनाथ पीठ मलते चुपचाप आनन्द के अतिरेक में डूबे कच्चा-पक्का जैसा भी था खाने लगे..
.
बाबा बड़ा कस के लगा है..? रुको तुम भोजन करो, कहते हुए बैजू अंदर जा के चंदन ले आ भोलेनाथ के पीठ पे लगाने लगा..
.
भोजन उपरांत भोलेनाथ चलनें लगे तो बैजू बोला.. कल समय से आय जायो.. ठीक है न
.
बिलकुल बिलकुल बैजू..
.
अगले दिन भोलेनाथ माता पार्वती के साथ बिराजमान..
.
बाबा ये कौन हैं आपके साथ ?
.
तुम्हारी अम्मा हैं माता अन्नपूर्णा।
.
आओ आओ अम्मा, तुरंत बेचारा भाग के दरी ले आया बिछाया..
.
अंदर से दो थाली में भोजन ले के हाजिर..
.
बैजू तुम्हारे लिए भोजन बचा है न ?
.
क्या बताता.. बोला हाँ बाबा चिंता न करो बहोत है..!!
.
आनन्द में डूबे अश्रुपूरित नेत्रों से भोजन खत्म किया..
.
तीसरे दिन फिर माता पार्वती के साथ बिराजमान.. वो भी समय से पहले..
.
बैजू हकबकाया.. बाबा आज इतनी जल्दी ?
.
माता पार्वती मुस्कुराईं, बोलीं बैजू आज खाना मै बनाऊंगी..
.
लाख मना करने के बावजूद बैजू की एक न चली..
.
माता पार्वती ने भोजन तैयार किया और तीन थाली में सजा के ले आईं..
.
भोजन शुरू.. बैजू ने जिन्दगी में ऐसा स्वादिष्ट भोजन किया न था..!!
.
वहीं भाव व प्रेम के भूखे भोलेनाथ ने पार्वती मैय्या से कहा.. शिवा..
.
हाँ स्वामी..!!
.
आज भोजन में आनन्द नहीं आ रहा है..
.
क्युँ ? ..माता की आँखों से आँसू निकल रहे थे.. सच स्वामी न वो स्वाद है न वो रस..
.
धन्य हैं माता अन्नपूर्णा जिनके नाममात्र से भोजन में मिठास बढ़ जाए उनको खुद का बनाया भोजन बे-स्वाद लग रहा था..
.
दो महीनों का भोग सामग्री और कहाँ तीन आदमी का भोजन..
.
बेचारे बैजू को अपने जानवर तक बेंच देनें पड़े..
.
किन्हीं कारणवश पुजारी बाबा बजाय दो महीनों के एक महीनें के अंदर ही तीर्थ से वापस आ गये..
.
पुजारी बाबा ने बैजू को बुलाया और कहा
बैजू.. भोलेनाथ को समय से भोग लगाता था न..?
.
हाँ पुजारी बाबा, पर बाबा तुम तो कहत रहयो के उ अकले आयेगें..
.
पर ऊ तो माता अन्नपूर्णा के साथे आवत रहेंन, और दुई नो जनें कस के भोजनव करत रहेंन..
.
हमका आपन जानवर तक बेचय के पड़ा..
.
पुजारी बाबा अपलक बैजू को निहार रहे धे.. जानते थे के ए झूठ बोल नहीं सकता..
.
तो क्या भोलेनाथ माता पार्वती के साथ आते धे..
.
बैजू आज तुम फिर भोग लगाओ देखें कौन कौन आता है..?
.
बैजू बेचारा समय से भोजन ले के हाजिर.. बुलाना शुरू..
.
काहे को भोलेनाथ आयें..!!
.
बुलाते बुलाते थक गया पर न भोलेनाथ को आना था न वो आये..
.
बाबा बाबा लाठी न उठाऊंगा चाहे तुम आओ या न आओ.. लाठी न उठाऊंगा.. बाबा लाठी न उठाऊंगा..
.
बस शिवलिंग पकड़ के रोए जा रहा था और यही बोल रहा था..
.
बैजू.. आँखें खोलो बैजू.. हम आ गये.. आँखें खोलो बैजू..
.
सामने ही माता पार्वती और भोलेनाथ बिराजमान थे.. लिपट गया चरणों में..
.
माँ-बाबा जो आज तुम न आते तो जान दे देता मै अपनी..
.
भोलेनाथ ने बैजू को ह्रदय से लगाया..
.
बोले, बैजू बेमोल बिक गया तेरे हाथों में..
.
सुन आज से मुझ से पहले लोग तेरा नाम लेगें फिर मेरा.. आगे बैजू पीछे नाथ.. ‘बैजनाथ’
साभार :- Bhagwan ki baten
Bhakti Kathayen भक्ति कथायें.. ((((((( जय जय श्री राधे )))))))

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નાસ્તિકતા એક ધર્મ અને એક ભક્તિ:
બે મિત્રો હતા તેમાંથી એક મિત્ર અતિ આસ્તિક અને બીજો એકદમ નાસ્તિક. આસ્તિકને એક આદત કે રોજ સાંજે નદી પાર એક મંદિરમાં દીવો કરવા જાય અને નાસ્તિક એક આદત તે હંમેશા આસ્તિક પહેલા મંદિર પહોંચી મુર્તિ પાછળ છુપાઈને ઉભો રહે અને આસ્તિક ચાલ્યો જાય પછી દીવો ઓલવી નાખે.
એકવાર ભયંકર વરસાદ થયો અને નદીમાં પુર આવ્યું. આસ્તિક મિત્ર ગયો નહીં પણ નાસ્તિક મિત્ર પહોંચી ગયો. આખી રાત મુર્તિ પાછળ છુપાઈને રાહ જોઈ પણ આસ્તિક આવ્યો નહીં. સૂર્ય નારાયણની કિરણો પડ્યા એટલે નાસ્તિક જવા લાગ્યો તો ઈશ્વર પ્રસન્ન થયા અને કહે કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છુ વરદાન માંગ
તો નાસ્તિક કહે કે મને એ સમજાવો કે હું તો નાસ્તિક છુ અને મે તમારા અસ્તિત્વ પર શંકા કરી છે તો તમે મારી ઉપર પ્રસન્ન કેમ થયા?
તો ઈશ્વર કહે કે તું જે માને છે તેમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને તારી નાસ્તિકતાને લઈને મને દિવસ રાત યાદ કરતો રહે છે. તું રાવણ અને કુંભકર્ણનું ઉદાહરણ લે. તે જય અને વિજય નામના મારા દ્વારપાલ હતા. તેણે ભૂલ કરી એટલે તેને સનતકુમારનો શ્રાપ મળ્યો કે રાક્ષસ યોનિમાં જન્મ થાય. અને 7 વખત જન્મની વાત કરી. જ્યારે જય વિજયને પોતાની ભૂલ સમજાઈ અને માફી માંગી અને કહ્યું કે શ્રાપનું નિરાકરણ કરો ત્યારે સનતકુમારોએ કહ્યું કે તમે જો ઈશ્વર ભક્ત બની ભક્તિ કરશો તો 7 અવતાર લેવા પડશે પણ જો ઈશ્વર વિરોધી બનશો તો ત્રણ અવતાર લેવા પડશે. એટલે જય વિજય એ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ, રાવણ અને કુંભકર્ણ અને કંસ અને શિશુપાલ તરીકે અવતાર લે છે અને વિષ્ણુ ભગવાન અવતાર ધરી તેમને મારે છે.
વાર્તા અહી એટલી છે કે તમે જે માનો છો એમાં દ્રઢ વિશ્વાસ ધરાવો પણ જો તમારો વિશ્વાસ ખોખલો હોય અને દર વખતે તમારે તમારી જાતને સોશિયલ મીડિયા પર નાસ્તિક તરીકે સાબિત કરવી પડે તો બાવાના બેય બગડયા. પેલો નાસ્તિક મુર્તિ પાછળ છુપાઈને દીવો ઓલવતો હતો પણ પોતાના મિત્રની આસ્થાની ઠેકડી નહોતી ઉડાડી.
અમુક લોકો સવાર સાંજ ઈશ્વર, હિંદુ ધર્મ અને મોદીને ગાળો દેતા હોય છે. હકીકતમાં તેણે તમારા દિલ અને દિમાગમાં સ્થાન જમાવી લીધું છે. ખરેખર તેઓ જ ઈશ્વર અને હિંદુ દેવી દેવતા અને મોદીના ભક્ત છે.
મને લાગે છે કે નાસ્તિકતા ધર્મ છે કેમ કે ધર્મ પ્રચારકોની જેમ તે એક ધર્મ હોય તેમ તેનો પ્રચાર કેમ કરો છો. જેમ એક ધર્મ પોતાને બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયત્નો કરે તેમ નાસ્તિકો પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયત્નો કરતાં રહે છે. જો ખરેખર જ નાસ્તિક હોત તો વાર્તાના નાસ્તિકની જેમ છુપાઈને દીવો ઓલવત પણ જાહેરમાં તેનું અપમાન ન કરત. પણ આજે નો ઈશ્વર ઉપર જ સવાલ કરો છો તો આ લોકો વચ્ચે લટકતા હોય તેવું લાગે છે. તેમના બાવના બેય બગડયા ન પુરા આસ્તિક ન પુરા નાસ્તિક.
આ પ્રકારની નાસ્તિકતા સમાજ માટે ખતરનાક છે.
તમે આ પ્રકારના નાસ્તિક બનો એટલે ઈશ્વરના અસ્તિત્વને નકારો. પછી તમે આત્માના અસ્તિત્વને નકારો. પછી તમે પાપ-પુણ્યને નકારો. હવે તમે ઈશ્વર, આત્મા અને પાપ-પુણ્યમાં નથી માનતા એટલે તમે એવું વિચારો કે જલ્સા કરો પોતાની જાતને ખુશ રાખો. ધીરે ધીરે સ્વાર્થી થઈ જાવ કેમ કે તમને ડર નથી કે ખોટું કરશું તો કર્મફળ ભોગવવું પડશે. આમ વ્યક્તિનું પતન થશે અને સમાજનું પતન થશે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નાસ્તિકતા એક ધર્મ અને એક ભક્તિ:
બે મિત્રો હતા તેમાંથી એક મિત્ર અતિ આસ્તિક અને બીજો એકદમ નાસ્તિક. આસ્તિકને એક આદત કે રોજ સાંજે નદી પાર એક મંદિરમાં દીવો કરવા જાય અને નાસ્તિક એક આદત તે હંમેશા આસ્તિક પહેલા મંદિર પહોંચી મુર્તિ પાછળ છુપાઈને ઉભો રહે અને આસ્તિક ચાલ્યો જાય પછી દીવો ઓલવી નાખે.
એકવાર ભયંકર વરસાદ થયો અને નદીમાં પુર આવ્યું. આસ્તિક મિત્ર ગયો નહીં પણ નાસ્તિક મિત્ર પહોંચી ગયો. આખી રાત મુર્તિ પાછળ છુપાઈને રાહ જોઈ પણ આસ્તિક આવ્યો નહીં. સૂર્ય નારાયણની કિરણો પડ્યા એટલે નાસ્તિક જવા લાગ્યો તો ઈશ્વર પ્રસન્ન થયા અને કહે કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છુ વરદાન માંગ
તો નાસ્તિક કહે કે મને એ સમજાવો કે હું તો નાસ્તિક છુ અને મે તમારા અસ્તિત્વ પર શંકા કરી છે તો તમે મારી ઉપર પ્રસન્ન કેમ થયા?
તો ઈશ્વર કહે કે તું જે માને છે તેમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને તારી નાસ્તિકતાને લઈને મને દિવસ રાત યાદ કરતો રહે છે. તું રાવણ અને કુંભકર્ણનું ઉદાહરણ લે. તે જય અને વિજય નામના મારા દ્વારપાલ હતા. તેણે ભૂલ કરી એટલે તેને સનતકુમારનો શ્રાપ મળ્યો કે રાક્ષસ યોનિમાં જન્મ થાય. અને 7 વખત જન્મની વાત કરી. જ્યારે જય વિજયને પોતાની ભૂલ સમજાઈ અને માફી માંગી અને કહ્યું કે શ્રાપનું નિરાકરણ કરો ત્યારે સનતકુમારોએ કહ્યું કે તમે જો ઈશ્વર ભક્ત બની ભક્તિ કરશો તો 7 અવતાર લેવા પડશે પણ જો ઈશ્વર વિરોધી બનશો તો ત્રણ અવતાર લેવા પડશે. એટલે જય વિજય એ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ, રાવણ અને કુંભકર્ણ અને કંસ અને શિશુપાલ તરીકે અવતાર લે છે અને વિષ્ણુ ભગવાન અવતાર ધરી તેમને મારે છે.
વાર્તા અહી એટલી છે કે તમે જે માનો છો એમાં દ્રઢ વિશ્વાસ ધરાવો પણ જો તમારો વિશ્વાસ ખોખલો હોય અને દર વખતે તમારે તમારી જાતને સોશિયલ મીડિયા પર નાસ્તિક તરીકે સાબિત કરવી પડે તો બાવાના બેય બગડયા. પેલો નાસ્તિક મુર્તિ પાછળ છુપાઈને દીવો ઓલવતો હતો પણ પોતાના મિત્રની આસ્થાની ઠેકડી નહોતી ઉડાડી.
અમુક લોકો સવાર સાંજ ઈશ્વર, હિંદુ ધર્મ અને મોદીને ગાળો દેતા હોય છે. હકીકતમાં તેણે તમારા દિલ અને દિમાગમાં સ્થાન જમાવી લીધું છે. ખરેખર તેઓ જ ઈશ્વર અને હિંદુ દેવી દેવતા અને મોદીના ભક્ત છે.
મને લાગે છે કે નાસ્તિકતા ધર્મ છે કેમ કે ધર્મ પ્રચારકોની જેમ તે એક ધર્મ હોય તેમ તેનો પ્રચાર કેમ કરો છો. જેમ એક ધર્મ પોતાને બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયત્નો કરે તેમ નાસ્તિકો પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયત્નો કરતાં રહે છે. જો ખરેખર જ નાસ્તિક હોત તો વાર્તાના નાસ્તિકની જેમ છુપાઈને દીવો ઓલવત પણ જાહેરમાં તેનું અપમાન ન કરત. પણ આજે નો ઈશ્વર ઉપર જ સવાલ કરો છો તો આ લોકો વચ્ચે લટકતા હોય તેવું લાગે છે. તેમના બાવના બેય બગડયા ન પુરા આસ્તિક ન પુરા નાસ્તિક.
આ પ્રકારની નાસ્તિકતા સમાજ માટે ખતરનાક છે.
તમે આ પ્રકારના નાસ્તિક બનો એટલે ઈશ્વરના અસ્તિત્વને નકારો. પછી તમે આત્માના અસ્તિત્વને નકારો. પછી તમે પાપ-પુણ્યને નકારો. હવે તમે ઈશ્વર, આત્મા અને પાપ-પુણ્યમાં નથી માનતા એટલે તમે એવું વિચારો કે જલ્સા કરો પોતાની જાતને ખુશ રાખો. ધીરે ધીરે સ્વાર્થી થઈ જાવ કેમ કે તમને ડર નથી કે ખોટું કરશું તો કર્મફળ ભોગવવું પડશે. આમ વ્યક્તિનું પતન થશે અને સમાજનું પતન થશે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ચતુર શિયાળ સામે શક્તિશાળી ગેંડો હારી ગયો

લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

રાત્રિનો સમય છે અને ઘનઘોર જંગલમાં ચારે બાજુ અંધકાર છવાયેલો છે. નિશાચર પ્રાણી અને પક્ષીઓના અવાજ સંભળાઈ રહ્યા છે. આવા સમયે વનનો રાજા માનવામાં આવતો સિંહ પણ સંતાઈને બેસી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે એક શિયાળ શિકારની શોધમાં નીકળ્યુ છે પરંતુ શિકારની શોધમાં નીકળેલ શિયાળ પોતે જ શિકાર બની જાય તેવી ઘટના બને છે. જંગલમાં રહેતો શક્તિશાળી ગેંડો પોતાને વનનો રાજા કહેવડાવે છે અને બધાં જ પ્રાણીઓને માર મારીને પરેશાન કરે છે. રાત્રીનાં સમયે ગેંડાની નજરમાં શિયાળ આવી જાય છે અને શિયાળને મારવા જાય એ પહેલાં ચતુર શિયાળ ગેંડાને પ્રણામ કરે છે. જેથી ગેંડો ખુશ થઈ જાય છે અને તેને પૂછે છે કે વનનો રાજા કોણ છે? શિયાળ તરત જ ચતુરાઈથી જવાબ આપે છે ગેંડા મહારાજ વનના રાજા તો તમે જ છો. શિયાળની પ્રશંસા સાંભળીને ગેંડો ખુશ થાય છે અને શિયાળને જીવતું જવાદે છે. આ ઘટના પછી જીવ બચાવીને શિયાળ વનના રાજા સિંહ પાસે પહોંચે છે અને આખી વાત કરે છે ત્યારે સિંહ કહે છે કે શિયાળભાઈ તમે તો મને ફરિયાદ પણ કરી શકો છો પરંતુ હું કોને ફરિયાદ કરું? આ સાંભળીને શિયાળ કહે છે મહારાજ આપ ચિંતા ન કરશો. આપણે બધા સાથે મળીને યુક્તિથી શક્તિશાળી ગેંડાના ત્રાસથી જંગલના બધાં જ પ્રાણીઓને મુક્ત કરાવીશું. ચતુર શિયાળની યુક્તિ પ્રમાણે રસ્તામાં એક મોટો ઉંડો ખાડો કરવામાં આવે છે અને તેમાં સળગતો અગ્નિ નાખવામાં આવે છે. જંગલના બધા જ પ્રાણીઓ સાથે મળીને ખાડા ઉપર લાકડા ગોઠવી દે છે અને તેના પર થોડું ઘાસ નાખીને પછી માટી નાખવામાં આવે છે. ચતુર શિયાળ શક્તિશાળી ગેંડાની સામે જાય છે અને ગેંડાને પડકાર ફેંકે છે. જેના કારણે ગેંડો ખૂબ જ ગુસ્સે થાય છે અને શિયાળની પાછળ દોડે છે. શિયાળનું વજન ઓછું હોવાના કારણે યુક્તિથી તૈયાર કરવામાં આવેલ ખાડા પરથી શિયાળ પસાર થઈ જાય છે અને પરંતુ ગેંડો તેના પરથી પસાર થઇ શકતો નથી અને ધડાકા ભેર ખાડામાં પડે છે. ખાડામાં રહેલ અંગારાના કારણે ગેંડાનું શરીર બળવા લાગે છે અને ગેંડો બચવા માટે બૂમ બરાડા પાડવા લાગે છે ત્યારે જંગલના બધા પ્રાણીઓ સાથે મળીને ખાડામાં માટી નાંખવા લાગે છે અને ગેંડાને ખાડામાં જ દાટી દેવામાં આવે છે. ત્રાસ આપતા ગેંડાના અંતથી પ્રાણીઓ ખુશીથી ઝૂમી ઉઠે છે. શિયાળની ચતુરાઈ સામે શક્તિશાળી ગેંડો હારી છે અને જંગલના પ્રાણીઓ ફરીથી ગેંડાના ત્રાસથી મુક્ત બનીને પ્રકૃતિના સાનિધ્યમાં જીવન જીવી રહ્યા છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભવના_ભેરુ

રતનજી જોષી અને ભોજા રબારી

સુંદરીના શરમથી છવાયેલા વદન જેવી સંધ્યા સનખડા ગામની સીમ ઉપરથી સરીને ક્ષિતિજના અંકમાં સમાઉ સમાઉ થઇ રહી છે.

હાથ-હાથના ડૂંડે બાજરો અને દોથા દોથા જેવડા લોથે જાર ઝૂલી રહી છે. સીમની ચણ ચણીને પંખીઓ ભર્યે પેટે હવામાં પાંખો હીલોળતાં મીઠા કલશોરે સીમને ભરી દેતાં માળે પોઢવા પાછાં ફરી રહ્યાં છે. ઉઘાડ આભ અને મોલાતે અરઘતી અવની વચ્ચે વાયરો દોટુ દઇ રહ્યો છે. સોળે શણગાર સજીને હરખાતી ધરતીના સાળુમાં શીળો સમીર સળવળી રહ્યો છે. વાછરુને લાંબે લસરકે ચાટીને વહાલ વરસાવવા અથરી થયેલી ગણતરીઓ ભાંભરતી નદીનો ઊભો કાંઠો ચરીને ઉતાવળે પગલે ગામ ભણી આવી રહી છે.

આવે ટાણે સનખડા ગામનો દેલવાડીઆ શાખાનો જોષી નુખનો રતનજી બ્રાહ્મણ હાથમાં ધારિયું હિલોળતો સનખડાની સીમમાં ડગલાં દઇ રહ્યો છે. કપાળમાં ત્રિપુંડ, અંગે અંગરખું, ઢાલવા છાતી, જોરાવર ભુજાઓ, ઝગારા દેતું વિશાળ લલાટ, માથે હાથ એકની ચોટલી… જોતાં જ જાણે શિવનો ગણ જોઇ લ્યો.

રતનજી જોષી એટલે વટનો કટકો. એકવચની અને વહેવારનો પાકો. ઘરે ધીંગી ખેડ, ઓસરી – ઉતાર ઓરડા, આંગણામાં ગાયુનાં ગમાણ ને તુલસીનો ક્યારો, તે દિ’ રતનજી જોષીને કોઇ આંબે નહિં.

આવા રતનજી જોષી અને ભોજા રબારી વચ્ચે ભાઇબંધી ભરડો લઇ ગયેલી. ખોળવિયાં નોખાં પણ બેય ખોળવિયામાં જાણે એક જ આત્મા રમે. રતનજી જોષી અને ભોજા રબારી વચ્ચ જાણે પૂરવ ભવની પ્રીત પ્રકટેલી. દોસ્તીના દીવા આઠેય પહોર અખંડ જયોતે ઝગમગે.

‘મિત્ર ઐસા કિજીએ ઢાલ સરીખા હોય,

સુખમેં પીછે રહે ઔર દુ:ખમેં આગે હોય.’

રતનજી જોષી અને ભોજો રબારી આવા મિત્રો.

એકબીજાને આધાર દઇને જીવનારા જોષી વાડીએ વાહુ જાય. ભોજો ઢોરને લઇને પહર આવે. રાત બધી બેય ભાઇબંધો હેત-પ્રીતને હિલોળે ચડે.

આજ ભોજો રબારી પોતાના ઢોરને વોંકળાના સામે કાંઠે ચારી રહ્યો છે. આ બાજુના કાંઠા વળોટી રતનજી જોષી ભોજાને ભેળો થાવા ડાફૂ ભરી રહ્યો છે, ત્યાં તો પંદર ધાડું ભોજાને આંખના પલકારામાં ઘેરી વળ્યું. પંદરેયના હાથમાં કડિયાળી લાકડિયું તોળાઇ ગઇ છે. આજ ભોજાને ઠામ મારીને પાછા વળવાના મનસૂબા સાથે છૂટેલા પંદર જણાએ કડિયાળિયું તોળીને પડકારો કર્યો :

‘ભોજા, હવે થાજેે ભડનો દીકરો.’

પડકારો સાંભળતાં જ વોકળો વળોટતાં રતનજી જોષીએ હાકોટો કર્યો :

‘ખબરદાર! કોઇએ ટચકો કર્યો છે તો ભોડાં રેડવી દઇશ.’

અણધાર્યો પડકારો ઊઠતાં તોળાયેલી લાકડીઓ પળવાર તોળાઇ રહી. ધારિયાને હીલોળતા આવી રહેલા રતનજી જોષી માથે મીટ માંડી કરડી આંખ્યું નોંધી, ડારો દીધો,

‘બ્રાહ્મણ, સમજીને પાછા વળી જાજો, આજનો મામલો નોખો છે.’ ત્યાં તો ઘેરાને વીંધીને ભોજાની પડખે ઊભા રહીને રતનજીએ ધારિયું વીંઝી વેણ કાઢ્યાં,

‘પારોઠનાં પગલાં ભરવાનું આ બ્રાહ્મણ શીખ્યો નથી. ભોજો તો મારો ભવનો ભેરુ. એની માથે ઘા કરતાં પહેલાં જોષીનો ઝપાટો જોતા જાવ.’

રતનજી જોષીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. એક બાજુ પંદર કડિયાળી લાકડીઓની ત્રાપટ પડે ને સામે રતનજી જોષી અને ભોજા રબારીની ધારિયાની બટાઝટી બોલે.

સનખડાની સીમના વાંકળે ધીંગાણું જામ્યું. લોહીના ધોરીઆ ધધકતા, કાળ રૉપ ધારણ કરીને રતનજી અને ભોજો દુશ્મનોને વેતરવા માંડયા. દુશ્મનો વેતરાણા ભોજો પડયો. બાકીના દુશ્મનો ભાગ્યા. ભાગતા દુશ્મનોની પછવાડે રતનજી પડયો. લોહી નીતરતી કાયા લથડતી જાય છે. રતનજી જોષી ભુજામાં રહેલી છેલ્લી શક્તિને ભેગી કરીને ભાગતા દુશ્મનો ઉપર ધારિયાની પ્રાછટ ઝીંકતો જાય છે. ગાંગડા ગામના પાદર સુધી તગડીને રતનજી જોષી પડયો.

(નોંધ : પૂ.રતનજીબાપા દલવાડીઆ જોષીના શુરાપુરા તરીકે આજે પણ પૂજાય છે.)

ધરતી નો ધબકાર – દોલત ભટ્ટ ©️

આપણી સંસ્કૃતિ આપણો વારસો ™️

તસ્વીર પ્રતિકાત્મ છે 🔰

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

_મહેમાની

ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે.

ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધાનાં મેાં કાળાંમશ થઈ ગયાં. સહુને લાગ્યું કે મહેમાન કાંઈ મર્મ કરતો જાય છે. કોઈએ વળી વધુ પડતા કૌતકના માર્યા પૂછ્યું :

“આપા ચીતરા કરપડા ! આ ચાળો વળી શું ઊપડ્યો છે ?”

અસવારે ઉત્તર દીધો : “એ બા, આ તો આપા ભાણની મે’માનગતિ ! ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા, એટલે ત્રણે પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉ છું.”

ભડલીનું નાક વાઢતો વાઢતો એ ચીતરો કરપડો ગામડેગામડાની ઊભી બજારો વીંધીને કણબાવ્ય ચાલ્યો ગયો. કોણ જાણે કોની ભૂલ થઈ કે કોઈ દિવસ નહિ ને આજ જ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચીતરા કરપડાનું ભાણું ન સચવાણું ! ભાણ ખાચર ઘેરે નહિ, અને કોઈકે કરપડાને ડુંગળી-રોટલો પીરસ્યાં.

ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈ એ વાત કરી કે ચીતરો ડુંગળી ને રોટલો ભાલે ચડાવીને આપણા

છે ​ખોરડાને ફજેત કરતો ગયો. ભાણ ખાચર ખિજાયા : “બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો !” એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો. પણ કાંઈ માથાં વાઢ્યે એવાં વેર થોડાં વળે છે ? તલવારનાં વેર તલવારથી લેવાય અને રોટલાનાં વેર રોટલાથી !

ચીતરે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતાવી દીધી : “ધ્યાન રાખજે, ભાણ ખાચર નાક કાપવા આવશે. લાખ વાતેય આવ્યા વિના નહિ રહે.”

બાઈ કહે : “ફિકર નહિ.”

તે દિવસથી રોજેરોજ ગામના કાઠીઓના ઘેરેઘેરે ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે. દહીંનાં પેડાં, દૂધના દોણાં, દળેલી સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે. #સાજણી[૧] ભેંસો પણ હાજર રાખે, અને ચીતરો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર-ચોખા સિવાય બીજું કાંઈ લુંટે નહિ.

એક વાર ચીતરો ફેરે ચાલ્યો: કહેતો ગયો : “ભાણ ખાચર આવે તો મારા આવતાં પહેલાં રજા દેશો નહિ.”

બીજે દિવસે બરાબર મધ્યાહૂને ભાણ ખાચરે એકસો ઘોડે આવીને પૂછ્યું : “આપો ચીતરો છે ઘેરે ?”

ઓરડેથી આઈએ કહેરાવ્યું : “કાઠી તો ઘરે નથી, પણ કાંઈ ઘર હાર્યે લેતા નથી ગયા. ભાણ ખાચર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે !”

ભાણ ખાચરને તો એટલું જ જોતું હતું. કાઠીઓએ આવીને સોયે અસવારોનાં ઘોડાં ગામમાં ઘેર ઘેર બાંધી લીધાં, લીલાછમ બાજરાનાં જોગાણ ચડાવી દીધાં, કસૂંબો ​વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયાં. અહીં જ્યાં અમલની અંજલિઓ “આપાના સમ, મારું લોહી” વગેરે સોગંદ આપીઆપીને પિવરાવી દીધી, ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો છાશ પીવા.

દરબારગઢની લાંબી, ધોળેલી અને ચાકળા-તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાઈઓ ઉપર પચાસ પચાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઈ તાંસળીમાં ચોખા, સાકર અને દૂધ પીરસાણાં. પડખે ઘઉની ધિયાળી રોટલીઓ મુકાણી. તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડયા. પછી સીસમના ઢોલિયામાં પોઢણ; રેાંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસૂંબા : અને રાતે પાછી દૂધ, સાકર ને ચોખા ઉપર ઝાપટ, અને એક દિવસ વીત્યે મહેમાન કહે : “હવે શીખ લેશું. ” આઈ કહે : “બાપ, જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે. “

બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજની ત્રણે ટંક કાઠિયાણીએાએ પોતાની તમામ કળાકારીગરી ખરચી નાખીને પેપડીનાં, બાવળના પરડિયાનાં, હાથલા થોરનાં, પરબોળિયાનાં, મીઠાનાં અને દૂધનાં ફીણનાં : એવાં ભાત- ભાતનાં તો શાક બનાવીને ખવરાવ્યાં, મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડયો. માથે ભાત્ય ઊપડે એવા સાકરના રોટલા બનાવ્યા. ચોખાની બરજ, શેવની બરજ અને હરીસો રાંધ્યો. કેાણ જાણે એવો તે એાપ એ હરીસાને આપ્યો કે, એનાં ચાસલાંમાં માણસનું માં દેખાય. કાઠીઓ ખાવા બેસતાં ત્યારે આંગળાં કરડતા અને કેાઈ શાકપાંદડાંને તો ઓળખી જ શક્યા નહિ. ​એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાનગતિમાં જરાય મોળપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું. એણે બે હાથ જોડીને એારડે કહેવરાવ્યું : “આઈ, હવે તો હદ થઈ. ચીતરાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી થઈ ગઈ. હવે રજા આપો.”

આઈએ જવાબ મોકલ્યો : “આપા ભાણ! તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈનાં બેસણાં છે, અમે તો રાંક કાઠી કહેવાઈએ. ગજાસંપત પ્રમાણે રાબ-છાશ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ તમારી શોભા વદે. ”

એકસો ઘેાડે ભાણ ખાચર ચડી નીકળ્યા. આવ્યા’તા તો વેર લેવા, પણ આ તો ઊલટું પોતાને માથે વેર વાળ્યું ! ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો. સામસામા રામરામ થયા. ચીતરો કહે : “બા, ઘોડાં પાછાં ફેરવો.”

ભાણ ખાચરે બે હાથ જોડ્યા; કહ્યું : “આપા, ત્રણ ત્રણ દિવસ થઈ ગયા; અને આઈ એ કાંઈ બાકી નથી રાખ્યું.”

“અરે, વાત છે, કાંઈ ? ભાણ ખાચર જેવો કાઠી બાયડિયુંનો મહેમાન બનીને વહ્યો જાય ?”

ભાણ ખાચરે બહુ આજીજી કરી; મર્મમાં જણાવી દીધું : “આપા ! ઘરની પરીક્ષા તે ઘરની બાયડી જ આપે.”

પછી ત્યાં એક વાવ હતી. વાવને કાંઠે બેસીને ચીતરે કસૂંબો કાઢ્યો. પણ કસૂંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું જોઈએ. ઉનાળો ધોમ ધખતો હતો. સહુનાં ગળાં શોષાતાં હતાં. શરબત કરવું હતું, પણ ઠામ ન મળે ! ચીતરાની સાથે સાકરનાં ત્રણ-ચાર છાલકાં હતાં.

“લ્યો બા, સૂઝી ગયું !” એમ કહીને એણે ચારે છાલકાંની સાકર વાવમાં પધરાવી. ​ડાયરો કહે : “અરે, આપા, હાં ! હાં !”

“એમાં હાં હાં શું ? ભાણ ખાચર જેવા મહેમાન ક્યાંથી ?”

આખી વાવમાં શરબત શરબત થઈ ગયું. સહુએ પીધું. રામરામ કરીને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભાણ ખાચર બોલ્યા :

“બા, ચીતરો રોટલા વીંધે એય પરમાણ !”

1+#સવારે અને સાંજે તો ભેંસો દોહવાં આપે, પણ બપોરના અને મધરાત જેવે કટાણે દૂધની જરૂર પડે તેટલા માટે જ અમુક ભેંસોને સવાર- સાંજ ન દોહતાં બપોરે અને મધરાતે દોહે તેને ‘સાજણિયું ‘ કહેવાય.

સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી જી ©️

આપણી સંસ્કૃતિ આપણો વારસો ™️

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બીજા ધોરણ માં ભણતો હતો હું સાયદ.. ગામની પ્રાથમિક શાળા માં.. વેલ શાળા ના અનુભવો ફરી ક્યારેક.. આજે અમારે ત્યાં ઉજવાતા અને યાદ રહી ગયેલા મારા ફાધર્સ ડે ની વાત.. તો નિયમ એવો હતો કે નિશાળ માં ત્રણ રીસેસ પડે.. પહેલી એકી પાણી કરવાની.. . અહીં પણ સાયન્સ છે હો પાછા.. જુઓ એકી પહેલા અને પછી પાણી.. સાયન્સ એમ કહે છે કે વધુ પાણી પીવું જોઈએ અને એનું લેવલ પણ જળવાઈ રહેવું જોઈએ નહીં તો ડી હાઈડ્રેશન થઈ જાય.. જે લોકો ને એમ છે કે આપણી સરકારી પ્રાથમિક શાળા માં કાઈ શીખવવામાં નથી આવતું એમના ગાલ પર તમાચો છે આ વૈજ્ઞાનિક પઘ્ધતિ.. તો પહેલા એકી કરી લેવાની અને પછી પાણી પી ને ખાલી થયેલી જગ્યા ભરી દેવાની… ઓહ.. પાછા આડી વાતે ચડી ગયા આપણે..

તો બીજી રિશેષ બપોરે પડે જમવાની.. અને ત્રીજી રિશેષ 2:45 સે ચા પીવાની.. હા ખબર છે મને.. ચા નું નામ સાંભળીને તમારા મો માં પાણી આવી જાય છે… ચા ના હડકાયા.. તો ઘણીવાર તો જમવાની રીસેસ છેક ચા ની રિશેષ સુધી લંબાઈ જતી એ વાત અલગ છે કે પછી જે થતું એ કોમળ અંગ માથે બહુ વસમું લાગતું..

તો વાત ફાધર્સ ડે ની.. તો આવો જ કોઈ સામાન્ય દિવસ હતો અને આપણે તો ચા ની રિશેષ માં ભાગતા ભાગતા જ ઘરે પહોંચવાના.. હા તમે લગભગ તો જાણો જ છો ચા અને મારો સંબંધ.. તો એ છેક બાલ્યકાળ થી છે.. તો આપણે પહોંચ્યા ઘરે પણ આપણે હજુ પહોંચીએ એ પહેલાં તો ચા ના વાસણ ઉટકાઈ રહ્યા હતા… હવે ગામડા માં સવાર અને બપોરે ત્રણ વાગે ફિક્સ બે જ ટાઈમ ચા બને.. બાકી કોઈ આવે તો.. આ શહેરો ની જેમ નહીં કે જ્યારે મન થયું બનાવીને પી લેવાની… પૈસા નહોતા ના ગામડા માં … વેલ તો ચા પુરી થઈ ગઈ હતી..

અને તમને ખબર છે.. ચા થી આપણને કોઈ વિખુટા પાડે તો પછી દેવદાસ બની જ જઈએ. અને આપણે રીસાયા .. ચા પીધા વગર નિશાળે નહીં જ જાઉં.. ભણવાનું છૂટી જાય એ ચાલશે બાકી ચા વગર તો કેમ જીવાય યાર.. જીદ રિસામણા અને હઠ.. ચા માટે જ તો.. અને પછી માં એ બાપા ને બોલાવ્યા..

અને આપણો ફાધર્સ ડે ચાલુ થયો.. ઘર માં છેક છેલ્લા ખૂણે રિસાઈને બેઠા હતા આપણે અને બાપા આવ્યા..કાઈ ના બોલ્યા.. સીધો એક હાથ પકડ્યો અને પછી આ કોમળ કાયા ધૂળ માં રગોળાતી થઈ.. પણ જોર કર્યા વગર સાવ હાર તો ના જ માની લેવાય ને.. સવાલ ચા ની જુદાઈ નો હતો.. પણ જોર કરવામાં ઉલટા ભરાયા અને બાપા એ હાથ છોડીને પગ પકડ્યો અને પછી તો જે ચીસો..આંસુ.. ધૂળ.. અને છોલાઇ ગયેલા ઢીંચને છેક નિશાળ ના રૂમ માં.. પણ તોય ચા ની જીદ તો ચાલુ જ હતી.. અને હજુય છે..

વેલ.. આશા રાખું તમને આવી ચા ની ઘેલછા નહીં હોય..

બાકી હેપ્પી ફાધર્સ ડે..

વિરામસિંહ વાઘેલા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक वृद्ध ट्रेन में सफर कर रहा था, संयोग से वह कोच खाली था। तभी 8-10 लड़के उस कोच में आये और बैठ कर मस्ती करने लगे।

एक ने कहा – “चलो, जंजीर खीचते है”. दूसरे ने कहा – “यहां लिखा है 500 रु जुर्माना ओर 6 माह की कैद.” तीसरे ने कहा – “इतने लोग है चंदा कर के 500 रु जमा कर देंगे.”

चन्दा इकट्ठा किया गया तो 500 की जगह 1200 रु जमा हो गए. जिसमे 200 के तीन नोट, 2 नोट पचास के बांकी सब 100 के थे

चंदा पहले लड़के के जेब मे रख दिया गया। तीसरे ने कहा, “जंजीर खीचते है, अगर कोई पूछता है, तो कह देंगे बूढ़े ने खीचा है। पैसे भी नही देने पड़ेंगे तब।”

बूढ़े ने हाथ जोड़ के कहा, “बच्चो, मैने तुम्हारा क्या बिगाड़ा है, मुझे क्यो फंसा रहे हो?”

लेकिन नही । जंजीर खीची गई। टीटीई आया सिपाही के साथ, लड़कों ने एक स्वर से कहा, “बूढे ने जंजीर खीची है।”

टी टी बूढ़े से बोला, “शर्म नही आती इस उम्र में ऐसी हरकत करते हुए?”

बूढ़े ने हाथ जोड़ कर कहा, “साहब” मैंने जंजीर खींची है, लेकिन मेरी बहुत मजबूरी थी।”

उसने पूछा, “क्या मजबूरी थी?”

बूढ़े ने कहा, “मेरे पास केवल 1200 रु थे, जिसे इन लड़को ने छीन लिए और इस पहले लड़के ने अपनी जेब मे रखे है।” जिसमे 200 के तीन नोट, 2 नोट पचास के बांकी सब 100 के हैं

अब टीटी ने सिपाही से कहा, “इसकी तलाशी लो”.
जैसा बूढ़े ने कहा नोट मिलाये गए लड़के के जेब से 1200रु बरामद हुए, जिनको वृद्ध को वापस कर दिया गया और लड़कों को अगले स्टेशन में पुलिस के हवाले कर दिया गया।

पुलिस के साथ जाते समय लड़के ने वृद्ध की ओर घूर के देखा तो वृद्ध ने सफेद दाढ़ी में हाथ फेरते हुए कहा –

“बेटा, ये बाल यूँ ही सफेद नही हुए है!”

किसन प्रसाद विश्वकर्मा
😂😂😂