Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પરમાર્થ કરતા રહો, દાન યોગ્ય જગ્યાએ કરો.

એક લઘુ કથા………………..

નવા બુટ ઓફિસે પહેરી ને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા.
ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટ ને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો હતો…
જેમ એક મઘ્યમવર્ગ ની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટ ની હતી…

કોઈ દર્દી ની સારવાર કરી ડોક્ટર અંતે થાકી ને કહે કે દર્દી લાબું નહીં જીવે…
ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી..

તેમ મારા મોચી એ કીધું સાહેબ, નવા બુટ ખરીદી લ્યો… ઘણો ક્સ કાઢ્યો, હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી………

આજે રવિવાર હોવાથી…
મેં મારા બુટ ચમ્પલ ના સ્ટેન્ડ ની સાફ સફાઈ ના બહાને ઘર ના સભ્યોના ચપ્પલ બુટ ની વર્તમાન દશા શું છે એ જોવા પર્યત્ન કર્યો…

મારા નસીબ સારા હતા…ઘરની વ્યક્તિઓ સમજુ હતી…સામેથી કોઈ પણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં, એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી.

મારો પગાર પણ સારો, બચત પણ સારી… પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે…બુટ ચમ્પલ નું સ્ટેન્ડ – ઘર ના દરેક સભ્યના નવા બુટ ચમ્પલ લેવાનું મને કહેતું હતું…

મેં કાવ્યા ને બુમ મારી બોલાવી, કીધું…
આ તારા ચંપલ જો. બાળકો ના બુટ…
તમને એમ નથી થતું… હવે નવા બુટ ચંપલ લેવા જોઈએ..?

કાવ્યા બોલી….
પ્રથમ તમારે જરૂર છે, બુટ માંથી અંગુઠો બહાર આવવાની તૈયારી કરી રહ્યો છે…

હું પિન્ટુ અને મારી દીકરી શીતલ હસી પડ્યા…
સારું, આજે સાંજે બુટ અને ચંપ્પલ લેવા આપણે સાથે જઇયે છીયે….

સાંજે ફરતા ફરતા શહેર માં ઘણા સમય થી ફેમસ બનેલ “બુટ હાઉસ” ના શોરૂમ પાસે અમે ઉભા રહ્યા…
પિન્ટુ બોલ્યો, પપ્પા આપણા શહેરમાં આ શોરૂમ નું નામ છે, આવા બીજા બે શોરૂમ પણ આ શહેરમાં છે… નવી નવી બુટ ચમ્પલ ની ડિઝાઈન અહીં થી આપણને મળી રહેશે…

શોરૂમ જોઈ અંદર જવાની હિંમત થતી ન હતી…છતાં પણ બાળકો અને પત્નીની ઈચ્છા હતી, એટલે…પ્રથમ પાકીટ અને ક્રેડિટ કાર્ડ ખીસા માં છે કે નહીં એ ખાતરી કરી હિંમત એકઠી કરી શોરૂમ માં અમે પ્રવેશ કર્યો…

કઈ બાજુ થી શરૂઆત કરવી એ જ ખબર પડતી ન હતી..
બુટ ની રેન્જ ચાલુ જ ત્રણ હજારથી થતી હતી….શોરૂમ ના સેલ્સમેન પણ વારંવાર મારા બુટ તરફ નજર કરતા હતા.
તેઓ નો પ્રતિસાદ નબળો હોવાનું કારણ મારા બુટ હતા, એ હું સમજી ગયો હતો…

AC શોરૂમ માં મને પરસેવો થતો જોઈ મારા સમજદાર પરિવારે મને કીધું…
પપ્પા, આના કરતાં શહેર માં સસ્તા મળે.. આ તો એરિયા નો ભાવ લે છે, લૂંટે છે…

અમારી વાતચીત અને હાવ ભાવ જોઈ… એક યુવાન વ્યક્તિ ચેમ્બરમાંથી બહાર આવી…

આવો સાહેબ,
તમારા માટે આ ડિઝાઈન પરફેક્ટ છે…
મેં બુટ ની કિંમત જોઈ 4999 રૂપિયા.. મેં કીધું ભાઈ…બીજે તપાસ મને કરવા દે…

અરે વડીલ અમારા ગ્રાહક અમારા ભગવાન છે… એ યુવાન શેઠ હોવા છતાં તે મારા પગ પકડી નીચે બેસી મને બુટ પહેરાવવા લાગ્યા…
સેલ્સ સ્ટાફે તેમને ચેમ્બર માં જવા વિનંતી કરી.

પણ આ યુવાન લાગતો શો-રૂમ નો માલિક બોલતો હતો ભગવાન આજે સામે ચાલી ને આપણે ત્યાં આવ્યા છે…
તેના સ્ટાફ ને બોલાવી કીધું, આ બુટ પેક કરો, સાહેબ ના બુટ અને સાઇઝ મને યાદ છે…

હું ધારી ધારી ને આ વ્યક્તિ ને જોતો રહ્યો..સાચો સેલ્સમેન તો આને કહેવાય.

મારી પત્ની કાવ્યા સામે જોઈ શેઠ બોલ્યા, બેન તમારા માટે આ સેન્ડલ યોગ્ય છે, તેની કિંમત મેં જોઈ 2999 રૂપિયા.

હવે તેણે પિન્ટુ સામે જોયું…
તું યુવાન છે, આ સપોર્ટ શૂઝથી તારો વટ પડશે તેની કિંમત 5899
મેં કીધું અરે ભાઈ, તમે મને તો પૂછો કિંમત મને પરવડે છે કે નહીં ?
એ વ્યક્તિ એ કંઈ સાંભળ્યું જ નહીં…
શીતલ ના પણ સેન્ડલ 2999 પેક કરવા પોતાના માણસ ને આપી કેશ કાઉન્ટર ઉપર મોકલ્યો, અને પાછળ પાછળ પોતે ગયો…

પાકીટ માંથી આટલા રૂપિયા નીકળશે કે નહીં, એ ચિંતામાં હતો, ત્યાં એ સજ્જન વ્યક્તિ મારી પાસે આવી બોલી…..લ્યો સાહેબ આ તમારું બિલ, કેશ કાઉન્ટર ઉપર રૂપિયા જમા કરાવી… ડિલિવરી લઈ લ્યો..

બે મિનિટ તો ઝગડો કરી લેવાની ઈચ્છા થઈ…પણ જયારે મેં બિલ જોયું ત્યારે હું ઠંડો થઈ ગયો…
*ટોટલ રકમ ઉપર ડિસ્કાઉન્ટ 100% ચૂકવવા પાત્ર રકમ ઝીરો રૂપિયા……..
મેં એ વ્યક્તિ સામે જોઈ કીધું.
તમે અમારી મજાક તો ઉડાવતા નથી ને…?

એ યુવાન શેઠ હાથ જોડી ઉભો રહી ગયો અને બોલ્યો,
અરે સાહેબ…
જીંદગી જ્યારે અમારી મજાક ઉડાવતી હતી, ત્યારે તમે અમારો હાથ પકડ્યો હતો. તમારી મજાક ઉડાવવા માટેની અમારી હેસિયત જ નથી.
યાદ આવ્યું કંઈ… સાહેબ ?

ના…
કંઈ યાદ નથી આવતું, મેં કીધું…….

સાહેબ…
બુટ પોલીશ…યાદ આવ્યું…

અરે, તમે રામ અને શ્યામ….

હા વડીલ…. હું રામ.

હું દોડી ને તેને ભેટી પડ્યો…
અરે બેટા, તું આવડી મોટી વ્યક્તિ બની ગયો…

શ્યામ ક્યાં છે….?
શ્યામ કેશ કાઉન્ટર ઉપર થી હસતા હસતા દોડી ને આવ્યો, મને ભેટી ને પગે લાગ્યો..
અરે સાહેબ અમારી જીંદગી તમારા ઉપકાર ના 100% ડિસ્કાઉન્ટ ઉપર ચાલે છે. જો તમે યોગ્ય સમયે અમારો હાથ પકડ્યો ન હોત, તો, તો આજે અમે લોકો હજુ બુટ પોલિસ જ કરતા હોત…

આ શો રૂમ તમારો છે…
અમારા વડીલ ગણો, માઁ-બાપ કે દેવ ગણો તમે જ છો… અમે આ શોરૂમ નું ઉદ્ઘાટન તમારા હાથે કરવા તમને યાદ કર્યા હતા, તમારી ઓફીસે ગયા…
ત્યાંથી તમારી ટ્રાન્સફર થઈ ગઈ હતી… પણ અમારી ઈચ્છા આજે પુરી થઈ…
આવો ચેમ્બર માં વડીલ,
અમે ચેમ્બર માં ગયા…

રામ પિન્ટુ સામે જોઈ બોલ્યો, બેટા વર્ષો પહેલાં તારા પપ્પા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. અમે બન્ને તારા પપ્પા ને બુટ પોલીશ કરાવવા માટે પાછળ પડ્યા…
તેમણે બુટ પોલિશ માટે બુટ આપ્યા, પછી એક બુટ મેં લીધું, અને એક શ્યામે.
તારા પપ્પા એ દસ રૂપિયા આપ્યા.
પાંચ રૂપિયા મેં રાખ્યા, પાંચ શ્યામને આપ્યા… તારા પપ્પા એ આવું કરવાનું કારણ પૂછ્યું,

મેં કીધું અમે બન્ને ખાસ મિત્રો છીયે…સવાર થી બોણી નથી થઈ…અમે નક્કી કર્યું છે, આપણે મહેનત પણ સરખી કરીશું, અને કમાઈ પણ સરખા ભાગે વહેચી લેશું…

તારા પપ્પા એ કીધું, આવો સંપ મોટા થઈ ને પણ રાખશો તો ખૂબ આગળ નીકળી જશો, એ અમે યાદ રાખ્યું.

પછી તારા પપ્પાએ અમને પૂછ્યું હતું, તમારે ભણવું છે…??
અમે કીધું, હા…
અમે હજુ ભૂલ્યા નથી. એ દિવસે તારા પપ્પા એ રજા પાડી અમારું સરકારી સ્કૂલ માં એડમિશન પાક્કું કર્યું…
નોટ, ચોપડી, સ્કૂલ ડ્રેસ તથા અન્ય ખર્ચ તેમણે ઊપાડી લીધો.

તારા પપ્પાએ તેમની ઓફીસનું સરનામું અમને આપ્યું હતું, ત્યાંથી અમે આકસ્મિક ભણવા નો કોઈ ખર્ચ આવે તો લઈ આવતા…. બાર ધોરણ પછી કોલેજનો ખર્ચ અમે જાતે ઉપાડવા નું નક્કી કર્યું.
અમે બને ગ્રેજ્યુએટ થઈ…
લઘુ ઉદ્યોગ માટેની લોન લઈ બુટ ચમ્પલ બનાવવા ની ફેક્ટરી ખોલી… મહેનત અને ઈમાનદારી નું પરિણામ તું આજે જુએ છે…

પણ આ બધા ની પાછળ…જે વ્યક્તિનું યોગદાન છે એ તારા પપ્પા છે….એ ફક્ત તારા પપ્પા નહીં, અમારા પણ પપ્પા છે… અમે અમારા માઁ બાપ ને જોયા નથી…
પણ કલ્પના જયારે હું કરું ત્યારે તારા પપ્પા મારી નજર માં પ્રથમ આવે…

અમારી તો કોઈ ઓળખ જ હતી નહીં… રસ્તા વચ્ચે ઠેબા મારતા પથ્થર જેવી દશા ને દિશા અમારી હતી…અચાનક દેવદૂત બની ને તારા પપ્પા આવ્યા, અમારી દશા અને દિશા નક્કી કરનાર આ તારા પપ્પા સામાન્ય વ્યક્તિ નથી.

આ બુટ ચંપ્પલ ની કિંમત કંઇ જ નથી…
જે વ્યક્તિ પોતાના મોજશોખ ઉપર કાપ મૂકી બીજા ને મદદ કરે, એ વ્યક્તિ સામાન્ય ન હોય..

રામ અને શ્યામ ઉભા થયા…
મને અને કાવ્યા ને પગે લાગ્યા…
પોતાનું કાર્ડ આપી કીધું,
365 x 24 કલાક અમે તમારા માટે ઉભા છીયે…

પિન્ટુને અને શીતલને પણ કીધું.
અમે તમારા મોટા ભાઈઓ છીયે, એવું સમજી લ્યો. જીવન માં સુખ દુઃખ વખતે અમે તમારી સાથે પડછાયો બની ઉભા રહેશું, એ અમારું વચન છે..

હવે આ દુનિયાની ભીડમાં તમે ફરી પાછા ખોવાઈ જાવ, એ પહેલાં તમારા મોબાઈલ નંબર અને ઘર નું સરનામું અમને આપતા જાવ…

આવતા રવિવારે અમારા ઘરે તમારા બધા નું ડિનર પાક્કું…

મારી આંખ ભીની થઈ ગઈ…
અજાણતા કરેલ થોડી અમથી મદદ કોઈની જીંદગી માટે યાદગાર બની જાય છે.

આશ્રમ અને મોટા મંદિરમાં આપેલ દાનની કોઈ નોંધ પણ નથી લેતું………………
અને આવી વ્યક્તિઓ આપણી મદદને દિલ ઉપર કંડારી દેતા હોય છે.

અમે એક યાદગાર મુલાકાત પછી છુટા પડ્યા…

મિત્રો…..
તમારા થી કોઈ ને મદદ ન થાય તો કંઈ નહીં પણ કોઈ નું મોરલ તૂટી જાય તેવા શબ્દો બોલશો નહીં, સમય બળવાન છે…
આજે સમય મારી સામે ઉભો હતો… મેં મારી નજર સામે સમય ને બદલાતો જોયો છે.

પરમાર્થ કરતા રહો…
આર્થિક, માનસિક, શારીરિક તમારી પાસે જે યોગ્યતા હોય તે મદદ કરતા રહો…

તમારી નાની મદદ કોઈનું જીવન બદલી નાખે છે…

દાન યોગ્ય જગ્યાએ કરો..
જ્યાં નદી વહે છે, ત્યાં પાણીના પરબનું કોઈ મહત્વ નથી… તેનું મહત્વ રણ પ્રદેશ માં છે…

❤️💓 Serve From Soul. 💓❤️

અનિલ પઢીયાર

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

महाभारत की कुछ अनसुनी कहानिया………………..

महाभारत की कहानियाँ हम बचपन से सुनते आ रहे हैं, टेलीविज़न पर देखते आ रहे है फिर भी हम सब महाभारत के बारे में बहुत कुछ नहीं जानते है क्योकि वेदव्यास द्वारा रचित महाभारत बहुत ही बड़ा ग्रंथ है, इसमें एक लाख श्लोक है। आज हम आपको महाभारत की कुछ ऐसी ही कहानियां पढ़ाएंगे जो आपने शायद पहले कभी नहीं पढ़ी होगी। तो आइये शुरुआत करते है मामा शकुनि से। हम सब मानते है की शकुनि कौरवों का सबसे बड़ा हितैषी था जबकि है इसका बिलकुल विपरीत। शकुनि ही कौरवों के विनाश का सबसे बड़ा कारण था, उसने ही कौरवों का वंश समाप्त करने के लिए महाभारत के युद्ध की पृष्टभूमि तैयार की थी। तो जानते हैं आखिर उसने यह क्यों किया??

शकुनि ही थे कौरवों के विनाश का कारण :

ध्रतराष्ट्र का विवाह गांधार देश की गांधारी के साथ हुआ था। गंधारी की कुंडली मैं दोष होने की वजह से एक साधु के कहे अनुसार उसका विवाह पहले एक बकरे के साथ किया गया था। बाद मैं उस बकरे की बलि दे दी गयी थी। यह बात गांधारी के विवाह के समय छुपाई गयी थी. जब ध्रतराष्ट्र को इस बात का पता चला तो उसने गांधार नरेश सुबाला और उसके 100 पुत्रों को कारावास मैं डाल दिया और काफी यातनाएं दी।
एक एक करके सुबाला के सभी पुत्र मरने लगे। उन्हैं खाने के लिये सिर्फ मुट्ठी भर चावल दिये जाते थे। सुबाला ने अपने सबसे छोटे बेटे शकुनि को प्रतिशोध के लिये तैयार किया। सब लोग अपने हिस्से के चावल शकुनि को देते थे ताकि वह जीवित रह कर कौरवों का नाश कर सके। मृत्यु से पहले सुबाला ने ध्रतराष्ट्र से शकुनि को छोड़ने की बिनती की जो ध्रतराष्ट्र ने मान ली। सुबाला ने शकुनि को अपनी रीढ़ की हड्डी क पासे बनाने के लिये कहा, वही पासे कौरव वंश के नाश का कारण बने।
शकुनि ने हस्तिनापुर मैं सबका विश्वास जीता और 100 कौरवों का अभिवावक बना। उसने ना केवल दुर्योधन को युधिष्ठिर के खिलाफ भडकाया बल्कि महाभारत के युद्ध का आधार भी बनाया।

एक श्राप के कारण धृतराष्ट्र जन्मे थे अंधे :

धृतराष्ट्र अपने पिछले जन्म मैं एक बहुत दुष्ट राजा था। एक दिन उसने देखा की नदी मैं एक हंस अपने बच्चों के साथ आराम से विचरण कर रहा हे। उसने आदेश दिया की उस हंस की आँख फोड़ दी जायैं और उसके बच्चों को मार दिया जाये। इसी वजह से अगले जन्म मैं वह अंधा पैदा हुआ और उसके पुत्र भी उसी तरह मृत्यु को प्राप्त हुये जैसे उस हंस के प्राप्त हुए थे।

एक वरदान के कारण द्रोपदी बनी थी पांच पतियों की पत्नी :

द्रौपदी अपने पिछले जन्म मैं इन्द्र्सेना नाम की ऋषि पत्नी थी। उसके पति संत मौद्गल्य का देहांत जल्दी ही हो गया था। अपनी इच्छाओं की पूर्ति की लिये उसने भगवान शिव से प्रार्थना की। जब शिव उसके सामने प्रकट हुए तो वह घबरा गयी और उसने 5 बार अपने लिए वर मांगा। भगवान शिव ने अगले जन्म मैं उसे पांच पति दिये।

एकलव्य ही बना था द्रोणाचार्ये की मृत्यु का कारण :

एकलव्य देवाश्रवा का पुत्र था। वह जंगल मैं खो गया था और उसको एक निषद हिरण्यधनु ने बचाया था। एकलव्य रुक्मणी स्वंयवर के समय अपने पिता की जान बचाते हुए मारा गया। उसके इस बलिदान से प्रसन्न होकर श्री कृष्ण ने उसे वरदान दिया की वह अगले जन्म मैं द्रोणाचर्य से बदला ले पायेगा। अपने अगले जन्म मैं एकलव्य द्रष्टद्युम्न बनके पैदा हुआ और द्रोण की मृत्यु का कारण बना।

पाण्डु की इच्छा अनुसार पांडवो ने खाया था अपने पिता के मृत शरीर को :

पाण्डु ज्ञानी थे। उनकी अंतिम इच्छा थी की उनके पांचो बेटे उनके म्रत शरीर को खायैं ताकि उन्होने जो ज्ञान अर्जित किया वो उनके पुत्रो मैं चला जाये। सिर्फ सहदेव ने पिता की इच्छा का पालन करते हुए उनके मस्तिष्क के तीन हिस्से खाये। पहले टुकड़े को खाते ही सहदेव को इतिहास का ज्ञान हुआ, दूसरे टुकड़े को खाने पे वर्तमान का और तीसरे टुकड़े को खाते ही भविष्य का। हालांकि ऐसी मान्यता भी है की पांचो पांडवो ने ही मृत शरीर को खाया था पर सबसे ज्यादा हिस्सा सहदेव ने खाया था। ( सम्पूर्ण कहानी यहां पढ़े आखिर क्यों खाया था पांडवों ने अपने मृत पिता के शरीर का मांस ? )

कुरुक्षेत्र में आज भी है मिट्टी अजीब :

कुरुक्षेत्र मैं एक जगह हे, जहां माना जाता हे की महाभारत का युध् हुआ था। उस जगह कुछ 30 किलोमीटर के दायरे में मिट्टी संरचना बहुत अलग हे। वैज्ञानिक समझ नहीं पा रहे की यह कैसे संभव हे क्यूंकि इस तरह की मिट्टी सिर्फ तब हो सकती हे अगर उस जगह पे बहुत ज़्यादा तेज़ गर्मी हो। बहुत से लोगों का मानना हे की लड़ाई की वजह से ही मिट्टी की प्रवर्ती बदली हे।

श्री कृष्ण ने ले लिया था बर्बरीक का शीश दान में :

बर्बरीक भीम का पोता और घटोत्कच का पुत्र था। बर्बरीक को कोई नहीं हरा सकता था क्योंकि क्योंकि उसके पास कामाख्या देवी से प्राप्त हुए तीन तीर थे, जिनसे वह कोई भी युध् जीत सकता था। पर उसने शपथ ली थी की वह सिर्फ कमज़ोर पक्ष के लिये ही लड़ेगा। अब चुकी बर्बरीक जब वहां पहुंचा तब कौरव कमजोर थे इसलिए उसका उनकी तरफ से लड़ना तय था। जब यह बात श्री कृष्ण को पता चली तो उन्होंने उसका शीश ही दान में मांग लिया। तथा उसे वरदान दिया की तू कलयुग में मेरे नाम से जाना जाएगा। इसी बर्बरीक का मंदिर राजस्थान के सीकर जिले के खाटूश्यामजी में है जहाँ उनकी बाबा श्याम के नाम से पूजा होती है।

हर योद्धा का अलग था शंख :

सभी योधाओं के शंख बहुत शक्तिशाली होते थे। भागवत गीता के एक श्लोक मैं सभी शंखों के नाम हैं। अर्जुन के शंख का नाम देवदत्त था। भीम के शंख का नाम पौंड्रा था, उसकी आवाज़ से कान से सुनना बंद हो जाता था। कृष्णा के शंख का नाम पांचजन्य, युधिष्ठिर के शंख का नाम अनंतविजया, सहदेव के शंख का नाम पुष्पकौ और नकुल के शंख का नाम सुघोशमनी था।

अर्जुन एक बार और गए थे वनवास पर :

स्रोत
एक बार कुछ डाकुओं का पीछा करते हुए अर्जुन गलती से युधिष्ठिर और द्रौपदी के कमरे मैं दाखिल हो गया। अपनी गलती की सज़ा के लिये वह 12 साल के वनवास के लिये निकल गया। उस दौरान अर्जुन ने तीन विवाह किये – चित्रांगदा (मणिपुरा), उलूपी (नागा) और सुभद्रा (कृष्ण की बहन) . इसी नाग कन्या उलूपी से उसे एक पुत्र हुआ जिसका नाम इरावन (अरावन) था। महाभारत के युद्ध में जब एक बार एक राजकुमार की स्वैच्छिक नर बलि की जरुरत पड़ी तो इरावन ने ही अपनी बलि दी थी। इरावन की तमिलनाडु में एक देवता के रूप में पूजा होती है तथा हिंजड़ों की उनसे शादी होती है।

अरुण सुक्ला

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ભાઈ તેમના ફેમિલી સાથે લદાખની અઠવાડિયાની ટ્રીપ પર ગયા હતા. ત્યાં તેમના ૨૮ વર્ષના લોકલ ડ્રાઈવર ‘જિગ્મેટ’ની આ કથા સાંભળવા જેવી છે. જિગ્મેટના ફેમિલીમાં તેની વાઈફ, બે દિકરીઓ અને તેના મા-બાપ છે.

આ વાતચીત જિગ્મેટ અને પેલા પ્રવાસી વચ્ચેની છે, જે હિમાલયની પર્વતમાળાની સફર દરમ્યાન થાય છે.

  • – * – * – * – * – * – * – *

પ્રવાસી – આ અઠવાડિયા પછી તો લદાખમાં પ્રવાસી સિઝન બંધ થાય છે. હોટલમાંથી જેમ નેપાલી કામદારો કરે છે તે રીતે તું પણ ગોવા જવાનું પ્લાનિંગ કરે છે ?

જિગ્મેટ – ના, હું તો લોકલ લદાખી છું એટલે હું ક્યાંય નથી જવાનો.

પ્રવાસી – તો પછી આ શિયાળામાં તું શું કામ કરીશ?

જિગ્મેટ હસતાં હસતાં બોલ્યો – કશું નહીં, ઘરે આરામ કરીશ.

પ્રવાસી આશ્ચર્યચકિત થઈને – ઓહ! ૬ મહિના? એપ્રિલ સુધી?

જિગ્મેટ- મારી પાસે કામ કરવા માટે એક જગ્યા છે, સિયાચીન

પ્રવાસી- સિયાચીન, ત્યાં જઈને તું વળી શું કરીશ?

જિગ્મેટ – ભારતીય સેના માટે સામાન ઉંચકનાર બનીશ.

પ્રવાસી – મતલબ, તું સેનામાં જવાન તરીકે ભરતી થઈશ?

જિગ્મેટ – ના, સેના જોઈન કરવા માટેની મારી ઉંમર જતી રહી છે. આ એક પ્રકારની કોન્ટ્રાક્ટ જોબ છે. અમે કેટલાક મિત્રો અને ડ્રાઈવરો અંદાજે ૨૬૫ કિ.મી.ની મુસાફરી કરીને સિયાચીન પહોંચીશું. ત્યાં અમારું મેડીકલ ચેકઅપ થશે. જો રીપોર્ટ નોર્મલ આવશે અને અમે બધી રીતે ફીટ છીએ તેવી બાયંધરી આપીશું પછી સેના અમને યુનિફોર્મ, શૂઝ, ગરમકપડાં, હેલ્મેટ એ બધી વસ્તું આપશે. અમારે સિયાચીન પહોંચવા માટે ૧૫ દિવસ સુધી પર્વત ચડવાનો હોય છે. સિયાચીન પહોંચવા માટે વાહનો ચાલી શકવા યોગ્ય કોઈ રસ્તો નથી. અમે સહુ ત્યાં લગભગ ત્રણેક મહિના કામ કરીશું.

પ્રવાસી – કેવું કામ વળી?

જિગ્મેટ – સામાન ઉંચકવાનું. અમારી પીઠ પર સામાન ઉંચકીને એક ચોકીથી બીજી ચોકી સુધી જવાનું હોય છે. વિમાન દ્વારા મોકલવામાં આવતો સામાન અમારે અલગઅલગ ચોકીઓ સુધી પહોંચાડવાનો હોય છે.

પ્રવાસી – પણ સેના સામાન ઉંચકવા માટે ખચ્ચર કે વાહનોનો ઉપયોગ કેમ નથી કરતી?

જિગ્મેટ- સિયાચીન એ હિમપહાડ છે. ટ્રક કે અન્ય વાહનો ત્યાં ન ચાલી શકે. આઈસ-સ્કુટર ચાલી શકે પણ તેના અવાજથી દુશ્મનનું ધ્યાન ખેંચાઈ આવે. વાહનોનો ઉપયોગ મતલબ સામેપારથી ગોળામારી. અમે અડધીરાત્રે, મોટેભાગે તો ૨ વાગે ચૂપચાપ બહાર જઈને સામાન લઈ આવીને છાવણીમાં મૂકી દેતા હોઈએ છીએ. અમે ટોર્ચલાઈટનો પણ ઉપયોગ નથી કરી શકતાં. શિયાળામાં માઇનસ પચાસની ડીગ્રીમાં 18875 ફૂટની ઉંચાઈ પર કોઈ જનાવર ન ટકી શકે એટલે ખચ્ચર કે ઘૉડાનો ઉપયોગ પણ ન કરી શકાય.

પ્રવાસી – તો પછી એટલા ઓછા ઓક્સિજીન લેવલ પર તમે પીઠ પર એટલો બધો સામાન કઈ રીતે લઈ શકો છો?

જિગ્મેટ- અમે એકસમયમાં ૧૫ કિલોનો સામાન ઉંચકતા
હોઈએ છીએ. અમે વધુમાં વધુ દિવસના ૨ કલાક કામ કરી શકીએ છીએ. બાકીનો ૪ કલાક જેટલો સમય શરીરનો થાક ઉતારવા અને પૂરતો ઓક્સિજીન લેવા માટે જરૂરી બને છે અન્યથા..

પ્રવાસી- ઓહ.. ઘણું જોખમભર્યુ.

જિગ્મેટ- મારા ઘણા મિત્રો ત્યાં માર્યા ગયા છે. કેટલાક તળિયું પણ ન દેખાય તેવી ઉંડી ખીણોમાં ફસકી ગયા તો કેટલાક દુશ્મનની ગોળીએ વીંધાઈ ગયા. સહુથી મોટો ખતરો હિમડંખનો હોય છે પણ તેનો સારો એવો બદલો, મહિને ૧૮૦૦૦/- અમને મળે છે. બધો જ ખર્ચ બાદ કરતાં પણ હું ત્રણેક મહિનામાં ૫૦૦૦૦/- જેટલા બચાવી લઉં છું જે મારા પરિવાર, મારી દિકરીના ભણતર માટે બહું જ ઉપયોગી બને છે… અને આ સિવાય દેશસેવાની જે ભાવના મળે છે તે મારે માટે બહું મોટી વાત છે. હું એ સેના માટે કામ કરું છું જે દેશની સેવા કરે છે.

  • – * – * – * – * – * – * – *

આપણી જીંદગીમાં પૈસાનું મૂલ્ય આપણે આ વાત સાંભળ્યા પછી વધારે સારી રીતે સમજી શકીએ એમ છીએ.

તમારા બાળકો સાથે આ શેર કરવાનું ન ભૂલશો. તેમને પણ કેટલીય મહેનત પછી કમાયેલા પૈસાનું મહત્વ જાણતા કરીએ.

સોર્સ :- વ્હોટસએપ
/\