Posted in गौ माता - Gau maata, छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार मध्यप्रदेश के इन्दौर नगर में एक रास्ते से ‘महारानी देवी अहिल्यावाई होल्कर के पुत्र मालोजीराव’ का रथ निकला तो उनके रास्ते में हाल ही की जनी गाय का एक बछड़ा सामने आ गया।

गाय अपने बछड़े को बचाने दौड़ी तब तक मालोरावजी का ‘रथ गाय के बछड़े को कुचलता’ हुआ आगे बढ़ गया।

किसी ने उस बछड़े की परवाह नहीं की। गाय बछड़े के निधन से स्तब्ध व आहत होकर बछड़े के पास ही सड़क पर बैठ गई।

थोड़ी देर बाद अहिल्यावाई वहाँ से गुजरीं। अहिल्यावाई ने गाय को और उसके पास पड़े मृत बछड़े को देखकर घटनाक्रम के बारे में पता किया।

सारा घटनाक्रम जानने पर अहिल्याबाई ने दरबार में मालोजी की पत्नी मेनावाई से पूछा-

यदि कोई व्यक्ति किसी माँ के सामने ही उसके बेटे की हत्या कर दे, तो उसे क्या दंड मिलना चाहिए?

मालोजी की पत्नी ने जवाब दिया- उसे प्राण दंड मिलना चाहिए।

देवी अहिल्यावाई ने मालोराव को हाथ-पैर बाँध कर मार्ग पर डालने के लिए कहा और फिर उन्होंने आदेश दिया मालोजी को मृत्यु दंड रथ से टकराकर दिया जाए। यह कार्य कोई भी सारथी करने को तैयार न था।

देवी अहिल्याबाई न्यायप्रिय थी। अत: वे स्वयं ही माँ होते हुए भी इस कार्य को करने के लिए भी रथ पर सवार हो गईं।

वे रथ को लेकर आगे बढ़ी ही थीं कि तभी एक अप्रत्याशित घटना घटी।

वही गाय फिर रथ के सामने आकर खड़ी हो गई, उसे जितनी बार हटाया जाता उतनी बार पुन: अहिल्याबाई के रथ के सामने आकर खड़ी हो जाती।

यह दृश्य देखकर मंत्री परिषद् ने देवी अहिल्यावाई से मालोजी को क्षमा करने की प्रार्थना की, जिसका आधार उस गाय का व्यवहार बना।

उस तरह गाय ने स्वयं पीड़ित होते हुए भी मालोजी को द्रौपदी की तरह क्षमा करके उनके जीवन की रक्षा की।

इन्दौर में जिस जगह यह घटना घटी थी, वह स्थान आज भी गाय के आड़ा होने के कारण ‘आड़ा बाजार’ के नाम से जाना जाता है।

उसी स्थान पर गाय ने अड़कर दूसरे की रक्षा की थी। ‘अक्रोध से क्रोध को, प्रेम से घृणा का और क्षमा से प्रतिशोध की भावना का शमन होता है’।

भारतीय ऋषियों ने यूँ ही गाय को माँ नहीं कहा है, बल्कि इसके पीछे गाय का ममत्वपूर्ण व्यवहार, मानव जीवन में, कृषि में गाय की उपयोगिता बड़ा आधारभूत कारण है।

गौसंवर्धन करना हर भारतीय का संवैधानिक कर्तव्य भी है

_लेख को पढ़ने के उपरांत आगे साझा अवश्य करें ।* ⚜🕉⛳🕉⚜

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌹આજના દિન વિશેષ 🌹

ભોજાભગત_જયંતિ અમર કથાઓ

🌹🌼#સંતકવિસદગુરુ_ભોજલરામબાપા 🌼🌹

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ લેઉવા પટેલ હતા અને તેમની અટક સાવલિયા હતી. આર્થિક દ્રષ્ટિએ સામાન્ય પરંતુ આંતરિક સમૃદ્ધિ અને ભક્તિએ અસામાન્ય હતા. બાલ્યબાળમાં ઈશકૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુ તેમના દર્શન આવવા લાગ્યા. ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમને સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ‘ચાબખા’નામથી જાણીતા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે. એનો ગેય ઢાળ પણ ખૂબ મનમોહક છે. ‘પ્રાણિયા ભજી લેને કિરતાર’ અને ‘કાચબા-કાચબીનું ભજન’ મહાત્મા ગાંધીજીને ખૂબ ગમતું. ઉપરાંત કીર્તન, હોરી, ધોળવાર વગેરે અનેક પદોનું સર્જન કર્યું છે. એમની વાણીમાં કુલ ૨૦૪ પદોનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે. તોઓ બિલકુલ નિરક્ષર હોવા છતાં તેમની કાવ્યવાણીમાં શબ્દ તથા અલંકારો, રંગીન આતશબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે. આ ભક્ત કવિએ પોતાનો દેહત્યાગ તેમના શિષ્ય જલારામના સાંનિધ્યમમાં વિરપુરમાં ઈ.૧૮૫૦માં કર્યો હતો. ભક્તભૂષણ ભોજા ભગત જ્યાં સુધી ગુર્જરભાષા જીવશે ત્યાં સુધી અમર રહેશે. અમરકથાઓ

કાઠિયાવાડના કોઈ ઊંડાણના ગામડામાં જઇ ચડીએ ને ગળતી રાતના ગામના ચોરે રામજીમંદિરની પાર્યે બેસીને ગાતા કોઈ ભાવિક ભજનિકના તંબૂરાના તારથી ટપકતું ‘હાલો કીડીબાઈની જાનમાં’ ભજન સાંભળીએ ત્યારે ભાવવિભોર બની જઇએ છીએ. ભજનાન્તે ભોજા ભગતનું નામ આવે છે. સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સંતકવિ ભોજા ભગતના જીવન – કાર્ય વિશે આપણે ભાગ્યે જ ઝાઝું જાણતા હોઈએ છીએ. આજથી સવા બસો વર્ષ પૂર્વે થઇ ગયેલા ભોજા ભગતના અવતારકાર્ય અને તેમના સર્જનકાર્યનો અછડતો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.
ભારતીય સાહિત્યમાં રસિક બિહારીના કવિત, કેશવદાસની છપ્પય, તુલસીદાસની ચોપાઈ, બિહારીદાસના દુહા, સુરદાસનાં પદ અને ચંદ બરદાઈના છંદ સુપ્રસિઘ્ધ છે, ગુર્જરભાષામાં અખાના છપ્પા, નરસિંહના પ્રભાતિયાં, દયારામની ગરબી, પ્રીતમનાં પદો અને ધીરાની કાફી પ્રચલિત છે એમ સૌરાષ્ટ્રના સુરિલા ભજનિકો અને તંબુરિયાના હલકદાર કંઠે ગવાતાં ભોજા ભગતનાં ભજનો, પદો અને ચાબખા એટલાં જ લોકપ્રિય છે. ‘ચાબખા’ પ્રકારનાં ભજનો વડે એમણે મનુષ્યને ભક્તિમાર્ગનો ઉપદેશ પ્રબોઘ્યો છે. કાયા તોડીને ખેતરમાં કાળી મજૂરી કરનાર, કણમાંથી મણ અનાજ પેદા કરનાર કાઠિયાવાડના કણબી ખેડૂનો અભણ દીકરો ઇશ્વર સાથે અંતરના તાર બાંધી પ્રભાતિયાં, કીર્તન, ભજન, ધોળ, કાફી, હોરી, બાવનાક્ષરી, કવિત અને સરવડાંની સરવાણી વહાવી સમગ્ર સૌરાષ્ટ્રના લોકજીવનને ભક્તિથી ભીંજવી દે એને પૂર્વજન્મના જ્ઞાન-વૈરાગ્યના સંસ્કારો જ સમજવા પડે, માનવા પડે. ભગવદ્ગીતાના કથન અનુસાર યોગભ્રષ્ટ આત્મા ધનવાન કે પવિત્ર પુરૂષને ત્યાં જન્મ લે છે.

સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે આવેલા દેવકીગાલોલ નામના નાનકડા ગામના ભોળા હૃદયના કૃષ્ણભક્ત શ્રી કરશનદાસના ખોરડે ભોજા ભગતનો જન્મ થયો. એ વર્ષ હતું સને ૧૭૮૫નું. એમનાં માતાનું નામ ગંગાબાઈ. જ્ઞાતિએ લેઉવા કણબી. અટક એમની સાવલિયા. કહેવાય છે કે પૂર્વ જન્મનું અઘૂરું રહેલું કાર્ય પૂરું કરવા ધર્મપરાયણ જીવન જીવતાં દંપતીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો. શ્રી મનસુખલાલ સાવલિયા ભોજા ભગતની વાણીમાં લખે છે કે માનવ કલ્યાણનું મહાન કાર્ય કરવા અવતરેલ આવા પુરૂષોમાં સામાન્ય લોકસમુદાયથી ભિન્ન એવી વિલક્ષણતા હોય છે. પરિચિત ચીલાને ચાતરીને તેઓ નવો પંથ શોધે છે. જન્મથી માંડીને બાર વર્ષની ઉંમર સુધી ભોજા ભગત ફક્ત દૂધ પીને જ રહેલા. દિવ્ય તેજવાળા દુધાહારી બાળક ભોજલની ખ્યાતિ લોકવાયકાના વેગીલા અશ્વ પર સવાર થઇને ગુજરાતના ખુણે ખુણે ધૂમી વળી. અસંખ્ય લોકો તેમના દર્શને આવવા લાગ્યા. જ્ઞાનના આ નાના તણખામાં અજ્ઞાન અને અધર્મના ઘોરવનને બાળી નાખનાર મહાજ્યોતિનાં દિવ્ય દર્શન તેઓને થવા લાગ્યા.
સંતોના જીવન સાથે ચમત્કારોની અનેક વાતો જોડાઈ જાય છે એમ ભોજાભગતના જીવન સાથે વીટળાયેલી અનેક વાતો લોકમુખે સાંભળવા મળે છે. કહેવાય છે કે અઢાર મહિનાની ઉંમરે બાળ ભોજા ભગતને વ્રણવ્યાધિ ભરનિંગળ ગૂમડું થયું. આવા રોગ મટાડવા માટે એ કાળે વીરપુર ગામમાં મીનળદેવીની માનતાઓ ચાલતી. આ મીનળદેવી કોણ એની વાત પણ મજાની છે. એ સિઘ્ધરાજની માતા હતી એણે વીરપુરમાં વાવ બંધાવી હોવાનું કહેવાય છે.

લોકકથા કહે છે કે રાજરાણી મીનળદેવી તીર્થયાત્રાએ નીકળેલાં, ત્યારે સિઘ્ધજોગી વીરપુરાનાથની કૃપાથી વીરપુરની ભાગોળે સિઘ્ધરાજનો જન્મ થયેલો. આનંદના આ અવસરમાંથી કલાપૂર્ણ શિલ્પસ્થાપત્ય ધરાવતી વાવનો જન્મ થયો. આ વાવની અંદરના ભાગે બાળક સિઘ્ધરાજને સ્તનપાન કરાવતી મહારાણી મીનળની પ્રચંડ મૂર્તિ કંડારીને મૂકેલી છે. વાવમાં તો માતાજી જ બિરાજમાન હોય ને ! એવી લોકમાન્યતાને કારણે કાળક્રમે મીનળની મૂર્તિની પૂજા અને બાધા માનતાઓ શરૂ થઇ. બાળ ભોજા ભગતનો વ્રણવ્યાધિ મીનળની માનતાથી કુદરતી રીતે મટી ગયો. આથી માનતા પુરી કરવા માટે માતાપિતા એને વીરપુરની મીનળ વાવે લઇ આવ્યા. ત્યારે લધુ ભગતના મુખમાંથી દિવ્યવાણી સરી પડી ‘હે દેવી ! તું આજે મારી પાસેથી એક નાળિયેર લ્યે છે ને પણ એક દિવસ હું તારા ભેગાં કરેલાં બધા નાળિયેર લઇ લઇશ.’ ઉંમરલાયક થઇને ભોજાભગતે ભવિષ્યવાણી સિઘ્ધ કરી બતાવી. એમણે પોતાના સમર્થ શિષ્ય સંતશિરોમણી જલારામને વીરપુરમાં ધર્મસ્થાન બાંધી જનસેવા કરવાની આજ્ઞા આપી. એ પછી ભોજાભગત અવારનવાર વીરપુર શિષ્ય પાસે આવતા. વખત જતા મીનળ મહાદેવીની પૂજા ભૂતકાળની વાત થઇ ગઈ. આજે બધી બાધા-માનતાઓ કરવા લોકપ્રવાહ શ્રઘ્ધાપૂર્વક જલારામના મંદિરે આવે છે. આમ અંધશ્રઘ્ધાને ભોજા ભગતે દિવ્યશ્રઘ્ધામાં પલટાવી દીધી. વીરપુરની ભાગોળે મીનળવાવ અને મીનળદેવીની ભગ્નાવશેષ મૂર્તિ આજેય જોવા મળે છે.

બાળભોજા ભગત બાર વર્ષ સુધી દુધાહારી રહ્યા ત્યારે વિસ્મયકારક ઘટના ઘટી. એ વખતે ગિરનાર ઉપરથી અતીતોની વનશાખાના રામેતવન નામના એક અતીત યોગી દેવકીગાલોલ ગામે આવી ચડ્યા. રામેતવને આ દિવ્યકાંતિવાળા બાળકની મહાદશાનાં દર્શન પળવારમાં જ કરી લીધા. ચાર આંખો મળી. અને આ તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શક્તિપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા દીધી. મન, વચન અને કર્મથી જનસેવાનો મહામંત્ર આપી ભગતના માતાપિતાને કહ્યું ‘તમારો દીકરો માનવકલ્યાણ કરવા જન્મ લેનાર મહાન વિભૂતિ છે. સમાજનો ઉઘ્ધાર કરનાર મહાવિભૂતિ છે. ઇશ્વરમાં એકાકાર થઇ જનાર યોગી છે. સંસારના બંધનો એને બાંધી શકશે નહીં.’ આટલું કહીને સાઘુ ગિરનારના શેષાવન તરફ સિધાવી ગયા. કહેવાય છે કે ત્યાર પછી ભોજા ભગતને કદી પણ આ તપસ્વીના દર્શન થયા નહીં. #અમર_કથાઓ

જીવનના ૨૪ વર્ષ સુધી દેવકીગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાઘૂધીને કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું. અહીં માસીયાઈ ભાઈને ત્યાં થોડો વખત રહ્યા. ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામરટણમાં આઠેય પહોર રત રહેવાની ઝંખના જાગી. એ કાળે અમરેલીથી બે માઈલના અંતરે ફતેપુરિયા એક ઉજ્જડ ટીંબો હતો. બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે આજુબાજુ ગાઢ વૃક્ષ વનરાજિની રમણીયતા હતી. પક્ષીઓના કલરવથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું. પણ લોકો કહેતા ટીંબો તો ભૂતાવળનું ધામ છે. વહેમ અને અંધશ્રઘ્ધાના અંધારા ઉલેચવા અવનિ પર અવતાર લઇને આવેલા ભોજા ભગતે અહીં જ આશ્રમ બાંઘ્યો. પ્રકૃતિદેવીએ પોતાની રમણીયતાથી ટીંબાને ભર્યો ભર્યો બનાવ્યો. ભોજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું પંચભૂતના બનેલા માનવીએ એક ભૂતથી ડરવાની શું જરૂર છે ? એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો. એક સમયે જ્યાં નરી ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જડ ટીબાની જગા પર ભક્તિની ભાગીરથી પ્રગટી. મનને આઘ્યાત્મિક રંગે રંગતા શંખ ઘ્વનિ સંભળાવા લાગ્યા. ભોજા ભગત અહીં આશ્રમમાં રહીને અજપા જાપ જપવા લાગ્યા. લોકો તેમના દર્શન કરવા ને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. અનેક મનુષ્યો એમના શિષ્ય બન્યા. અમરેલી પાસે વસેલું ફતેપુર ગામ ભોજા ભગતના સંગમાં વૈકુંઠધામ બની રહ્યું.

ભોજા ભગતના જીવન જોડે જોડાઈ ગયેલી અનેક ચમત્કારિક વાતો પણ સાંભળવા મળે છે. શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટના ઉલ્લેખે છે. ભોજા ભગત આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતાઃ જાતરા એટલે જીવનું ત્રાણ કરે, જીવને જે તારે તે જાતરા. આપણે હંધાય તીર્થોમાં જાતરા નહીં પણ ભ્રમણ કરતા હોઈએ છીએ. ભ્રમણ તો ભ્રમ વધારે. મન પવિત્ર હોય, અંતરમાં વિવેકના દીવડાની વાટ્યું પ્રજ્વલિત થઇ હોય તો જાતરાની કોઈ જરૂર નથી. શ્રીહરિ તો જાતરામાંથી નહીં પણ અંતર્યાત્રામાંથી મળે છે. દિલમાં દયાભાવ હોય તો કાશી- ગયાની જાતરાએ જાવાની કોઈ જરૂર નથી.
એવામાં વૈશાખી પુનમની રાતે જાતરા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખ્યો. દ્વારકાની જાતરા જુવારવા જતા આ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવત્ પ્રણામ કરતા કરતા જાતરામાં જોડાયા હતા. એ જોઇને ભોજાભગત વિચારવા લાગ્યા. અરેરે! આ તે તપનું કેવું અભિમાન ! ભક્તોએ એમને જાતરામાં જોડાવા વિનંતિ કરી. ત્યારે એમણે એટલું જ કહ્યું ‘એકાસન માથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાતરાના રંગમાં રંગાવું ન શોભે.’

ભોજા ભગતના આશીર્વાદ લઇને સંઘ દડમજલ કરતો અઠ્ઠાવન દિવસે દ્વારકા પહોંચ્યો. એ રાત્રે બાવાજી બાળકદાસને પાછલા પહોરે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કોઈ સંતનો અવાજ સંભળાયો ‘હરિદર્શન કે લિયે તુમ દ્વારકા મેં આયા લેકીન સ્વયં શ્રી હરિ ભોજા ભગત કો દર્શન દેને કે લિયે યહાં સે ફતેપુર ગયે હુએ હૈ’ બીજે દિવસે સંઘ જાતરા કરીને વળી નીકળ્યો. વળતા ફતેપુર આશ્રમે આવીને ભોજા ભગતને સ્વપ્નની વાત કરી. ભોજા ભક્તે વિનમ્રભાવે કહ્યું ‘સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી તે સાચી છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીં જ થયા હતા. તે દિ’રાતે એક હજાર સૂરજ ઊગે એવા અજવાળા ઓરડામાં પથરાઈ ગયા. હું આનંદની સમાધિમાં લીન થઇ ગયો. શ્યામ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભૂજાઓ પર છાપ લગાડી દીધી. આ રહી જુઓ’ આટલું કહેતા ભોજા ભગતની જીભમાંથી દિવ્ય વાણી પ્રગટી

“પ્રથમ આવ્યા પત રાખવા, ગુરુ તણે જ્ઞાન;
ભોજો ભગત કહે ચાલી આવ્યા, છાપું દેવા શ્યામ.”

ભોજાભગત જીવનભર ઇશ્વરભક્તિ, યોગસાધના અને કાવ્યસર્જનમાં રત રહ્યા. દુનિયાદારીની રીતે ભગત નિરક્ષર હતા. તેમણે ૨૦૦ જેટલાં પદો – ભજનોની રચના કરી પણ તેમના હસ્તાક્ષરવાળી કોઈ પ્રત પ્રાપ્ત થઇ નથી. તેમના બાવનાક્ષરી પદ પરથી અભ્યાસીઓ કહે છેકે તેમને બાવન અક્ષરનું જ્ઞાન તો હશે જ. જેના અંતર્ચક્ષુ ઉઘડ્યાં હોય અને જે ત્રેપનમો અક્ષર જાણતા હોય તેવા યોગીકવિને નિરક્ષર કેવી રીતે કહેવાય ?
ભોજા ભગતનાં બધાં જ પદો તેમના વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતા. ભોજા ભગતના કંઠે ભજન સરવાણી વહેતી જાય ને જીવણરામ કાગળ પર ઉતારતા જાય. કવિતામાં શબ્દો લયબઘ્ધ ક્રમમાં ઊતરી આવતા. જીવણરામની કાનામાતર વગરની બોડિયા લિપિમાં લખાયેલી અને તે પ્રતના આધારે નાગરી લિપિમાં તૈયાર કરાયેલી એક પ્રત ભોજા ભગતની જગ્યા (ફતેપુર)માં સચવાયેલી છે. એમાં ૧૮૨ પદો સચવાયાં છે. ભોજા ભગત પૂર્વ જન્મના યોગી હતા એટલે એમનાં પદોમાં યોગની ભાષા અને વાતો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. પ્રભાતિયાં, સરવડાં, મહિના, તિથિઓ, કીર્તન વગેરે પદોમાં નર્યો વૈરાગ્ય અને ઉત્તમ ભક્તિનું પૂર વહે છે. ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ’માં સંસારની અસારતા સમજાવી નાશવંત શરીર લઇને આવેલા માનવીને ભક્તિના મારગે ચાલવાનો ઉપદેશ આપ્યો છે, તો ‘ચાબખા’ રૂપી ભજનો દ્વારા તત્કાલીન સમાજને કોરી ખાતાં અનિષ્ટોને આઘા હડસેલ્યા છે. આ અજાતશત્રુ ભક્તનું જીવન આદર્શમય, પવિત્ર અને પરોપકારી હોવાથી ભોજાભગત સમગ્ર સૌરાષ્ટ્રના લોકસમુદાયના પ્રીતિપાત્ર બની રહ્યા હતા.

ભોજા ભગતના શિષ્યમંડળમાં બે શિષ્યો મુખ્ય હતા. ‘જલા જગમેં ઝગમગે જિમિ ગગન મંડલમેં સૂર’ એવા ખ્યાતિ પ્રાપ્ત વીરપુર નિવાસી સંતવર્ય જલારામ અને બીજા ગારિયાધારના ભક્ત વાલમરામ. વાલમરામની ગુરુભક્તિ અપાર હતી. તેમને સ્વપ્નમાં ગુરુદર્શન થયેલું અને ભોજા ભગતને જોતાં પૂર્વજન્મના સંસ્કાર જાગી ઉઠ્યા. ભોજા ભગતને ગુરુપદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી. ચરણસેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી એક વચન માગ્યું કે ગુરુદેવની જગ્યામાં કાયમ માટે ગારિયાધારની ધજા ચડે. આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેપુર ભોજા ભગતની જગ્યામાં જન્માષ્ટમીના ઉત્સવટાણે વાલમરામબાપાની જગ્યામાંથી આવેલી ધજા ચડે છે. વીરપુર અને ગારિયાધાર આ બંને શિષ્યોની ધાર્મિક જગ્યાઓમાં માનવકલ્યાણની જ્યોત અહર્નિશ જલતી રહી છે. બંને સેવાના અમરધામ બન્યાં છે, જ્યાં અભ્યાગતને મીઠો આવકાર, ભૂખ્યાને ભોજન અને દુખિયાને દિલાસો મળે છે.

જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રઘ્ધા હતી. તેમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માગી લીઘું કે અંતવેળાએ શિષ્યને દર્શનનો લાભ આપવો. ભોજા ભગત તો યોગી હતા. યોગી પુરુષને દેહલીલા સંકેલી લેવાની ઇચ્છા થાય ત્યારે અમલમાં મૂક્તા હોય છે. પોતાના દેહાવસાનનો ખ્યાલ આવી જતાં ફતેપુરથી વિદાય લઇ અંતિમ દિવસોમાં આપેલું વચન પાળવા વીરપુર આવ્યા. સ્વજનોને અને ભક્તોને કહ્યું ‘આ મારી અંતિમ વિદાય છે’ અને ‘છેલ્લી વેળાના રામરામ રે’ પદ પણ રચ્યું. વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય જલારામના સાંનિઘ્યમાં મહાપ્રતાપી સંતરત્નનો દેહવિલય થયો. એ વર્ષ હતું ઇ.સ. ૧૮૫૦નું. વિદાયવેળાએ શિષ્યોને શીખ આપી ‘ભાઈઓ, બધા રંક ભાવે રહેજો. પ્રભુની ભક્તિ કરજો. અનંતના નામ અને ગુણોનું સ્મરણ કરજો. આટલું કરશો તો તમે તરશો ને બીજાને પણ તારશો.’

વીરપુરની ભાગોળે ભોજા ભગતનો અગ્નિસંસ્કાર કરાયો. ત્યાં સમાધિમંદિર બાંધવામાં આવ્યું છે. જલારામની જગ્યામાં રામમંદિર સામે ભોજા ભગતની ફૂલસમાધિનું મંદિર છે. ત્યાં એમનાં ફૂલ પધરાવાયાં હતાં. ફતેપુર ગામની જગ્યામાં ભજન કરવાના ઓરડામાં ભોજા ભગતના સ્મૃતિચિહ્નો, તેમણે ઉપયોગમાં લીધેલી તેમની પ્રસાદીની પાવન વસ્તુઓ ઢોલિયો, પાઘડી, માળા, સાદડી અને ચરણપાદુકા રાખવામાં આવ્યાં છે. ઢોલિયા પર બિરાજમાન ભોજા ભગતની તેજોમય મૂર્તિના દર્શન થાય છે.

“જય જલારામ”
“જય ભોજલરામ”

પોસ્ટ પસંદ આવી હોઈ તો આગળ શેર કરવાનું ભૂલતા નહિ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

લાલીયો_ધોકો

દશેક વરસની એક છોકરી હતી , સોનુ એનું નામ.. નવીમા એને બહુ દુખ આપે.. ટાઢા ટુકડા ખાવા આપે.. ઘરનું બધું કામ કરાવે.. નવીમાના દિકરો દિકરી હતા , તેની સાથે રમવા પણ ના દ્યે..
એક દિવસ કપડાંનો ગાંસડો ભરીને સોનુને નદીએ કપડાં ધોવા મોકલી.. એ રોતી રોતી કપડાં ધોતી હતી , ત્યાં અવાજ સંભળાયો.. “ બચાવો.. બચાવો..”
એણે જોયું તો એક ધોકો પાણીમાં તણાતો જાય છે.. અને બુમો પાડે છે.. સોનુ એને લઈ આવી..
ધોકાએ કહ્યું ” હું પાગલ મહારાજનો લાલીયો ધોકો છું.. મહારાજ મરી ગયા , એટલે ચેલાએ મને નકામો કહીને નદીમાં ફેંકી દીધો.. જેના પેટમાં પાપ ના હોય , તેનું કહ્યું માનીને એને હું મદદ કરું..”
સોનુએ કહ્યું ” આટલા લુગડાં કેમ કરી ધોઉં.. નદીને છીપરે બેઠી બેઠી રોઉં.. લાલીયા ધોકા.. દે ધનાધન..”
ધોકો ધડાધડ કપડા પર પડવા લાગ્યો.. સોનુ કપડું સરખું રાખે.. ધોકો કરે ધનાધન.. થોડીવારમાં બધા કપડાં ધોવાઈ ગયા.. સોનુ હસી પડી..
નદીને કાંઠે એક મોટો આંબો હતો.. એની ઉંચી ડાળે પાકી કેરીઓ હતી.. સોનુએ કહ્યું..
” ભૂખ બહુ લાગી.. કેરી ખાવાનું મન.. લાલીયા ધોકા .. દે ધનાધન..”
ધોકો તો ઉડ્યો.. ધડાધડ પાકી કેરીઓ પાડી દીધી.. સોનુએ ધરાઈને ખાધી..
સોનુ ધોકાને છાનોમાનો પોતાની સાથે ઘરે લઈ ગઈ..
એક દિવસ ખોટો વાંક કાઢી નવીમાએ સોનુને માર માર્યો.. સોનુ ગાભા જેવા ગોદડામાં સુતી સુતી રોતી હતી.. લાલીયો બોલ્યો..” સોનુ , મને ખુબ જ ખીજ ચડે છે.. તું કહે એટલી જ વાર.. હમણાં એનું ઢીંઢુ ભાંગી નાખું..”
સોનુએ કહ્યું ” ના લાલીયા.. ગમે તેમ તોય એ મારી મા છે.. એનું ઢીંઢું તું ભાંગી નાખ , તો મારા નાના ભાઈ બહેનને કોણ સાચવે..? ”
એક રાતે ઘરમાં લુટારા આવ્યા.. બાપને માર મારીને બાંધી દીધો.. નવીમાના ઘરેલા લુટી લીધા.. અને એને ઢસડીને લઈ જવા લાગ્યા.. કે ‘ આ બાઈને રસોઈ કરવા ઉપાડી જઈએ..’
સોનુ બીકથી લપાઈને બેઠી હતી.. ત્યાં લાલીયો યાદ આવ્યો.. એ ધીમે ધીમે બોલી.. “ માને ચોર લઈ જશે.. મારા ભાઈબેન રોઈ મરશે.. લાલીયા ધોકા.. દે ધનાધન..”
ને લાલીયો ધોકો તો જામી પડ્યો.. લુટારાઓના વાંસા ભાંગી નાખ્યા.. એ બધો માલ મુકીને નાસી ગયા..
નવીમાએ ખુબ રોઈને પસ્તાવો કર્યો.. “ મારી દિકરી.. હવે હું તને ફુલની જેમ રાખીશ.. જરાય દુખી નહીં કરું.. ” પછીથી નવીમા સોનુને સારી રીતે રાખવા માંડી..
એક દિવસ સોનુ નાના ભાઈ બેનને લઈ દુરના મંદિરે ફરવા ગઈ.. ત્યાં એક મોટું નગારું પડ્યું હતું.. ભાઈએ કહ્યું.. “ બેન , નગારું વગાડ ને..”
સોનુએ લાલીયાને કહ્યું ” નગારું વગડશે.. ને ભાઈ મારો હસશે.. લાલીયા ધોકા.. દે ધનાધન..”
લાલીયો ઉપડી ઉપડીને નગારું વગાડવા માંડ્યો..
બન્યું એવું કે.. દુશ્મન રાજાના માણસો મુસાફરના વેશમાં મંદિર પાછળ સંતાયા હતા.. એ અહીંના રાજાને રાતે મારી નાખવા આવ્યા હતા.. અચાનક કટાણે નગારાનો અવાજ સાંભળી સૈનિકો દોડી આવ્યા.. અને દુશ્મનોને પકડી લીધા..
રાજાએ ખુશ થઈ સોનુને ઈનામ માંગવા કહ્યું.. સોનુએ માંગ્યુ..
” મારા બાપુને ઘોડો , માને આપો ગાવડી..
ભાઈ માટે ઘુઘરો , ને બેન માટે જાંજરી..”
એણે પોતાના માટે કંઈ ના માગ્યું..
આ વાત સાંભળી રાણી હરખાઈ ગઈ.. બોલી.. ” સોનુ , હું તને મારો રાજ કુંવર આપીશ..”
સોનુ મોટી થઈ , ત્યારે એના લગ્ન રાજ કુંવર સાથે થયા.. અને એ રાજ રાણી બની..
સોનુ જેવી દિકરી સૌને ગમે..
ન રાખીએ પેટમાં ખોટું પાપ .. સુખ સાંપડે આપોઆપ..

  • જયંતીલાલ ચૌહાણ ૨૫ – ૫ – ૨૧
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*આજનો જીવનમંત્ર:* તમે જ્યારે પણ ગુસ્સો કરશો તેની અદૃશ્ય આગ કોઇને કોઇ પરિણામ આપશે, એટલે પોતાના ગુસ્સા ઉપર હંમેશાં નિયંત્રણ રાખવું દેવતાઓના રાજા ઇન્દ્રને મોટાભાગે પોતાની શક્તિ ઉપર ઘમંડ થઈ જતું હતું. એકવાર આવા જ અહંકારમાં તેમણે ભગવાન શિવને કહ્યું કે હે શિવ શંકર, હું તમારા જેવા જ કોઇ શક્તિશાળી પુરૂષ સાથે યુદ્ધ કરવા ઇચ્છું છું. ઇન્દ્ર કોઈપણ પ્રકારે ભગવાન શિવની બરાબરી કરી શકે તેમ નહોતા. અનેકવાર શિવજીની કૃપાથી ઇન્દ્રની રાક્ષસો સામે રક્ષા થઈ શકી છે. છતાંય તેમણે ભગવાન શિવ સામે આવી વાત જણાવી. ભગવાન શિવજીએ ગુસ્સામા આવીને પોતાની ત્રીજી આંખથી એક અગ્નિને પ્રકટ કરી. તે અગ્નિ ઇન્દ્રને ભસ્મ કરવા માટે તેમની પાછળ ગઈ. ઇન્દ્ર ભાગ્યા અને જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યાં. ત્યારે ઇન્દ્રની રક્ષા કરવા માટે દેવગુરુ બૃહસ્પતિએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. શિવજીએ તે ક્રોધઅગ્નિને દરિયામાં ફેંકી દીધી. સમુદ્રમા તે અગ્નિથી એક બાળકનો જન્મ થયો. તે બાળક ખૂબ જ ભયંકર હતો. તે એટલા ઊંચા અવાજે રડ્યો કે ત્યાંથી પસાર થઈ રહેલાં બ્રહ્માજી બાળકનો અવાજને રોકાઇ ગયાં. તેમણે તે બાળકને ખોળામા લીધો. બ્રહ્માજી તે બાળકને ખોળામા લઇને રમાડવા લાગ્યાં. રમતા-રમતા બાળકે બ્રહ્માજીની દાઢી એટલી જોરથી ખેંચી કે તેમની આંખમાંથી આંસૂ આવી ગયાં. બ્રહ્માજીએ કહ્યું, મારી આંખમાંથી નીકળેલા જળને આ બાળકે ધારણ કર્યું છે, એટલે તેનું નામ જલંધર રહેશે. જલંધર ખૂબ જ મોટો અસુર બન્યો. તેનાથી બધા જ દેવતાઓ પરેશાન હતાં. તેણે બધાને પરાજિત કર્યાં. *બોધપાઠ* – કથા એવું સમજાવે છે કે આપણો ગુસ્સો કોઈને કોઈ પ્રકારે નુકસાન આપે જ છે. તેમાં એક જલંધર છુપાયેલો હોય છે, જે ભવિષ્યમાં ભારે સંકટનું કારણ પણ બની શકે છે. ગુસ્સાથી પોતાને બચાવવા જ સમજદારી છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एकबार एक शहर में दो ब्राह्मण पुत्र रहते थे, एक गरीब था तो दूसरा अमीर..दोनों पड़ोसी थे..,,गरीब ब्राम्हण की पत्नी ,उसे रोज़ ताने देती , झगड़ती ..।।
एक बार पूर्णिमा के दिन गरीब ब्राह्मण पुत्र अपनी पत्नी के रोज ~रोज झगड़ों से तंग आकर जंगल की ओर चल पड़ता है , ये सोच कर , कि जंगल में शेर या कोई मांसाहारी जीव उसे मार कर खा जायेगा , उस जीव का पेट भर जायेगा और मरने से वो रोज की झिक~झिक से मुक्त हो जायेगा..। जंगल में जाते ही उसे एक गुफ़ा नज़र आती है...वो गुफ़ा की तरफ़ जाता है...। गुफ़ा में एक शेर सोया होता है और शेर की नींद में ख़लल न पड़े इसके लिये हंस का पहरा होता है.. हंस ज़ब दूर से ब्राह्मण पुत्र को आता देखता है तो चिंता में पड़कर सोचता है..ये ब्राह्मण आयेगा ,शेर जागेगा और इसे मार कर खा जायेगा... पूर्णिमा के दिन मुझे पाप लगेगा...इसे बचायें कैसे??? उसे एक उपाय सुझता है और वो शेर के भाग्य की तारीफ़ करते हुए कहता है..ओ जंगल के राजा... उठो, जागो..आज आपके भाग खुले हैं, पूर्णिमा के दिन खुद विप्रदेव आपके घर पधारे हैं, जल्दी उठें और इन्हे दक्षिणा देकर रवाना करें...आपका मोक्ष हो जायेगा.. ये दिन दुबारा आपकी जिंदगी में शायद ही कभी आये, आपको पशु योनी से छुटकारा मिल जायेगा...। शेर दहाड़ कर उठता है , हंस की बात उसे सही लगती है, और पहले से शिकार किये हुए मनुष्यों के गहने थे वे सब के सब उस ब्राह्मण के पैरों में रख कर, शीश नवाता है, जीभ से उनके पैर चाटता है..। हंस ब्राह्मण को इशारा करता है विप्रदेव ये सब गहने उठाओ और जितना जल्द हो सके वापस अपने घर जाओ...ये सिंह है.. कब मन बदल जाय. ब्राह्मण बात समझता है घर लौट जाता है.... उसके पडोसी अमीर ब्राह्मण की पत्नी को जब सब पता चलता है तो वो भी अपने पति को जबरदस्ती अगली पूर्णिमा को जंगल में उसी शेर की गुफा कि ओर भेजती है. अब शेर का पहेरादार बदल जाता है..नया पहरेदार होता है ""कौवा"" जैसे कौवे की प्रवृति होती है वो सोचता है ... बढीया है ..ब्राह्मण आया.. शेर को जगाऊं ... शेर की नींद में ख़लल पड़ेगा और गुस्साएगा, ब्राह्मण को मारेगा, तो कुछ मेरे भी हाथ लगेगा, मेरा पेट भर जायेगा... ये सोच वो कौवा.. कांव.. कांव...चिल्लाता है..शेर गुस्सा हो जाता है..दूसरे ब्राह्मण पर उसकी नज़र पड़ती है , उसे हंस की बात याद आ जाती है.. वो समझ जाता है, कौवा क्यूं कांव..कांव कर रहा है.. वो अपने, पूर्व में हंस के कहने पर किये गये धर्म को खत्म नहीं करना चाहता..पर फिर भी नहीं शेर तो शेर होता है जंगल का राजा... वो दहाड़ कर ब्राह्मण को कहता है..""हंस उड़ सरोवर गये और अब काग भये प्रधान...थे तो विप्रा थांरे घरे जाओ,,,,मैं किनाइनी जिजमान., अर्थात हंस जो अच्छी सोच वाले अच्छी मनोवृत्ति वाले थे उड़ के सरोवर यानि तालाब को चले गये है और अब कौवा प्रधान पहरेदार है जो मुझे, तुम्हें मारने के लिये उकसा रहा है..मेरी बुध्दी घूमें उससे पहले ही..हे ब्राह्मण, यहां से चले जाओ..शेर किसी का जजमान नहीं हुआ है..वो तो हंस था जिसने मुझ शेर से भी पुण्य करवा दिया। दूसरा ब्राह्मण सारी बात समझ जाता है और डर के मारे तुरंत प्राण बचाकर अपने घर की ओर भाग जाता है कहने का मतलब है ये कहानी आज के परिपेक्ष्य में भी सटीक बैठती है , हंस और कौवा कोई और नहीं ,,,हमारे ही चरित्र है... कोई किसी का दु:ख देख दु:खी होता है और उसका भला सोचता है ,,,वो हंस है और जो किसी को दु:खी देखना चाहता है ,,,किसी का सुख जिसे सहन नहीं होता ...वो कौवा है.. जो आपस में मिलजुल, भाईचारे से रहना चाहते हैं , वे हंस प्रवृत्ति के हैं जो झगड़े कर एक दूजे को मारने लूटने की प्रवृत्ति रखते हैं वे कौवे की प्रवृति के है। अपने आस पास छुपे बैठे कौवौं को पहचानों, उनसे दूर रहो ...और जो हंस प्रवृत्ति के हैं , उनका साथ करो.. इसी में आपका व हम सब का कल्याण छुपा है!

रामचंद्र आर्य

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

नौ बजे के बाद हमेशा उठने वाले संजीव सिंह आज सुबह सुबह पाँच बजे घर से रात की पार्टी वाला मिठाई का एक बड़ा सा डब्बा लेकर “कुछ अर्जेंट काम है “घरवालों को बोलकर बाइक से निकल गए और वहीं पहुँचे जहाँ कल शाम उनकी कार से छोटा सा एक्सीडेंट हुआ था। पूरी रात संजीव सिंह कुछ सोच सोच कर दुखी रहे और एक पल के लिए भी सो नहीं पाए थे बार बार उस गरीब आदमी का सड़क पर बैठकर रोता चेहरा उनकी आँखों के सामने घूम रहा था। कल उनके बेटे का बर्थडे था और घर पे ही लगभग सौ लोगों के साथ पार्टी थी जिसमें उनके रिश्तेदार ,पड़ोसियों और बेटे के दोस्तों के परिवारवाले शामिल थे। अपने आफिस में संजीव सिंह ने सोचा था कि तीन बजे तक आफिस से काम ख़त्म कर निकल जाऊँगा ताकि बीबी की डाँट और एकलौते बेटे की शिकायत ना सुननी पड़े परंतु बॉस के आदेश और काम अधिक होने की वजह से उन्हें आफिस से निकलते निकलते देर हो गयी थी। जल्द से जल्द घर पहुँचने के चक्कर में स्पीड में कार चलाते हुए एक गोलगप्पे वाले के ठेले से थोड़ी सी उनकी कार की टक्कर हो गयी और उस गोलगप्पे वाले के ठेले के सारे गोलगप्पे और अन्य सामान सड़क पर बिखर कर बरबाद हो गया था ।संजीव सिंह बिना रुके कार को आगे बढ़ा दिया रियर मिरर में देखा तो गोलगप्पे वाला सड़क पे सर पकड़कर बैठकर जोर जोर से चिल्लाते हुए रोने लगा था। एक्सीडेंट वाली जगह से थोड़ी दूरी पर गरीबों की बारह पंद्रह झोपड़पट्टी वाली एक छोटी सी बस्ती थी।एक झोपड़ी के आगे उन्होंने वही गोलगप्पे वाला ठेला जिसके एक साइड का चक्का बुरी तरह डैमेज था लगा देखा संजीव सिंह ने बाइक वहीं खड़ी कर उस झोपड़े का दरवाजा खटखटाया।

एक बीमार सी और उदास आँखों वाली पतली दुबली पुरानी सी साड़ी पहने एक महिला ने दरवाजा खोला।अंदर आने की इज़ाज़त माँगने पर बड़े आश्चर्य से देखकर शर्मिदगी के साथ इजाज़ात दे दी। झोपड़ी के अंदर का हाल बहुत बुरा था एक गंदी सी चारपाई थी।ठंढे मिट्टी के चूल्हे और कोई जुठे ना बर्तन देखकर कोई भी ये समझ सकता था कि कल रात खाना न बना था।एक दस साल का हड्डियों का ढांचा वाला बच्चा किताब में कुछ पढ़ाई कर रहा था वही बगल में गोलगप्पे वाला जमीन पर ही बैठा था।गोलगप्पे वाले ने हाथ जोड़कर बोला "बोलिये साहब हमसे कौनो गलती हुई क्या?"

संजीव सिंह उसका हाथ अपने हाथों में लेकर बोले “गलती तो मुझसे हुई थी कल ,आपके सारे गोलगप्पे मेरे कारण ही बरबाद हुए मुझे माफ़ कर दीजिए” तभी वहाँ खड़ी गोलगप्पे वाली की पत्नी बोली " एक सप्ताह से बीमार पड़े थे रामू के बाबूजी कल बहुत दिन बाद दुकान लगाये थे अब तो हमलोगों के पास इतने पैसे भी ना है कि ठेले का चक्का बदलवा सकें और फिर से गोलगप्पे की दुकान लगा सके कल सवेरे दू हजार रुपया सूद पर ले के फिर दुकान खोलनी है किस्मत बहुत खराब है संजीव सिंह ने पाँच हजार रुपये देते हुए कहा "यही मेरा प्रायश्चित है आप स्वीकार करें" और फिर बेटे के जन्मदिन वाली मिठाई का पैकेट उस छोटे बच्चे की तरफ बढ़ाये पर बच्चे की आँखों मे लालच होते हुए भी शर्मिन्दगी से स्वीकृति के लिए माई बाबूजी की तरफ देखा ।स्वीकृति मिलते ही पैकेट खोलकर खुश होकर मिठाई खाने लगा और वहाँ खड़े सभी के चेहरे पर मुस्कुराहट तैर गयी और अब संजीव सिंह को लग रहा था कि उनके दिल से कोई बोझ उतर गया है....

अगर आपसे किसी गरीब का नुकसान हो जाये तो उसकी मदद जरूर करें 🙏

मोनिका उपाध्याय