Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Atomic Habits Book Summary In Gujarati – પ્રસ્તાવના

હાઇસ્કૂલમાં બેઝબોલ રમતા રમતા એક છોકરો અકસ્માતે એટલી ગંભીર રીતે ઘવાયો કે એ કોમામાં જતો રહ્યો. એક વર્ષ પછી જ્યારે એ સાજો થઈને પાછો ફર્યો ત્યારે એને ખબર પડી કે એને યુનિવર્સિટીની બેઝબોલ ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો છે. એ ચાર વર્ષની ઉંમરથી આ રમત રમી રહ્યો હતો અને એક એવી વ્યક્તિ જેણે પોતાનું સર્વસ્વ આ રમતને આપી દીધું હોય એની માટે આવી રીતે ટીમમાંથી અલગ થવું ખાસ્સું અપમાનજનક હતું. એ પોતાની ગાડીમાં બેસીને રડવા લાગ્યો અને મૂડ સુધારવા માટે રેડિયો પર કોઈ સારું ગીત શોધવા લાગ્યો.

અકસ્માત થવાના બે વર્ષ પછી એની જિંદગીમાં એક નિર્ણાયક વળાંક આવ્યો, જ્યારે એણે ડેનિસન યુનિવર્સિટીની કોલેજમાં જવાનું શરૂ કર્યું. ત્યાં જઈને એને ખબર પડી કે નાની નાની આદતોમાં કેટલી તાકાત હોય છે. પછી તો એને ડેનિસન યુનિવર્સિટીમાં ટોચના પુરુષ રમતવીર તરીકે પસંદ કરાયો અને એનું નામ ઇએસપીએન એકેડેમિક ઓલ-અમેરિકા ટીમમાં હતું – જે સન્માન આખા દેશમાં ફક્ત 33 ખેલાડીઓને જ મળ્યું હતું. ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધીમાં એનું નામ કોલેજની જુદી જુદી રેકોર્ડ્સ બુક્સમાં આઠ શ્રેણીઓમાં લખાઈ ચૂક્યું હતું. યુનિવર્સિટીના સર્વોચ્ચ શૈક્ષણિક સન્માન પ્રેસિડેન્ટ મેડલથી એને નવાજવામાં આવ્યો.

આ બધું કેવી રીતે શક્ય બન્યું? કઈ રીતે એ છોકરાએ આટલી બધી સફળતા મેળવી? જવાબ છે આદતો. નાની-નાની આદતો જેણે આગળ જઈને મોટું સ્વરૂપ ધારણ કરીને સકારાત્મક પરિણામ આપ્યું. કેવી રીતે આદતો આપણને સફળતા કે નિષ્ફળતા સુધી દોરી જાય છે? કેવી રીતે સારી આદતો બનાવવી અને ખરાબ આદતોથી છૂટકારો મેળવવો? આ બધી જ બાબતો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે એટોમિક હેબિટ્સ નામના પુસ્તકમાં. અને ઉપર જે છોકરા વિશે વાત કરી એ છોકરો એટલે આ પુસ્તકનાં લેખક. મિત્રો આવનારા દિવસોમાં હું તમારી સાથે પુસ્તકમાંથી કેટલીક વાતો શેર કરીશ. જેથી તમે પણ એનો લાભ લઈને તમારા જીવનમાં હકારાત્મક પરીવર્તન લાવી શકો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌹MUST READ💐

એકવાર અકબરે બીરબલને એક બકરો આપ્યો અને કહ્યું ‘આ બકરા માટેનો ઘાસ-ચારો શાહી ગમાણમાંથી આવશે અને મારા સિપાહીઓ તું એ પુરે-પુરો બકરાને ખવડાવે તેનું ધ્યાન રાખશે. એક મહિનાના આ નિત્યક્રમ પછી ભર્યા દરબારે આ બકરાનું વજન થશે અને જો એનું વજન વધશે તો તને એક વર્ષની સખત જેલ થશે! અને હા, આ વખતે બકરાની સામે સિંહ-વાઘ એવું બાંધવાની(મૂળ વાર્તા મુજબ) ચાલાકી કરવાની નથી’ બિરબલની મનોમન ઈર્ષ્યા કરતા દરબારીઓએ તો અકબરની આ વાત વધાવી લીધી, શાહી ઘાસચારો ખાઈને બકરાનું વજન ના વધે તેવું થોડું બનશે, આ વખતે તો બીરબલને કારાવાસ નક્કી છે. એક વૃદ્ધ કારભારીએ સંદેહ વ્યક્ત કર્યો ‘જહાંપનાહ ગુસ્તાખી માફ, બીરબલ બકરાને બીમાર પાડી દે તો?!’ અકબરે તાત્કાલિક પશુચિકીત્સકને રોજ બકરાની તબીબી સંભાળ લેવાનો હુકમ કર્યો.

બીજા દિવસથી બીરબલના ઘરે બકરાનું રૂટિન શરુ થઇ ગયું. શાહી ગમાણમાંથી પુષ્કળ તાજો પોષ્ટીક ચારો આવે અને બકરો આખો દિવસ ખાધા કરે. આટલું ઓછું હોય એમ રોજ પશુચિકીત્સક આવીને બકરાની તપાસ કરી જાય અને બકરાની ઈમ્યૂનિટી વધે એ માટેના ઔષધો ખવડાવતો જાય! સ્વાભાવિક રીતે જ બકરો તાજોમાજો થવા લાગ્યો અને બે-પાંચ દિવસમાં જ એનું વજન વધવા માંડ્યું. બીરબલને ફિકર પેઠી કે આ રીતે જ જો બકરો અલમસ્ત થતો જશે તો પોતાનું જેલ જવું નક્કી છે. ઘણું વિચાર્યા બાદ એના ફળદ્રુપ ભેજામાં એક યુક્તિ આવી અને તેણે એ અમલમાં મૂકી. મહિના પછી ભર્યા દરબારમાં બકરાનું વજન કરવામાં આવ્યું, સૌના આશ્ચર્ય વચ્ચે બકરાનું વજન વધવાનું તો દૂર ઉપરથી ઘટ્યું! દરબારીઓમાં ગણગણાટ શરુ થયો કે નક્કી આમાં બીરબલની કોઈ ચાલ છે, બધાએ અકબરને આ કેવી રીતે શક્ય બન્યું તેનો ખુલાસો કરવાનો હુકમ કરવાની વિનંતી કરી. અકબરની આંખોમાં પણ સંદેહ હતો, તે પામીને બીરબલે કહ્યું ‘જહાંપનાહ, આમાં મારી કોઈ ચાલાકી નથી. હું અને મારી પત્ની, રોજ રાત્રે બકરો સાંભળે એ રીતે, ગુસપુસ કરતા હતા કે બાદશાહ બકરાની આટલી ખાતિરદારી એટલા માટે કરે છે કે મહિનો પૂરો થાય પછી એને વધેરવામાં આવે ત્યાં સુધીમાં એ અલમસ્ત થઇ ગયો હોય! બકરાના મનમાં ફડક પેઠી અને ખાધેલું વળવાને બદલે ચિંતામાં શરીર ગળવા માંડ્યું!’


‘મોરલ ઓફ ધ સ્ટોરી’ તમારી આજુ-બાજુનું વાતાવરણ-પોષણ ગમે તેટલું સારું હોય, તમારી ફિઝિકલ ઇમ્યુનીટી ગમે તેટલી મજબૂત હોય પરંતુ જો તમારું મન ચિંતાગ્રસ્ત હોય, ભયમાં હોય કે તણાવમાં હોય તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. તમારું પોષણ, ઇમ્યુનીટી બુસ્ટર્સ અને ફિઝિકલ ઇમ્યુનીટી બધું કોરાણે રહી જાય છે. જેવી બકરાને આવનારા ભવિષ્યની ફડક પેઠી કે એ અંદરથી ગળવા માંડ્યો, ઉત્તમ પોષણ-રોગપ્રતિકારક ઔષધો છતાં! દેખીતી રીતે નિરોગી પરંતુ અંદરથી અસ્વસ્થ! તમારી આજુબાજુમાં પણ આવા ઘણા કિસ્સાઓ મળશે, બધા રિપોર્ટ નોર્મલ અને છતાં બીમાર!!

ચિંતા, ભય, તણાવ, અસલામતી વગેરે રોજિંદા જીવનનો ભાગ છે અને તેના વગરનું જીવન એક ભ્રમણાથી વિશેષ કઈં ના હોઈ શકે. (એ વાત અલગ છે કે બધા આ વાત સહજતાથી સ્વીકારતા નથી.) તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી સિવાય બીજું કશું કામ નથી લાગતું. સતત ચિંતાઓ, તણાવ, અજંપો વગેરે તમારા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે કે મગજમાં ન્યુરો-કેમિકલ્સના લેવલમાં ગરબડ પેદા કરી દે ત્યારે બચાવમાં આ સાયકોલોજીકલ ઇમ્યુનીટી જ મદદમાં આવતી હોય છે.માનસિક પાચનશક્તિ – મેન્ટલ ડાયજેશન એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત! જો તમારી આ પાચનશક્તિ સારી હોય તો તમારું મન કોઈપણ બાબતનો સ્વીકાર સહજતાથી કરી શકે છે અને તમને ખબર જ હશે કે મનને મજબૂત બનાવતી કોઈપણ પ્રક્રિયાની શરૂઆત સ્વીકાર – એક્સેપ્ટન્સથી જ શરુ થતી હોય છે. આ સ્વીકૃતિ જ તમને ‘બાઉન્સ બેક’ થવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે. ઘણી વ્યક્તિઓ તો જીવનમાં આવેલી હકીકતો પચાવી જ નથી શકતી. સરવાળે, સતત દુઃખમાં રહે અથવા ફરિયાદ કરતા રહે અને આ સંજોગોમાં તેમની ઇમ્યુનીટી પર નકારાત્મક અસર પડતી હોય છે, જેને કારણે તેમના આરોગ્ય સામે ખતરો મંડાતો હોય છે. મુશ્કેલીઓ જીવનમાં બદલાવ લાવતી હોય છે, હાલમાં આ બદલાવને આપણે ન્યુ-નોર્મલ એવું રૂપકડું નામ આપ્યું છે. જેટલી સહજતાથી કોઈ બદલાવને સ્વીકારીને તમે નવું અનુકૂલન સાધી લો છો તેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત થતી જાય છે અને એથી ઉલટું, જેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત તેટલી વધુ સરળતાથી તમે ન્યુ-નોર્મલને એડજસ્ટ થઇ જાવ છો !

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ધનવાન માણસે દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ વસાવી હતી.
રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી, ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું.
બોટ… ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ?
પોતાના મને જ તેણે જવાબ આપ્યો કે ‘જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે’.
દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો.
થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી.
ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા.
ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.
ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે.
રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું, અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી, અને આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી.
સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો.
ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા અને કહ્યું, “અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે !”
એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.
ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયા ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!!
કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી. સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગે છે..

🙏🏻🙏🏻 બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રધ્ધા અને ધીરજ સાથે રહેજો. ઇશ્વર કઇંક સારો રસ્તો બતાવશે🙏🏻
મિત્રો સાથે મળીને હકારાત્મક વાતાવરણ ઊભું કરીએ… ચારે બાજુ નેગેટીવિટી જ ફેલાયેલી છે ત્યારે આપણે બને તો સારા મેસેજ જ પાસ કરીએ ધન્યવાદ🙏🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શ્રી નારાયણ દાભડકર નાગપુરમાં એમની દીકરી સાથે રહે છે. 85 વર્ષના નારાયણકાકા પણ કોરોના સંક્રમિત થયા. ઘરે સારવાર ચાલતી હતી પણ ધીમે ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું. નારાયણકાકાની દીકરીએ પિતાને હોસ્પિટલાઈઝ કરવા ખૂબ દોડા દોડી કરી પણ દર્દીઓની સંખ્યા વધુ હોવાથી મહામુસીબતે એક હોસ્પિટલમાં બેડ મળ્યો.

નારાયણકાકાની દીકરીની વહુ એના નાનાજી સસરાને લઈને હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલના એડમીન કાઉન્ટર પર દાખલ કરવાની ફોર્માંલીટી ચાલતી હતી ત્યારે ત્યાં એક 40 વર્ષની સ્ત્રી એના નાના દીકરા અને ગંભીર હાલતમાં રહેલા પતિ સાથે પહોંચી. એ એના પતિને દાખલ કરવા વિનંતી કરતી હતી પરંતુ ડોક્ટર અને હોસ્પિટલ લાચાર હતા કારણકે એક પણ બેડ ઉપલબ્ધ નહોતો.

નારાયણકાકાએ પેલી બહેનને રડતી અને કાકલૂદી કરતી જોઈ એટલે કાઉન્ટર પરની જવાબદાર વ્યક્તિને કહ્યું, ‘ભાઈ શુ ખરેખર તમારી પાસે હવે કોઈ બેડ નથી ? એક કામ કરો મારો બેડ આ બહેનના પતિને આપી દો હું ઘરે રહીને સારવાર લઈશ.’ ડોક્ટરે કહ્યુ, ‘કાકા, તમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમે હોસ્પિટલમાં દાખલ થયા વગર નહિ બચી શકો ?’

નારાયણકાકાએ કહ્યું, ‘ભાઈ, મને 85 વર્ષ થયાં. મેં પૂરું જીવી લીધું છે અને મને સંતોષ છે આટલા જીવનથી. મારા કરતાં આ યુવાનનું જીવન બચાવવું વધુ જરૂરી છે કારણકે આ નાના બાળકને એના પિતાની વધુ જરૂર છે. હું આપને કહું છું કે મારો બેડ આ બહેનના પતિને આપી દો હું એ માટેની આપને લેખિત સંમતિ આપું છું અને મારી સહી પણ કરી આપું છું. હોસ્પિટલ મેનેજમેન્ટએ નારાયણકાકાને ખૂબ સમજાવ્યા પણ એકના બે ન થયા.’

નારાયણકાકાએ સાથે રહેલી દીકરીની વહુને કહ્યું, ‘ તારી સાસુને ફોન લગાવ એટલે હું એને પણ આ વાત કરી દઉં જેથી આપણે ઘરે પાછા જઈએ ત્યારે એ તને કાંઈ ન કહે.’ ફોન પર કાકાએ દીકરીને આ વાત કહી. દીકરી વાત સ્વીકારવા તૈયાર નહોતી પરંતુ અંતે દીકરી પણ પિતાની જીદ સામે હારી ગઈ.

નારાયણકાકા પેલી સાવ અજાણી બાઈના પતિને પોતાનો બેડ આપીને તૂટતા શ્વાસે પૂર્ણ સંતોષ સાથે ઘરે પહોંચ્યા અને ત્રણ દિવસ બાદ ભગવાનના ઘરે પહોંચ્યા.

શ્રી નારાયણ દાભડકર જેવા મહાપુરુષે એક માણસનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દીધો અને આપણે બિનજરૂરી સંગ્રહખોરી કરીને કેટલાના જીવ લઈ રહ્યા છીએ. સંગ્રહખોરી બંધ કરીને માણસની સાથે માનવતાને પણ બચાવી લઈએ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Gujarati PDF Books:
એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. ગભરામણ, ચિંતા અને ડરથી ધ્રુજી રહેલા અવાજમાં તેમણે મને કહ્યું, ‘સર, ઈમરજન્સી છે. બે મિનીટ વાત થશે ?’. સાવ જ અપરિચિત વ્યક્તિના અવાજમાં રહેલી એ વેદના મને બહુ પરિચિત લાગી. મેં કહ્યું, ‘અફકોર્સ.’ તેમણે કહ્યું, ‘હું વડોદરાથી એક મમ્મી બોલું છું. મારો દીકરો અત્યારે જયપુરમાં એન્જિનિયરીંગ ભણે છે. છેલ્લા ઘણા સમયથી એ બીમાર રહે છે. એનું શારીરિક સ્વાસ્થ્ય સારુ નથી રહેતું. અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે…’

આ સાંભળીને મારું હ્રદય એક ધબકારો ચુકી ગયું. એમણે લીધેલા નાનકડા પોઝમાં મેં મનોમન પ્રાર્થના કરી લીધી કે આ સ્યુસાઈડ નોટ ન હોય તો સારું.

‘અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે જીવવાની મજા નથી આવતી. મારે આવું જીવન નથી જીવવું.’ જયપુર રહેલા દીકરાએ કરેલો આખો મેસેજ તેમણે મને ફોન પર રડતા રડતા વાચી સંભળાવ્યો. એ મેસેજ નિરાશા અને હતાશાથી છલોછલ હતો. ડાઉટ અને ડિપ્રેશનથી ભરપુર હતો. એક રીતે એ મેસેજ, જિંદગીની લડાઈમાં સંઘર્ષો સામે હથિયાર હેઠા મૂકી દીધાની કબુલાત હતી. જીવનમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની એક ગર્ભિત, ગંદી અને ડરામણી બદબૂ આવતી’તી એ મેસેજમાંથી.

એ મેસેજ પૂરો વાચીને તેમણે મને કહ્યું, ‘એ મારાથી સાતસો કિલોમીટર દૂર છે. મને ડર છે કે એ ક્યાંક…’ એમનું વાક્ય અધૂરું રહ્યું. બહુ જ પ્રામાણિકતાથી કહું છું કે બે સેકન્ડ માટે મારી સામે આયેશાનું પુનરાવર્તન થતું હોય એવું લાગ્યું.

આવા સમયે શું કરી શકીએ આપણે ? અચાનક કોઈ હાઈ-રાઈઝ બિલ્ડીંગ, રીવર-ફ્રન્ટ કે દરિયા કિનારે જઈને આપણું બાળક અચાનક મેસેજ કરે કે ‘જીવવાની મજા નથી આવતી’, ત્યારે શું કરી શકીએ આપણે ? અને ખાસ કરીને ત્યારે, જ્યારે આપણું બાળક આપણાથી જોજનો દૂર હોય.

સાચું કહું તો થોડીવાર માટે હું બ્લેન્ક થઈ ગયેલો. મને સમજાતું નહોતું કે મારે તેમને શું કહેવું. મેં એમને કહ્યું કે ‘એને તાત્કાલિક તમારી પાસે બોલાવી લો. અથવા વિથાઉટ એની ડીલે, તમે ત્યાં પહોંચી જાવ. એને એકલો ન રહેવા દો. એના મિત્ર સાથે વાત કરો.’ પણ એ સમયે મારા મોઢામાંથી નીકળેલું એક વાક્ય તેમણે બરાબર પકડી લીધું. મેં કહેલું, ‘તમારી પૂરી ઈમોશનલ એનર્જી ખર્ચીને, તમે પણ એને એક મેસેજ કરો. તમે એક મમ્મી છો. અને મમ્મી તરફનો ભાવનાત્મક લગાવ મૃત્યુના બળ કરતા અનેકગણો વધારે મજબૂત હોય છે.’

એ પછી એમણે એક મેસેજ ડ્રાફ્ટ કર્યો. એ મેસેજ વાચ્યા પછી નેક્સ્ટ અવેલેબલ ફ્લાઈટ પકડી એમનો દીકરો વડોદરા પહોંચી ગયો. એરપોર્ટ પર ઉભેલા મમ્મી-પપ્પાને જોઈને એના ચહેરા પર સ્માઈલ હતું. એ દોડીને એમને વળગી પડ્યો.

એની મમ્મીએ કરેલો એ મેસેજ તમારી સાથે શેર કરું છું, જેથી આ લાઈફ-સેવીંગ મેસેજ મેક્સીમમ મમ્મીઓ અને બાળકો સુધી પહોંચી શકે.


પ્રિય દીકરા,
દરેક લાઈન ધ્યાનથી વાચજે અને સમજવાનો પ્રયત્ન કરજે. તું એટલો ઈન્ટેલીજન્ટ અને મેચ્યોર તો છે જ કે આ મેસેજ યોગ્ય રીતે સમજી શકે.

પાનખરમાં ખરી પડતા પાંદડાને જોઈને, કોઈ વૃક્ષ નિરાશ નથી થઈ જતું. ડિપ્રેશનમાં આવ્યા વગર એ જ જગ્યાએ ઉભા રહીને, તે સમય પસાર થવાની પ્રતીક્ષા કરે છે. પોતાનો ખરાબ સમય ચાલે છે એ જાણવા છતાં પણ પૂરી ધીરજ અને શ્રદ્ધાથી વૃક્ષો વસંતની રાહ જુએ છે. કારણકે એમને કુદરત અને ઋતુ પર વિશ્વાસ હોય છે. સમયની ગતિ પર ભરોસો હોય છે. અડિખમ ઉભા રહીને પાનખરનો સામનો કરવાની તેમની હિંમત જ તેમને વસંત સુધી પહોંચાડે છે. સમયનું ચક્ર ફરે છે અને તેઓ ફરી એકવાર લીલાછમ થઈ જાય છે. સુક્કી અને મૃત:પ્રાય થઈ ગયેલી ડાળખીમાં કુંપળો ફૂટે છે, નવા પર્ણો આવે છે, ફૂલો ઉગે છે.

વસંતને લાવવા માટે વૃક્ષો કોઈની સાથે જંગ નથી લડતા. બસ, બદલાઈ રહેલી ઋતુઓ અને મોસમના મિજાજનો સ્વીકાર કરે છે. તેઓ આત્મહત્યા નહીં, સમર્પણ કરે છે.

તો મારા વહાલા દીકરા, તને જ્યારે એવું લાગે કે તારા આત્માનો એક ટુકડો દરરોજ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે વસંતની પ્રતીક્ષા કરજે. એન્ડ બીલીવ મી, નક્કી કોઈ ચમત્કાર થશે. તારી અંદર કશુંક દિવ્ય, નવ્ય અને ભવ્ય અંકુરિત થશે.

તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ ? અથવા તો કશું કરી શકીશ કે નહીં ? એ વિશે તને શંકા છે. તો માય ડીયર સન, Even at this age મને અને તારા પપ્પાને પણ એ નથી સમજાયું કે અત્યાર સુધીના જીવનમાં અમે શું કર્યું, શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું કરશું ? જીવન એ કોઈ કોંક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈ-વે નથી જેમાં વડોદરાથી જયપુર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય. જીવન આવું જ છે બેટા. અચોક્કસ, અણધાર્યું, અનિયમિત. અહિયાં કશું જ પૂર્વ-નિર્ધારિત નથી હોતું. આવનારી પ્રત્યેક ક્ષણ Unpredictable હોય છે.

મારે તને એટલું જ કહેવું છે કે કુદરતે આપેલી જિંદગી પૂરી કરજે. ટ્રેઈનમાંથી ઉતરી જવાની ઉતાવળ ન કરતો. જીવનના દરેક સ્ટેશન પર ‘ફેરિયાઓ’ અલગ અલગ પરીસ્થિતિઓ ઓફર કરશે. દરેક સંજોગોનો સ્વાદ ચાખી લેજે. મન ભરીને આ મુસાફરી માણી લેજે. કોઈ સ્ટેશન કાયમી નથી. કોઈ સ્વાદ પરમેનન્ટ નથી.

Its okay.. not to feel okay. પણ હતાશા કે ડિપ્રેશનની એ લાગણીને કાયમી સમજી લેવાની ભૂલ ન કરતો. કોઈ સ્ટેશન પર ટ્રેઈન લાંબો સમય રોકાતી નથી, માટે અકાળે જંપ મારીને ઉતરી ન જતો. તારે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે. જિંદગીની ગાડી ખોટવાઈ જાય, તો એને રીપેર કરવાની હોય. છોડી ન દેવાની હોય.

એક કામ કર. તારી આસપાસ ફૂટપાથ પર રહીને જીવતા બાળકોને ઓબ્ઝર્વ કરજે. ન ઘર, ન પૈસો. કશું જ ન હોવા છતાં, જે આનંદ અને મસ્તીથી તેઓ રમતા હોય છે એને ધ્યાનથી નિહાળજે. કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું, પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું. ન પગમાં પહેરવા ચપ્પલ મળે છે, ન પહેરવા માટે કપડા. અને છતાં તેઓ આનંદથી જીવતા હોય છે. એકબીજાની મસ્તી કરતા હોય છે. હસતા હોય છે. ખુશ રહેતા હોય છે. આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને તેમની ઈર્ષા થાય છે કારણકે ઈશ્વરે જેટલું આપ્યું છે, એટલામાં ખુશ રહેતા તેમને આવડે છે.

તારી જાતને એમની સાથે કમ્પેર કરજે. ઈશ્વરનો આભાર માનવા માટે, તને અસંખ્ય અને અઢળક કારણો જડી આવશે. છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં હંમેશા ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ ગણજે. તકલીફો, ફરિયાદો કે અભાવો ગણવા બેસીશ, તો દરેક ક્ષણે જીવન નકામું લાગશે.

બસ, જીવનને નિહાળવાના તારા ચશ્મા બદલી લે. પછી જો, આખી દુનિયા ચમત્કાર લાગશે.

Love you a lot. Take care. આશા રાખું છું કે હવે જ્યારે આપણે મળીએ ત્યારે તારા ચહેરા પર ઉદાસી નહીં, સ્માઈલ હોય.


અત્યારે એ દીકરો એના મમ્મી-પપ્પા સાથે છે. ડિપ્રેશનમાંથી રીકવર થઈ રહ્યો છે. જિંદગીને વહાલ કરવાનું શીખી રહ્યો છે. દરેક બાળક માટે સૌથી મોટા ફિલોસોફર, કાઉન્સેલર કે મનોચિકિત્સક એના ઘરમાં જ રહેલા હોય છે, અને એ હોય છે એના મમ્મી-પપ્પા.
-ડૉ. નિમિત્ત ઓઝા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

♦️♦️♦️ रात्रि कहांनी ♦️♦️♦️

*👉🏿जीवन की कहानी 🏵️
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
एक बड़ा सुन्दर शहर था, उसका राजा बड़ा उदार और धर्मात्मा था। प्रजा को प्राणों के समान प्यार करता और उनकी भलाई के लिए बड़ी बड़ी सुन्दर राज व्यवस्थाएं करता। उसने एक कानून प्रचलित किया कि अमुक अपराध करने पर देश निकाले की सजा मिलेगी। कानून तोड़ने वाले अनेक दुष्टात्मा राज्य से निकाल बाहर किये गये, राज्य में सर्वत्र सुख शान्ति का साम्राज्य था।

एक बार किसी प्रकार वही जुर्म राजा से बन पड़ा। बुराई करते तो कर गया पर पीछे उसे बहुत दुःख हुआ। राजा था सच्चा, अपने पाप को वह छिपा भी सकता था पर उसने ऐसा किया नहीं।

दूसरे दिन बहुत दुखी होता हुआ वह राज दरबार में उपस्थित हुआ और सबके सामने अपना अपराध कह सुनाया। साथ ही यह भी कहा मैं अपराधी हूँ इसलिए मुझे दण्ड मिलना चाहिए। दरबार के सभासद ऐसे धर्मात्मा राजा को अलग होने देना नहीं चाहते थे फिर भी राजा अपनी बात पर दृढ़ रहा उसने कड़े शब्दों में कहा राज्य के कानून को मैं ही नहीं मानूँगा तो प्रजा उसे किस प्रकार पालन करेगी? मुझे देश निकाला होना ही चाहिये

निदान यह तय करना पड़ा कि राजा को निर्वासित किया जाय। अब प्रश्न उपस्थित हुआ कि नया राजा कौन हो? उस देश में प्रजा में से ही किसी व्यक्ति को राजा बनाने की प्रथा थी। जब तक नया राजा न चुन लिया जाय तब तक उसी पुराने राजा को कार्य भार सँभाले रहने के लिए विवश किया गया। उसे यह बात माननी पड़ी।

उस जमाने में आज की तरह वोट पड़कर चुनाव नहीं होते थे। तब वे लोग इस बात को जानते ही न हों सो बात न थी। वे अच्छी तरह जानते थे कि यह प्रथा उपहासास्पद है। लालच, धौंस, और झूठे प्रचार के बल पर कोई नालायक भी चुना जा सकता है। इसलिए उपयुक्त व्यक्ति की कसौटी उनके सद्गुण थे। जो अपनी श्रेष्ठता प्रमाणित करता था वही अधिकारी समझा जाता था।

उस देश का राजा जैसा धर्मात्मा था वैसा ही प्रधान मन्त्री बुद्धिमान था। उसने नया राजा चुनने की तिथि नियुक्त की। और घोषणा की कि अमुक तिथि को दिन के दस बजे जो सबसे पहले राजमहल में जाकर महाराज से भेंट करेगा वही राजा बना दिया जायेगा। राजमहल एक पथरीली पहाड़ी पर शहर से जरा एकाध मील हठ कर जरूर था पर उसके सब दरवाजे खोल दिये गये थे भीतर जाने की कोई रोक टोक न थी। राजा के बैठने की जगह भी खुले आम थी और वह मुनादी करके सबको बता दी गई थी।

राजा के चुनाव से एक दो दिन पहले प्रधान मन्त्री ने शहर खाली करवाया और उसे बड़ी अच्छी तरह सजाया। सभी सुखोपभोग की सामग्री जगह जगह उपस्थिति कर दी। उन्हें लेने की सबको छुट्टी थी किसी से कोई कीमत नहीं ली जाती। कहीं मेवे मिठाइयों के भण्डार खुले हुए थे तो कहीं खेल, तमाशे हो रहे थे कहीं आराम के लिए मुलायम पलंग बिछे हुए थे तो कहीं सुन्दर वस्त्र, आभूषण मुफ्त मिल रहे थे। कोमलाँगी तरुणियाँ सेवा सुश्रूषा के लिए मौजूद थीं जगह -जगह नौकर दूध और शर्बत के गिलास लिये हुए खड़े थे। इत्रों के छिड़काव और चन्दन के पंखे बहार दे रहे थे। शहर का हर एक गली कूचा ऐसा सज रहा था मानो कोई राजमहल हो।

चुनाव के दिन सबेरे से ही राजमहल खोल दिया गया और उस सजे हुए शहर में प्रवेश करने की आज्ञा दे दी गई। नगर से बाहर खड़े हुए प्रजाजन भीतर घुसे तो वे हक्के-बक्के रह गये। मुफ्त का चन्दन सब कोई घिसने लगा। किसी ने मिठाई के भण्डार पर आसन बिछाया तो कोई सिनेमा की कुर्सियों पर जम बैठा, कोई बढ़िया बढ़िया कपड़े पहनने लगा तो किसी ने गहने पसन्द करने शुरू किये। कई तो सुन्दरियों के गले में हाथ डालकर नाचने लगे सब लोग अपनी अपनी रुचि के अनुसार सुख सामग्री का उपयोग करने लगे।

एक दिन पहले ही सब प्रजाजनों को बता दिया गया था कि राजा से मिलने का ठीक समय 10 बजे है। इसके बाद पहुँचने वाला राज का अधिकारी न हो सकेगा। शहर सजावट चन्द रोजा है, वह कल समय बाद हटा दी जायेगी एक भी आदमी ऐसा नहीं बचा था जिसे यह बातें दुहरा दुहरा कर सुना न दी गई हों, सबने कान खोलकर सुन लिया था।

शहर की सस्ती सुख सामग्री ने सब का मन ललचा लिया उसे छोड़ने को किसी का जी नहीं चाहता था। राज मिलने की बात को लोग उपेक्षा की दृष्टि से देखने लगे। कोई सोचता था दूसरों को चलने दो मैं उनसे आगे दौड़ जाऊँगा, कोई ऊंघ रहे थे अभी तो काफी वक्त पड़ा है, किसी का ख्याल था सामने की चीजों को ले लो, राज न मिला तो यह भी हाथ से जाएंगी, कोई तो राज मिलने की बात का मजाक उड़ाने लगे कि यह गप्प तो इसलिये उड़ाई गई है कि हम लोग सामने वाले सुखों को न भोग सकें। एक दो ने हिम्मत बाँधी और राजमहल की ओर चले भी पर थोड़ा ही आगे बढ़ने पर महल का पथरीला रास्ता और शहर के मनोहर दृश्य उनके स्वयं बाधक बन गये बेचारे उल्टे पाँव जहाँ के तहाँ लौट आये। सारा नगर उस मौज बहार में व्यस्त हो रहा था।

दस बज गये पर हजारों लाखों प्रजाजनों में से कोई वहाँ न पहुँचा। बेचारा राजा दरबार लगाये एक अकेला बैठा हुआ था। प्रधान मन्त्री मन ही मन खुश हो रहा था कि उसकी चाल कैसी सफल हुई। जब कोई न आया तो लाचार उसी राजा को पुनः राज भार सँभालना पड़ा।

यह कहानी काल्पनिक है परन्तु मनुष्य जीवन में यह बिल्कुल सच उतरती है। ईश्वर को प्राप्त करने पर हम राज्य मुक्ति अक्षय आनन्द प्राप्त कर सकते हैं। उसके पाने की अवधि भी नियत हैं मनुष्य जन्म समाप्त होने पर यह अवसर हाथ से चला जाता है। संसार के मौज तमाशे थोड़े समय के हैं यह कुछ काल बाद छिन जाते हैं। सब किसी ने यह घोषणा सुन रखी है कि संसार के भोग नश्वर हैं, ईश्वर की प्राप्ति में सच्चा सुख है, प्रभु की प्राप्ति का अवसर मनुष्य जन्म में रहने तक ही है। परन्तु हममें से कितने हैं जो इस घोषणा को याद रख कर नश्वर माया के लालच में नहीं डूबे रहते?

अवसर चला जा रहा है। हम माया के भुलावे में फँस कर तुच्छ वस्तुओं को समेट रहे हैं और अक्षय सुख की ओर आँख उठाकर भी नहीं देखते। हमारे इस व्यवहार को देखकर प्रधान मन्त्री शैतान मन ही मन खुश हो रहा है कि मेरी चाल कैसी सफल हो रही है। यह कहानी हमारे जीवन का एक कथा चित्र है।
~~
लालच आगे बढने से रोकता है
~~

🌹🌸🌹🌸🌹🌸🌹🌸🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌼 आशा एक राम जी से…🌼
1950 के दशक में हावर्ड यूनिवर्सिटी के विख्यात साइंटिस्ट कर्ट रिचट्टर ने चूहों पर एक अजीबोगरीब शोध किया था। कर्ड ने एक जार को पानी से भर दिया और उसमें एक चूहे को फेंक दिया।
पानी से भरे जार में गिरते ही चूहा हड़बड़ाने लगा।
जार से बाहर निकलने के लिये ज़ोर लगाने लगा।
चंद मिनट फड़फड़ाने के पश्चात चूहे ने हथियार डाल दिये और वह उस जार में डूब गया।
कर्ट ने उस समय अपने शोध में थोड़ा सा बदलाव किया। उन्होंने एक चूहे को पानी से भरे जार में डाला। चूहा जार से बाहर आने के लिये ज़ोर लगाने लगा। जिस समय चूहे ने ज़ोर लगाना बन्द कर दिया और वह डूबने को था……उसी समय कर्ड ने उस चूहे को मौत के मुंह से बाहर निकाल लिया। कर्ड ने चूहे को ठीक उसी क्षण जार से बाहर निकाल लिया जब वह डूबने की कगार पर था।
चूहे को बाहर निकाल कर कर्ट ने उसे सहलाया ……कुछ समय तक उसे जार से दूर रखा और फिर एक दम से उसे पुनः जार में फेंक दिया।
पानी से भरे जार में दोबारा फेंके गये चूहे ने फिर जार से बाहर निकलने की जद्दोजेहद शुरू कर दी।
लेकिन पानी में पुनः फेंके जाने के पश्चात उस चूहे में कुछ ऐसे बदलाव देखने को मिले जिन्हें देख कर स्वयं कर्ट भी हैरान रह गये।
कर्ट सोच रहे थे के चूहा बमुश्किल 15 – 20 मिनट संघर्ष करेगा और फिर उसकी शारीरिक क्षमता जवाब दे देगी और वह जार में डूब जायेगा।

लेकिन ऐसा नहीं हुआ।

चूहा जार में तैरता रहा।
जीवन बचाने के लिये सँघर्ष करता रहा।

60 घँटे …….जी हाँ …..60 घँटे तक चूहा पानी के जार में अपने जीवन को बचाने के लिये सँघर्ष करता रहा।
कर्ट यह देख कर आश्चर्यचकित रह गये। जो चूहा 15 मिनट में परिस्थितियों के समक्ष हथियार डाल चुका था ……..वही चूहा 60 घँटे से परिस्थितियों से जूझ रहा था और हार मानने को तैयार नहीं था।

कर्ट ने अपने इस शोध को एक नाम दिया और वह नाम था…….” The HOPE experiment”…..!

Hope……..यानि आशा।

कर्ट ने शोध का निष्कर्ष बताते हुये कहा के जब चूहे को पहली बार जार में फेंका गया …..वह डूबने की कगार पर पहुंच गया …..उसी समय उसे मौत के मुंह से बाहर निकाल लिया गया। उसे नवजीवन प्रदान किया गया।

उस समय चूहे के मन मस्तिष्क में “आशा” का संचार हो गया। उसे महसूस हुआ के एक हाथ है जो विकटतम परिस्थिति से उसे निकाल सकता है।

जब पुनः उसे जार में फेंका गया तो चूहा 60 घँटे तक सँघर्ष करता रहा…….वजह था वह हाथ……वजह थी वह आशा ……वजह थी वह उम्मीद।

इस परीक्षा की घड़ी में उम्मीद बनाये रखिये।
सँघर्षरत रहिये।
सांसे टूटने मत दीजिये।
मन को हारने मत दीजिये।
जिस हाथ ने हमें इस पानी के जार में फेंका है वही हाथ हमें इस पानी के जार से सकुशल वापिस निकाल लेगा।

उस हाथ पर विश्वास रखिये।
वो हाथ है हमारे परमपिता परमात्मा का हाथ जो हर समय हमारी सहायता के लिए ही हमारे साथ रहता हैं,
जय सिया राम
आपका
बांके बिहारी मिश्रा

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ધનવાન માણસે દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ વસાવી હતી.
રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી, ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું.
બોટ… ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ?
પોતાના મને જ તેણે જવાબ આપ્યો કે ‘જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે’.
દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો.
થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી.
ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા.
ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.
ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે.
રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું, અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી, અને આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી.
સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો.
ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા અને કહ્યું, “અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે !”
એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.
ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયા ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!!
કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી. સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગે છે..

🙏🏻🙏🏻 બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રધ્ધા અને ધીરજ સાથે રહેજો. ઇશ્વર કઇંક સારો રસ્તો બતાવશે🙏🏻
મિત્રો સાથે મળીને હકારાત્મક વાતાવરણ ઊભું કરીએ… ચારે બાજુ નેગેટીવિટી જ ફેલાયેલી છે ત્યારે આપણે બને તો સારા મેસેજ જ પાસ કરીએ ધન્યવાદ🙏🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“अगर मुझे पहुँचने में देर हो गई तो इतिहास लिखेगा कि एक #क्षत्रिय_राजपूत ने मदद मांगी और #ब्राह्मण भोजन करता रहा “-
ऐसा कहते हुए भोजन की थाली छोड़कर

बाजीराव अपनी सेना के साथ राजा

छत्रसाल की मदद को बिजली की गति से दौड़ पड़े ।

धरती के महानतम योद्धाओं में से एक अद्वितीय, अपराजेय और अनुपम योद्धा थे बाजीराव बल्लाल ।

शिवाजी महाराज का हिन्दवी स्वराज का सपना जिसे पूरा कर दिखाया तो सिर्फ – बाजीराव बल्लाल भट जी ने।

दरअसल जब औरंगजेब के दरबार में अपमानित हुए

वीर_शिवाजी आगरा में उसकी कैद से बचकर निकले थे तो उन्होंने एक ही सपना देखा था, पूरे मुगल साम्राज्य को कदमों पर झुकाने का। मराठा ताकत का अहसास पूरे हिंदुस्तान को करवाने का ।

अटक से कटक तक , कन्याकुमारी से सागरमाथा तक केसरिया लहराने का और हिंदू स्वराज लाने के सपने को पूरा किया ब्राह्मण पेशवाओं ने , खासकर पेशवा ‘बाजीराव प्रथम’ ने ।

इतिहास में शुमार अहम घटनाओं में एक यह भी है कि दस दिन की दूरी बाजीराव ने केवल पांच सौ घोड़ों के साथ 48 घंटे में पूरी की, बिना रुके, बिना थके !!

देश के इतिहास में ये अब तक दो आक्रमण ही सबसे तेज माने गए हैं ।

एक अकबर का फतेहपुर से गुजरात के विद्रोह को दबाने के लिए नौ दिन के अंदर वापस गुजरात जाकर हमला करना

और

दूसरा बाजीराव का दिल्ली पर हमला।

बाजीराव दिल्ली तक चढ़ आए थे । आज जहां तालकटोरा स्टेडियम है । वहां बाजीराव ने डेरा डाल दिया । उन्नीस-बीस साल के उस युवा ने मुगल ताकत को दिल्ली और उसके आसपास तक समेट दिया था ।
तीन दिन तक दिल्ली को बंधक बनाकर रखा । मुगल बादशाह की लाल किले से बाहर निकलने की हिम्मत ही नहीं हुई ।
यहां तक कि 12वां मुगल बादशाह और औरंगजेब का नाती दिल्ली से बाहर भागने ही वाला था कि उसके लोगों ने बताया कि जान से मार दिए गए तो सल्तनत खत्म हो जाएगी । वह लाल किले के अंदर ही किसी अति गुप्त तहखाने में छिप गया ।

बाजीराव मुगलों को अपनी ताकत दिखाकर वापस लौट गए ।
हिंदुस्तान के इतिहास के बाजीराव बल्लाल अकेले ऐसे योद्धा थे जिन्होंने अपनी मात्र 40 वर्ष की आयु में 39 बड़े युद्ध लड़े और एक भी नहीं हारे । अपराजेय , अद्वितीय
बाजीराव बिजली की गति से तेज आक्रमण शैली की कला में निपुण थे जिसे देखकर दुश्मनों के हौसले पस्त हो जाते थे ।

पूरे देश का शासक एक हिंदू हो, ये उनके जीवन का लक्ष्य था। और जनता किसी भी धर्म को मानती हो, बाजीराव उनके साथ न्याय करते थे ।

आप लोग कभी वाराणसी जाएंगे तो उसके नाम का एक घाट पाएंगे, जो खुद बाजीराव ने सन 1735 में बनवाया था ।
दिल्ली के बिरला मंदिर में जाएंगे तो उनकी एक मूर्ति पाएंगे ।
कच्छ में जाएंगे तो उनका बनाया ‘आइना महल’ पाएंगे ,
पूना में ‘मस्तानी महल’ और ‘शनिवार बाड़ा’ पाएंगे ।

अगर बाजीराव बल्लाल लू लगने के कारण कम उम्र में ना चल बसते तो ना तो अहमद शाह अब्दाली या नादिर शाह हावी हो पाते और ना ही # अंग्रेज और पुर्तगालियों जैसी पश्चिमी ताकतें भारत पर राज कर पातीं ।

#बाजीरावबल्लालभट्ट को उनकी पुण्यतिथि पर सहृदय कोटि-कोटि नमन

Posted in संस्कृत साहित्य

कई बार हम लोगों को टीवी सीरियल में नारद मुनि को एक चाटुकार और चुगलीबाज की तरह प्रदर्शित करते हुए दिखाया गया है। जिन लोगों ने हमारे ग्रंथों को नहीं पढ़ा है उनके मन में नारद मुनि को लेकर गलत छवि बनना सम्भव है
परंतु क्या नारद मुनि सिर्फ इतने ही थे?
नारद मुनि ब्रह्मा के मानस पुत्रों में से एक है। उन्होने कठिन तपस्या से ब्रह्मर्षि पद प्राप्त किया है। शास्त्रों में इन्हें भगवान का मन कहा गया है। इसी कारण सभी युगों में, सब लोकों में, समस्त विद्याओं में, समाज के सभी वर्गो में नारदजी का सदा से प्रवेश रहा है।
देवताओं ने ही नहीं, वरन् दानवों ने भी उन्हें सदैव आदर दिया है। श्रीमद्भगवद्गीता के दशम अध्याय के २६वें श्लोक में स्वयं भगवान श्रीकृष्ण ने इनकी महत्ता को स्वीकार करते हुए कहा है – देवर्षीणाम्चनारद:। देवर्षियों में मैं नारद हूं।
श्रीमद्भागवत महापुराणका कथन है, सृष्टि में भगवान ने देवर्षि नारद के रूप में तीसरा अवतार ग्रहण किया और सात्वततंत्र (जिसे नारद-पाञ्चरात्र भी कहते हैं) का उपदेश दिया जिसमें सत्कर्मो के द्वारा भव-बंधन से मुक्ति का मार्ग दिखाया गया है।
महाभारत में नारदजी के व्यक्तित्व का परिचय इस प्रकार दिया गया है – देवर्षि नारद वेद और उपनिषदों के मर्मज्ञ, देवताओं के पूज्य, इतिहास-पुराणों के विशेषज्ञ, पूर्व कल्पों (अतीत) की बातों को जानने वाले, न्याय एवं धर्म के तत्त्‍‌वज्ञ, शिक्षा, व्याकरण, आयुर्वेद, ज्योतिष के विद्वान, प्रभावशाली वक्ता, मेधावी, कवि, महापण्डित, बृहस्पति जैसे महाविद्वानोंकी शंकाओं का समाधान करने वाले, धर्म-अर्थ-काम-मोक्ष के यथार्थ के ज्ञाता, योगबलसे समस्त लोकों के समाचार जान सकने में समर्थ, सांख्य एवं योग के सम्पूर्ण रहस्य को जानने वाले,
देवताओं के उपदेशक, समस्त शास्त्रों में प्रवीण, सद्गुणों के भण्डार, सदाचार के आधार, परम तेजस्वी, सभी विद्याओं में निपुण है।
सत्य सनातन धर्म की जय
🚩🚩